ગુજરાતી સાહિત્ય સરીતા

            ગુજરાતી
                              સાહિત્ય
                                               સરિતા

 તાઃ૨૦/૪/૨૦૦૯                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગુ     ગુજરાતીઓ આખા જગતમાં પ્રસરેલા છે.
     જગતની શાનમાં ગુજરાતીઓના નામ છે.
રા     રાખે શ્રધ્ધા અને કરે મહેનત તે ગુજરાતી.
તી    તીર્થસ્થાનને પવિત્ર રાખવુ તે ગુજરાતીઓમાં સંસ્કાર છે.

સા    સાહસ કરવુ એ ગુજરાતીઓની ગળથુથીમાં છે.
હિ     હીંમત રાખી જીવન જીવે તે ગુજરાતી.
ત્ય    ત્યજેલ માર્ગને ભુલી જવું તે ગુજરાતીઓની શાન છે.

     સમયને પારખી સફળતા મેળવે તે સાચો ગુજરાતી.
રી     રીતરિવાજમાં ગુજરાતીઓ જગતમાં મોખરે છે.
તા    તારણહાર ફક્ત પરમાત્મા જ છે તે સાચી સમજ ગુજરાતીઓમાં જ છે. 

       હ્યુસ્ટનના મારા ગુજરાતી સાહિત્ય સરિતાના પ્રભાવશાળી અને ઉચ્ચકક્ષાના
લેખકોની કદર રુપે ઉપરોક્ત લખાણ પ્રેમ સહિત અર્પણ. પ્રદીપ બ્રહ્મભટ્ટ

Leave a Reply

You must be logged in to post a comment.