Posted on મે 29, 2015 by Pradip Brahmbhatt
. સંગાથ (ફિલ્મઃસંસ્કાર)
તાઃ૨૨/૨/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અંધકાર ભરેલા જીવનમાં,સંગાથ કોઇનો મને નથી
હુ શોધુ છુ એ જીવનને,જેનો મુજ પર એક,ઉપકાર છે.(૨)
. ………..અંધકાર ભરેલા જીવનમાં.
માન મને અભિમાન અડે,ના જીવનમાં કોઇ સમજંણ મને
સુખ દુર થયું હું ભટકી રહ્યો,કળીયુગની કેડીમાં,લટકી ગયો..હુ.(૨)
. ………..અંધકાર ભરેલા જીવનમાં.
મળી માયા મને મોહ અડકી ગયો.ના ભક્તિની કોઇ સાંકળ રહી
જીવન જકડાઈ ગયુ નાહાથમાં રહ્યુ,સંસ્કાર ભાવથી,ભટકી ગયો..હુ.(ર)
. ………..અંધકાર ભરેલા જીવનમાં.
============================================
Filed under: પ્રાસંગિક કાવ્યો | Leave a comment »
Posted on મે 29, 2015 by Pradip Brahmbhatt
. .નિર્મળરાહ
તાઃ૨૯/૫/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવજીવનની મહેંક પ્રસરે,ત્યાં નિખાલસતા સહેવાય
આધી વ્યાધી ને ઉપાધી ભાગે,જ્યાં નિર્મળરાહ મેળવાય
…………મળે જીવને પવિત્ર જીવન,એ મોહ માયાને તોડી જાય.
નિર્મળ પ્રેમની ગંગા વહે,જ્યાં જ્યાં માનવતા મળી જાય
ભક્તિ પ્રેમને પકડી ચાલતા,પરમાત્માની કૃપા થઈ જાય
મળે પ્રેમ માબાપનો સંતાનને,જે ઉજ્વળ જીવન દઈ જાય
આશિર્વાદની પવિત્રરાહે,જીવનમાં ના તકલીફ મળી જાય
……………એજ સાચી કૃપા પ્રભુની,જે સંતાનના વર્તને દેખાય.
આગમન વિદાયની દ્રષ્ટિ,જગતમાં નાકોઇ જીવથી જોવાય
કર્મની ઉજ્વળ કેડી લેતાં,સંત જલાસાંઇની કૃપા થઈ જાય
મળે દેહને માનઅવનીએ,જ્યાં જીવને નિર્મળરાહ મળીજાય
કુદરતની છે અપાર લીલા,જીવને વિદાય વેળાએ સમજાય
…………અવનીપરનુ આવનજાવન,જીવને માયાથી સમજાય.
**************************************************
Filed under: ચિઁતન કાવ્યો | Leave a comment »
Posted on મે 29, 2015 by Pradip Brahmbhatt
. . મારુ તારુ
તાઃ૨૯/૫/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિર્મળ પ્રેમથી ભક્તિ કરતા,પાવન રાહ મળી જાય
શ્રધ્ધારાખીને દીવો પ્રગટતા,જીવનસુખી થઈ જાય
………….એજ સાચી ભાવના જીવની,નિખાલસ પ્રેમ પામી જાય.
ઉજ્વળજીવનની કેડી મળે,જ્યાં કૃપાપ્રભુની થઈજાય
ના મારુ તારુની માયા વળગે,એ જન્મસફળ કરી જાય
મળે દેહને માન સન્માન,જ્યાં પવિત્રરાહ દેવાઈ જાય
અનેક જીવોને શાંન્તિ મળતા,પરમાત્માની કૃપા થાય
………….એજ સાચી ભાવના જીવની,નિખાલસ પ્રેમ પામી જાય.
મળતી માયા કાયાને જગે,જે કળીયુગની કેડીએ દેખાય
શાંન્તિનો સહવાસ મેળવવા,પવિત્રપ્રેમથી ભક્તિ થાય
મારુ એતો જીવનો સંબંધ,ને તારુએ કર્મબંધનથી દેવાય
ના માગે મળે જીવને જગતમાં,એજ સાચી કૃપા કહેવાય
………….એજ સાચી ભાવના જીવની,નિખાલસ પ્રેમ પામી જાય.
==============================================
Filed under: ભક્તિ કાવ્યો | Leave a comment »
Posted on મે 29, 2015 by Pradip Brahmbhatt
. .શું લઈ જવાના
તાઃ૨૯/૫/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શું લાવ્યા શું લઈ જવાના,ના કોઇ જીવને સમજાય
કર્મકેડીનુ બંધન રહેતાજ,એ અવનીએ આવી જાય
………..મળે કયો દેહ અવનીએ જીવને,ના કોઇને સમજાય.
મોહમાયાએ છે કર્મની કેડી,જે દેહ મળતાજ દેખાય
કળીયુગ સતયુગ એ જીવનુ બંધન,વર્તનથી દેવાય
ભક્તિભાવની શીતળ રાહ,માનવતા મહેંકાવી જાય
અવનીપરની વિદાય વેળાએ,ભક્તિ સંગે લઈ જાય
………..મળે કયો દેહ અવનીએ જીવને,ના કોઇને સમજાય.
પરમ કૃપા સુર્યદેવની,જગતમાં સવારસાંજ દઈ જાય
અસીમ કૃપા છે એ દેવની,જે પ્રત્યક્ષ દર્શન આપી જાય
પ્રભાતે અર્ચનાકરતા,અંતેજીવને મુક્તિમાર્ગ મળીજાય
શું લાવ્યા શું લઈ જવાના,જીવ વ્યાધીઓથી છુટી જાય
………..મળે કયો દેહ અવનીએ જીવને,ના કોઇને સમજાય. =====================================
Filed under: પ્રાકૃતિક કાવ્ય | Leave a comment »
Posted on મે 28, 2015 by Pradip Brahmbhatt
. .લાયકાત કેટલી
તાઃ૨૮/૫/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કોની કેટલી છે લાયકાત,એતો સમય જ બતાવી જાય
ના માગણીની કોઇ જરૂર પડે,કે ના ભીખ મંગાવી જાય
…………..એજ સાચી લાયકાત છે,જે કલમથી પકડાઈ જાય.
શબ્દે શબ્દને પારખીને ચાલે,એજ કલમપ્રેમી કહેવાય
લાગણી મોહ ના અડે કદીયે,ત્યાંજ નિર્મળતા મેળવાય
કાગળ પકડી વાંચવુ,એ ના બુધ્ધિનો ઉપયોગ કહેવાય
દેખાવની દુનીયા પકડી ચાલે.એને જ કુબુધ્ધિ કહેવાય
………..મળે મા સરસ્વતીની કૃપા,જે સાચી કલમપ્રીત કહેવાય
કલમની નિર્મળ કેડીએ, નિખાલસ વાંચકો મળી જાય
મળે ઉજ્વળ પ્રેમ પ્રેમીઓનો,જે આંગણીએ ચીધીજાય
નાઅપેક્ષા કે ના કોઇ માગણી,એજ સાચી કૃપા કહેવાય
અભિમાનના વાદળમળે,જ્યાં ઇર્શાએ આંગણી ચીંધાય
…………એજ અજ્ઞાનતા માનવીની,જેનાથી કલમ ના પકડાય.
++++++++++++++++++++++++++++++++++++++
Filed under: પ્રાકૃતિક કાવ્ય | Leave a comment »
Posted on મે 24, 2015 by Pradip Brahmbhatt
. જતન
તાઃ૨૪/૫/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જતન પ્રેમથી માબાપનુ કરતાં,કર્મ પાવન થઈ જાય
સંસ્કારની શીતળ કેડી મળતાં,ઉજ્વળ રાહ મળી જાય
…………..એજ કૃપા સુર્યદેવની,જીવોને દર્શન આપી જાય.
માન સન્માન છે કર્મની કેડી,જે નિર્મળ સમજે સમજાય
મળે જીવનમાં અનંત શાંન્તિ,જ્યાં અનંતકૃપા થઈજાય
ના અપેક્ષા ના માગણી ખોટી,કળીયુગમાં અથડાઈ જાય
સરળ જીવનની રાહમળે,જ્યાં પ્રભાતે સુર્યદેવને પુંજાય
…………..એજ કૃપા સુર્યદેવની,જીવોને દર્શન આપી જાય.
અજબ શક્તિશાળી છે એદેવ,હજારો વર્ષોથી દર્શન થાય
મળે કૃપા ત્યાં જીવને,જ્યાં વડીલનું દીલથી જતન થાય
સુખદુઃખના વાદળ છુટતાં,જીવને મુક્તિ રાહ મળી જાય
અવનીપરનુ આવનજાવન,એ કર્મબંધનથી છુટી જાય
………….એજ કૃપા સુર્યદેવની,જીવોને દર્શન આપી જાય.
=====================================
Filed under: આધ્યાત્મિક કાવ્યો | Leave a comment »
Posted on મે 23, 2015 by Pradip Brahmbhatt
. . એ સનાતન સત્ય
તાઃ૨૩/૫/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉજ્વળ જીવનની રાહ લેવા,જીવનમાં સત્કર્મને સચવાય
પામી નિખાલસપ્રેમ રહેતા,મળેલ જીવન પવિત્ર જીવાય
……..એજ સનાતન સત્ય છે,જે જીવનમાં પાવનકર્મ કરાવી જાય.
મળે આશિર્વાદ માબાપના,જે વડીલને વંદન કરાવી જાય
નિર્મળતાનો સંગ રાખતા,નાકોઇ ખોટીરાહ જીવનમાં દેખાય
પરમપ્રેમની પરખ થઈ જાય,જ્યાં સારા મિત્રો મળી જાય
આવી આંગણે ઉભા રહેએ,જે જીવને સાચીરાહ આપી જાય
……..એજ સનાતન સત્ય છે,જે જીવનમાં પાવનકર્મ કરાવી જાય.
મોહમાયા તો કળીયુગી કાતર,મળતા સુખનેએ કાપી જાય
સુર્યદેવની સાચીભક્તિ કરતા,પ્રત્યક્ષ દર્શન પણ થઈજાય
નામાળા નામંદીરની જરૂર પડે,કે નાકોઇ આફત અથડાય
ઉદયઅસ્ત એ પ્રભાતસાંજ છે,જે અબજો જીવોને સમજાય
…….એજ સનાતન સત્ય છે,જે જીવનમાં પાવનકર્મ કરાવી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++
Filed under: પ્રાકૃતિક કાવ્ય | Leave a comment »