શીતળતા
તાઃ૨૩/૧/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
લીધી કેડી જીવનમાં,જ્યાં પ્રેમ સાચો મળીજાય
નિર્મળ રાહને મેળવી લેતાં,જીવન શીતળ થાય
. ……………લીધી કેડી જીવનમાં.
ઉજ્વળ જીવન સગે લેતાં,મોહમાયા ભાગી જાય
શીતળતાનો સાથ મળતાં,આધીવ્યાધી દુર જાય
એક કેડી જીવનમાં એ છે,જે ભળતરથી મેળવાય
શ્રધ્ધા રાખી મહેનત કરતાં,દેહને રાહ મળી જાય
. …………….લીધી કેડી જીવનમાં.
લાગણીમોહને દુર કરતાં,સાચા સંસ્કારને સચવાય
વડીલને વંદન મનથી કરતાં,આશીર્વાદ મળી જાય
ભક્તિનોસંગ મનથી મેળવતાં,ઘર પવિત્ર થઈ જાય
સાચી કૃપા પામવા કાજે,પ્રભુની માળા મનથી થાય
. ……………..લીધી કેડી જીવનમાં.
++++++++++++++++++++++++++++++++++++++
Filed under: ભક્તિ કાવ્યો

[...] પ્રદીપની કલમે [...]