WHEN, WHERE & WHY Thursday, Jun 26 2008 

26/6/2008                                             Pradip Brahmbhatt

Human life has a great relation with

         WHEN, WHERE  &  WHY     in  His/Her  LIFE

         When  He/She  is Born.
         When   He/She  is praying
         When   He/She  is Laughing      
         When   He/She  is working
         When   He/She  is sleeping
         When   He/She  is taking care
         When   He/She  is drinking
         When   He/She  is happy
         When   He/She  is cooking

                        Where  He/She is living.
                        Where   He/She is praying
                        Where   He/She is Laughing
                        Where   He/She is working
                        Where   He/She is sleeping
                        Where   He/She is taking care
                        Where   He/She is drinking
                        Where   He/She is happy
                        Where   He/She is cooking

                                               Why  He/She is Born.
                                               Why He/She is praying
                                               Why He/She is Laughing
                                               Why He/She is working
                                               Why He/She is sleeping
                                               Why He/She is taking care
                                               Why He/She is drinking
                                               Why He/She is happy
                                               Why He/She is cooking
 
& Finally When ,Where & Why He/She is Eating.

અજાણતા Thursday, Jun 26 2008 

                           અજાણતા

તાઃ૨૬/૬/૨૦૦૮                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

એક સવારે સાંભળી લીધા મેં ભક્તિના ગુણગાન
મનમાં લાગી લગની ને મળ્યો જલાનો અણસાર
                           ..…..અજાણતા મળ્યો ભક્તિનો અણસાર.

મંજીરાના તાલ મેળવી થાય પ્રભુના જપતાલ
અંતરની ઉર્મીઓ જાગીને મનડું આનંદે હરખાય
                             ……અજાણતા મળ્યો જલાનો અણસાર.

આરતીઅર્ચના જાણીલીધા ત્યાંભક્તિથાયઅપાર
સ્નેહપ્રેમની પગદંડીપર ન માગ્યુંમળે અપરંપાર
                             …….અજાણતા મળ્યો જલાનો અણસાર.

સિધ્ધિવિનાયક સ્નેહ દેતા ને મા ઉમિયા હરખાય
લાગે જીવનસાર્થક બનતુ જ્યાં ભક્તિનો સહવાસ
                             ……..અજાણતા મળ્યો જલાનો અણસાર.

આવ્યા આંગણે સાધુનેસંતો લઇ ભક્તિનો ભંડાર
ઉજ્વળમાનવજીવનલાગે જ્યાં ભક્તિમળે લગાર
                              ……..અજાણતા મળ્યો જલાનો અણસાર.

અંતરમાં ઉર્મીઓજાગે ત્યાં ભાગે તકલીફો અજાણ
સાચોસ્નેહ ને મળશેપ્રેમ રાખશો પ્રભુથીપ્રેમ લગાર
                                 …….અજાણતા મળ્યો જલાનો અણસાર.

        ###################################

 

ભુતપલીત Wednesday, Jun 25 2008 

                    ભુતપલીત

તાઃ૨૫/૬/૨૦૦૮                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

અરે અલખ નિરંજન, છે તપેલીમાં ત્રણ જણ
બોલો ભુત ભયંકર ભટકતા આવ્યા છે અંદર
કરુ જંતર મંતર  ચપટી વગાડી ભગાડું બંદર
………….હું ભુવો એવો ભઇ ભુત ભગાડું ને ભવને સુધારું અહીં

જ્યાં નાકોઇ આરો કે કોઇ કિનારોત્યાં બનુસહારો
છે નેક અમારો સદાઇરાદો પડે લાઠી ભુતભગાડું
ધુણી ધખાવી ભુતનસાડુ,મરચુ નાખી હું નચાવુ
………….હું ભુવો એવો ભઇ ભુત ભગાડું ને ભવને સુધારું અહીં

મોરપીંછ પછાડું ને મરચુ નાખી મંત્રો હું ઉચ્ચારું
બુમોપાડી સોટીપછાડું ને શરીરને હું પીંખીનાખું
આવીગયુ મારાએહાથે ફરીનાઆવે કદી આ દેહે
………….હું ભુવો એવો ભઇ ભુત ભગાડું ને ભવને સુધારું અહીં

પકડ્યા વાળ ને ઝાપટ્યો બૈડો બુમો ભુત પાડે
જુવોજુવો આ મૈલીશક્તિ ના ઉભીરહે અહીં હારે
ડમ ડમ વગાડું ડમરુ હાથે ત્યાં કોઇ નારહે દેહે
………….હું ભુવો એવો ભઇ ભુત ભગાડું ને ભવને સુધારું અહીં

અલખ નિરંજન (૨) બોલતો જ્યાં ભઇ હું હાલુ
ભુતભાગે પલીત પણ ભાગે કદી નઆવે સામે
ત્રણભાગે ને તેરપણ ભાગે સાંભળી મંત્રો મારા
………….હું ભુવો એવો ભઇ ભુત ભગાડું ને ભવને સુધારું અહીં

************************************

મેઘધનુષ Wednesday, Jun 25 2008 

                             મેઘધનુષ

તાઃ૨૫/૬/૨૦૦૮                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાતરંગનો સથવારો લઇ એ આવે આકાશે
પૃથ્વી પરના સ્નેહ સંબંધમાં પ્રેમને રેલાવે
                         ……..એતો સાત રંગ લઇ આવે..(૨)
સફેદ રંગમાં લહેરાતી મસ્તી જગમાં ઝાઝી
શાંન્તિનો સંદેશો દેતોને માનવતા મહેંકાતી
                         ……..એતો સાત રંગ લઇ આવે..(૨)
લાલરંગની મૃદુતા ભઇ ભક્તિએ પ્રેમલાવે
કંકુચોખા સાથે લેતાં પ્રભુથી મન મલકાવે
                          …….એતો સાત રંગ લઇ આવે..(૨)
પીળા રંગની પાવકતા હળદર કરાવી જાય
પીઠીચોળતા માનવદેહ પવિત્ર બનતોજાય
                          …….એતો સાત રંગ લઇ આવે..(૨)
ભુરા રંગના ભેદભરમ ના સ્નેહ ઉભરાઇ જાય
માનવતાનીમહેંકથી આજેમનડું મલકાઇજાય
                          …….એતો સાત રંગ લઇ આવે..(૨)
લીલારંગથી શાન્તિમળતી આંખોઉજ્વળથાય
પગલાં પડતાં લીલોતરીમાં દેહ સુદ્રઢ થાય
                          …….એતો સાત રંગ લઇ આવે..(૨)
કેસરી રંગથી જીવનમહેંકે ને પવનપુત્ર થવાય
ના મનમાં વ્યાધિ રહે ને દેહ આનંદે ઉભરાય
                         ……..એતો સાત રંગ લઇ આવે..(૨)
વાદળી રંગનું વાદળુ જ્યાં તેજ દીને દેખાય
ઉજાસના અજવાળે ભઇ જીવન ઝુમતું જાય
                         ……..એતો સાત રંગ લઇ આવે..(૨)

—————————————————

જંગલમાં મંગલ Wednesday, Jun 18 2008 

                          જંગલમાં મંગલ
તા૧૮/૬/૨૦૦૮                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

                            
જંગલમાં મંગલ થાય ને આનંદ હૈયામાં થાય
                     મલકાતા મનડા આજ, જીવન જીવવાને કાજ
હૈયાને મળતી હામ, કૃપાજલાની મળતી આજ
                   માનવતાની મહેંક જ્યાંમહેકે,મળે સૃષ્ટિનો સાથ
અગમનીગમના ભેદ ખુલેને.થાય પ્રભુથી પ્રીત
                  આત્માની ઓળખાણ થાય ત્યાં છુટે જગની રીત
જંતરમંતરનીજ્યાંપડેચોકડી,ભુતપલીત દેખાય
                   સાથ ના રહે હેત પ્રેમ ત્યાં,મળે ઇર્ષાનેસાથે દ્વેષ
સમયની સાથે ચાલતી નૈયા,હાલમ ડોલમ થાય
                  મનમાં નારહે ક્યાંય હેતભાવ ને સદાદુખીદેખાવ
આવતી ઝંઝટ સામેચાલી,સુખ શોધતા મળે દુઃખ
                  ના આરો કોઇજોતા થાયમનમાં વ્યાધીઓઅપાર
સર્જનહારની અકળ લીલા ના કોઇ શક્યું છે જાણી
                   ના અણસાર મળે કે નથી સાંભળી પ્રભુની વાણી
મનમાં હેત હશે મંગલકારી,તો જંતર નહીં દીસે
                  પરમાત્માની કૃપા પામી ને સૃષ્ટિથી જીવન દીપે
_____________________________________________________

શ્યામ ઓ રાધેશ્યામ. Saturday, Jun 14 2008 

                       શ્યામ ઓ રાધેશ્યામ.
તાઃ૧૪/૬/૨૦૦૮                       પ્રદીપ  બ્રહ્મભટ્ટ

શ્યામ ઓ રાધેશ્યામ, મારી છે કામના
          અંતરમાં હેત રહે,મનમાં ઉમંગ રહે
                    ભક્તિંમાં ભાવ રહે,હૈયામાં પ્રેમ રહે
                                             ……શ્યામ ઓ રાધેશ્યામ.

કીર્તન હું કરતો તારા,મનથી છેલગનીતારી
           માગું હું ભક્તિ તારી, લેજે આજીવને ઉગારી
માયાની સીડીને તું, કરજે જીવનથી અળગી
           દેજે જીવનમાં મને,ભક્તિની લગની લગાડી
                                            …….શ્યામ ઓ રાધેશ્યામ.

જન્મને કર્મને માયા,બંધનને તું જ સંભાળજે
          અવનીના આગમનને, પ્રભુ કર્મથી બચાવજે
માનવ જીવન ને મારા, સાર્થક તું  બનાવજે
          વળગેના મોહમને,પ્રીત મારામનડે જગાવજે
                                           …….શ્યામ ઓ રાધેશ્યામ.

રાધાનો છે શ્યામ તુ,નેગોકુળનો છે કાન તું
          મારો ઘનશ્યામ તું,ને જીવનઆધારપણ તું
મારો સથવાર તું છે,ને જગતકરતાર છે તું
         મનની માયામાં તુંછે,ને ભક્તિમાં તું અમારી
                                            ……શ્યામ ઓ રાધેશ્યામ.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

વિચારું કે……. Thursday, Jun 12 2008 

                    

                            વિચારું કે
તાઃ૧૨/૬/૨૦૦૮                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

ક્યાંથી આવ્યો ક્યાં જવાનો, વિચાર મને કેમ આવે
સંકટનીજ્યાં સીડીજોતો ત્યાં,કેમમારીપાસે એ આવે
                                               ….…..ક્યાંથી આવ્યો.
મુંઝવણ વધતી જાય મનમાં,જે કોઇને ના કહેવાય
સારુ નરસુ હુ વિચારતો, ને સુખદુઃખમાંય લપટાતો
                                               ……….ક્યાંથી આવ્યો.
દુઃખની જ્યારે સમીપ રહેતો, મનડુ મુંઝાઇ જાતુ
સુખની શૈયા શોધવા સારુ,મહેનત હુ ખુબ કરતો
                                                 ….…..ક્યાંથી આવ્યો.
લાગણી મનમાં ઘણી રહે પણ ઉભરો કદી ના લાવું
જાણી ગયો આ જગનુ જીવન,જે મીથ્યા મોહ લાવે
                                                 ….…..ક્યાંથી આવ્યો.
પાછળના હું જોતો જ્યારે,સોપાન આગળ ચઢીજતો
મનમક્કમ જ્યાંકરીલેતો,ત્યાં સુખનીલહેર મળીજતી
                                                 ………ક્યાંથી આવ્યો.
પગદંડી છે એકલવાયી, પણ જલાબાપાથી પ્રીત
આનંદ લાવે હૈયે ત્યાં, જ્યાં આવી ભક્તિની રીત
                                                 ….…..ક્યાંથી આવ્યો.
ભોલેનાથની કૃપા પામવા હર હર ભોલે ભજતો
સંસારની ઝંઝટથી છુટવા,હું ભક્તિ મનથી કરતો
                                                 ….…..ક્યાંથી આવ્યો.
જન્મ મરણ કેમ જીવને વળગે,સૃષ્ટિ કેમ અનેરી
માનવ માત્ર ચિંતીત હૈયે,જ્યાંત્યાં જગે કેમભટકે
                                                 ….…..ક્યાંથી આવ્યો.

++++++++++++++++++++++++++++++++++++++++++

રાઘવને રામ. Thursday, Jun 12 2008 

                        રાઘવને રામ           

તાઃ૧૨/૬/૨૦૦૮                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

રાઘવને રામ કહું, કાન્હા ને કૃષ્ણ કહું
મનથી હું પ્રભુ ભજુ, બીજુના જાણું કશું
                                         ……રાઘવને રામ કહું
અંતરમાં લાગે હેત, મળે જ્યાં પ્રભુ પ્રેમ
લાગે છે જીવન નેક, જલા છે સાથે છેક
                                         ……રાઘવને રામ કહું
મળી છે ભક્તિ મને,માબાપે દીધી પ્રેમે
ઉજ્વલછે જીવનદીસે,મળીજે પ્રભુ પ્રીતે
                                          ……રાઘવને રામ કહું
સાંભળુ ભક્તિ ગીત, પ્રભુથી લાગે પ્રીત
વંદનહુંમનથીકરતો,ના હુંજીવનથી ડરતો
                                           ……રાઘવને રામ કહું
માગું હું મનથી પ્રભુ, શરણે હુ કાયમ રહુ
લાગે ના માયા મોહ, જીવ ને છુટતાં દેહ
                                          …….રાઘવને રામ કહું
મનમાં ના વ્યાધી મને,સાંઇના નામથી
અમર ભક્તોની કૃપા,ભક્તિથી મળી મને
                                           ……રાઘવને રામ કહું

**************************************

પ્રભુથી પ્રીત Thursday, Jun 12 2008 

                                                    

                               પ્રભુથી પ્રીત  
તાઃ૧૨/૬/૨૦૦૮                                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

જગમાં સાચી પ્રેમની રીત, ભક્તિમાં જેને છે પ્રીત
રામરામ જે રટ્યા કરે, ઉજ્વળ જીવન તે જીવ્યાકરે
            .……..જેને પ્રભુથી છે પ્રીત તેને જીવનમાં ના કોઇ બીક

સંત સમાગમ પ્રેરે પ્રીત,મુક્તિ મેળવવા કરેજે જીદ
નામ સ્મરણ છે સાચી રીત,પ્રભુ પ્રેમમળશે હરદીન
            ………જેને પ્રભુથી છે પ્રીત તેને જીવનમાં ના કોઇ બીક

માયાના બંધન છે અનેક,જે છુટશે જ્યારેમળશે હેત
દર્શન કરતાં રહેશે રંગ,જગની લીલા ના રહેશે સંગ
                ……જેને પ્રભુથી છે પ્રીત તેને જીવનમાં ના કોઇ બીક

કાયામાયાની જો જાશે દુર,છે ભક્તિમાંજીવનચકચુર
જલારામની ભક્તિ અદભુત, જાણે તે છે પ્રભુનાદુત
                ……જેને પ્રભુથી છે પ્રીત તેને જીવનમાં ના કોઇ બીક

મનથીરટણ નેમાળા થાય,તેનું જીવન ઉજ્વળદેખાય
સાંઇબાબાનો છેઅણસાર,પ્રભુનીભક્તિ જગમાંઅપાર
                ……જેને પ્રભુથી છે પ્રીત તેને જીવનમાં ના કોઇ બીક

શ્રીરામ શ્રીકૃષ્ણ જયજય રામ જયજય કૃષ્ણ હરેરામ હરેકૃષ્ણ…

જરુર નથી. Wednesday, Jun 11 2008 

                                જરુર નથી
તાઃ૧૧/૬/૨૦૦૮                                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

  • ભક્તિ સાચા દિલથી કરશો તો દેખાવ કરવાની કોઇ જરુર નથી.
  • માબાપની સેવા મનથી કરશો તો આશિર્વાદ માગવાની જરુર નથી.
  • બાળકોને સંસ્કાર આપશો તો હડધુત થવાની જરુર નથી
  • ભણતરનો પાયો જેનો મજબુત છે તેને નોકરી માટે ભટકવાની જરુર નથી
  • લગ્ન કરી અહીં આવેલાના માબાપને અહીં આવવાની જરુર નથી.
  • ઘરડા માબાપને બોલાવી બેબી સીટીંગ કરાવવાની કોઇ જરુર નથી.
  • દીકરાની વહુનો છણકો સાંભળવાની કોઇ જરુર નથી.
  • સાચી ભગવાનની સેવા ઘરમાં થાય છે બહારજવાની કોઇ જરુર નથી.
  • દેશમાં એક ધર્મના જુદા જુદા ફાંટા કરવાની કોઇ જરુર નથી.
  • જ્યાં ઘરમાં જ ભક્તિ થતી હોય ત્યાં મંદીરો પાછળ ખર્ચાઓની કોઇ જરુર નથી.
  • એકજ ગામમાં એકજ સંપ્રદાયના જુદાજુદા મંદીરો કરવાની કોઇ જરુર નથી.
  • ભગવું ધારણ કરેલ સાધુને સેલફોનની કોઇ જરુર નથી.
  • સત્ય સ્વીકારી જીવનારને ભટકવાની કોઇ જરુર નથી.
  • જન્મ મળેલ છે તેણે મૃત્યુથી ડરવાની કોઇ જરુર નથી.
  • સંતાનોનો સાચો પ્રેમ તેમના લગ્ન બાદ માબાપને જોવા મલે છે જે કહેવાની કોઇ જરુર નથી.
  • માની આંખ ખુબ આનંદ થાય ત્યારે અને સંતાન તરછોડે ત્યારે ભીની થાય જે કહેવાની જરુર નથી.
    <<><<<<<><<<<<<<<<<<><<<><><<><><><<<<><><><><<<<><><<<<><><<

ભજન,ભક્તિનો એક રંગ Tuesday, Jun 10 2008 

                            ભજન
                     ભક્તિનો એક રંગ
તાઃ૧૦/૬/૨૦૦૮                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભજન છે ભક્તિનો એક રંગ,જે લાવે જીવનમાં ઉમંગ
મળતે જેને હૈયે તેનો સંગ, ના જોઇએ બીજો કોઇ છંદ
                                          …….ભજન છે ભક્તિનો
લગની લાગી મનથી જ્યાં,મનને મળતી શાન્તિ ત્યાં
આવ્યા અવની પર લઇ જન્મ, વળગે કરેલા જે કર્મ
મનને શાન્તિ મળતી જાય, ભક્તિ પ્રેમે વહેતી થાય
                                          …….ભજન છે ભક્તિનો
શ્યામ રામ કે રામ શ્યામ, જલારામ કે સાંઇ રામ
મળે પ્રેમ ને વદે સ્નેહ, ના જીવનમાં કોઇ રહે ભેદ
અંતરમાં ઉભરે આનંદ ને જીવન ઉજ્વળ થતું જાય
                                            ……ભજન છે ભક્તિનો
સંત સમાગમ મળ્યા કરે,જગની વ્યાધી ટળ્યા કરે
ના મોહ માયા મમતા રહે,નેજગનો મોહ છુટી જશે
સાચો સંબંધ પરલોકથી, ના આ મિથ્યા જીવન રહે
                                          …….ભજન છે ભક્તિનો

“““““““““““““““““““““““`

ન માગે મળતું Monday, Jun 9 2008 

                   માગે મળતું
તાઃ૯/૭/૨૦૦૮                     પ્રદિપ બ્રહ્મભટ્ટ

સંકટની જ્યાં સીડીઓ ચઢતો,ના સાથ હતો જીવનમાં
એકલ હાથે મહેનત કરતા,સમજી ઉકેલતો પળભરમાં

મહેનત કરતો મનથી જ્યારે,થોડી હામ હૈયામાં રહેતી
ના ના કહેતા મિત્રોત્યારે,ચિંતામનમાં રહીરહીને થાતી

માગતો હિંમત પરમાત્માથી,નેસાથે રહેવા કહેતો પણ
જ્યા હીંમત દેતા જલારામ,ત્યાં સફળ કામ કરુ હુ ત્રણ

ના જગમાં છે કોઇ કામ કે જે,હું પુરુ નથી કરીશકવાનો
શ્રધ્ધારાખી મનથી કરતાં,ના કામ કોઇ અટકી રહેવાનું

આધાર જ્યાં તુ શોધે જગે,ના સાથ તને કોઇ મળવાનો
મક્કમ મનથી વળગી રહીશતો,અંતે જરુર તું જીતવાનો

રાખજેપ્રેમ ને રાખજે હેત,મનથી કરજે તારા કામ અનેક
સફળતાના સોપાને જોતા સૌ, નિશ્ચય કરશે મનથી હેત

****************************************************

સર્જનહાર Sunday, Jun 8 2008 

                        સર્જનહાર
તાઃ૮/૬/૨૦૦૮                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

સકળ વિશ્વના સર્જનહારને વંદુ વારંવાર
             જગમાં જેનો મહીમા ને લીલા છે અપરંપાર
વાણી,વર્તન,વિચારનો સૃષ્ટિમાં નહીપાર
             પરમાત્માની કૃપા થતાં ના લાગે જગે વાર
તારી લીલા અપરંપાર ઓ સર્જનહાર તારી કૃપાનો નહીં પાર

ડગમગ ડોલતી નૈયા જ્યારે કિનારે ભટકાશે
             આશા હૈયે એક હશે જે ભક્તિએ અટવાશે
લગનીમનથી પ્રભુ ભક્તિની શાન્તિમનેદેશે
             કૃપા જલારામની ને લગની સાંઇની રહેશે
તારી લીલા અપરંપાર ઓ સર્જનહાર તારી કૃપાનો નહીં પાર

રટણ પ્રભુનું ને કર્મજગતનું જીવનેતો બંધાશે
             નાઆરો અવનીપર જ્યાં જન્મતને દેવાશે
સાંજ સવારની વિટંમણામાં જીવ આ ભટકાશે
             પ્રભુપ્રેમની સીડી મળતાં જીવના અટવાશે
તારી લીલા અપરંપાર ઓ સર્જનહાર તારી કૃપાનો નહીં પાર

=====================================

મારા પિતાજી ( My વ્હાલા Dad) Saturday, Jun 7 2008 

  pappa-dipal.jpg pitaji.jpg  

                    મારા પિતાજી ( My વ્હાલા Dad)
૨૮/૫/૨૦૦૮                                                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

                    અચાનક એક પત્થર આવી કપાળે અથડાયો તેમના શરીરનું બેલેન્સ ના રહ્યું અને તે જમીન પર ઉંધા પડી ગયા, કપાળમાં વાગ્યું હોવાને કારણે લોહી નીકળતું હતું. મે મારી આંખોથી આ જોયુ પણ હું કાંઇ જ ના કરી શકુ તેમ હતું. ગામના સાર્વજનીક મેદાન પર અમે રમતા હતા તે દરમ્યાન સામેની ટીમના એક મારવાડીના છોકરાને ખોટી રીતે નાની બાબતમાં ઉશ્કેરાઇ જઇ ઝગડો કરતા અમે ચારપાંચ ભાઇબંધોએ ગડદાપાટુ અને સોટીઓથી ખુબ માર્યો જે છટકીને તેના ઘેર નાસી ગયો. રવિવારની સવારમાં દસના આરસામાં અમે બધા રમતા હતા ત્યારે આ બનાવ બન્યો હતો.અમેતેને મારીને ઘેર દોડી આવ્યા. આની જાણ ઘરમાં કોઇને કરી ન હતી. હું ઘરમાં કાંઇજ કહ્યા વગર સીધો ચુપ હતો. ત્યાં અચાનક બુમ બરાડાને અવાજ સંભળાતા ધીમે રહી બહાર ડોકાતા પેલા મારવાડી છોકરાએ મારી તરફ આંગળી ચીધી કહે પેલો રહ્યો અને હું સંતાવા ઘરમાં દોડ્યો ત્યાં મારા પિતાજી બહાર જોવા આવતા કંઇ બોલે તે પહેલાં એક નાનો પત્થર સીધો કપાળે વાગ્યો. મારા પિતાને મેં પડતા જોયા પણ ……
                     મારા સ્કુલના દિવસો મને આજે પણ યાદ આવે છે. હાઇસ્કુલના દિવસોમાં ભણવાનું થોડું અને રમવાનું વધારે હતું. ભણવામાં ભલે હું થોડો પાછળ હતો પણ ભાઇબંધોમાં વધારે ગુંથાઇ રહેવુ, ખાવાના સમયે ના ખાવું અને પછી મોડા આવી દાદાગીરી કરવી આ મારો રોજીંદો કાર્યક્રમ બની ગયો હતો.ઘણી વાર મારા માતા મને કહેતા બેટા રમવામાં સમય બગાડ્યા કરતાં તું કાંઇક શીખીશ તો તું આગળ આવીશ અને તારા પિતાજીને પણ આનંદ થશે કે મારો પ્રદીપ હોશિયાર થાય છે અને ડાહ્યો પણ. સ્કુલમાં હું લેશન ના લઇ ગયો હોઉ ત્યારે સાહેબ મને સહીં કરાવા કાગળ આપે તે હું તેમને ના બતાવું અને મારી મમ્મીને સહી કરવા કહું અને તે મારા પિતાજી વતી સહી કરી અને લખે પ્રદીપના પિતાજી બહાર ગામ ગયા છે તેથી હુ સહી કરું છું.થોડા ઘરના કામને કારણે તે લેશન કરી શક્યો નથી તો તેને માફ કરશોજી.
                       મારા પિતાજી અમદાવાદમાં જ્યારે ભણતા હતા ત્યારે ગુજરાત કૉલેજમાં હૉકી ટીમના કેપ્ટન હતા.તેઓ જ્યારે મહારાષ્ટમાં રમવાગયેલા ત્યારે ગુજરાતની ટીમ તે મેંચ જીતીને આવી હતી. એટલે મારા પિતાજી શરીરે ખડતલ હતા. રમતગમતમાં અને ભણવામાં આગળ હતા.આને કારણે અમે બધા જ ભાઇઓ શરીરે ખડતલ. હું પણ ગુજરાત રાજ્યમાં દોડ, ઉંચો કુદકો અને ક્રીકેટમાં ઓલ રાઉન્ડર હતો. આમ મારા પિતાજી એ અમારા જીવનમાં સર્વસ્વ છે. મારા શોખને કારાણે હું કૉલેજમાં કે જાહેરમાં કાર્યક્રમ કરુ તે તેમને ગમતુ નહીં.કારણ ભણવામાં ઓછુ ધ્યાન અપાય તેથી તે ધણી વખત પ્રેક્ટીસમાંથી મોડો ઘેર આવું તો મને વઢે. મારી બા ત્યારે ઉપરાણું પણ લે. એક વખત ટાઉનહોલ માં જાહેર કાર્યક્રમ હતો તેમાં આખા ભરાયેલ હૉલમાં ફીલ્મી કલાકારોને લઇને કાર્યક્રમ નિયામક તરીકે બધાની ઓળખાણ આપી અને બધાની સાથે મારું પણ સન્માન થયું જે વખતે મારા માતાપિતા અને ભાઇ પ્રેક્ષક તરીકે મે વિનંતી કરી હતી તેથી હોલમાં બેઠા હતા. આ પ્રસંગ પછી મારા પિતાએ મને જાહેર પ્રોગ્રામો માટે કદી રોક્યો નથી કારણ તેમણે જોયુ કે હું મારામાં રહેલી કલાનો વિકાસ કરુ છું.
                    મારા પિતા એ મારે માટે સર્વસ્વ છે કારણ તેમણે મને સંસ્કાર, સ્નેહ, ભક્તિ અને પ્રેમ આપ્યા છે જે મારા જીવનના પાયામાં છે. જે મારા ઉન્નતજીવનની છત્રછાયા છે. હું મારા પિતાને હંમેશા વંદન કર છુ અને આજે પણ જ્યારે ફોન કરુ ત્યારે સૌથી પ્રથમ જય જલારામ કહુ છું.કારણ મારા માતાપિતાએ આપેલ સંસ્કારથી મને ભક્તિ મળી અને પું જલારામ બાપા જેવા સંસારી સંતની કૃપા અને સહવાસથી મારું જીવન ભક્તિ અને માનવતાથી મહેંકી રહ્યુ છે તેમ લાગે છે.

               ******************************************************************

મનન. Saturday, Jun 7 2008 

                       મનન.
તાઃ૭/૬/૨૦૦૮                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

એક હાથમાં તલવાર ને બીજા હાથમાં ફુલ
એક કરે દેહને અને બીજુ કરે હૈયા ડુલ.

વાણીમાં રહેલા છે બે ગુણ
એક વરસાવે હેત બીજે છે અવગુણ.

ગંધમાં સમાયા છે બે ગુણ
એક ટાઢક હૈયે દે બીજી ભગાવે દુર.

કલમ કરે જગતમાં બે કામ
એક લગાવે પ્રીત બીજી હૈયામાં દુખ.

સંતાનના બે સ્વરુપ
એકથી માયા પામે બીજાથી પામે ત્રાસ.

મુક્તિ પામવાની બે રીત
એક દેહ પાવન થાય બીજો છુટકારો થાય.

ભક્તિના બે રુપ છે
એક સંસારી ભક્તિ ને બીજી સંતની ભક્તિ.

કોઇપણ વસ્તુ મેળવવાની બે રીત છે
એક તમારી લાયકાત બીજો પુરુષાર્થ.

લાગણીના બે સ્વરુપ
એક ભારતીય અને બીજી અમેરિકન.

——————————————–—-

ભીખ Friday, Jun 6 2008 

                               ભીખ

તાઃ૬/૬/૨૦૦૮                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

સૂષ્ટિની છે અકળ લીલા ના જગમાં સમજે કોઇ
           દાન દે પૈસાનું ને માને જગમાં હું જગતનો દાની
વાણીની ના કીંમત જગે અભિમાનમાં વહ્યા કરે
          ભીખ મળી છે દાનવીરને ના જગે કોઇએ છે જાણી
ભીખ માગતો હું પ્રભુથી,કરજો આત્માનુ કલ્યાણ
           સંત સમાગમ શોધતો, હું કાયમ ભક્તિ કરવા કાજ
દાન દેવા ઉભેલ દાનવીર,ક્યાંથી લાવ્યો આ મુડી
           ચુસી લીધા ગરીબ  ગુરબા, ને બેંકથી લીધી ભીખ
નીતિ ને જ્યાં મુકી બાજુએ,ત્યાં ભરી તિજોરી પૈસે
          લોન બેંકથી મેળવી લીધી ત્યાં બની બેઠોએ તાત
ભીખ જગતમાં સૌમાગે છે માગવાની છે રીતઅનેક
           ભક્તો માગે ભીખ પ્રભુથી ને માણસ માગે તમથી
અજ્ઞાની ના ભંડાર ભરેલા ના પડે જગમાંતેની ખોટ
          મુક્તિ મળતાજીવને નાલઇ ફરવું પડે જેમાગે ભીખ

???????????????????????????????????????????????

ઉગતી ઉષાએ Friday, Jun 6 2008 

                  ઉગતી ઉષાએ

ટમટમતા આ તારલીયા તો ત્યજી ગયા આકાશને
માનવ મનને,  સર્જન કાજે,  પ્રેરે નવા પ્રભાતને
                                                ….ટમટમતા આ
ઉગતા સુરજની સાક્ષીએ…(૨)  મળતા મનડા રોજે રોજ
વહેતી ધારા ઝરણાની…(૨)   ને કલરવ કરતા હૈયા થોક
તાત જગતનો પ્રેરે માનવને સોનેરી કિરણો સુરજના છેક.
                                                       ….ટમટમતા આ
વાદળ હાલ્યા લેવા વિસામો.(૨)સાંજે આવે તાજામાજા
મોર ટહુકો દેતો જાય….(૨)ને કોયલ કુહુ કુહુ છે કરતી
એક તરસ છે માનવ હૈયે, વરસે જગમા  અમૃતધારા
                                                     …..ટમટમતા આ
લીલા તારી કળી શકુના.(૨)મનથી તારુ રટણ કરુ હુ
પામર મારો દેહ ભલે આ.(૨)પ્રેમથી પ્રભુનમન કરુ હુ
અંતે આવજો લેવા કાજે , દેહ પડે જ્યા ધરતી કાજે
                                                      ….ટમટમતા આ
              xxxxxxxxxxxxxxxxxx

 

 

                                                                    

નંદકિશોર. Friday, Jun 6 2008 

                               નંદકિશોર
તાઃ૧૩/૭/૧૯૭૫                               પ્રદીપ બ્રહ્મભટ્ટ
                          (ઢાળઃ દાદા હો દીકરી)  

નંદકિશોર ,છેલ છોગાળા
કાના ઓ કાના,તું ક્યાં છે વ્હાલા.
                                 ….. નંદકિશોર, મુરલીવાળો.

જશોદાના જાયા, છોડાવી તેંતો, જગને રે માયા
બાળ કનૈયો,મનમાં વસેલો,જળથળમાં,મને એ મળતો..(૨)
                                                    …નંદકિશોર.

ગોપીઓના ગોવિંદ, ગાયોમાં તેતો, પ્રીતી રેલાવી
પ્રીતે વગાડે, બંસી મઝાની, વીસરે એ ક્યારે મનથી રે..(૨)
                                                    …નંદકિશોર.

કેડમાં કંદોરો, હાથમાં છે લીધો, લીધો ડંગોરો
ગોવાળો આવે,કાનડાની કને,ગોપીઓના ગુંજન સાથ રે..(૨)
                                                     …નંદકિશોર્.

                ****************

જન્મદીન છે આજે Thursday, Jun 5 2008 

                    જન્મદીન છે આજે
              જન્મ તાઃ૫/૬/૧૯૪૯ આણંદ.
તાઃ૫/૬/૨૦૦૮                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

આજનો દીન લાગે મસ્ત છે,મન ઉમંગથી જાણે વ્યસ્ત છે
સાથ સથવારથી આવે આનંદ છે, લાગી પ્રીતને સુગંધ છે

કહીદઉ આપને પ્રેમેસાંભળો,છે આજનોદીન મારોજન્મદીન
પગે લાગ્યો જલારામને,કહું છુ તમને મારાજીવનમાંરંગ છે
સમાગમ સંતનો ને પ્રેમે ભજતો, સદા જલાસાંઇમાં મન છે

આવી આંગણે પ્રેમે પોકારજો, ને સ્નેહ સાથે ઉમંગે હરખાશો
મળશે હેત ને માનવપ્રેમ,નાખોટ તમને અહીં સુખે સજાવશે
સુખસાગરના  આવી કિનારે, મળશે  સ્નેહ ને મનડું  ઉભરાશે

જન્મદીન તો જરુર લાગશે, જ્યાં હૈયે હેત સગા લઇ આવશે
રવિને હૈયે પપ્પાનો પ્રેમ,ને દીપલનિશીતની માયામાંહેત
રમાનો સથવાર જીંદગીથી, જીવન ઉજ્વળ જલા ભક્તિથી

%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

જય જય સીતારામ Wednesday, Jun 4 2008 

                     જય જય સીતારામ
તાઃ૪/૬/૨૦૦૮                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

જય જય રામ જય સીયારામ,ભક્તો બોલો જય જય જલારામ
ઉઠતા બોલો જય જય રામ, પોઢતા સાંજે બોલો જય જલારામ

સુંદર મોહક પ્રભુનુ રુપ, અનંતકોટી બ્રહ્માંડના છે નાથ અદભુત
અંતરમાં લઇ એક જ આશ, રટણ કરી લઉ પરમાત્માનું આજ

દયા કૃપાએ શ્રધ્ધા સાથ,મળે જીવનમાં જ્યાં ભક્તિની છે લાજ
રામ શ્યામની લગની આજ,ભવસાગરના બંધન ના લાગે સાથ

કરુણાનિધાનની છે કરુણા અપાર,ના જીવનમાં તેની કોઇ ખોટ
લાગશે જીવન વણકલપ્યુ છેક,જ્યાં જલારામને સાથે સીતારામ

માયા વળગી જ્યાં જન્મ મળ્યો,મળી જીવનને ઝંઝટ જાણેઅનેક
ના છુટશે કે કોઇ  છોડાવે, જે મળે જીવને  જન્મ મળે વળગે છેક

કુદરતના આ અનંત રુપ, જાણી છોડજો મોહ ને કરજો હૈયાથી દુર
ના રાખજો માયાનો કોઇ લોભ, કરજો અંતરમાં કાયમ પ્રભુનો મોહ

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

સંતનું આગમન Monday, Jun 2 2008 

  

                       સંતનું આગમન
૨/૬/૨૦૦૮                                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિમાં છે એ શક્તિ,જે બીજે ક્યાંય નથી
                      જલાસાંઇની એ ભક્તિ,જે જગમાં ક્યાંય નથી
પ્રેમભક્તિમાં મળતી પ્રીત,જે શોધે મળે નહીં
                     અનંતઆનંદ હૈયે થાય,જે સદા ભક્તિથી થાય
સુખદુઃખની વ્યાધી જાય,જે સાચી સેવાથી થાય
                     આંગણું આજેપાવનથાય,જ્યાં સંત આવ્યા દ્વાર
સહજાનંદનું સ્મરણ થાય,હૈયે ટાઢક થતી જાય
                     જીવની ઝંઝટ ટળતી જાય,જ્યાં પ્રેમેભક્તિથાય
નિર્મળ મન ને નિર્મળ તન,સંત પધારે જોઇ મન
                         આંગણું પાવન થતું થાય જે ભક્તિમાં ન્હાય
લાઠીદળથી સ્વામી શાન્તિપ્રસાદ,પધાર્યા દ્વારે આજ
                    શક્તિ ભક્તિની ના કળાય જે મનાય અપરંપાર
મુક્તિ જીવને મળતી જાય,જે જીવન તરસે આજ
                     મનથી સાચીભક્તિ થાય,જ્યાંપ્રેમસ્નેહ સદાવહે
પામી કૃપા આ પામર જીવ,પામશે શક્તિ મુક્તિની
                     પ્રદીપ રમાના હૈયે હેત,લાવ્યુ જલાસાંઇથીપ્રીત
સદા સંતનો સહવાસ, જે લાવ્યો ભક્તિમાં ઉજાસ
                        નિરખી અનંતઆનંદ થાય,મનડુ સદાહરખાય

#########################################