સંતનું આગમન
૨/૬/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તિમાં છે એ શક્તિ,જે બીજે ક્યાંય નથી
જલાસાંઇની એ ભક્તિ,જે જગમાં ક્યાંય નથી
પ્રેમભક્તિમાં મળતી પ્રીત,જે શોધે મળે નહીં
અનંતઆનંદ હૈયે થાય,જે સદા ભક્તિથી થાય
સુખદુઃખની વ્યાધી જાય,જે સાચી સેવાથી થાય
આંગણું આજેપાવનથાય,જ્યાં સંત આવ્યા દ્વાર
સહજાનંદનું સ્મરણ થાય,હૈયે ટાઢક થતી જાય
જીવની ઝંઝટ ટળતી જાય,જ્યાં પ્રેમેભક્તિથાય
નિર્મળ મન ને નિર્મળ તન,સંત પધારે જોઇ મન
આંગણું પાવન થતું થાય જે ભક્તિમાં ન્હાય
લાઠીદળથી સ્વામી શાન્તિપ્રસાદ,પધાર્યા દ્વારે આજ
શક્તિ ભક્તિની ના કળાય જે મનાય અપરંપાર
મુક્તિ જીવને મળતી જાય,જે જીવન તરસે આજ
મનથી સાચીભક્તિ થાય,જ્યાંપ્રેમસ્નેહ સદાવહે
પામી કૃપા આ પામર જીવ,પામશે શક્તિ મુક્તિની
પ્રદીપ રમાના હૈયે હેત,લાવ્યુ જલાસાંઇથીપ્રીત
સદા સંતનો સહવાસ, જે લાવ્યો ભક્તિમાં ઉજાસ
નિરખી અનંતઆનંદ થાય,મનડુ સદાહરખાય
#########################################
Filed under: પ્રાસંગિક કાવ્યો
