ભક્તિ કાવ્યો
Pradip Brahmbhatt
2:54 pm
નજર પ્રભુની
તાઃ૧/૭/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
એક નજર જો પડે પ્રભુની, મુક્તિ જ જીવની થાય
સ્નેહ, પ્રેમની અભિલાષામાં,જન્મ સફળ થઇ જાય
. ………જીવ ભક્તિએ હરખાય.
કુદરતનો અણસાર મળે,ને થાય ભક્તિનો સંગાથ
પામર દેહનહીં રહે આ,ઉજ્વળ સેવાથી થઇ જાય
………જીવ ભક્તિએ હરખાય.
કામક્રોધનીલાલસા ઘટતી,ને ભાવનાવધતીજાય
મનમંદીરના બારણે આવે, પૃથ્વી તણા ભરથાર
………જીવ ભક્તિએ હરખાય.
લાગણી મિથ્યા લોભે મળતી,ના મળે અણસાર
જલાસાંઇની ભક્તિ નીર્મળ, જગને મળતી જાય
………જીવ ભક્તિએ હરખાય.
દેહ થકી આ જન્મ સફળ, પ્રભુ સ્મરણથી થાય
આખર માનવ દેહ જ છે,જે મુક્તિ તણું છે દ્વાર
………..જીવ ભક્તિએ હરખાય.
કર્મનો જ્યાં મર્મ સમજાયો, માનવ મુક્તિ પામે
જન્મ અજ્ન્મ થઇ જતાં,જીવ પૃથ્વીએ ના આવે
. ……….જીવ ભક્તિએ હરખાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++
No Responses »
ભક્તિ કાવ્યો
Pradip Brahmbhatt
4:18 pm
શ્યામ ઓ રાધેશ્યામ.
તાઃ૧૪/૬/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્યામ ઓ રાધેશ્યામ, મારી છે કામના
અંતરમાં હેત રહે,મનમાં ઉમંગ રહે
ભક્તિંમાં ભાવ રહે,હૈયામાં પ્રેમ રહે
……શ્યામ ઓ રાધેશ્યામ.
કીર્તન હું કરતો તારા,મનથી છેલગનીતારી
માગું હું ભક્તિ તારી, લેજે આજીવને ઉગારી
માયાની સીડીને તું, કરજે જીવનથી અળગી
દેજે જીવનમાં મને,ભક્તિની લગની લગાડી
…….શ્યામ ઓ રાધેશ્યામ.
જન્મને કર્મને માયા,બંધનને તું જ સંભાળજે
અવનીના આગમનને, પ્રભુ કર્મથી બચાવજે
માનવ જીવન ને મારા, સાર્થક તું બનાવજે
વળગેના મોહમને,પ્રીત મારામનડે જગાવજે
…….શ્યામ ઓ રાધેશ્યામ.
રાધાનો છે શ્યામ તુ,નેગોકુળનો છે કાન તું
મારો ઘનશ્યામ તું,ને જીવનઆધારપણ તું
મારો સથવાર તું છે,ને જગતકરતાર છે તું
મનની માયામાં તુંછે,ને ભક્તિમાં તું અમારી
……શ્યામ ઓ રાધેશ્યામ.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
No Responses »
ભક્તિ કાવ્યો
Pradip Brahmbhatt
12:17 pm
રાઘવને રામ
તાઃ૧૨/૬/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
રાઘવને રામ કહું, કાન્હા ને કૃષ્ણ કહું
મનથી હું પ્રભુ ભજુ, બીજુના જાણું કશું
……રાઘવને રામ કહું
અંતરમાં લાગે હેત, મળે જ્યાં પ્રભુ પ્રેમ
લાગે છે જીવન નેક, જલા છે સાથે છેક
……રાઘવને રામ કહું
મળી છે ભક્તિ મને,માબાપે દીધી પ્રેમે
ઉજ્વલછે જીવનદીસે,મળીજે પ્રભુ પ્રીતે
……રાઘવને રામ કહું
સાંભળુ ભક્તિ ગીત, પ્રભુથી લાગે પ્રીત
વંદનહુંમનથીકરતો,ના હુંજીવનથી ડરતો
……રાઘવને રામ કહું
માગું હું મનથી પ્રભુ, શરણે હુ કાયમ રહુ
લાગે ના માયા મોહ, જીવ ને છુટતાં દેહ
…….રાઘવને રામ કહું
મનમાં ના વ્યાધી મને,સાંઇના નામથી
અમર ભક્તોની કૃપા,ભક્તિથી મળી મને
……રાઘવને રામ કહું
**************************************
No Responses »
ભક્તિ કાવ્યો
Pradip Brahmbhatt
8:41 am
પ્રભુથી પ્રીત
તાઃ૧૨/૬/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગમાં સાચી પ્રેમની રીત, ભક્તિમાં જેને છે પ્રીત
રામરામ જે રટ્યા કરે, ઉજ્વળ જીવન તે જીવ્યાકરે
.……..જેને પ્રભુથી છે પ્રીત તેને જીવનમાં ના કોઇ બીક
સંત સમાગમ પ્રેરે પ્રીત,મુક્તિ મેળવવા કરેજે જીદ
નામ સ્મરણ છે સાચી રીત,પ્રભુ પ્રેમમળશે હરદીન
………જેને પ્રભુથી છે પ્રીત તેને જીવનમાં ના કોઇ બીક
માયાના બંધન છે અનેક,જે છુટશે જ્યારેમળશે હેત
દર્શન કરતાં રહેશે રંગ,જગની લીલા ના રહેશે સંગ
……જેને પ્રભુથી છે પ્રીત તેને જીવનમાં ના કોઇ બીક
કાયામાયાની જો જાશે દુર,છે ભક્તિમાંજીવનચકચુર
જલારામની ભક્તિ અદભુત, જાણે તે છે પ્રભુનાદુત
……જેને પ્રભુથી છે પ્રીત તેને જીવનમાં ના કોઇ બીક
મનથીરટણ નેમાળા થાય,તેનું જીવન ઉજ્વળદેખાય
સાંઇબાબાનો છેઅણસાર,પ્રભુનીભક્તિ જગમાંઅપાર
……જેને પ્રભુથી છે પ્રીત તેને જીવનમાં ના કોઇ બીક
…શ્રીરામ શ્રીકૃષ્ણ જયજય રામ જયજય કૃષ્ણ હરેરામ હરેકૃષ્ણ…
No Responses »
ભક્તિ કાવ્યો
Pradip Brahmbhatt
10:13 pm
ભજન
ભક્તિનો એક રંગ
તાઃ૧૦/૬/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભજન છે ભક્તિનો એક રંગ,જે લાવે જીવનમાં ઉમંગ
મળતે જેને હૈયે તેનો સંગ, ના જોઇએ બીજો કોઇ છંદ
…….ભજન છે ભક્તિનો
લગની લાગી મનથી જ્યાં,મનને મળતી શાન્તિ ત્યાં
આવ્યા અવની પર લઇ જન્મ, વળગે કરેલા જે કર્મ
મનને શાન્તિ મળતી જાય, ભક્તિ પ્રેમે વહેતી થાય
…….ભજન છે ભક્તિનો
શ્યામ રામ કે રામ શ્યામ, જલારામ કે સાંઇ રામ
મળે પ્રેમ ને વદે સ્નેહ, ના જીવનમાં કોઇ રહે ભેદ
અંતરમાં ઉભરે આનંદ ને જીવન ઉજ્વળ થતું જાય
……ભજન છે ભક્તિનો
સંત સમાગમ મળ્યા કરે,જગની વ્યાધી ટળ્યા કરે
ના મોહ માયા મમતા રહે,નેજગનો મોહ છુટી જશે
સાચો સંબંધ પરલોકથી, ના આ મિથ્યા જીવન રહે
…….ભજન છે ભક્તિનો
“““““““““““““““““““““““`
No Responses »
નંદકિશોર.
Friday, Jun 6 2008
ભક્તિ કાવ્યો
Pradip Brahmbhatt
12:38 pm
નંદકિશોર
તાઃ૧૩/૭/૧૯૭૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
(ઢાળઃ દાદા હો દીકરી)
નંદકિશોર ,છેલ છોગાળા
કાના ઓ કાના,તું ક્યાં છે વ્હાલા.
….. નંદકિશોર, મુરલીવાળો.
જશોદાના જાયા, છોડાવી તેંતો, જગને રે માયા
બાળ કનૈયો,મનમાં વસેલો,જળથળમાં,મને એ મળતો..(૨)
…નંદકિશોર.
ગોપીઓના ગોવિંદ, ગાયોમાં તેતો, પ્રીતી રેલાવી
પ્રીતે વગાડે, બંસી મઝાની, વીસરે એ ક્યારે મનથી રે..(૨)
…નંદકિશોર.
કેડમાં કંદોરો, હાથમાં છે લીધો, લીધો ડંગોરો
ગોવાળો આવે,કાનડાની કને,ગોપીઓના ગુંજન સાથ રે..(૨)
…નંદકિશોર્.
****************
No Responses »
ભક્તિ કાવ્યો
Pradip Brahmbhatt
5:44 pm
જય જય સીતારામ
તાઃ૪/૬/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જય જય રામ જય સીયારામ,ભક્તો બોલો જય જય જલારામ
ઉઠતા બોલો જય જય રામ, પોઢતા સાંજે બોલો જય જલારામ
સુંદર મોહક પ્રભુનુ રુપ, અનંતકોટી બ્રહ્માંડના છે નાથ અદભુત
અંતરમાં લઇ એક જ આશ, રટણ કરી લઉ પરમાત્માનું આજ
દયા કૃપાએ શ્રધ્ધા સાથ,મળે જીવનમાં જ્યાં ભક્તિની છે લાજ
રામ શ્યામની લગની આજ,ભવસાગરના બંધન ના લાગે સાથ
કરુણાનિધાનની છે કરુણા અપાર,ના જીવનમાં તેની કોઇ ખોટ
લાગશે જીવન વણકલપ્યુ છેક,જ્યાં જલારામને સાથે સીતારામ
માયા વળગી જ્યાં જન્મ મળ્યો,મળી જીવનને ઝંઝટ જાણેઅનેક
ના છુટશે કે કોઇ છોડાવે, જે મળે જીવને જન્મ મળે વળગે છેક
કુદરતના આ અનંત રુપ, જાણી છોડજો મોહ ને કરજો હૈયાથી દુર
ના રાખજો માયાનો કોઇ લોભ, કરજો અંતરમાં કાયમ પ્રભુનો મોહ
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
No Responses »
ભક્તિ કાવ્યો
Pradip Brahmbhatt
1:22 pm
ઓ કરુણાનિધાન
તાઃ૩૧/૫/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અકળ આ અવતારને સાર્થક તું કરનાર
જગતના તારણહાર તારા અનંત છે અવતાર
ના મિથ્યા આ જન્મ મળશે તારો આધાર
તું સર્જનહાર ને તારો સૌ જીવો પર ઉપકાર
…ઓ કરુણાનિધાન ઓ વિશ્વંભર ભગવાન.
માયા લાગી જન્મ મળ્યો જ્યાં જગમાંય
સ્નેહપ્રેમ ના માગે મળતાં નિર્ધન કે ધનવાન
કૃપા પ્રેમ એ ર્સ્પશે તેને હૈયે જ્યાં જલારામ
નમન જગમાં મળશે તેને જેના હ્રદયે સાંઇરામ
…ઓ કરુણાનિધાન ઓ વિશ્વંભર ભગવાન.
આત્માની ઓળખ અજાણ ન કળી કળાય
જ્યાં શ્રધ્ધાનેવિશ્વાસ આત્મા ઉજ્વળથતો જાય
લગનીલાગે મનથી જ્યારે ભક્તિ થતીજાય
શક્તિ એવી છે અનોખી જેની તુલનાના કરાય
…ઓ કરુણાનિધાન ઓ વિશ્વંભર ભગવાન.
ઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁ
No Responses »
ભક્તિ કાવ્યો
Pradip Brahmbhatt
5:18 pm

જલાસાંઇ ને રામ
તાઃ૧૫/૫/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભગવાન ભજી લઉ મનથી,તો થઇ જાય બેડો પાર
જલાસાંઇનો સ્નેહમળે,ઉજ્વળ જીવન પાવન થાય
..રટુ હું જલાસાંઇ ને રામ,રટુ હું જલાસાંઇ ને રામ
રામ નામનું રટણ કરુ, કે સ્મરું હું રાધેશ્યામ
પ્રેમનો સંગ થતાં પ્રભુથી,ના ચિંતા રહે લગાર
જલાબાપાની જ્યોત નેમળેસાંઇબાબાનો પ્રેમ
અનંત કરુણા પ્રભુની મળતાં નહી મળેફરી દેહ
..રટુ હું જલાસાંઇ ને રામ,રટુ હું જલાસાંઇ ને રામ
હાથમાં માળાને જીભે જલારામ,હ્ર્દયે સાંઇબાબા
રહેતા મારી સંગે હરપળ, જ્યારથી લાગી માયાં
માગુ પ્રેમથી ભક્તિ દેજો,ને રહેજો પળપળ પાસે
રમા,રવિ,દીપલને જગમાં,દેજો ઉજ્વળ જીવન
..રટુ હું જલાસાંઇ ને રામ,રટુ હું જલાસાંઇ ને રામ
પાવનજીવન પામતા જગમાં,ના લાગે કહીં મોહ
આનંદ હૈયે રહેતો હમેશાં,જેની જગમાં છે ખોટ
પ્રદીપનો પામર દેહ આ,સદા રહે પ્રભુને ચરણે
મુક્તિ માગતો હરપળ કહેતો લેજો તમારે શરણે
..રટુ હું જલાસાંઇ ને રામ,રટુ હું જલાસાંઇ ને રામ
ઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁ
No Responses »
ભક્તિ કાવ્યો
Pradip Brahmbhatt
4:00 pm

સવાર સોમવારની
૧૯/૫/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સોમવારની સવારમાં, છે સોમેશ્વર હરખાય
આનંદ ઉમંગે હરખાય, ઢોલનગારા જ્યાં છવાય
આરતી કરતાં અંતરમાં, હરહર ભોલે થાય
ડમડમ ડમરુ મૃદંગ ને મંજીરા,તાલે મેળવે તાલ
ભક્ત જનોની ભાવના, ને અંતરના ઉમંગ
દેતા ભક્તોને આનંદ,જે દેતો જીવનમાં એક રંગ
…..આજે સોમવાર ઉજવાય.
માયા મા પાર્વતીની,ને શણગાર્યા વિષધર
ભક્તિનો સંગાથ મળ્યો, ને આધાર છે નાગેશ્વર
અંતરે ઉમંગને સ્નેહમળે,જ્યાં ભક્તિનો છે સંગ
જીવન ઉજ્વળ ચરણેદીસે, સદાહૈયે વસેછે પ્રીત
…..આજે સોમવાર ઉજવાય.
દુધ અર્ચન શીવલીંગે, ને પુષ્પ દીપે છે હાથે
સોહે સુંદર અર્ધચંદ્ર શીરે,ને ત્રિશુલ બીજા હાથે
ગણેશજી ગૌરીમાને ખોળે, ને કંકુ શોભે કપાળે
પ્રદીપ વંદન પ્રેમથી કરતો,સાંજ સવાર બપોરે
…..આજે સોમવાર ઉજવાય.
*****હર હર ભોલે મહાદેવ*****હર હર ભોલે મહાદેવ*****
No Responses »
ભક્તિ કાવ્યો
Pradip Brahmbhatt
10:23 pm
પ્રેમની કેડી
૧૬/૫/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કાનને વાંસળી,જલાને લાકડી
ત્રિશુલે શોભે ભોલેનાથ
પ્રેમથી પોકારતી,ભક્તને શોભાવતી
ત્રણે લોકમાં ભક્તિ અપાર
ઓ જગત આધારી,ઓ સંકટહારી
તારી પ્રેમની કેડી અજાણ
રાધાના સંગમાં પ્રેમના બંધનમાં
રાસ રમાડી માયા જગાડી
દીધો જગમાં ભક્તિનો અણસાર
તેં દીધો ભક્તિનો રણકાર
રામશ્યામની ભક્તિ કીધી
જગ સંસારે લપટાઇ સીધી
મુક્તિ તણા દર્શાવ્યા દ્વાર
જલા તારી ભક્તિછે પુંજાય
સકળ જગતની સૃષ્ટિ હરતા
ઓ ભોલેનાથ પ્રેમના ભંડાર
પ્રેમ ભક્તિનો દીઠો જ્યાં છે
મુક્તિ જીવને મળી ત્યાં છે
ઓ વિષધારી,ઓ ડમરુધારી
ઓ કૃષ્ણમુરારી,ઓમુરલીધારી
ઓ જગતવિહારી,હો અંતરયામી
દો મુક્તિ જીવને બની દયાળુ
—————————————–
One Response »
જીવની ઝંઝટ
Thursday, May 8 2008
ભક્તિ કાવ્યો
Pradip Brahmbhatt
2:32 pm
જીવની ઝંઝટ
૬/૫/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આવો દોડો, ઝંઝટ છોડો, જીવનની અપાર
વળગી માયા,વળગ્યો મોહ,છોડેનહીં પળવાર
અપરંપાર છે માયા એવી,નહીં જેનો કોઇ પાર
મિથ્યા વળગે,જન જીવનમાં,જેની લાલચ છે અપાર
જીવને લાલચ છે અપાર
પ્રેમ જગતમાં,માગે ના મળતો,સ્નેહ દીસે જગમાંય
કાચી કાયા લોભાઇ જાશે તો નહીં જીવનમાં ઉજાસ
એક પ્રેમની આશ જગતમાં, જીવને લાગે જેની ખોટ
ભક્તિ પ્રેમની,સીડી મળે તો,ઉજ્વળ જગજીવન છેક
પ્રદીપ દેતો એક અણસાર,સાચો પ્રેમ પ્રભુથી કરજો
માનવ માત્ર એક જ જન્મે, ઝંઝટ છોડશે આ અપાર
જેની લાલચ અપરંપાર.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
One Response »
ભક્તિ કાવ્યો
Pradip Brahmbhatt
7:07 pm
ભક્તિનીશક્તિ
તાઃ૬/૫/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળતી જેને શક્તિ ભક્તિની,સ્નેહ દીસે તે જગમાં
મનમાં ના કોઇ વ્યાધી તેને, ના ચિંતા ભઇ તેને
આવો મિત્રો સૌની સંગે,લઇએ આજે લ્હાવો
…ભઇ લઇએ આજે લ્હાવો.
માળા લીધી જ્યારે હાથમાં, સ્મરણ પ્રભુનુ રહેતું
મનની છુટી મિથ્યા માયા,નામોહ રહ્યાછે સ્પર્શી
આંગણે આવેલાની સેવા,મનથીમાની લઇએ
…ભઇ મનથીમાની લઇએ.
તારુંમારું જાણી મેં લીધું,રહી ના હવેકોઇ વ્યાધી
આધી વ્યાધીની સૌ ઉપાધી,ભક્ત્ જલાથી છુટી
માગવી તારે જીવન મુક્તિ,ભક્તિ કરવીભાવે
…ભઇ ભક્તિ કરવીભાવે.
એકજીવ ને અનેક સ્વરુપ,તોય કર્મનાબંધન લાગે
લાલચ છુટીને કામના તુટશે,નમતા પ્રભુના ચરણે
માનવ જન્મ મહેંકીરહેશે,રોજ નમે તુ શીવને
…ભઇરોજ નમે તુ શીવને.
+++++++++++++++++++++++++++++++++++++++++++++
One Response »
ભક્તિ કાવ્યો
Pradip Brahmbhatt
10:02 am

ભક્તિનો પોકાર
તાઃ૧/૫/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્ત તણા ભક્તિના પોકાર, સ્નેહે સુણજો વારંવાર
દેજો પ્રેમ તણો સથવાર, રાખી હૈયે અમારે હામ
ઓ ત્રિપુરારી, ઓ ગિરધારી, ઓ મોહન વનમાળી
તારીઅગણીત લીલા અપાર,ને માયાનો નહીં પાર
દિનરાત મને લાગે ન્યારા, કરુ સ્મરણ સાંજ સવાર
ઓ અંતરયામી,ઓ ભોલેશંકર,છે ડમરુ ડમડમ વાગે
મુક્તિની માયા લાગી આ દેહે, જીવ બંધાણો તમથી
ભક્તિ મળે જ્યાં પ્રેમે તુજને, હૈયે હામ મળે છે ત્યારે
ઓ સીતારામ,ઓ રાધેશ્યામ,ઓ લક્ષ્મીનારાયણદેવ
જીવન જીવવા પ્રેમેપુકાર ઝાલી હાથ અમારો લેજો
સંત સમાગમ સ્નેહે મલેને ઉજ્વળ આ દેહને કરજો
ઓદ્વારકાધીશ,ઓવ્રજવિહારી,રાસ અમો સંગ રમજો
મા માયા તારી ભોલે સંગે, ઑમ નમઃશિવાય જપુ
ડમરુનાનાદે મનડોલતુ આજે,પ્રેમથી મા હું રટણ કરું
ઓ સાંઇબાબા,ઓ જલાબાપા,પ્રેમે પ્રદીપ સ્મરણકરે.
====================================
No Responses »
ભક્તિ કાવ્યો
Pradip Brahmbhatt
1:19 pm
પ્રેમની ભક્તિ
તાઃ૧૯-૪-૨૦૦૮ પ્રદિપ બ્રહ્મભટ્ટ
પ્રેમની પિચકારી એ હૈયુ હરખાઇ જાય
આંખોના અણસારમાં જીવન હોમાઇ જાય
સંબંધના સહવાસમાં સ્નેહ ઉભરાઇ જાય
ભક્તિના ગુમગાનમાં મુક્તિ મળી જાય
કુદરત કેરા પ્રેમમાં દુનીયા ભુલાઇ જાય
સંસાર જેના આંગણે શ્રીહરિ વિસરી જાય
સગપણ સાચુ સ્નેહથી સૌને મળતું જાય
વળગી ચાલે તેને જે જીવન હોમાઇ જાય
માયાજીવન કર્મતણા બંધનેચાલતુ જાય
પ્રેમપ્રભુનો મળતાજીવનેમુક્તિમળી જાય
પ્રદીપરમારવિને પ્રેમ જલારામથી થાય
અંતરમાંઆનંદઉભરાયનેપ્રેમમળતો જાય
નાચિંતા સંસારની જ્યાં ભક્તિ સાચી જાય
વ્યાધિ નશ્વરદેહની મનથી નીકળી જાય
કુદરતની આઅકળલીલા જીવનેવળગીજાય
માનવમહેરામણ જગમાંબધેપ્રસરી જાય
—————————————-
One Response »
ભક્તિ કાવ્યો
Pradip Brahmbhatt
3:36 pm
રામની માયા
તાઃ૧૭-૩-૦૮ અમદાવાદ સોમવાર
રામની માયા લાગીમને ભઇ,કામ નથી કોઇ બીજુ
જીવતા જન્મ સફળ કરવાનું, વચન લઇ મેં લીધું
……ભઇ રામની માયા
કાજળજેવી રાત હતી જ્યાં,સુરજ ઉગતાં કિલ્લોલ થયો
મનમાં રામશ્યામનું રટણ થતાં,મુક્તિનો સંદેશ મળ્યો
……ભઇ રામની માયા
તારલીયા ટમટમતાં જોઇને, વ્યાકુળ મનડું ફરતું ઘણુ
ટહુકાર થયોજ્યાં કોયલનો,આકાશે અજવાળુંચોમેર થયું
……ભઇ રામની માયા
ભક્તિમાં જ્યાંપ્રદીપ મુંઝાયો,રમા તણો સથવાર મળ્યો
દીપલનિશીતનોપ્રેમ જોતાં,ભાઇ રવિએજલાનોઅણસારદીઠો.
……ભઇ રામની માયા
——————————————–
No Responses »
ભક્તિ કાવ્યો
Pradip Brahmbhatt
4:05 am
કૃષ્ણ શ્યામ
તાઃ૪/૩/૨૦૦૮ આણંદ પ્રદીપ બ્રહ્મભટ્ટ
રાધેકૃષ્ણ રાધેશ્યામ, હરેકૃષ્ણ હરેરામ
મનથી કાનને કહ્યા કરું,જીવન ઉજ્વળ કરું અહીં
….રાધે રાધે રટ્યા કરું.
તનથી કર્મને વળગી રહું, સદા આપને શરણે રહું
ભક્તિ મુજને મળે અહીં,માગુ તુજથી કાંઇ બીજુ નહીં
માયા લાગે ભક્તિ તણી,જીવ આ માગે મુક્તિ અહીં
કરજો પાવન મુજ જીવનને,સદારાખજો તુજચરણનમાં
….રાધે રાધે રટ્યા કરું.
લાગી માયા શ્યામ તણી, બીજી કોઇની માયા નહીં
રાધેશ્યામ રાધેશ્યામ, ઉજ્વળ જીવન પાવન નામ
પકડીહાથ પ્રદીપપામરનો,કરજો ઉજ્વળરમાનુંજીવન
રવિને દેજો તેજજીવનમાં,દીપલને દેજોપ્રેમનિશીતનો
….રાધે રાધે રટ્યા કરું.
આંગળી પકડી દેજો સહારો,ના જગતમાં બીજો આરો
લાગણીપ્રેમને માયાનાવળગે,દેજો મુક્તિઅમજીવનને
જીવને શીવની માયા સાચી,બીજીજીવનમાં લાગેફીકી
આગળ રહેજો સાથે રહેજો, દરેક પળમાં ટેકો દેજો
….રાધે રાધે રટ્યા કરું.
##########################################
One Response »
ભક્તિ કાવ્યો
Pradip Brahmbhatt
4:17 pm
બોલો જય જલારામ
૯/૧/૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જય જલારામ,જય જલારામ,જય જલારામ બોલો જય જલારામ
જય જલારામ,જય જલારામ,જય જલારામ બાપા જય જલારામ
વિરપુરવાસી જય જલારામ, બાપા વિરપુરવાળા જય જલારામ
…….બોલો જય જલારામ બાપા.
આરતી ઉતારુ બાપા હૈયેરાખી,પ્રેમેપુકારુ બાપા સ્નેહે સ્વીકારજો
લેજો સ્વીકારી બાપા બાળ તમારા જાણી, હેતે મુક્તિ દેજો દેહને
થાય અમોને આનંદ અનેરો,લેજો પાવન ભક્તિ ઓ જલાબાપા
……જય જલારામ,જય જલારામ.
વીરબાઇ મા તમે હેતવરસાવી, મુક્તિ કાજે સેવા સ્વીકારજો
દેજો પાવન ભક્તિ અમોને,સંગે માડી રહેજો ભક્તિ સથવારે
બાળ અમે તો ભક્તિ પંથે, દોરજો મુક્તિ દ્વારે ઓ વ્હાલાબાપા
……જય જલારામ,જય જલારામ.
દુઃખીયોના બેલી તમો ,ને ભક્તોના વ્હાલા પરવરદીગાર છો
વંદન છે ચરણે તમારા બાપા,કોટી કોટી સ્વીકારો અમારા
સંસારસાગર જકડી રહ્યોછે,હાથ ઝાલી પ્રદીપને ઉગારો બાપા
……જય જલારામ,જય જલારામ.
——-જય શ્રી રામ……બોલો જય જલારામ……જય શ્રી રામ——
જગતમાં સંસારમાં રહી પરમાત્માને જેણે મેળવ્યા છે તે સંસારી સંત
પુજ્ય જલારામ બાપાની ભક્તિના આધારે પરમાત્માની કૃપાને પાત્ર
થવાના એક ઉત્તમ માર્ગ તરીકે તેમને પ્રાર્થનારુપે આ કાવ્ય અર્પણ.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા પરિવાર,હ્યુસ્ટન
No Responses »
ઓ ડમરુધારી
Thursday, Dec 27 2007
ભક્તિ કાવ્યો
Pradip Brahmbhatt
5:43 pm
ઓ ડમરુધારી
તાઃ૨૭/૧૨/૦૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઓ ભોલે ઓ ભોલે ઓ ભોલેશંકર
જગ બોલે જગ બોલે જગ બોલે ચંદ્રેશ્વર
……ઓ ભોલે…
વિષ ધરીને વિષધર બન્યા, ને ડમરુ ધરી ડમરુધારી
લાગી માયા પ્રદીપને જ્યારે,કરી અળગી માયા ત્યારે
ઓ દયાનિધાન, ઓ પરમ કૃપાળુ, ભક્તિથી લો જકડી
દો ભાવ ભક્તિનો, કરો માર્ગ મુક્તિનો, ઓ ભોલે સોમેશ્વર
……ઓ ભોલે…
માયાલાગી મને ત્યારથી,જન્મમરણ હું સમજ્યો જ્યારથી
સ્મરણ કરું ને રટણ કરું, પળ ના બની મિથ્યા ત્યારથી
ઓ મુક્તિ દાતા, ઓ કૈલાસ વાસી,સૃષ્ટિ તણા અવિનાશી
લો હાથ ઝાલી,લો કુટુંબ ઉગારી, ઓ પાર્વતીપતિ પરમેશ્વર
……ઓ ભોલે…
**************** ****************
———–ઑમ નમઃ શિવાય————-
**********************************************************
No Responses »
ભક્તિ કાવ્યો
Pradip Brahmbhatt
3:01 pm
ઓ શંભુ ભોલે
તાઃ૨૪/૧૨/૦૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
તારી લીલા અપરંપાર,તારી કૃપાનો નહીં પાર
તારો મહિમા છે અપાર,તું દીનનો છુ રખેવાળ
……………..ઓ શંભુ ભોલે છો દીનદયાળા…(૨)
મુજ જીવન કાજે નિશદીન હું વંદું,
ઓ અલખ નિરંજન,ઓ ત્રિશુળધારી
છે રટણ તમારું દો ઉજ્વળ જીવન
લો હાથ ઝાલી દો જીવન ઉગારી
……………..ઓ શંભુ ભોલે છો દીનદયાળા…(૨)
માગ્યું મનથી અમને મળી રહ્યું છે
ને હૈયે અમારે છે સ્મરણ તમારું
લો હાથ અમારો દો જીવન ઉગારી
છો પરદુઃખ ભંજન ને પરમ દયાળુ
……………..ઓ શંભુ ભોલે છો દીનદયાળા…(૨)
મન સ્મરે ઑમ નમઃ શિવાય
ને તનડું હરહર ગંગે કર્યા કરે
શંખનાદ કાયમ સંભળાયા કરે
ને ડમડમ ડમરું વાગ્યા કરે
……………..ઓ શંભુ ભોલે છો દીનદયાળા…(૨)
******************************
No Responses »
ભક્તિ કાવ્યો
Pradip Brahmbhatt
10:36 pm
પ્રાર્થના પરમાત્માને
૧૪/૧૨/૦૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરોપકારીને પરદુઃખ ભંજન,પરમ કૃપાળુને શોભિત સુંદર;
અજરઅમર ને અવિનાશીને, ચરણે નિશદીન કરું હું વંદન.
……પરોપકારી ને
સૃષ્ટિ તણા સર્જક તમોને, મુક્તિ તણા છો દાતા;
અવનીના અવતારી તમોને,ભક્તિતણા છો જ્ઞાતા.
…..એ અવિનાશીને
કુદરત કેરા કામણ જગમાં, જીવન આ લપટાય;
આશા અંતરમાં છે મુજને, દેહે જીવ નહીં ભટકાય.
…..એ અવિનાશીને
હરે કૃષ્ણ હરે રામ, હૈયે મારે જય જય જલારામ;
નમઃશિવાય ઓમનમઃશિવાય,ભોલેશંકર દયાનિધાન.
…..એ અવિનાશીને
****************************************
No Responses »
રામરટણ
Thursday, Nov 29 2007
ભક્તિ કાવ્યો
Pradip Brahmbhatt
1:05 pm
રામરટણ
પ્રદીપ બ્રહ્મભટ
મનમાં સ્મરણ રામ રામનું,ને જીભે છે જલારામ
રાખી શ્રધ્ધા રામ નામમાં, ને ભજુ હું જલારામ
ભઇ ભજુ હું જલારામ
હાથમાં માળા ફરતી જાય, ને કર્મના બદલે તાર
અલખના થાતા અજવાળા,ને ધર્મના ખુલતા દ્વાર
ભઇ ધર્મના ખુલતા દ્વાર
મક્કમ મનમાં લાગણી જાગે,ને પ્રભુથી મળતી પ્રીત
માગતા હૈયે આનંદ લાગે, ને જ્યોત જલાથી થાતી
ભઇ જ્યોત જલાથી થાતી
તરસે આંખો દર્શન કાજે,ને હૈયાથી વરસી રહે હેત
પ્રદીપને માયા જલા સ્મરણથી,ને લાગે મનમાં પ્રેમ
ભઇ લાગે મનમાં પ્રેમ
જન્મ મળ્યો આ જગમાં જ્યારે,સૃષ્ટિ તણા સથવારે
કર્મ તણા હું તાંતણે લાગ્યો,મુક્તિ પામવા કાજે
ભઇ મુક્તિ પામવા કાજે
જલારામના નામ સ્મરણથી, રામના ચરણે લાગું
જગમાં સાચા સંત સંસારી,પગલે જલાસાંઇને લાગું
ભઇ પગલે જલાસાંઇને લાગું.
#####################################
No Responses »
ભક્તિ કાવ્યો
Pradip Brahmbhatt
12:20 pm

જગત આધારી.
તાઃ૧૦/૧૧/૧૯૮૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ.
જગના જીવન આધાર , તારી લીલાનો નહીં પાર
કરુણા તારી ક્યારે આવે,તેનોના જગમાં કોઇ તાર
…..જગના જીવન
મનમાં થાતું કાંઇ નથી હવે, જીવન જીવવા જેવું
સાથ તારો દેતો સહારો,પળે પળે મુજ જીવનમાં
…..જગના જીવન
નામેતારા જગમાં સમાણું સુખ,કેમે હુ વિસરી શકું
જગમાં જ્યારે ન હતો સહારો,હાથ લીધો તે મારો
…..જગના જીવન
મૃત્યું જેવુ નથી આ જીવને,મિથ્યા વળગ્યું છે દેહે
કર્મ તણા સંબંધે મળતું,લાલચ મોહ ભરેલા જગે
…..જગના જીવન
જલાબાપાનેસાંઇબાબા,જન્મ સાર્થક કરી ગયા
સંગ પ્રદીપને મળ્યો સંતનો,ઉજ્વળ જન્મ લાગે
…..જગના જીવન
****જય જલારામ જય જલારામ,જયજય સાંઇરામ****
No Responses »
ભક્તિ કાવ્યો
Pradip Brahmbhatt
4:47 pm
ભક્તોના વ્હાલા ભગવાન
તાઃ૨૧/૨/૧૯૭૬. પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભગવાન…(૨)…હે ભગવાન.
ભક્તોના વ્હાલા ભગવાન…(૨)
હે રામ,હે કૃષ્ણ,હે વિષ્ણુ,હે શ્યામ,હે ભોલે ભગવાન
લેજો મનનાપ્રેમ,કરજો પાવનજન્મ,દેજોમુક્તિ સંગ
…..ભગવાન
નરસીંહ મહેતાની હૂંડી સ્વીકારી કાને…(૨)
સંત સુરદાસના એ નૈનો બનીને મળ્યા
પ્રેમળદાસના પ્રેમમાં એ પરોવાયાતા
મીરાંના હાથના ઝેરમાં સમાયો કાનો
યોગીના તનમાં ને
ભક્તોનામનમાં સમાણા રે જગતનાતારણહારા રે.(૨)
…..ભગવાન.
શેઠ સગાળશાની કર્મોથી જીત છે…(૨)
જનમોજનમની તેણે લીધી પ્રીત છે
ઘાણીએ બંધાયો વ્હાલો….(૨)
સહન કરે છે એતો આજે રોહિદાસના ઘાવો
ભક્તથી દુર છે પણ ભક્તોમાં એજ છે
મુકી દો આ મોહ અને માયા,જગનીમિટ્ટીસાથે રે.(૨)
….ભગવાન.
ભક્ત પ્રહલાદના એ મા અને બાપ હતા..(૨)
દ્રોપદીના એ ચીર બનીને આવ્યા
ગુરુ ગોવિંદ બની બન્યા શીખ સરદારના વ્હાલા
ઇસુ ખ્રિસ્ત નામ ધરી જગની શ્રધ્ધાના કામકીધા
રથના સારથી બની જન્મોજનમની દોર દીધી
હનુમાનજીની ભક્તિ બતાવી,સાચીસેવાપ્રભુની રે.(૨)
….ભગવાન.
************************
No Responses »
ભક્તિ કાવ્યો
Pradip Brahmbhatt
3:41 pm
વ્હાલા ભગવાન.
તાઃ૨૯/૨/૧૯૭૬. પ્રદીપ બ્રહ્મભટ્ટ
કેવુ કષ્ટ સહન કરતા ભગવાન,
ભક્તોની વ્હારે વ્હાલા ભગવાન.
નરસૈયાની લાજ બચાવી,કુંવરબાઇના કાજ કઢાવી;
શ્રવણની સેવા બીરદાવી,પ્રહલાદ ને નૃસિંહ બની,
દીન દુઃખીઓના હે તારેશ્વર..(૨)
જગત પુકારે ઇશ્વર ઇશ્વર….(૨)
રાધેશ્યામ…(૩),સીતારામ.(૨)
ભક્તધ્રુવને અચળ બનાવી,જગમાંતેની ભક્તિવહાવી;
સુરદાસને દાસ બનાવી, પ્રદીપની માળા બિરદાવી,
ભક્તજલાની ભક્તિ સ્વીકારી..(૨)
સાંઇબાબાની સેવા શરણે લઇ..(૨)
જલારામ….(૩),સાંઇરામ..(૨)
*********
…..જય જય જલારામ,જય જય સાંઇરામ…..
No Responses »
ભક્તિ કાવ્યો
Pradip Brahmbhatt
5:08 pm
હે ભોલેશંકર
પ્રદીપ બ્રહ્મભટ્ટ
હે ભોલેશંકર, હે ડમરુધારી
હે ત્રિશુલધારી,હે ભોલે ભંડારી
છો જગતઆધારી,છો પ્રલયંકારી
……હે ભોલેશંકર
છો મૃત્યુદાતા,છો જીવન આધારી
તમે સૃષ્ટિધારી,છો પાપવિનાશી
દો મુક્તિ અમોને,લઇ હાથ અમારો
……હે ભોલેશંકર
હે પાર્વતીપતિ,હે વિષધરધારી
છો પરમકૃપાળુ,છો પરમદયાળુ
લો ભક્તિ અમારી,દો શક્તિ અનેરી
……હે ભોલેશંકર
દો દર્શનદાની,લો ભવ આ સુધારી
દો મુક્તિમાયાથી,લો ભક્તિસ્વીકારી
છો વિશ્વવ્યાપી,ઓ ત્રીશુલધારી
……હે ભોલેશંકર
—————–
No Responses »
ભક્તિ કાવ્યો
Pradip Brahmbhatt
11:04 pm
રામ તારો દીવડો
પ્રદીપ બ્રહ્મભટ્ટ
એક દીવડો રે,પ્રકાશ્યો કંઇ આતમને તીર
રામ તારો દીવડો
જગને અંધારે એક રામ,તારો દીવડો
ઉરને અંધારે એક રામ,તારો દીવડો.
પશુતાના પિંજરમાં પૃથ્વી અટવાતીતી
મસ્તી માનવતાના આત્માને ઉગારવા
પ્રગટ્યા કાંઇક યુગવીર……………એક દીવડો.
કાયાને કોડીયે માયાની વાટ વણી
સીચાઇમાં શીલના પુર્યા દીવેલ
પ્રેરી પુરષાર્થ કેરી એવી ચિન્ગારી એક
ઝબકી જાગી તેજ હેલ……………એક દીવડો.
વાનરના વીર સર્જ્યા,વીરના રણવીર
સર્જ્યા તૃણા માંહી તીર
એવી બલિહારી તારા કિરણોના સ્પર્શની
સર્જ્યા ભુમીમાંહી નીર…………….એક દીવડો.
@@@@@@@@@@@@@@@@
No Responses »
ભક્તિ કાવ્યો
Pradip Brahmbhatt
7:53 pm
તારા કંકુ પગલાં
તાઃ૬/૧૨/૧૯૮૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કંકું પગલા પડતા માડી,થઇ જાતો ચમત્કાર
આંગણું મારું શોભી ઉઠતું,શણગારું દીન રાત
…….કંકું પગલાં
ચુંદડી ઓઢી લાલ મઝાની,ગુલાલનો છંટકાવ
નાકે નથણી ઝાંઝર પગમાં,શોભે અપરંપાર
…….કંકું પગલાં
સાચીતારી સેવામાડી,સવાર બની સાથે આવી
દીધોસહારો ઝાલીહાથ મા ઉગારો ભવસાગરથી
…….કંકું પગલાં
નાકોઇ સહારો મારે માડી,ના કોઇ ઇશારો મારે
માનેસહારેજીવતો જીવન,તુજ શરણેછે જીવન
…….કંકું પગલાં
માયા લાગી મુજને તારી,સાચી શ્રધ્ધા તુજમાં
દયાકીધી છે મુજપામરપર,બચાવજોબાળકને
…….કંકું પગલાં
ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્
No Responses »
ભક્તિ કાવ્યો
Pradip Brahmbhatt
5:44 pm
ઓ અંતરયામી
તાઃ૧૭/૭/૧૯૮૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઓ અંતરયામી તારી લીલાનો નહીં પાર;
તારો મહીમા અપરંપાર,
તારી માયા એવી સમજી શકે ના કોઇ;
તને કોઇ શક્યું ના જોઇ.
…….ઓ અંતરયામી.
તું રામ બને રાવણને હણે;
તારી સીતા સરખી રાણી,
ભવસાગરમાં નિત્ય ફરે;
તને કોઇ શક્યુંના જાણી.
…….ઓ અંતરયામી.
કોઇ કૃષ્ણ કહે ગોપીઓમાં ફરે;
તારો મહિમા કોણ કહે,
તું જ્યાં ત્યાં ફરે તું રાસ રમે;
તું મનડાં સૌ ના હરે.
…….ઓ અંતરયામી.
સૌ કોઇ ચહે તને અલ્લા કહે;
તને ઇસુ તણો અવતાર,
ક્યાંક્યાંનાજલેતારો દીપકહે;
ઓ સૌના મન હરનાર.
…….ઓ અંતરયામી.
અવનીપર અવતાર ધરેલા;
દુઃખીયોના બને સહારા,
આ દેહ પડેજગમાં જ્યારે;
ભવસાગરનો તુ કિનારો.
…….ઓ અંતરયામી.
########################
No Responses »
ભક્તિ કાવ્યો
Pradip Brahmbhatt
8:25 pm
સતસંગનો સંગ
તાઃ૧૨/૨/૧૯૮૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સતસંગનો સંગ એવો રે મનવા..(૨)
કે જાય નહીં જનમો જનમે હો મનવા……..સતસંગનો.
સંગત સ્વામી સાધુ કેરી….(૨)
મનમાં લાગી લગન તેવી…(૨)
હે..તારા દર્શનથી,હો મનડાં પાવન થાય
ઓ જોગી ઓ યોગી,દર્શન દઇને ઉગારો રે મનવા,
………સતસંગનો સંગ.
ભવસાગરમાં ઘુમવા આવ્યો..(૨)
લાજશરમ મુકી ભજવા લાગ્યો…(૨)
હે..મનમાં તારું સ્મરણ થાયને હૈયે આનંદથાય
ઓ સ્વામી મને સંગ લગાડો ને દોરજો ભક્તિ કાજે.
………સતસંગનો સંગ.
કાયા કાચી માટી કેરી..(૨)
ક્યારે મળી એ જાશે…(૨)
હે..જન્મોજન્મથી તારી માયા લાગે મુજને લાગી
ઓ જોગી લો પકડો હાથ મારો,લો ઉગારી મુજને.
………સતસંગનો સંગ.
***********************************
No Responses »
Next Page »