ભક્તિ કાવ્યો
Pradip Brahmbhatt
5:44 pm
ઓ અંતરયામી
તાઃ૧૭/૭/૧૯૮૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઓ અંતરયામી તારી લીલાનો નહીં પાર;
તારો મહીમા અપરંપાર,
તારી માયા એવી સમજી શકે ના કોઇ;
તને કોઇ શક્યું ના જોઇ.
…….ઓ અંતરયામી.
તું રામ બને રાવણને હણે;
તારી સીતા સરખી રાણી,
ભવસાગરમાં નિત્ય ફરે;
તને કોઇ શક્યુંના જાણી.
…….ઓ અંતરયામી.
કોઇ કૃષ્ણ કહે ગોપીઓમાં ફરે;
તારો મહિમા કોણ કહે,
તું જ્યાં ત્યાં ફરે તું રાસ રમે;
તું મનડાં સૌ ના હરે.
…….ઓ અંતરયામી.
સૌ કોઇ ચહે તને અલ્લા કહે;
તને ઇસુ તણો અવતાર,
ક્યાંક્યાંનાજલેતારો દીપકહે;
ઓ સૌના મન હરનાર.
…….ઓ અંતરયામી.
અવનીપર અવતાર ધરેલા;
દુઃખીયોના બને સહારા,
આ દેહ પડેજગમાં જ્યારે;
ભવસાગરનો તુ કિનારો.
…….ઓ અંતરયામી.
########################
No Responses »
પ્રેમગીત
Pradip Brahmbhatt
5:03 pm
તારો પ્રેમ
હસતું મુખડું જોઇને તારું, મનમાં કંઇ કંઇ થાય
પ્રેમપામીને સાથેજીવશું,જોજે જીવનએળે નાજાય
…..હસતું મુખડું
તારી લાગી મનને માયા,ર્હદયમાં કંઇ કંઇ થાય
સમજાય નહી કંઇ તોય ગમેતું,જીંદગીમાંતુંઆવ
…..હસતું મુખડું
તારા પ્રેમને પામીને ગોરી,મનડાં તરસ્યા દેખાય
તારા પ્રેમને તરસી રહ્યો આ પ્રેમી પુરણ થાય.
…..હસતું મુખડું
Pradip ————————-
No Responses »
સેલ
Sunday, Sep 30 2007
પ્રાસંગિક કાવ્યો
Pradip Brahmbhatt
4:35 pm
સેલ Sale.
પ્રદીપ બ્રહ્મભટ્ટ
Sale સેલની રાહ જોતાં જોતાં,
ભઇ વ્હેલ જ નીકળી ગઇ;
કિંમત ઘટશે,કિંમત ઘટશે તેમ કહેતા,
ત્યાં ચાર ઘણી થઇ ગઇ.
……..સેલ સેલની
એક ડોલરનો પ્યાલો શોધતો,
દરરોજ સેલની સામે હું જોતો
ચાર ડોલરનો દીઠો આજે
પસ્તાતો હું મનથી ગઇકાલને માટે
……..સેલ સેલની
શર્ટ સેલમાં,પેન્ટ સેલમાં
સાતડોલરમાં ખરીદી લીધા જઇ
લાવ્યો ખરીદી ખુશીખુશીએ,
નેબર કહે બેડોલરમાં બધેમળેઅહીં
……..સેલ સેલની
ઝારો લીધો,ચમચો લીધો
ચાર ચાર ડોલરમાં જઇ
ચબરખી પાંચ ડોલરની તહીં
ડોલર સ્ટોરમાં દીઠા ડોલરમાં
આંખો ચમકી ગઇ………..સેલ સેલની
++++++++++++++++++++++++++
No Responses »
આધ્યાત્મિક કાવ્યો
Pradip Brahmbhatt
1:05 pm
આતમ જ્યોત
તાઃ૫/૬/૧૯૮૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
(On my Birthday at my sister’s home,Ohio.)
અંતરમાં થાય અજવાળા
જાગે મનની જ્યોત
પ્રેમ ભર્યો છે આ જગમાં
જાણે સ્નેહસાગર જેવો….અંતરમાં
સંસાર સજેલા સ્વપ્ના જેવો
પ્રેમ,હેત મળે જ્યાંત્યાં
જો જાગે અંતરની જ્વાળા
લાગે આ જીવનની માયા..અંતરમાં
બંધ થયેલા ચર્મચક્ષુ
મિથ્યા અનંત ભાસે
આકુળવ્યાકુળ મનને મળશે
સાજન સરખા હેત બધે….અંતરમાં
———————
No Responses »
ભવસાગર
Sunday, Sep 30 2007
ચિઁતન કાવ્યો
Pradip Brahmbhatt
12:14 pm
ભવસાગર
તાઃ૨૨/૭/૧૯૮૨ આણંદ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કોઇ નથી અહીં તારું,
આ ભવસાગરમાં
કોઇ નથી અહીં તારું.
જગની માયા કાયાને વળગી,
કોટી કરો રે ઉપાય;
જોઇ જગતની મિથ્યા લીલા,
માણી રહ્યા નરનાર.
……….આ ભવસાગરમાં.
કાચી માટીની કથળેલી કાયા,
ક્યારે કરમાઇ જાય;
કોઇ ના સાથે કોઇ ના સંગે.
એકલ સૌ જગમાંય.
……….આ ભવસાગરમાં.
સાચી તારી સ્નેહ ભરેલ,
પ્રેમની જ્યોત જલે;
પરદીપ બનશે આજગમાંહી,
પાવક પ્રેમનો સંગ.
………આ ભવસાગરમાં.
ઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁ
No Responses »
રે મનડા
Sunday, Sep 30 2007
ચિઁતન કાવ્યો
Pradip Brahmbhatt
11:10 am
રે મનડા
તાઃ૩૦/૫/૧૯૭૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કેમ કરીને હુ વિસારું મનના આ એંધાણ
તનડાને સંભારુ,લાગેસૌની છે ઓળખાણ.
……….કેમ કરીને.
કાયા કાયા કંચન કેરી માયાનો નહીં પાર
સુખદુઃખ ઝંઝટ જીવતા જોઇ..(૨)
કર્મનો છે અણસાર ….કેમ કરીને.
મર્મકર્મનો ક્યાં જાણુંના,પ્રેમદીસે નહીંક્યાંય
તારું મારું કોઇ નહીં વ્હાલું…(૨)
જગની ચિંતા છોડ …..કેમ કરીને.
————————-
No Responses »
आराधना
Sunday, Sep 30 2007
આધ્યાત્મિક કાવ્યો
Pradip Brahmbhatt
10:41 am
आराधना
ताः५/५/१९७९. प्रदीप ब्रह्मभट्ट
*(मंदीरके द्वारपर खडे एक अंधभीक्षुककी आवाज)
तेरे दर्शनको आये हुओको हजारो सलाम
तेरे द्वार खडा तेरा ये द्वारपाल ओ परवरदीगार.
……..तेरे दर्शनको.
जीवन जगका पाया सबने,हमने उसको पाया
पा सकते तेरी असीम भक्ति,पाजाता जगसारा
तेरे सामने आके हाथ पसारे..(२)
जो होगा थोडा दुःखी………………..तेरे द्वारपर खडा.
अपना सबकुछ तेरी शरण,पाना है सुखधाम
ज्योति मेरी क्यु ली तुने,मुझको क्युसताया
दीप जलाकर अपने मनका..(२)
पुरण करनी आशा …………………तेरे द्वारपर खडा.
@@@@@@@@@@@@@@
No Responses »
સફર જીવનની
Saturday, Sep 29 2007
આધ્યાત્મિક કાવ્યો
Pradip Brahmbhatt
9:23 pm
સફર જીવનની
તાઃ૧/૨/૧૯૭૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવન સફરમાં અટવાયો છું,રસ્તો મળતો નથી
પ્રેમ તમારો પામીને હું,તુજને ભુલી શક્તો નથી.
………જીવન સફરમાં
ક્યાં જવું આ રસ્તા પર,કોઇ સહારો નથી..(૨)
માન્યા મેં તો મારા જેને,આજે કોઇ નથી..(૨)
જીવન પથનો આ સથવારો..(૨)
મારી સાથે નથી….પ્રેમ તમારો
અહીં ભમ્યોહું,તહીં ભમ્યોપણ,ઝાઝી જાણનહીં..(૨)
કર્મનો એ ભેદ ભરમમાં,નીરખી ને હું બેસી રહું..(૨)
સુઝતુ નથી આ મનમાં..(૨)
મંજીલ નક્કી નથી…પ્રેમ તમારો
——————————–
No Responses »
ભક્તિ કાવ્યો
Pradip Brahmbhatt
8:25 pm
સતસંગનો સંગ
તાઃ૧૨/૨/૧૯૮૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સતસંગનો સંગ એવો રે મનવા..(૨)
કે જાય નહીં જનમો જનમે હો મનવા……..સતસંગનો.
સંગત સ્વામી સાધુ કેરી….(૨)
મનમાં લાગી લગન તેવી…(૨)
હે..તારા દર્શનથી,હો મનડાં પાવન થાય
ઓ જોગી ઓ યોગી,દર્શન દઇને ઉગારો રે મનવા,
………સતસંગનો સંગ.
ભવસાગરમાં ઘુમવા આવ્યો..(૨)
લાજશરમ મુકી ભજવા લાગ્યો…(૨)
હે..મનમાં તારું સ્મરણ થાયને હૈયે આનંદથાય
ઓ સ્વામી મને સંગ લગાડો ને દોરજો ભક્તિ કાજે.
………સતસંગનો સંગ.
કાયા કાચી માટી કેરી..(૨)
ક્યારે મળી એ જાશે…(૨)
હે..જન્મોજન્મથી તારી માયા લાગે મુજને લાગી
ઓ જોગી લો પકડો હાથ મારો,લો ઉગારી મુજને.
………સતસંગનો સંગ.
***********************************
No Responses »
ભક્તિ કાવ્યો
Pradip Brahmbhatt
5:46 pm

સ્નેહ જ્યોત
તાઃ૨૨/૩/૧૯૭૯. આણંદ પ્રદીપ બ્રહ્મભટ્ટ.
જ્યોત જલે છે પ્રેમને કાજે,પ્રીત મળે છે ભક્તિ કાજે
કે જલા તારા પગમાં નીસદીન હું પડું
આ જીવતર જીવવા શાને હું રોજ રડું…કે જલાતારા.
સ્વાર્થ ભરેલા જગમાં એકલ,સ્વાર્થ વિના તને દીઠો
પ્રેમ ભરેલા હૈયા ભીતર ,અંતરમાં મુઝાવાતા
આ ભવમાં અંતરમાં મુઝવાતા……. કે જલાતારા.
સંત સમાગમ તમથી સાચો,બાકી અર્થ વિનાનો
રામશરણ એક લીધું માની,બીજા અનર્થ બને છે
આ જગમાં બીજા અનર્થ બને છે…….કે જલાતારા.
રાગદ્વેષ અને ઇર્ષા વૃત્તિ, જગમાં અહીંતહીં દીસે
ભુખે ભમેલા જગમાં ભાસે,તરસ્યો તારી આગળ
ઓ જલાબાપાતરસ્યો તારી આગળ…..કે જલાતારા.
સૃષ્ટિ સઘળી છે સજીવ તોય,સૌને નિર્જીવ ભાસે
હું’પરદીપ’તોયે તારા સંગે જ્યોત જગાવા આવ્યો
આ ભવસાગરમાં જ્યોત જગાવા આવ્યો..કે જલાતારા.
——————————-
No Responses »
આધ્યાત્મિક
Pradip Brahmbhatt
12:51 pm
જય મેલડી મા
તાઃ૧૫/૬/૧૯૭૮ પ્રદીપ બ્રહ્મભટ્ટં
જગમાં જેનું નામ સદાયે,ગુંજે છે ઘરઘરમાં
મા તારા હેતના પ્યાસા,તુજ ચરણે સૌ વંદે.
….માતા મેલડી ઓ મા મેલડી..(૨)
જગમાં જીવન જીવતા,છે લાખો તારા શરણે
ઓ મા..(૨)તારી પામી કૃપા લેવા કાજ
દુઃખઅનેસુખની આ શૈયાને શરણે તારે દેતો
…મા મેલડી તારો જય જયકાર..(૨)
પ્રેમ સ્નેહના ગીતો ગાતા,મળતા હૈયા દ્વારે
ઓ મા.(૨)તારા દ્વારે ઉભો હું આજ
મારા કર્મોની ઝંઝટથી,મુક્તિ દેજે આજ
…મા મેલડી તારો જય જયકાર..(૨)
એક આશ અંતરમાં માડી,રાખજે હૈયે હેત
ઓ મા.(૨)બાળ તારા વંદે તુજને
પ્રદીપ સાથે સૌ વંદન કરતાં વ્હાલા બાળ
…મા મેલડી તારો જય જયકાર..(૨)
*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*
No Responses »
એકાંત.
Monday, Sep 24 2007
Uncategorized
Pradip Brahmbhatt
7:17 pm
એકાંત ……પ્રદીપ બ્રહ્મભટ્ટ
એકાંત મને મળે તો
મન મુકીને માણી લઉ
હું
મનમાં ઉઠેલા તરંગોને
મને મળેલા સ્નેહને
મને મળેલા માનને
મને મળેલ પ્રેમને
મને મળેલ સન્માનને
મને મળેલ માબાપને
મને મળેલ આધારને
મને મળેલ ભગવાનને
મને મળેલ સંસ્કારને
મને મળેલ સહકારને…..
No Responses »
પ્રાસંગિક કાવ્યો
Pradip Brahmbhatt
2:23 pm
ગરબે ઘુમતી.
તાઃ૧૪/૧૦/૧૯૮૩. પ્રદીપ બ્રહ્મભટ્ટ.
માડીને ગરબે,દઇને બે તાળી;
ગરબે ઘુમતી,જગની આ નારી,
ઓ મા,મારી અંબે, માડી કાળકા, માડી બહુચર,
રમવા આવો મારે ગરબે..(૨)
……માડીને ગરબે.
મા અંબા પધારે..(૨)રુમઝુમ કરતી
સાથ સહેલીયો ગરબે મારે,
શોભા અનેરી કહી શકાયના
નાકેછે નથણી નેહાથેગુલાલછે
માડીને પગમાં..(૨)ઝાંઝર ઝમકે છે.
….ઓ મા,મારી અંબે.
પાવા તે ગઢથી..(૨)ઉતર્યા મહાકાળી
આંખે અનેરુ તેજ છે ઓ માડી તારી
શીતળ તારા હાથની કૃપા,
ભવસાગર તરનારને,
જગનીતારણ હાર રે,તારા હૈયે હેત રે.
….ઓ મા,માડી કાળકા.
મા બહુચર તારી..(૨)ભક્તિ લાગી
ગરબે મારે પધારજે ઓ માડી
ચુંદડી તારી લાલગુલાલ છે,
ભાલે તારે તેજ અનેરુ.
હૈયે રાખી હેત મા તું આવી ગરબે ઘુમવા છેક.
….ઓ મા,મારી બહુચર.
————————————
No Responses »
ઓ જલાબાપા
Monday, Sep 24 2007
ભક્તિ કાવ્યો
Pradip Brahmbhatt
1:09 pm
ઓ જલાબાપા.
તાઃ૨૩/૯/૧૯૮૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
(At my brother Sudhir’s home,Allentown,PA)
અંતરમાં થાય અજવાળા,ઓ જલાબાપા..(૨)
રોજ રોજ તમને સ્મરી રહ્યો છું,
અંતરની વાતો તમને કરી રહ્યો છું.
આંખોમાં સમાયા, હ્રદયે બીરાજ્યા, તોય મને તરસ છે.
ઓ જલારામ બાપા….અંતરમાં થાય.
અહીં તહીં ભટકી હું જીવી રહ્યો છું,
ના કોઇ સહારો તોય ભમી રહ્યો છું
ઝાલોનેહાથમારો, દોસથવારો,મળશોમને થાયઅંતરમાં.
ઓ જલારામ બાપા….અંતરમાં થાય.
જેવું જેનું થાય જગતમાં,ગત જન્મોને સહારે,
હું તો તમારે શરણે જીવી રહ્યો છું,
ઉગારો સાગરથી, માનો તમારો, જીવન જીવવા સહારો.
ઓ જલારામ બાપા….અંતરમાં થાય.
રામે તાર્યા અહલ્યાને,નામે તાર્યા સેતુ,
પ્રદીપને છે એક સહારો જલારામનો,
રામ છે જેના, કામ કરે છે,તારે મૃત્યુ સાટે ભવસાગરે,
ઓ જલારામ બાપા….અંતરમાં થાય.
*****જય શ્રી રામ,જય જય જલારામ.*****
No Responses »
અર્ચના.
Wednesday, Sep 19 2007
ભક્તિ કાવ્યો
Pradip Brahmbhatt
3:45 pm
અર્ચના
તાઃ૨૬/૯/૧૯૭૮. પ્રદીપ બ્રહ્મભટ્ટ
હે જગતના તારણહારા રે,હે વિશ્વંભર હે સ્વામી રે.
અમ સુખની કાજે ..(૨),સર્વની સાથે..(૨)
તુજ ચરણે શીશ નમાવીએ…(૨)
……હે જગતના તારણહારા રે
આ શીતળ સંધ્યે, છે નિર્મળ હૈયે..(૨)
આત્મા સો પરમાત્મા..(૨)
સીતાપાર્વતી,લક્ષ્મીરાધે,રામશંકર,વિષ્ણુકૃષ્ણે;
છે અમ સૌ તુજને શરણે….(૨)
……હે વિશ્વંભર હે સ્વામી રે.
અમ જીવન સાટે,છે જ્યોત પ્રેમની..(૨)
જલે દીપ જેમ જગની કાજે..(૨)
અલ્લાઇશ્વર,ઇસુઇસાઇ,ગુરુગોવિંદ,જલાસાંઇ;
વંદન અમ સૌ ના તુજને….(૨)
……હે વિશ્વંભર હે સ્વામી રે.
///.,.,.,.,.,,.,.,.,.,.,.,.,.,.,.,.,.///
No Responses »
રામ ભજીલે.
Wednesday, Sep 19 2007
ભક્તિ કાવ્યો
Pradip Brahmbhatt
2:49 pm
રામ ભજીલે.
તાઃ૧૧/૮/૧૯૭૮. પ્રદીપ બ્રહ્મભટ્ટ
રામ ભજન કરી લે ,રે મનડા..(૨)
જંજટ તારી આ જનમની..(૨) ત્યજી લે.
રે મનડાં જંજટ તુ ત્યજી લે.
….રામ ભજન.
કર્મની દોરે તુ બંધાયો,
જગના જીવન સાથે તુ સંધાયો..(૨)
મનથી માની લે આ ભવમાં..(૨)
દરીયો આ તરી લે રે મનડા..(૨)
….રામ ભજન.
સર્વના સંગે તું ખેંચાયો,
મિથ્યા આબંધનમાં તું બંધાયો..(૨)
તનથી તારા થાય જેનું અર્પણ..(૨)
દીલથી રામને કરી દે રે મનડા..(૨)
….રામ ભજન.
*********************
No Responses »
લગન કરું.
Tuesday, Sep 18 2007
પ્રાસંગિક કાવ્યો
Pradip Brahmbhatt
5:37 pm
લગન કરું.
તાઃ૧૮/૯/૨૦૦૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
લગન કરું હું લગન કરું હું,
ઢોલ ઢમકાવતો હું કહું છુ ભઇ
….લગન કરું હું..(૨)
છોકરી દીઠી ગયા મહીને મેં;
વાત નક્કી કરી આ મહીને મેં,
માબાપને તો ખુશી એવી;
જાણે આવી વહુ લાડલી.
…લગન કરું હું..(૨)
દોસ્તો ઘણા પરણી ગયા છે;
મનમાં ચિંતા લબડી ગયાની,
સૌ પરણ્યા ને હું કેમ કુંવારો;
નથી મારામાં કોઇ ખામી.
….લગન કરું હું..(૨)
શામળાભાઇ તમેજલ્દી આવજો;
કાન્તાકાકી મમ્મીને મળજો,
લેજો લ્હાવો તમે ગામના લોકો;
આ અવસર સુંદર મારો.
….લગન કરું હું..(૨)
ઉતાવળમાં બંડી ભુલ્યો;
દોડાદોડમાં ભુલ્યો પાયજામો,
ગામમાં દોડ્યો સૌને કહેવા;
દોડતા લોકો મને જોવા.
….લગન કરું હું..(૨)
અને….
….આમ દોડાદોડમાં જ્યારે સાચી પરીસ્થિતિનો ખ્યાલ
આવ્યો ત્યારે શબ્દો આપોઆપ બદલાઇ ગયા..
…....અને
ભજન કરું હું ભજન કરું;
રોજ સવારે ભજન કરું,
રોજ સાંજે ભજન કરું;
ઉજ્વળ જીવન જીવવા કાજ
….ભજન કરું હું..(૨)
ભોજન કરી ને માળા કરું હું;
પામવા કૃપા રટણ કરું છું,
મળજો રામ ને મળજો શ્યામ;
મનમાં રટણ જયજયજલારામ.
…..ભજન કરું હું..(૨)
**********************************
No Responses »
ભક્તિ કાવ્યો
Pradip Brahmbhatt
10:22 pm
ઓ જશોદાના કાન
તાઃ૧૫/૯/૨૦૦૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઓ જશોદાના જાયા, ઓ કૃષ્ણ કનૈયા કાના
તમને કરતો કાલાવાલા,છોડીને જગની કાયામાયા
…………ઓ જશોદાના જાયા.
વંદન કરતો,નિશદીન તમને,પ્રેમે ભોજન ધરતો
હેત કરીને હૈયે રાખજો,સ્નેહ વરસાવી દેજો.
ભેદ ભલે હું નાજાણું કંઇ,હેત મને તો કરજો
દેજો પ્રેમ વરસાવી હેત,ઓ નંદકિશોર નાના.
…………ઓ જશોદાના જાયા.
કુંજ ગલીમાં,વાંસળી સાંભળી,ગોપીઓ સંગેનાચું
ભક્તિ દેજો આ જીવનમાં,બીજુ કાંઇ હવે નામાગું
અંતે આવજો, લેવા કાજે, મુક્તિ પ્રદીપને દેજો
પરદીપ બનાવી જ્યોતજલાવી,રમાને સંગે લેજો
…………ઓ જશોદાના જાયા.
કદીનથીઆમોહજીવનનો,ના માગવાનીકોઇમાયા
દીપલદીપેઉજ્વળજીવન,રવિપ્રકાશીજગમાંજીવન
નિશીત પ્રેમની પડખે રહીને,રટણ તમારા કરીએ
ભવસાગરની આ ગલીઓમાં,ફરીનહી અવતરીયે
…………ઓ જશોદાના જાયા.
*******************
One Response »
ભક્તિ કાવ્યો
Pradip Brahmbhatt
9:13 pm
किशन कनैया
ताः२५/८/१९७८ (जन्माष्टमी) प्रदीप ब्रह्मभट्ट
कृष्ण कनैया,जीवन नैया, अपनी पार लगादो
दर्शन तेरे तरसे ये मन.(२)करदो पुरण आश
राधेश्याम,कृष्णकान,मुरलीधर गिरधारी रे…कृष्णकनैया.
भकतोके मन सुखदुःख तु है…(२)
अपने मनका राजा तु है…(२)
तेरी कृपासे,जगने जीवन,पाया मेरे प्राण…..राधेश्याम.
मनतो अर्पण,तन भी अर्पण..(२)
अर्पण सारा नश्वर जीवन…(२)
परलोकमें तु,इसलोकमे हम,दर्शन तेरे तरसे…राधेश्याम.
जगका जीवन,है पल दो पल..(२)
तुमसे नाता जन्मोजन्मका…(२)
ये तुट न पाये जीवननैया,डोले तुम बीन रे…राधेश्याम.
******************
सन १९७८में जन्माष्टमी के पवित्र तहेवारके दिन कृष्ण भगवानके चरणोमें
उपरोक्त काव्य समर्पित किया था……प्रदीपकुमार ब्रह्मभट्ट,आणंद.
No Responses »
આધ્યાત્મિક કાવ્યો
Pradip Brahmbhatt
7:54 pm
સ્નેહબંધન
તાઃ૯/૬/૧૯૭૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
(જન્મ દીધો આધરતીપર,ઉપકાર કર્યો મુજ પામરપર;
સદા નિરંતર દુઃખ હતુ ત્યાં, પ્રેમ નહીં અપરાધ હતા.)
પ્રેમથી પ્રેમ થશે વશ જ્યાં,છે સદા સ્નેહની ગાંઠ
પ્રેમ પ્રેમ અને પ્રેમ દીસે છે, સદા સ્નેહની આડ
સમય નથી એ રોકી શકતો જન્મ મરણની ચાલ
યાદ રહે એ..(૨) જેના પર સૌથી સાચો પ્રેમ….પ્રેમથી
વખત વખતનું કામ, જગતમાં જો અન્યાય કરે
ન્યાય મળે એને ત્યાં , જ્યાં કર્મનો છે હિસાબ
કળીયુગની આ રામકહાણી,બની રહેશે બલિદાન
સ્નેહબંધન ક્યાં અજાણ્યુ, જે મનનો કરે મેળાપ….પ્રેમથી
જન્મમરણ ની આ ફેરીમાં કોનો કેટલો સાથ છે
કેમ કરી એ જાણી લેશો, મૃત્યું છેલ્લે કેમ છે
જીવતર જીવ્યું જેટલું જેવું,તેનો ત્યાં છે હિસાબ
ભૂલ કરો તો.(૨)જાણી લેજો ફેરો તારો નેક છે….પ્રેમથી
~~~~~~~~~~~~~~~~~~~
No Responses »
યાદ.
Wednesday, Sep 12 2007
પ્રેમગીત
Pradip Brahmbhatt
9:07 pm
યાદ
તાઃ૧૬/૯/૧૯૭૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વિસરી ગયા હશો તમે મને;
પણ હું કેમ તમને ભુલુ,
યાદ તમારી આવશે ત્યારે;
જ્યારે આ દીન આવશે ફરી…વિસરી..
સત્ય ને અસત્ય ઘરના માનતા હશો
પણ પ્રેમને તમે ક્યાં જાણતા નથી
દરિયો ડહોળાઇને જ્યારે વિષ મળે
કેવી સ્થિતિ હશે ત્યારે જ મારી……વિસરી.
આજ છુપાવો કાલ છુપાવશો
ક્યાં લગી આમ તરસાવશો.
જીંદગીની આખરી ઘડી સુધી
મને વિશ્વાસ છે આપનો……….વિસરી.
માન્યા તમને જીવનસંગીની
ખબરનતી કે આમ વિસરાઇ જશો
પણ વિશ્વાસ વસ્યો હ્રદયે મને
કે કાલ મને તમે મળશો નક્કી…..વિસરી.
હેત તમનેછે છતાંકેમ બોલતાનથી
પ્રેમ મુજનેકરવાછતાંચહીશકતાનથી
તોડી દો આ જગતના બંધન તમે
‘પરદીપ’કાજે જગતને ત્યજવા આજે..વિસરી.
———————
No Responses »
સાચું સગપણ.
Wednesday, Sep 12 2007
ભક્તિ કાવ્યો
Pradip Brahmbhatt
8:06 pm
સાચું સગપણ
તાઃ૨૧/૨/૧૯૭૬. પ્રદીપ બ્રહ્મભટ્ટ.
ભજીલે ભજીલે મનડાં, રામનું નામ ભજીલે
ત્યજીલે ત્યજીલે તનડાં,કાયાના માન ત્યજીલે…ભજીલે.
જગમાં મળેલું જીવન,મોંઘું અમુલુ છે..(૨)
મનથી કરેલું કરમ, સૌથી અનેરુ છે…(૨)
તનના ને મનના મુકી..(૨)
માન અપમાન ભુલી..(૨)
કાયાથી (તું) કામ કરીલે ….રે મનડાં…….ભજીલે.
મારું ને તારું અલ્યા,ક્યાં લગી જાણું..(૨)
પળઅનેબેપળ પછી,વિસરી જવાનું સારું..(૨)
વસમી વેળાઓ તારી..(૨)
પહેલેથી જાણી લેજે…(૨)
મનથી (તું) રામ સ્મરીલે ….રે મનડાં…….ભજીલે.
કર્મનેમર્મ તો છે,જગમાં જ ઝાઝાતારા..(૨)
બાકીનથી અહીંતારું,સાથે નથી કોઇ વ્હાલું..(૨)
ભેદને જાણ મનડાં ..(૨)
ત્યજીલે માન મનના..(૨)
છેલ્લી સફર (તું) ભરીલે …..રે મનડાં…….ભજીલે.
*************************
No Responses »
મનોકામના.
Wednesday, Sep 12 2007
આધ્યાત્મિક
Pradip Brahmbhatt
7:26 pm
મનોકામના.
તાઃ૪/૨/૧૯૭૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ.
જીવતર ગુમાવ્યું મેં આમેય આજે
તરસ્યો નથી પણ જગ તરસ્યુ ભાસે..જીવતર.
છોને મને આ જગ મિથ્યા લાગે..(૨)
કોને કહું હું મન મારું ક્યાં છે.
કદી કીધી નથી કામના,
મેં જીવન જીવવા કાજે..તરસ્યો.
આંખે ના આપ્યો,અંધાપો આજે..(૨)
તોયે મને જગ સુનુ જ લાગે.
કરતો નથી હું પરકાજ કામો,
પરદીપ થઇને જગમાં વિસારુ..તરસ્યો
————————————
No Responses »
વર્ષાગમન.
Tuesday, Sep 11 2007
પ્રાકૃતિક કાવ્ય
Pradip Brahmbhatt
10:32 pm
વર્ષાગમન.
તાઃ૧૦/૯/૧૯૭૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ.
ધરતીની ફોરમ ન્યારી છે;
એને જીવન સાથે યારી છે,
અથડાતા વાદળ ચારે કોર;
વિખરાતા માનવ દોડે ઓર.
…ધરતીની ફોરમ
નીત કિર્તનગુંજે મનસૌના જીતે,
એકે વાર નહી ચૈનમળે
જ્યાં આવ્યો મેઘલો,જાગ્યા ખેતરો,
માનવ મહેરામણ છાયો રે.
…ધરતીની ફોરમ
શીત જીવનકાજે,જો આનંદભાસે,
મિથ્યા જીવન લાગે ઓર
જ્યાં છાયા વાદળો,લાવ્યો વાયરો,
આવ્યો કેમનો દોડી રે.
…ધરતીની ફોરમ
જીત માનવની,નહીં કાયરની,
આ વેશ દોહ્યલો છાયો રે.
દીપ પ્રકટે નહીં,પરદીપે જગે
એતો જીવનનો લઈ લ્હાવો રે.
…ધરતીની ફોરમ
———————
One Response »
ભક્તિ કાવ્યો
Pradip Brahmbhatt
1:26 pm
ભાવથી જમાડું
તાઃ૧૬/૮/૧૯૭૬. પ્રદીપ બ્રહ્મભટ્ટ.
ભાવથી જમાડું ભોજન,ઓ ગિરધારી ..(૨)
પુરી અને શાક થોડું,શીરામાં ઘી છે ઝાઝું.
… ભાવથી જમાડું.
ભક્તિ ને ભાવ મારો,સૌથી અનેરો સારો.(૨)
મેવા મિઠાઇ નથી,જે છે દીધુ છે અહીંથી.(૨)
તરસી રહ્યો હું મુક્તિ જગજીવન જગથી.
…ભાવથી જમાડું.
દાળઅનેભાતમીઠા,મનથીકચોરી છેકીધી.(૨)
ઝાલીલો હાથ મારો,જન્મોજનમથી તરસે.(૨)
સ્નેહ અને ભાવેવંદુ,જગના પાલનહારને.
…ભાવથી જમાડું.
અંતરના અજવાળે ને પ્રેમના પુરકપ્યાલે.(૨)
ભાવથીપીરસું તમને,મુક્તિમળવાનીઆશે.(૨)
સંતોના ગુણલાં ગાતાં,મનમાં ઉમંગો થાતાં.
…ભાવથી જમાડું.
પ્રેમે બીરાજજો હૈયે અમારે,શ્યામસુંદર બલિહારી(2)
ગિરધારી છો,વનમાળી છો,છો ચિતડાના ચોર,
હૈયે રાખી હેત અમોને,દેજો મુક્તિ જનમથી.
..માગું એટલું મનથી. **************
No Responses »
કિસ્મત.
Monday, Sep 10 2007
આધ્યાત્મિક
Pradip Brahmbhatt
12:15 pm
કિસ્મત
તાઃ૧૨/૧૧/૧૯૭૫ પ્રદીપ બહ્મભટ્ટ
મારું કિસ્મત કેવું છે,જેણે લખ્યું હોય તે જાણે,
પણ આજ મઝા માણીલે,કાલ કેવી કોણ જાણે
…મારું કિસ્મત.
એકડોનેબગડો,તગડોનેચોકડો,એમવીતીગયારેવર્ષો
આજ ફરી નહીં આવે કાલ,વરસોનોભઇ સો ભરોસો
સુરજ ઉત્તરમાં નહીં ઉગે, પુરવ ને મુકીને
નાહકની ચિંતા શું કરે, જાણી લે તું થોડી બાકી.
…મારુંકિસ્મત.
જંતર મંતર છુછલંદર, દુનીયાના એ ખેલો
અરેજ્યાંજુવોત્યાં એતો હોયે,જ્યાં છે ભાઇ મેળો
દોડી એતો જાગી જાણે,આવે જ્યારે નીચે રેલો
કરોનહીવૃથા આજીવન,મનેમળો જાણીલો કાલતમારી.
…મારું કિસ્મત.
++++++++++++++++++++
No Responses »
ભક્તિ કાવ્યો
Pradip Brahmbhatt
10:09 am
માયા બદલે કાયા
પ્રદીપ બ્રહ્મભટ્ટ.
જન્મ ધર્યો આ અવનીપર,ના કપડાં નાલફરાનું કોઇ ભાન
સકળ જગતની માયા એવી, ના લખી ના લખાય.
…….એવી કુદરત છે કહેવાય.
નાની કાયા,નાનું મન, નાના પગને નાના હાથ
બુધ્ધિ પરમાત્માએ દીધી, નાના આવે વિચાર
ના સૃષ્ટિ કુદરતની સમજાય, કેવીઅકળ લીલા છે કહેવાય.
સકળ જગતનો ભાર લીધો ને, દીધો માયાનો ભંડાર
જન્મ્યો જ્યારે ત્યારથી માયા ના ઓળખી ના ઓળખાય
મનમાં કાયમ ગડભાંજ પરમાત્માના સ્વરુપની થતી જાય.
કથા કુદરતની ના કહેવાય,અવનીના જીવોને નાસમજાય
લગીર માયા વળગી ગઇ તો, જન્મ જન્મ મળતો જાય
સગપણ સંસારીને મળતું, કાયા મળતી મોહમાયાથી.
મળેલ માનવ જન્મ તમારો, ના અળગો રહી શકવાનો
કર્મતણા બંધનથી છુટવા,સાચાસંતની સેવાકરી લેવાની
મુક્તિ તણા દ્વાર ખોલીને,પરમાત્માથી જીવને જોડી લેવાનો.
################
No Responses »
નંદકિશોર.
Wednesday, Sep 5 2007
ભક્તિ કાવ્યો
Pradip Brahmbhatt
9:46 pm
નંદકિશોર
તાઃ૧૩/૭/૧૯૭૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
(ઢાળઃ દાદા હો દીકરી)
નંદકિશોર ,છેલ છોગાળા
કાના ઓ કાના,તું ક્યાં છે વ્હાલા.
….. નંદકિશોર, મુરલીવાળો.
જશોદાના જાયા, છોડાવી તેંતો, જગને રે માયા
બાળ કનૈયો,મનમાં વસેલો,જળથળમાં,મને એ મળતો..(૨)
…નંદકિશોર.
ગોપીઓના ગોવિંદ, ગાયોમાં તેતો, પ્રીતી રેલાવી
પ્રીતે વગાડે, બંસી મઝાની, વીસરે એ ક્યારે મનથી રે..(૨)
…નંદકિશોર.
કેડમાં કંદોરો, હાથમાં છે લીધો, લીધો ડંગોરો
ગોવાળો આવે,કાનડાની કને,ગોપીઓના ગુંજન સાથ રે..(૨)
…નંદકિશોર્.
****************
No Responses »
ભક્તિ કાવ્યો
Pradip Brahmbhatt
4:04 pm
હે મુરલીધર
પ્રદીપ બ્રહ્મભટ્ટ
હે મુરલીધર હે ગિરધારી
વંદન આજે કરું વનમાળી.
હે કૃષ્ણ મુરારી,હે દુઃખ ભંજનહારી.
જીવન નૈયા, ડોલતી હાલે
હૈયું ધડકે ,જીવન કાજે…(૨)
શાંન્તિ શાન્તિ ચહે જીવનમાં,
ગીતગુંજન વહે નિરંતર…(૨)
….હે મુરલીધારી,હે કૃષ્ણમુરારી.
વંદન તમને સદેહે આજે,
ચહું હું તમને જીવનસાટે..(૨)
મુકુટ મનોહર શિરે શોભે
મુરલીનીમાયાવહે નિરંતર.(૨)
….હે મુરલીધારી,હે કૃષ્ણમુરારી.
***************
No Responses »
દેશભક્તિ કાવ્ય
Pradip Brahmbhatt
3:19 pm
ગુજરાતી ઐક્ય.
તાઃ૨૬/૨/૧૯૭૪. પ્રદીપ બ્રહ્મભટ્ટ
બાપુ ગાંધીની અમરભુમિને,જેણે સદીયો યાદ કરાવી,
આઝાદી ને લાવી તાણી, ગુજરાતીની જીદ પુરાણી.
…જય જય ગુજરાત,જય જય ગરવી ગુજરાત.
વંદુ મા ભોમને જેણે ,વીરોને અવતાર દીધો;
દુધમાં જેણે અમૃતદીધું,ભુલીએ કેમ કરી તેને,
એક એક ગુજરાતી વીર,બન્યો સોને એ ભારે;
મરતાં મરતાં માર્યા એણે,સુબેદાર સોને ભારે.
…..આઝાદીને લાવી.
ઓગણીસો બેંતાલીસની એ,સાલ હતી મહાન;
તેને હાલ ભુલી ગયા સૌ,યાદ ગઇ અહીંસાની,
ઓગણીસો ચુંવોતેરમાં એ,નાદએકદમ જાગ્યો;
નિશસ્ત્રબની સૌ નરનાર,તુટી પડ્યાજનતાકાજે.
…..આઝાદીને લાવી.
બાપુની મહેનત લાવી તાણી,ભારતની આઝાદીને;
લડતઆપણી મક્કમનિર્ણય,નહીં છોડે પોતાની ટેક,
દસમી જાન્યુઆરી હતીત્યારે,સાલ હતી ચુંવોતેરની;
વિધ્યાર્થીઓના પડકારે, પડકાર દીધો સરકાર ને.
…..આઝાદીને લાવી.
મક્કમનિર્ણય ચીમનભાઇનો,ફગાવી દીધો નવનિર્માણે;
અહિંસામાં ન માનનારાને,હિંસાનો પણ પાઠ ભણાવ્યો,
ચીમનભાઇના પ્રમુખપદાને, છોડાવી ના જંપ્યા સૌ;
લીધારાજીનામા કર્તાઓના,અરાજકતાના નિર્માતાઓના.
…..આઝાદીને લાવી.
કાળા બજાર કરતા ઠગોને,છડે ચૉક સડાક કરી દીધા;
હજુ રહેલા દુષણોમાં,વિધાનસભાનું વિસર્જન છે બાકી,
થશે વિસર્જન રહેશે ટેક,નર્મદાના ચુકાદાની વર્ષોજુની;
ગાંધીજીની ટેક લાવી આઝાદી,અમેરહ્યા તેમના સંતાન.
…..આઝાદીને લાવી.
અમર ટેક અમર વીરોની, છપ્પનના બલિદાન થયા;
પણ નાછોડે ગુજરાતી વીર,ભલે જાય સો જણનાજીવ,
‘પરદીપ’ બનીને દીપી જશે,યાદ કામની રહી જશે;
ભુલો ભલે બીજુ બધું,ના ભુલશો બહાદુરી ગુજરાતીની.
…..આઝાદીને લાવી.
~~~~~~~~~~~~~~~
ઉપરોક્ત રચના ગુજરાતમાં ૧૯૭૪ના નવનિર્માણ વખતે ગુજરાતી
જનતાની બહાદુરી ધન્યવાદને પાત્ર હોઇ તે બિરદાવવા માટે આણંદના
સ્થાનીક દૈનિક પેપર આનંદ એક્સપ્રેસમાં છપાઇ હતી…….પ્રદીપ.
—————
No Responses »
Next Page »