Posted on September 30, 2007 by Pradip Brahmbhatt
ઓ અંતરયામી
તાઃ૧૭/૭/૧૯૮૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઓ અંતરયામી તારી લીલાનો નહીં પાર;
તારો મહીમા અપરંપાર,
તારી માયા એવી સમજી શકે ના કોઇ;
તને કોઇ શક્યું ના જોઇ.
…….ઓ અંતરયામી.
તું રામ બને રાવણને હણે;
તારી સીતા સરખી રાણી,
ભવસાગરમાં નિત્ય ફરે;
તને કોઇ શક્યુંના જાણી.
…….ઓ અંતરયામી.
કોઇ કૃષ્ણ કહે ગોપીઓમાં ફરે;
તારો મહિમા કોણ કહે,
તું જ્યાં ત્યાં ફરે તું રાસ રમે;
[...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on September 30, 2007 by Pradip Brahmbhatt
તારો પ્રેમ
હસતું મુખડું જોઇને તારું, મનમાં કંઇ કંઇ થાય
પ્રેમપામીને સાથેજીવશું,જોજે જીવનએળે નાજાય
…..હસતું મુખડું
તારી લાગી મનને માયા,ર્હદયમાં કંઇ કંઇ થાય
સમજાય નહી કંઇ તોય ગમેતું,જીંદગીમાંતુંઆવ
…..હસતું મુખડું
તારા પ્રેમને પામીને ગોરી,મનડાં તરસ્યા દેખાય
તારા પ્રેમને તરસી રહ્યો આ પ્રેમી પુરણ થાય.
…..હસતું મુખડું
Pradip ————————-
Filed under: પ્રેમગીત | Leave a Comment »
Posted on September 30, 2007 by Pradip Brahmbhatt
સેલ Sale.
પ્રદીપ બ્રહ્મભટ્ટ
Sale સેલની રાહ જોતાં જોતાં,
ભઇ વ્હેલ જ નીકળી ગઇ;
કિંમત ઘટશે,કિંમત ઘટશે તેમ કહેતા,
ત્યાં ચાર ઘણી થઇ ગઇ.
……..સેલ સેલની
એક ડોલરનો પ્યાલો શોધતો,
દરરોજ સેલની સામે હું જોતો
ચાર ડોલરનો દીઠો આજે
પસ્તાતો હું મનથી ગઇકાલને માટે
……..સેલ સેલની
શર્ટ સેલમાં,પેન્ટ સેલમાં
સાતડોલરમાં ખરીદી લીધા જઇ
લાવ્યો ખરીદી ખુશીખુશીએ,
નેબર કહે બેડોલરમાં બધેમળેઅહીં
[...]
Filed under: પ્રાસંગિક કાવ્યો | Leave a Comment »
Posted on September 30, 2007 by Pradip Brahmbhatt
આતમ જ્યોત
તાઃ૫/૬/૧૯૮૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
(On my Birthday at my sister’s home,Ohio.)
અંતરમાં થાય અજવાળા
જાગે મનની જ્યોત
પ્રેમ ભર્યો છે આ જગમાં
જાણે સ્નેહસાગર જેવો….અંતરમાં
સંસાર સજેલા સ્વપ્ના જેવો
પ્રેમ,હેત મળે જ્યાંત્યાં
જો જાગે અંતરની જ્વાળા
લાગે આ જીવનની માયા..અંતરમાં
બંધ થયેલા ચર્મચક્ષુ
મિથ્યા અનંત ભાસે
આકુળવ્યાકુળ મનને મળશે
સાજન સરખા હેત બધે….અંતરમાં
———————
Filed under: આધ્યાત્મિક કાવ્યો | Leave a Comment »
Posted on September 30, 2007 by Pradip Brahmbhatt
ભવસાગર
તાઃ૨૨/૭/૧૯૮૨ આણંદ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કોઇ નથી અહીં તારું,
આ ભવસાગરમાં
કોઇ નથી અહીં તારું.
જગની માયા કાયાને વળગી,
કોટી કરો રે ઉપાય;
જોઇ જગતની મિથ્યા લીલા,
માણી રહ્યા નરનાર.
……….આ ભવસાગરમાં.
કાચી માટીની કથળેલી કાયા,
ક્યારે કરમાઇ જાય;
કોઇ ના સાથે કોઇ ના સંગે.
એકલ સૌ જગમાંય.
……….આ ભવસાગરમાં.
સાચી તારી સ્નેહ ભરેલ,
પ્રેમની જ્યોત જલે;
પરદીપ બનશે આજગમાંહી,
પાવક પ્રેમનો સંગ.
[...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on September 30, 2007 by Pradip Brahmbhatt
રે મનડા
તાઃ૩૦/૫/૧૯૭૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કેમ કરીને હુ વિસારું મનના આ એંધાણ
તનડાને સંભારુ,લાગેસૌની છે ઓળખાણ.
……….કેમ કરીને.
કાયા કાયા કંચન કેરી માયાનો નહીં પાર
સુખદુઃખ ઝંઝટ જીવતા જોઇ..(૨)
કર્મનો છે અણસાર ….કેમ કરીને.
મર્મકર્મનો ક્યાં જાણુંના,પ્રેમદીસે નહીંક્યાંય
તારું મારું કોઇ નહીં વ્હાલું…(૨)
જગની ચિંતા છોડ …..કેમ કરીને.
————————-
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on September 30, 2007 by Pradip Brahmbhatt
आराधना
ताः५/५/१९७९. प्रदीप ब्रह्मभट्ट
*(मंदीरके द्वारपर खडे एक अंधभीक्षुककी आवाज)
तेरे दर्शनको आये हुओको हजारो सलाम
तेरे द्वार खडा तेरा ये द्वारपाल ओ परवरदीगार.
……..तेरे दर्शनको.
जीवन जगका पाया सबने,हमने उसको पाया
पा सकते तेरी असीम भक्ति,पाजाता जगसारा
तेरे सामने आके हाथ पसारे..(२)
जो होगा थोडा दुःखी………………..तेरे द्वारपर खडा.
अपना सबकुछ तेरी शरण,पाना है सुखधाम
ज्योति मेरी क्यु ली तुने,मुझको क्युसताया
दीप जलाकर अपने मनका..(२)
पुरण करनी [...]
Filed under: આધ્યાત્મિક કાવ્યો | Leave a Comment »
Posted on September 29, 2007 by Pradip Brahmbhatt
સફર જીવનની
તાઃ૧/૨/૧૯૭૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવન સફરમાં અટવાયો છું,રસ્તો મળતો નથી
પ્રેમ તમારો પામીને હું,તુજને ભુલી શક્તો નથી.
………જીવન સફરમાં
ક્યાં જવું આ રસ્તા પર,કોઇ સહારો નથી..(૨)
માન્યા મેં તો મારા જેને,આજે કોઇ નથી..(૨)
જીવન પથનો આ સથવારો..(૨)
મારી સાથે નથી….પ્રેમ તમારો
અહીં ભમ્યોહું,તહીં ભમ્યોપણ,ઝાઝી જાણનહીં..(૨)
કર્મનો એ ભેદ ભરમમાં,નીરખી ને હું બેસી રહું..(૨)
સુઝતુ નથી આ મનમાં..(૨)
મંજીલ નક્કી નથી…પ્રેમ તમારો
[...]
Filed under: આધ્યાત્મિક કાવ્યો | Leave a Comment »
Posted on September 29, 2007 by Pradip Brahmbhatt
સતસંગનો સંગ
તાઃ૧૨/૨/૧૯૮૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સતસંગનો સંગ એવો રે મનવા..(૨)
કે જાય નહીં જનમો જનમે હો મનવા……..સતસંગનો.
સંગત સ્વામી સાધુ કેરી….(૨)
મનમાં લાગી લગન તેવી…(૨)
હે..તારા દર્શનથી,હો મનડાં પાવન થાય
ઓ જોગી ઓ યોગી,દર્શન દઇને ઉગારો રે મનવા,
………સતસંગનો સંગ.
ભવસાગરમાં ઘુમવા આવ્યો..(૨)
લાજશરમ મુકી ભજવા લાગ્યો…(૨)
હે..મનમાં તારું સ્મરણ થાયને હૈયે આનંદથાય
ઓ સ્વામી મને સંગ લગાડો ને દોરજો ભક્તિ કાજે.
………સતસંગનો સંગ.
કાયા કાચી [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on September 29, 2007 by Pradip Brahmbhatt
સ્નેહ જ્યોત
તાઃ૨૨/૩/૧૯૭૯. આણંદ પ્રદીપ બ્રહ્મભટ્ટ.
જ્યોત જલે છે પ્રેમને કાજે,પ્રીત મળે છે ભક્તિ કાજે
કે જલા તારા પગમાં નીસદીન હું પડું
આ જીવતર જીવવા શાને હું રોજ રડું…કે જલાતારા.
સ્વાર્થ ભરેલા જગમાં એકલ,સ્વાર્થ વિના તને દીઠો
પ્રેમ ભરેલા હૈયા ભીતર ,અંતરમાં મુઝાવાતા
આ ભવમાં અંતરમાં મુઝવાતા……. કે જલાતારા.
સંત સમાગમ તમથી સાચો,બાકી અર્થ વિનાનો
રામશરણ એક લીધું માની,બીજા અનર્થ બને છે
આ જગમાં બીજા [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on September 25, 2007 by Pradip Brahmbhatt
જય મેલડી મા
તાઃ૧૫/૬/૧૯૭૮ પ્રદીપ બ્રહ્મભટ્ટં
જગમાં જેનું નામ સદાયે,ગુંજે છે ઘરઘરમાં
મા તારા હેતના પ્યાસા,તુજ ચરણે સૌ વંદે.
….માતા મેલડી ઓ મા મેલડી..(૨)
જગમાં જીવન જીવતા,છે લાખો તારા શરણે
ઓ મા..(૨)તારી પામી કૃપા લેવા કાજ
દુઃખઅનેસુખની આ શૈયાને શરણે તારે દેતો
…મા મેલડી તારો જય જયકાર..(૨)
પ્રેમ સ્નેહના ગીતો ગાતા,મળતા હૈયા દ્વારે
ઓ મા.(૨)તારા દ્વારે ઉભો હું આજ
મારા કર્મોની ઝંઝટથી,મુક્તિ દેજે [...]
Filed under: આધ્યાત્મિક | Leave a Comment »
Posted on September 24, 2007 by Pradip Brahmbhatt
એકાંત ……પ્રદીપ બ્રહ્મભટ્ટ
એકાંત મને મળે તો
મન મુકીને માણી લઉ
હું
મનમાં ઉઠેલા તરંગોને
મને મળેલા સ્નેહને
મને મળેલા માનને
મને મળેલ પ્રેમને
મને મળેલ સન્માનને
મને મળેલ માબાપને
મને મળેલ આધારને
મને મળેલ ભગવાનને
મને મળેલ સંસ્કારને
મને મળેલ સહકારને…..
Filed under: Uncategorized | Leave a Comment »
Posted on September 24, 2007 by Pradip Brahmbhatt
ગરબે ઘુમતી.
તાઃ૧૪/૧૦/૧૯૮૩. પ્રદીપ બ્રહ્મભટ્ટ.
માડીને ગરબે,દઇને બે તાળી;
ગરબે ઘુમતી,જગની આ નારી,
ઓ મા,મારી અંબે, માડી કાળકા, માડી બહુચર,
રમવા આવો મારે ગરબે..(૨)
……માડીને ગરબે.
મા અંબા પધારે..(૨)રુમઝુમ કરતી
સાથ સહેલીયો ગરબે મારે,
શોભા અનેરી કહી શકાયના
નાકેછે નથણી નેહાથેગુલાલછે
માડીને પગમાં..(૨)ઝાંઝર ઝમકે છે.
….ઓ મા,મારી અંબે.
પાવા તે ગઢથી..(૨)ઉતર્યા મહાકાળી
આંખે અનેરુ તેજ છે ઓ માડી તારી
શીતળ તારા હાથની કૃપા,
[...]
Filed under: પ્રાસંગિક કાવ્યો | Leave a Comment »
Posted on September 24, 2007 by Pradip Brahmbhatt
ઓ જલાબાપા.
તાઃ૨૩/૯/૧૯૮૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
(At my brother Sudhir’s home,Allentown,PA)
અંતરમાં થાય અજવાળા,ઓ જલાબાપા..(૨)
રોજ રોજ તમને સ્મરી રહ્યો છું,
અંતરની વાતો તમને કરી રહ્યો છું.
આંખોમાં સમાયા, હ્રદયે બીરાજ્યા, તોય મને તરસ છે.
ઓ જલારામ બાપા….અંતરમાં થાય.
અહીં તહીં ભટકી હું જીવી રહ્યો છું,
ના કોઇ સહારો તોય ભમી રહ્યો છું
ઝાલોનેહાથમારો, દોસથવારો,મળશોમને થાયઅંતરમાં.
ઓ જલારામ બાપા….અંતરમાં થાય.
જેવું જેનું થાય જગતમાં,ગત [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on September 19, 2007 by Pradip Brahmbhatt
અર્ચના
તાઃ૨૬/૯/૧૯૭૮. પ્રદીપ બ્રહ્મભટ્ટ
હે જગતના તારણહારા રે,હે વિશ્વંભર હે સ્વામી રે.
અમ સુખની કાજે ..(૨),સર્વની સાથે..(૨)
તુજ ચરણે શીશ નમાવીએ…(૨)
……હે જગતના તારણહારા રે
આ શીતળ સંધ્યે, છે નિર્મળ હૈયે..(૨)
આત્મા સો પરમાત્મા..(૨)
સીતાપાર્વતી,લક્ષ્મીરાધે,રામશંકર,વિષ્ણુકૃષ્ણે;
છે અમ સૌ તુજને શરણે….(૨)
……હે વિશ્વંભર હે સ્વામી રે.
અમ જીવન સાટે,છે જ્યોત પ્રેમની..(૨)
જલે દીપ જેમ જગની કાજે..(૨)
અલ્લાઇશ્વર,ઇસુઇસાઇ,ગુરુગોવિંદ,જલાસાંઇ;
વંદન અમ સૌ ના તુજને….(૨)
……હે વિશ્વંભર હે સ્વામી રે.
///.,.,.,.,.,,.,.,.,.,.,.,.,.,.,.,.,.///
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on September 19, 2007 by Pradip Brahmbhatt
રામ ભજીલે.
તાઃ૧૧/૮/૧૯૭૮. પ્રદીપ બ્રહ્મભટ્ટ
રામ ભજન કરી લે ,રે મનડા..(૨)
જંજટ તારી આ જનમની..(૨) ત્યજી લે.
રે મનડાં જંજટ તુ ત્યજી લે.
….રામ ભજન.
કર્મની દોરે તુ બંધાયો,
જગના જીવન સાથે તુ સંધાયો..(૨)
મનથી માની લે આ ભવમાં..(૨)
દરીયો આ તરી લે રે મનડા..(૨)
….રામ ભજન.
સર્વના સંગે તું ખેંચાયો,
મિથ્યા આબંધનમાં તું બંધાયો..(૨)
તનથી તારા થાય જેનું અર્પણ..(૨)
દીલથી [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on September 18, 2007 by Pradip Brahmbhatt
લગન કરું.
તાઃ૧૮/૯/૨૦૦૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
લગન કરું હું લગન કરું હું,
ઢોલ ઢમકાવતો હું કહું છુ ભઇ
….લગન કરું હું..(૨)
છોકરી દીઠી ગયા મહીને મેં;
વાત નક્કી કરી આ મહીને મેં,
માબાપને તો ખુશી એવી;
જાણે આવી વહુ લાડલી.
…લગન કરું હું..(૨)
દોસ્તો ઘણા પરણી ગયા છે;
મનમાં ચિંતા લબડી ગયાની,
સૌ પરણ્યા ને હું કેમ કુંવારો;
નથી મારામાં [...]
Filed under: પ્રાસંગિક કાવ્યો | Leave a Comment »
Posted on September 15, 2007 by Pradip Brahmbhatt
ઓ જશોદાના કાન
તાઃ૧૫/૯/૨૦૦૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઓ જશોદાના જાયા, ઓ કૃષ્ણ કનૈયા કાના
તમને કરતો કાલાવાલા,છોડીને જગની કાયામાયા
…………ઓ જશોદાના જાયા.
વંદન કરતો,નિશદીન તમને,પ્રેમે ભોજન ધરતો
હેત કરીને હૈયે રાખજો,સ્નેહ વરસાવી દેજો.
ભેદ ભલે હું નાજાણું કંઇ,હેત મને તો કરજો
દેજો પ્રેમ વરસાવી હેત,ઓ નંદકિશોર નાના.
…………ઓ જશોદાના જાયા.
કુંજ ગલીમાં,વાંસળી સાંભળી,ગોપીઓ સંગેનાચું
ભક્તિ દેજો આ જીવનમાં,બીજુ કાંઇ હવે નામાગું
અંતે આવજો, [...]
Filed under: ભક્તિ કાવ્યો | 1 Comment »
Posted on September 14, 2007 by Pradip Brahmbhatt
किशन कनैया
ताः२५/८/१९७८ (जन्माष्टमी) प्रदीप ब्रह्मभट्ट
कृष्ण कनैया,जीवन नैया, अपनी पार लगादो
दर्शन तेरे तरसे ये मन.(२)करदो पुरण आश
राधेश्याम,कृष्णकान,मुरलीधर गिरधारी रे…कृष्णकनैया.
भकतोके मन सुखदुःख तु है…(२)
अपने मनका राजा तु है…(२)
तेरी कृपासे,जगने जीवन,पाया मेरे प्राण…..राधेश्याम.
मनतो अर्पण,तन भी अर्पण..(२)
अर्पण सारा नश्वर जीवन…(२)
परलोकमें तु,इसलोकमे हम,दर्शन तेरे तरसे…राधेश्याम.
जगका जीवन,है पल दो पल..(२)
तुमसे नाता जन्मोजन्मका…(२)
ये तुट न पाये जीवननैया,डोले तुम बीन रे…राधेश्याम.
******************
सन [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on September 14, 2007 by Pradip Brahmbhatt
સ્નેહબંધન
તાઃ૯/૬/૧૯૭૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
(જન્મ દીધો આધરતીપર,ઉપકાર કર્યો મુજ પામરપર;
સદા નિરંતર દુઃખ હતુ ત્યાં, પ્રેમ નહીં અપરાધ હતા.)
પ્રેમથી પ્રેમ થશે વશ જ્યાં,છે સદા સ્નેહની ગાંઠ
પ્રેમ પ્રેમ અને પ્રેમ દીસે છે, સદા સ્નેહની આડ
સમય નથી એ રોકી શકતો જન્મ મરણની ચાલ
યાદ રહે એ..(૨) જેના પર સૌથી સાચો પ્રેમ….પ્રેમથી
વખત વખતનું કામ, જગતમાં જો અન્યાય કરે
ન્યાય મળે એને ત્યાં , [...]
Filed under: આધ્યાત્મિક કાવ્યો | Leave a Comment »
Posted on September 12, 2007 by Pradip Brahmbhatt
યાદ
તાઃ૧૬/૯/૧૯૭૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વિસરી ગયા હશો તમે મને;
પણ હું કેમ તમને ભુલુ,
યાદ તમારી આવશે ત્યારે;
જ્યારે આ દીન આવશે ફરી…વિસરી..
સત્ય ને અસત્ય ઘરના માનતા હશો
પણ પ્રેમને તમે ક્યાં જાણતા નથી
દરિયો ડહોળાઇને જ્યારે વિષ મળે
કેવી સ્થિતિ હશે ત્યારે જ મારી……વિસરી.
આજ છુપાવો કાલ છુપાવશો
ક્યાં લગી આમ તરસાવશો.
જીંદગીની આખરી ઘડી સુધી
મને વિશ્વાસ છે આપનો……….વિસરી.
માન્યા તમને જીવનસંગીની
[...]
Filed under: પ્રેમગીત | Leave a Comment »
Posted on September 12, 2007 by Pradip Brahmbhatt
સાચું સગપણ
તાઃ૨૧/૨/૧૯૭૬. પ્રદીપ બ્રહ્મભટ્ટ.
ભજીલે ભજીલે મનડાં, રામનું નામ ભજીલે
ત્યજીલે ત્યજીલે તનડાં,કાયાના માન ત્યજીલે…ભજીલે.
જગમાં મળેલું જીવન,મોંઘું અમુલુ છે..(૨)
મનથી કરેલું કરમ, સૌથી અનેરુ છે…(૨)
તનના ને મનના મુકી..(૨)
માન અપમાન ભુલી..(૨)
કાયાથી (તું) કામ કરીલે ….રે મનડાં…….ભજીલે.
મારું ને તારું અલ્યા,ક્યાં લગી જાણું..(૨)
પળઅનેબેપળ પછી,વિસરી જવાનું સારું..(૨)
વસમી વેળાઓ તારી..(૨)
પહેલેથી જાણી લેજે…(૨)
મનથી (તું) રામ સ્મરીલે ….રે મનડાં…….ભજીલે.
કર્મનેમર્મ તો છે,જગમાં જ ઝાઝાતારા..(૨)
બાકીનથી અહીંતારું,સાથે નથી [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on September 12, 2007 by Pradip Brahmbhatt
મનોકામના.
તાઃ૪/૨/૧૯૭૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ.
જીવતર ગુમાવ્યું મેં આમેય આજે
તરસ્યો નથી પણ જગ તરસ્યુ ભાસે..જીવતર.
છોને મને આ જગ મિથ્યા લાગે..(૨)
કોને કહું હું મન મારું ક્યાં છે.
કદી કીધી નથી કામના,
મેં જીવન જીવવા કાજે..તરસ્યો.
આંખે ના આપ્યો,અંધાપો આજે..(૨)
તોયે મને જગ સુનુ જ લાગે.
કરતો નથી હું પરકાજ કામો,
પરદીપ થઇને જગમાં વિસારુ..તરસ્યો
————————————
Filed under: આધ્યાત્મિક | Leave a Comment »
Posted on September 11, 2007 by Pradip Brahmbhatt
વર્ષાગમન.
તાઃ૧૦/૯/૧૯૭૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ.
ધરતીની ફોરમ ન્યારી છે;
એને જીવન સાથે યારી છે,
અથડાતા વાદળ ચારે કોર;
વિખરાતા માનવ દોડે ઓર.
…ધરતીની ફોરમ
નીત કિર્તનગુંજે મનસૌના જીતે,
એકે વાર નહી ચૈનમળે
જ્યાં આવ્યો મેઘલો,જાગ્યા ખેતરો,
માનવ મહેરામણ છાયો રે.
…ધરતીની ફોરમ
શીત જીવનકાજે,જો આનંદભાસે,
મિથ્યા જીવન લાગે ઓર
જ્યાં છાયા વાદળો,લાવ્યો વાયરો,
આવ્યો કેમનો દોડી રે.
…ધરતીની ફોરમ
જીત માનવની,નહીં કાયરની,
[...]
Filed under: પ્રાકૃતિક કાવ્ય | 1 Comment »
Posted on September 10, 2007 by Pradip Brahmbhatt
ભાવથી જમાડું
તાઃ૧૬/૮/૧૯૭૬. પ્રદીપ બ્રહ્મભટ્ટ.
ભાવથી જમાડું ભોજન,ઓ ગિરધારી ..(૨)
પુરી અને શાક થોડું,શીરામાં ઘી છે ઝાઝું.
… ભાવથી જમાડું.
ભક્તિ ને ભાવ મારો,સૌથી અનેરો સારો.(૨)
મેવા મિઠાઇ નથી,જે છે દીધુ છે અહીંથી.(૨)
તરસી રહ્યો હું મુક્તિ જગજીવન જગથી.
…ભાવથી જમાડું.
દાળઅનેભાતમીઠા,મનથીકચોરી છેકીધી.(૨)
ઝાલીલો હાથ મારો,જન્મોજનમથી તરસે.(૨)
સ્નેહ અને ભાવેવંદુ,જગના પાલનહારને.
…ભાવથી જમાડું.
અંતરના અજવાળે ને પ્રેમના પુરકપ્યાલે.(૨)
ભાવથીપીરસું તમને,મુક્તિમળવાનીઆશે.(૨)
સંતોના ગુણલાં ગાતાં,મનમાં [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »