પધારો પ્રાણ પ્યારા Sunday, Apr 29 2007 

                 પધારો પ્રાણ પ્યારા આચાર્ય મહારાજશ્રી

                                      tej.jpg

   પ્રદીપ બ્રહ્મભટ્ટ                                                 તાઃ૯ મી માર્ચ ૨૦૦૦       

    પધારો અવનીધર અવતાર તમને વંદન વારંવારં                                  
                         તમારા ચરણે પાવન થાય અમારું રુડું હ્યુસ્ટન ગામ.                      
   સ્વામિનારાયણના સ્મરણ માત્રથી ભવોભવના ત્રાસ મટે છે                          
                     મોક્ષ તણા તો દ્વાર ખુલે છે ને જીવલડાને પ્રાણ મળે છે.                      
  સુરજ જેવું મુખ પ્રકાશિત તેજ તણા પુંજ તમો છો            
   નામ ગુણ સૌ તમમાં પામ્યા તેથી આપ તેજેન્દ્રપ્રસાદ ઓળખાયા.                       
  પગલાં પડે ત્યા સૃષ્ટિ નાચે મનડુ મસ્ત બની ને માણે                        
                  પધારો ધર્મ તણા અવતાર અમારા આંગણાં પાવન થાય.                    
  ઓગણીસો ચુંવાલીસની એપ્રીલ માસે તારીખ અગીયારના રોજ                      
                  પધાર્યા અવની પર છો આપ જગતને દેવા જીવનનો દોર.                      
  માર્ચ માસની આઠમી તારીખ સાલ બે હજારની થાય                    
              ભાગ્ય ખુલ્યા સૌ હ્યુસ્ટનવાસીના આપથી પાવન અમારા દ્વાર.                     
 અમારો ધન્ય થયો અવતાર અમોને મળ્યો તમારો સથવાર                 
            જીવન ઉજ્વળ થવાને કાજ અમો પામ્યા દર્શન આપના આજ.                     
 પરદીપ તમો છો દીપી રહ્યા છો વિચરણ કરતા આપ                                
           જાણે તારા મંડળ મધ્યે શોભે આભે પુનમ કેરો ચાંદ.                   
 શીતળ આપના આર્શીવચન મનડું પાવન થાય                                  
         સ્પર્શ માત્રથી પાપ બળે છે વંદનથી તો મોક્ષ મળે છે.                 
ધન્ય આપનો અવતાર અમારું જીવન ધન્ય બનાવ્યું આજ                                    
             આપ કૃપાના કરનાર અમોને મોક્ષ તરફ દોરનાર.                 
જીવન ઉજ્વળ અમારા થાય આપના દર્શન કરતાં આજ     
                 અમોને  બાળક  જાણી આપ  કરજો   પ્રદીપની  ક્ષતી  માફ.                                                                                                                                       ————

ભગવાન શ્રી સ્વામિનારાયણની અમદાવાદ (કાલુપુર મંદીર) ગાદીના આચાર્ય મહારાજશ્રી પુજ્ય તેજેન્દ્રપ્રસાદજી હ્યુસ્ટનમાં નવા મંદીરની સ્થાપના તથા મુર્તી પ્રતિષ્ઠા નિમિત્તે પધારેલ  તે પવિત્ર પ્રંસંગે તેઓશ્રીને હ્યુસ્ટનની યાદ રુપે સપ્રેમ ભેંટ્. પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા પરિવારના વંદન સહિત જય શ્રી સ્વામિનારાયણ.

અરુણોદય Wednesday, Apr 25 2007 

                                       અરુણોદય 

અરુણોદય થયો,અરુણોદય થયો
             નિશા વહી ગઈ,..અરે(૪)..અરુણોદય થયો..(૨)
આકાશ  વાદળથી મુક્ત બની ગયું..(૨)…અરુણોદય થયો.(૨)

કળીઓ  ખીલી, ફુલ થયા…(૨)રંગ લાલ લાલ થયા
ગીતો  થતાં ,ગુંજનમાંથી…(૨)વરસે કિરણો તારની..(૨)
આકાશ છે  ગુલાલથી,  બની ગયું  વિરાટ  છે…અરુણોદય થયો

કળા કરે,નૃત્ય કરે…(૨) સમજી શકે જગ તાત જો
આનંદ ભર્યો, જગમાં બધે..(૨)પ્રાણી પશુ સાકાર છે..(૨)
માન્યુ ખરે,વિશ્ર્વાસથી ,આજે થયો આનંદ છે…અરુણોદય થયો

નરનારી ,કામે લાગ્યા..(૨) ઉમંગથી ઉલ્લાસથી
પ્રભુ કાજે, પ્રેમ જાગે..(૨) બની ગયા સૌ એક છે..(૨)
લાગ્યું મને,આજ કે..(૨)પરદીપ બની દીપી શકું.અરુણોદય થયો
                    ————
પ્રસ્તુત કાવ્ય ૧૯૭૬માં ગોપાલજીત ગ્રુપ,આણંદ દ્વારા ખેડા જીલ્લા યુવક મહોત્સવમાં રજુ થતાં પ્રથમ સ્થાન પામેલ અને ત્યારબાદ ગુજરાત રાજ્ય યુવક મહોત્સવમાં રજુ થતાં  દ્વીતીય સ્થાન મેળવેલ.

હોળી આવી હોળી આવી Wednesday, Apr 25 2007 

                                      હોળી આવી હોળી આવી
પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
આવ્યો આ તહેવાર કે જેમાં હોળીકાનું છે દહન થવાનું
      કાષ્ટ તણા કટકા ગોઠવીને માનવી તનથી સુખી થવાનો
સાચો આ ત્યૌહાર આપણો દોષોનું છે જેમાં દહન થવાનું
      કામ્,ક્રોધ,મદ,મોહ,લોભને બાળીને તેમાં ભસ્મ કરવાનો
રામનામની જપમાળાથી જીવનો ઉધ્ધાર છે કરી લેવાનો..આવ્યો આ

હોલીકાનું  દહન  થતાં  જેમ  પ્રહલાદ  નિર્ભય બની જવાનો
     પ્રદીપ કેરો સંગ થવાથી ઉજ્વળ જીવન માનવ જીવી જવાનો
પ્રેમ  હેતથી  જીવન  ઉભરાતું  ને  દુષ્કર્મૉનો  સંહાર  થશે
     નાવડી આતો દરિયે ઙોલે  વિના હલેસે પારના કરી શકવાના
તહેવારોની ઘટમાળમાં સંગે રહીયેતો પ્રેમની સાથે તરવાના..આવ્યો આ

ભાંગ જેવી મદીરા પીને માનો મસ્ત બની ગયા ગઈકાલે
      હોળીના તહેવારે આજે  મળી સૌ સંગે મેલ મનના બાળો
એવો આતહેવાર આજનો ને કાલે ખેલો મસ્તમઝાની ધુળેટી
      ગુલાલકેરી એક પિચકારી છાંટી તનનો ધોઈ નાખોતમેમેલ
મસ્તબની આ તહેવારને માણો ભારતભુમીના તરવરતા સૌ છેલ..આવ્યો આ

જગત ભલે સપનાઓ જોતું રાહ તમે કોઈની ના જોતા
       હાથમાં હાથ મીલાવી મનથી સાથ સાથ તમો સૌ રહેશો
સકળ જગતમાં સંસ્કૃતી તમથી મિથ્યા પાછળના ફરતા
       શાને કાજે શીશ નમાવો ક્ષણભંગુર વૈભવ પામવાને કાજે
બળી જશે જો દોષો ને પાપો આ હોળીમાં શાન ભારતની વધશે..આવ્યો આ
                                          ————

સન્માન Wednesday, Apr 25 2007 

સન્માન પ્રદીપ બ્રહ્મભટ્ટ                   13  08  2006

માગે મળતું કદીયે, ભલેને જીવન આખું પુરું થાય
મળતું એને શોભે જેને, વર્તનથી ઉજવળ જીવન બનતું જાય…માગે

માનવી માગે ભેખ ભલેને, મળતી એને જીવન એળે જાય
કર્મ ભલે પરદુ:ખે કરતો, નીશદીન પરસેવે છોને ન્હાય.
એક તણખલું સ્નેહથી આપે જીવન આખું તરી જાય
એના મનડાં હરખી હરખી જાય, એને હૈયે હરખ હરખના માય..માગે

સજ્જનતાના સોપાન ચઢે જે, મળતા માનને રોકી જગમાં
સ્નેહતણા આઈને આવી, તનડાં સ્વચ્છ થતાં નીરખે
ગુર્જર સુણી પોકાર કરે જાણે દેહમાં જીવ વસે.
પરમાત્માનો પોકાર સુણે જે સન્માન સાચું જગમાં પામે તે….માગે ન.

માનવ મનને સંતાપ થતો મેળવી સંતોષ કરેલા કર્મ નો
પ્રદીપ મનમાં મુંઝાય આજે, પર ઉપકારને હું વળગી રહું
સંસાર વિંટમણામાં હું વિટાતોં બની તણખલું હું પડું.
બનુ સહારો જ્યારે કોઈનો સન્માન સાર્થક પામુ હું ….માગે ….

સારુ નરસું ભલે જગતમાં માનવી વચ્ચે ફર્યા કરે
કર્મ તણા અતુટ બંધને સૃષ્ટિ આખી સર્જાયા કરે
કેવી કુદરતની લીલા માનવ જન્મો ધર્યા કરે
સૃષ્ટિનો સંહાર થતાં અવતાર પરમાત્મા ધારણ કરે.….માગે ….

ભલે માયા જગમાં ફર્યા કરે. કુદરત લીલા કર્યા કરે
માનવ મનડાં શરણું શોધે જીવન પુષ્પ તણું છે દીસે
ચોમેર સુવાસ પ્રસરી રહે, મહેંકી રહે જીવન સારું
ધન્ય જીવન બની રહે, સાર્થક માનવદેહે છે સન્માન મળે….માગે ….

નિર્મળ જળમાં તરંગ દીસે જીવન ઊજવળ તેવું છે દીસે
કર્મતણા વ્યવહારમાં સંગે પરમાત્માનો સહવાસ મળે
માનવ એવા સંગને શોધે માન મોભો જેને છે શોભે
આત્માના ઉદગારને પામી, ઉજવળ જીવન કરવાને તરસે….માગે

http://rdgujarati.wordpress.com/2006/08/13/kaavya-sanchary3/

વ્હાલા પુ.મોટાને Friday, Apr 20 2007 

                                   વ્હાલા પુ,મોટાને

૧૧-૫-૧૯૭૧                                  હરિઃઓમ આશ્રમ,નડીયાદ. mota.jpg

મને વ્હાલુ હરિઃઓમ નામ રે ,મને વ્હાલુ મોટાનું નામ રે

                      દીન રાત સ્મરું હું નામ રે…...મને વ્હાલુ.

ભુખ્યાને આશ્રય આપીને……(૨) પંથ બતાવ્યો  જી રે ..મને વ્હાલુ.

આંગણે આવેલાને આવકારીને..(૨)કીધો તેનો સત્કાર જીરે..મને વ્હાલુ.

પંથ ભુલેલાને પંથ બતાવીને..(૨)દોડાવ્યો નિજ માર્ગે રે…..મને વ્હાલુ.

સ્વામીનારાયણનો માર્ગ ચીધીને.(૨)મારો ઊધ્ધાર કીધો રે…..મને વ્હાલુ.

જીવન જીવતા કાંઈના મેળવ્યું..(૨)એ મેળવ્યું પુ.મોટા પાસે...મને વ્હાલુ.

દાસ પ્રદીપના સતસત વંદન.(૨)ઉગારવા  આ  ભવસાગરથી..મને વ્હાલુ. 

                                         ——————

નડીયાદમાં પુજ્ય મોટાના હરિઃઓમ આશ્રમમાં મૌન મંદીરમાં તેઓની કૃપાથી ઉપરોક્ત કાવ્ય લખ્યું જે મારા જીવનમાં  લેખક જગતનું પ્રથમ પગથીયું છે.

વ્હાલા સંતાન Friday, Apr 20 2007 

                                  વ્હાલા સંતાન

                rajadipal.jpg

          નિરખી  જેને  મનડું  મારું  નિસદીન  છે મલકાય

              દૂર મુજથી થોડું જાતા ત્યાં આંખો આંસુથી છલકાય

                                      એવા વ્હાલા છે સંતાન મારા વ્હાલા છે સંતાન.

         માયા મુજને લાગી એવી જેની વાત મુજથી ન કહેવાય

              દીલમાં જેનું સ્થાન છે એવા પ્યારા વ્હાલા  છે દેખાય

                                                                          એવા વ્હાલા છે સંતાન.

         રોજ સવારે  ઉઠતાં જેનું  મુખડું હસતું છે દેખાય

              જયજલારામ કહેતા રવિનું મુખડું હંમેશા મલકાય

                                                                          એવા વ્હાલા છે સંતાન.

         પ્રેમ ભાઈનો મેળવતાં બહેન દિપલ પણ હરખાય

              ભાઈબહેનના હેતને જોઈને અમારા મનડા ઠરી જાય

                                                                         એવા વ્હાલા છે સંતાન.

         જ્યોત પ્રેમની અમે પ્રગટાવી  નિરખી રાજી થાજો

              મળેલા  સગપણને સાચવી  ભવોભવ  તરી જાશો

                                                                        એવા વ્હાલા છે સંતાન.

         પ્રભુભક્તિને સાથે રાખી ભણતર છે જીવનનું ચણતર

              આદરમાન તો સૌ કોઈને દેતા પ્યાર બાળકોનો લેતા

                                                                       એવા વ્હાલા છે સંતાન.

         છે અમારો સતત પ્રયત્ન સંભાળે સંસ્કારોને હરપળ

              માયામોહને રાખી દૂરજ વળગી રહે એ ધ્યેયે જીવનના

                                                                      એવા વ્હાલા છે સંતાન.

        પ્રભુભક્તિનું શરણું અમારે ભક્ત જલાની લગની અમને

             દાદા વ્હાલા પ્રદીપ રમાને તેથી માયા ન અમને છે વળગી

                                                                      એવા વ્હાલા છે સંતાન.

                                                       ———-

કાલ કોણે ભઈ દીઠી Wednesday, Apr 18 2007 

                                      કાલ કોણે ભઈ દીઠી
જુન ૧૯૯૯

મળી ગયા સૌ સ્નેહીજ્નોને હરખે નિરખી,  હેમખેમની વાત તો સૌએ કીધી
આજે મળ્યા છે હેયેહેયા મનમળેલા માને,જગજાણે છે કાલકોણે ભઈ દીઠી.

અમરપ્રેમના સ્વપ્ના જોતા પ્રેમમાં ખુપી જાતા,મનમંદીરમાં છબીક્યારની છુપી
રાજારાણી,માતાપિતા ને સગાસ્નેહીને,ખ્યાલ છે સૌને કાલકોણે ભઈ દીઠી.

સનમ તમો છો જનમ તમો  સંગ, સ્વપ્ના  રાતદીવસ એ જોતી
ક્યાંથી જાણે  ક્ષણભંગુર જીવનનું અંતિમટાણું,કાલકોણે ભઈ દીઠી.

દીપ તમો છો ‘પરદીપ‘બનો તો, ગુજરાતી સમાજ છે ઉઠે દીપી
મળે પ્રેમ ને હાથમાં હાથ તો,  ખુશહાલીની  કાલ અમે ભઈ દીઠી.

દીપલ દીપે અને રવિ પ્રકાશે,રમા અમો સંગ પ્રેમભક્તિથી રહેતી
પરમ પ્રેમની ભક્તિસંગે ધુપ જલે છે,તેથી અતિઆનંદી કાલ અમે ભઈ દીઠી
                     ———–
 

श्री जलासांई जयजयकार Tuesday, Apr 17 2007 

 god.jpgsaijyot.jpg

                श्री जलासांई जयजयकार

श्रध्धा मेरी जलासाईमें ना ईसमे कोई हे भ्रम

लेकर माला रटण करु मै सफल हो मानव जन्म..श्रध्धा मेरी

जीवकी ज्योत समझ नापाये भटक रहा ये मन

आनबान के ये चक्करमें जीवन रहा ये जल….श्रध्धा मेरी

मिथ्या जीवन हो रहा हे ना मिले कोई चेन

श्रध्धा रखके मनको मनाले हो जायेगा आनंद…श्रध्धा मेरी

जलारामने ज्योत जलाई रामनामका किया रटन

सांईबाबाने प्रेम जगाया भक्तिका किया जतन….श्रध्धा मेरी

सुखमें राम दुःखमे राम कणकणमे हे बसे राम

सुमिरनतेरा सच्चा होतो पलपलहोगा तेरा सफल..श्रध्धा मेरी

ना शंका ना ओर कोई चिंता ना कोई हे भ्रम

जीवनरामसे मरणरामसे प्रदीपका जीवन हो सफल…श्रध्धा मेरी

અપમાન Tuesday, Apr 10 2007 

અપમાન                                                                                                                                                                                                     

 પ્રદીપ બ્રહ્મભટ્ટ , હ્યુસ્ટન 

                  પતિનો   પરલોક-વાસ  દર્શાવતી  સઘળી નિશાનીઓ તે નારીના દેહ પર હતી. તેણે છીકણી રંગનો  સાડલો પહેરેલ હતો. હાથ કંગન વિનાના હતા.વાળ તેલ વિનાના હતા.કપાળ કોરૂ હતુ.આ સઘળુ હોવા છતાં તે પોતાના ઘરના બારણા તરફ કોઇ આવવાનુ છેઅને જેના આગમનની ખાસ જરુર છે તેની આતુરતાથી     રાહ જોઇ રહી હતી.   એને આજે પણ સંપુણૅ ખ્યાલ છે કે આજ્થી ચાલીસ વર્ષ પહેલા માબાપે જેને પોતાના જમાઈ તરીકે નીહાળી લીધા હતા તેમની સાથે ત્યારથી સંસારની દોર બંધાઈ.એ વાતને આજે વર્ષો વીતિ ગયા પણ છતાં  તેને ઘણી સ્પષ્ટતાથી યાદ છે. મા-બાપના એક નાના ઘરમાં સંસ્કારની જ્યોત મેળવી બહાર આવેલી આ નારી માતાપિતાના પૃથ્વી પર જન્મ આપ્યાનો ઉપકાર કદી ન ભુલાય તેવો પ્રાપ્ત થયેલો જે અવિસ્મરણીય છે.મા-બાપ ભલે ગરીબ હતા પણ  તેમની બાળકો પર અસીમ કૃપા હતી,છાયા હતી.બાળકોના આનંદને તેઓ પોતાનો આનંદ સમજતા.બાળકોના મનમાં કોઇ દુઃખ થાય તો તેની ચાર ઘણી અસર માબાપ પર પડતી હતી.આવા પ્રેમને મેળવવા માટે જગત ગાંડુ બને છે તે સ્નેહ  પણઆ બાળકીને મળ્યો હતો.ખુબ લાડકોડથી ઉછરેલી એ બાળાને જીવનમાં દુઃખ ના દેખાય તે ભાવનાથી તેઓએ એકપ્રતિષ્ઠીત કુંટુંબનa નબીરા સાથે બાળપણમાં જ લગ્ન નક્કી કય્રુ હતું.                         

                   પ્રેમની જ્યોત જાગતા પહેલા તે તેના જીવનસાથીને વરી ચુકી હતી.પ્રભુનો તેના માતાપિતા પર અનેરો સ્નેહ હતો કારણ તેમને પુત્રીના જન્મની કોઈ વ્યાધી જણાતી ન હતી.પ્રેમની જ્યોત જલતા પહેલા  તેની  ગાંઠ  પતિ  સાથે   બંધાઈ  ગઇ  હતી.  અત્યંત  આનંદમયી  જીવન   હંમેશ  માટે  બને  તેવા અત્યારના કુદરતના આર્શિવાદ  લાગતા હતા.કુદરતની બનાવેલી એ માટીની   પુતળીની રમત જગત જાણે રમી રહ્યુ હોય તેમ આ માટીનો માનવી કઠપુતલીની જેમ જીવી રહ્યો     છે.ક્યાંક ક્યાંક કુદરતની અવક્રુપા પણ બનતી.પણ અંતે તો માનવીને  માટીમાં  મળી  પોતાની    ફરજ   બજાવવી   પડે છે.   તેમ   ખરી જીંદગીની શરુઆતના વર્ષોમાં જ  પોતાના  જીવનસાથીથી  એકલી પડી ગઇ,   તેના પતિનો   સ્વર્ગવાસ  થયો.  આનંદથી જીવતા  તે જીવડાને પરમાત્માએ બોલવી લીધો. સ્ત્રી વિધવા બની.          પોતાના જીવનમાં પોતાનું કહીં શકાય તેવું એક સંતાન હતું.તેને એક બાળકી હતી જે તેના પતિની નિશાની હતી અને તે જ તેની જીવનસંગીની પણ હતી.પુત્રીની ઊંમંર પણ હવે અત્યારના રીતીરિવાજ પ્રમાણે પરણવા લાયક થઈ હતી. ઊંમરના ઓવારે ઊભેલી તેની દીકરીને લગ્નના બંધનથી બાંધી સંસારના જીવનમાં બાંધવા માગતી હતી.પણ તે એકલી  સ્ત્રી જાત કેવી રીતે કામ કરી શકે. બે ચાર સંબંધી ભેગા થાય તો તેને તે કામમાં મદ્દદ્દ કરી શકે.દીકરી ના લગ્ન પતે એટલે તેને ઘણી શાંન્તિ મળશે જે નિર્વિવાદ વાત હતી.         

               પોતાની દીકરીને ભણાવી ગણાવી તૈયાર તો કરી હવે તેના માથે એકજ  જવાબદારી હતી અને તે હતી તેને પરણાવવાની.ઘણા  વલખા  બાદ એક  યોગ્ય પાત્ર મળ્યું     પણ સામે એક જ શરત મુકવામાં આવી જેમાં તો  નામનો એક  ન ઊચકી શકાય  તેવો  શબ્દ  આવ્યો.  છતાં તેના  ભાઇના  કાને  વાત નાખતાં તેના  ભાઇએ   તે  દુર કરવાનું  વચન  આપ્યું.  સામે  પક્ષને  ભાઇના આવેલા  કાગળ  પ્રમાણે   એ જ દિવસે બપોરે આવવાનો પત્ર લખ્યો કે જે દીવસે ભાઇ પૈસા લઇને આવવાનો હતો.                  

                     આજે  એ દીવસ હતો જે દીવસે બાર  વાગતા સુધીમાં  ભાઇ  આવવાનો   છે.અત્યારે  બહેન ભાઇના આગમનની રાહ જોતી બારણે ખાટલો નાખી બેઠી છે કારણ કે બપોરના બારને પંદર થવા આવ્યા છે  સામા છોકરા પક્ષના લોકો હવે આવશે તે દહેશત થવા લાગી.હ્રદયના ધબકારા વધવા લાગ્યા.પરમાત્માનું રટણ થવા લાગ્યું. હવે કોણ વહેલું આવશે?..જો છોકરાવાળા આવશે તો અપમાનથવાનું તે નિર્વિવાદ વાત હતી. જો ભા ઇ આવે તો લાજ બચવાની છે તે પણ નક્કી છે.એ અપમાનઅને લાજના ઝોલામાં તે બારણા બહાર ડોકાય છે  તો ભા ઇ અને છોકરા પક્ષનe સગા સાથે આવta જુવે છે અને અંતે …હાશ…….અને આંખો ભીની થઇ ગઇ….        

                                                 _______________________

                                                 XXXXXXXXXXXXXXXX

નામકરણ Monday, Apr 9 2007 

                                            નામકરણ 

ખબર પઙી જ્યાં જન્મ થયાની

                       આવ્યા દોઙી સગા સ્નેહીને  મિત્રો

કોની થઈ પધરામણી જગમાં

                       કેવું સ્વરુપ આવ્યું અવની પર

                                  મનમાં મુઝવણ થઈ પહેલી

                                                                           …..ખબર પઙી.

પપ્પા કેરા શબ્દને સુણવા

                       તરસી રહયા તા પપ્પા

લાગણી મનમાં ઉભરી આવી

                       ક્યારે સાંભળુ શબ્દ અનેરો કાને

                                                                           …..ખબર પઙી.

દાદા દાદી દોડી આવ્યા

                        કોણ લાડલુ આવ્યુ જગમાં

હૈયે હામ ધરી બેઠાતા

                        સુણવા કલરવ વ્હાલા બાળકનો

                                                                          …..ખબર પઙી.

દોસ્તોએ પણ દોસ્તી નિભાવી

                         જરુર પડે આવ્યા દોડી

લાગણી પણ મિત્રોને એવી

                         પડખે રહ્યા ઉભા આવી         

                                                                          …..ખબર પઙી.

કાકા આવ્યા,કાકી દોડ્યા

                        ફુઆ આવ્યા વ્હાલી ફોઇને લાવ્યા

પ્રદીપ જુએ આ ખેલ કુદરતનો

                        શોધી નામ રહયા  છે ફોઇ  

                                                                           …..ખબર પઙી.                                                                                 

                                           xxxxxxxxxxxxxxxxxxxxxxxxx

ઉગતી ઉષાએ Friday, Apr 6 2007 

                             ઉગતી ઉષાએ

ટમટમતા આ તારલીયા તો,  ત્યજી ગયા આકાશને

માનવ મનને  સર્જન કાજે ,પ્રેરે નવા પ્રભાતને,                                                                                                                 …..ટમટમતા આ  

 ઉગતા સુરજની સાક્ષીએ.(૨),મળતા મનડા રોજે રોજ;

વહેતી ધારા ઝરણાની.(૨),ને કલરવ કરતા હૈયા થોક;

 તાત જગતનો પ્રેરે માનવને,સોનેરી કિરણો સુરજના છેક.

                                                                      …..ટમટમતા આ

 વાદળ હાલ્યા લેવા વિસામો.(૨)સાંજે આવે તાજામાજા;

 મોર ટહુકો દેતો જાય.(૨)  ને કોયલ કુહુકુહુ છે કરતી;

 એક તરસ છે માનવ હૈયે , વરસે જગમા  અમૃતધારા.

                                                                   …..ટમટમતા આ

 લીલા તારી કળી શકુના.(૨)મનથી તારુ રટણ કરુ હુ;

 પામર મારો દેહ ભલે આ.(૨)પ્રેમથી પ્રભુ નમન કરુ હુ;

 અંતે આવજો લેવા કાજે,  આ દેહ પડે જ્યા ધરતી કાજે.

                                                                  …..ટમટમતા આ

                      xxxxxxxxxxxxxxxxxx

જોગી જલારામ Thursday, Apr 5 2007 

clip_image001.jpg

                                                     

             મનના મેળ મળ્યા છે તમથી વિરપુરના વ્હાલા જલારામ જોગી,

             સૌ સુખ છોડી દુખથી બચવા શરણે જલાને આવ્યા જગતને છોઙી.

             ઓ જોગી જલારામ દુખના દરીયા ટાળો ને અંતરમાં ઉજાશ લાવો

                                                                                             …..મનના મેળ

            

             અંતરને તો એક અણસાર છે, પંણ મનમા છે એક આશા

             કોણ જગતનો તારણહાર છે, ને કોણ જગતનો સજૅનહાર

             તુજથી નથી આ છાનુ જગમા વલખા શાને મિથ્યા હુ મારુ.

                                                    ...ઓ જોગી જલારામ દુખના દરીયા ટાળો