Posted on જૂન 29, 2017 by Pradip Brahmbhatt
. .સ્પર્શે માયા
તાઃ૨૯/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની છે આ કામણગારી લીલા,જે સમયની સંગે ચાલી જાય
કરેલકર્મના બંધન સ્પર્શે જીવને,કળીયુગ સતયુગના બંધને દેખાય
....અજબલીલાનો સંગ મળે,ત્યાંજ જીવનમાં માયાનો સ્પર્શ થઈ જાય.
અવનીપરનુ આગમન એ કર્મની કેડી,જીવ આવનજાવનથી બંધાય
લાગણીને મોહ એ સ્પર્શે દેહને,જે દેહથી થતા કર્મથી જ સમજાય
માનવદેહ કૃપા પરમાત્માની,જીવથી ભક્તિએ મુક્તિ માર્ગ મેળવાય
આગમન વિદાયએ જીવનીકેડી,અનેક દેહથી અવનીએ મળી જાય
....અજબલીલાનો સંગ મળે,ત્યાંજ જીવનમાં માયાનો સ્પર્શ થઈ જાય.
મોહ એ લાગણીની કેડી,ઘણી વખત નિર્મળ જીવનને અડી જાય
સરળ જીવનનીરાહ મળેદેહને,જ્યાંશ્રધ્ધાએ જલાસાંઇનીભક્તિ થાય
પ્રેમની પાવનરાહ મળતા જ,ના કોઇ અપેક્ષાના વાદળ વર્ષી જાય
મળેલ માનવ જીવનને નાસ્પર્શે,મોહકેમાયા જે જીવને જકડી જાય
....અજબલીલાનો સંગ મળે,ત્યાંજ જીવનમાં માયાનો સ્પર્શ થઈ જાય.
======================================================
Filed under: ચિઁતન કાવ્યો | Leave a comment »
Posted on જૂન 28, 2017 by Pradip Brahmbhatt
...
...
. .પવિત્ર કુટુંબ
તાઃ૨૮/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભારતમાં પવિત્ર હિંદુ કુટુંબ જે પરમાત્માની કૃપા.
પતિદેવ પવિત્ર પત્ની
શ્રી વિષ્ણુભાઇ શ્રીમતી લક્ષ્મીબેન
શ્રી સુર્યભાઈ શ્રીમતી રાંદલબેન
શ્રી શંકરભાઈ શ્રીમતી પાર્વતીબેન
શ્રી ગણપતિભાઈ શ્રીમતી રિધ્ધીબેન,શ્રીમતી સિધ્ધીબેન
શ્રી રામભાઈ શ્રીમતી સીતાબેન
શ્રી કૃષ્ણભાઇ શ્રીમતી રાધાબેન
શ્રી પવનભાઇ શ્રીમતી અંજનીબેન
શ્રી બ્રહ્માભાઇ શ્રીમતી ગાયત્રીબેન
શ્રી હનુમાનજી શ્રીમતી સુવર્ચલાબેન
આ પવિત્ર પરિવાર છે જે દુનીયામાં વસતા હિંદુઓ માટે પરમાત્મા
તરીકે ઓળખાય છે.અને સાચી વાત એછે કે તમે શ્રધ્ધાથી તેમણે બતાવેલ
ભક્તિમાર્ગને સમજી સેવા કરો તો જીવનુ કલ્યાણ થાય અને જીવને મુક્તિમાર્ગ
પણ મળી જાય.
========================================================
Filed under: ચિઁતન | Leave a comment »
Posted on જૂન 27, 2017 by Pradip Brahmbhatt
. .દેખાવ અડે
તાઃ૨૭/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કળીયુગ સતયુગ એ સૃષ્ટિનો અણસાર,જગત પર આવનથી સમજાય
કુદરતનીકૃપા મળેલ દેહને સ્પર્શી જાય,ત્યાં જીવ કર્મબંધનથી બંધાય
.....એજ અદભુત લીલા પરમાત્માની,અભિમાનમાં દેહને દેખાવ અડી જાય.
અડે જ્યોત જીવનમાં અવનીએ,જે અનેકરીતે એ દેહને મળતી જાય
અંતરથી મળેલ પ્રેમની જ્યોત,દેહ પર સુખશાંન્તિની વર્ષા કરી જાય
આગમન વિદાયની ના કોઇ અપેક્ષા,જ્યાં પાવનરાહે જીવન જીવાય
લાગણી મોહનો દેખાવ નાસ્પર્શે,ત્યાં મળેલ જીવન પાવન થઈ જાય
.....એજ અદભુત લીલા પરમાત્માની,અભિમાનમાં દેહને દેખાવ અડી જાય.
મળે જ્યાં પ્રેમ દેખાવનો સંબંધીઓનો,ત્યાં ના કોઇ જીવથીય છટકાય
કળીયુગની આકેડી કહેવાય,જેથકી દુઃખનીવર્ષાએ જીવન જકડાઈ જાય
ના સંબંધ કોઇ દેહને રહે,કે ના અંતરનો નિર્મળપ્રેમ પણ અપાઈ જાય
દેખાવની દુનીયા જે આંખથી સ્પર્શે,જે દેહના વર્તનથી જ દેખાઈ જાય
.....એજ અદભુત લીલા પરમાત્માની,અભિમાનમાં દેહને દેખાવ અડી જાય.
=========================================================
Filed under: પ્રાકૃતિક કાવ્ય | Leave a comment »
Posted on જૂન 26, 2017 by Pradip Brahmbhatt
...
...
. .શરળતાનો સહવાસ
તાઃ૨૬/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપરનુ આગમન જીવને,કરેલ કર્મના બંધનથી મળી જાય
પાવનકર્મથી મળે પવિત્રકેડી જીવને,મળેલદેહથી સમજાઈ જાય
.....એજ સરળ જીવનનો સહવાસ જીવને,પવિત્ર કર્મની કેડી દઈ જાય.
અનેક રાહ જીવને મળે અવનીએ,જે પરમાત્માની કૃપા કહેવાય
ભક્તિમાર્ગની સરળરાહે જીવતા,જીવને ના આફત કોઇ અથડાય
નિર્મળ જીવન ને નિખાલસ રાહે,પવિત્ર કર્મ જીવનમાં થઈ જાય
ઉજવળતાની પવિત્ર કેડી,દેહને સરળતાનો સહવાસ આપી જાય
.....એજ સરળ જીવનનો સહવાસ જીવને,પવિત્ર કર્મની કેડી દઈ જાય.
માનવદેહ એ કર્મના સંબંધને સ્પર્શે,જે મળેલ જીવનથી સમજાય
શ્રધ્ધાપ્રેમથી કરેલ પુંજા જલાસાંઇની,દેહને પાવનકર્મ કરાવી જાય
આંગણે આવી કૃપા મળે પરમાત્માની,જે જીવન સરળ કરી જાય
ના માગણીની કોઇ કેડી સ્પર્શે,કે નાકોઇ મોહ પણ સ્પર્શી જાય
.....એજ સરળ જીવનનો સહવાસ જીવને,પવિત્ર કર્મની કેડી દઈ જાય.
======================================================
Filed under: પ્રાકૃતિક કાવ્ય | Leave a comment »
Posted on જૂન 24, 2017 by Pradip Brahmbhatt
..
..
. .મમ્મીના આશિર્વાદ
તાઃ૨૫/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળ્યો નિખાલસ પ્રેમ મમ્મીનો,ત્યાં પવિત્ર પ્રેમની ગંગા મળી જાય
પરમાત્માની પરમકૃપા મળી,ત્યાં એ ભારતના વડાપ્રધાન થઇ જાય
.....એજ શાન જગતમાં ગુજરાતીઓની,જે નરેન્દ્રભાઈની લાયકાતથી મેળવાય.
કળીયુગની પાવનરાહ મેળવીને,જીવનમાં માનવતા સંગે જીવી જાય
અદભુત કૃપા મળેલ જીવને અવનીએ,જે માનવ દેહને સ્પર્શી જાય
પવિત્ર ભુમી ભારતમાં દેહ મેળવી,ગુજરાતીઓની શાન વધારી જાય
સમાજનોસંગ જીવનમાં રાખતા,ગુજરાતના મુખ્યપ્રધાન પણ કહેવાય
.....એજ શાન જગતમાં ગુજરાતીઓની,જે નરેન્દ્રભાઈની લાયકાતથી મેળવાય.
અનેક રાજકારણીઓની અપેક્ષા દેશમાં,અભિમાનના સંગે લટકી જાય
સત્તા મેળવવા જીવનમાં આંગળી પકડી,માનસન્માન શોધવા એ જાય
નામળે લાયકાત જ્યાં દેખાવ અડે,ત્યાં સંબંધીઓની લાકડી પડી જાય
આશિર્વાદની પવિત્રરાહ માતાથી મળતા,જગતમાં સન્માન મેળવી જાય
.....એજ શાન જગતમાં ગુજરાતીઓની,જે નરેન્દ્રભાઈની લાયકાતથી મેળવાય.
===========================================================
પરમકૃપા માતા હીરાબાના આશિર્વાદથી મળતા શ્રી નરેંદ્રભાઈ ગુજરાતના
મુખ્યપ્રધાન થયા.જે કલમપ્રેમીઓ માટે ખુબજ આનંદની વાત છે.લેખક તરીકે
સન્માન સંગે રાજકારણમાં લાયકાત મેળવતા અત્યારે તેઓ ભારતના વડાપ્રધાન
તરીકે અમેરીકામાં સન્માન મેળવી રહ્યા છે તે ગુજરાતીઓ માટે ગૌરવ છે.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ સહિત હ્યુસ્ટનના કલમપ્રેમીઓના અભિનંદન સંગે સપ્રેમ ભેંટ.
============================================================
Filed under: પ્રાસંગિક કાવ્યો | Leave a comment »
Posted on જૂન 23, 2017 by Pradip Brahmbhatt
.
. .કર્મના બંધન
તાઃ૨૩/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કરેલ કર્મનાસંબંધ છે જીવને,જે મળેલ દેહથી અવનીપર દેખાય
જીવને મળતા દેહ અવનીપર,કરેલ કર્મની કેડીને સમજાઇ જાય
.....એ પાવન કૃપા છે પરમાત્માની,મળેલ જન્મમરણને સ્પર્શી જાય.
અવનીપરનું આગમનથી દેહ મળતા,ત્યાં કરેલ કર્મની પરખ થાય
માનવદેહ એ ઉત્તમકૃપા છે જીવપર,જે સત્માર્ગે જીવને દોરી જાય
સમયને પારખીને જીવન જીવતા,મળેલ દેહની મહેંક પ્રસરતી જાય
શ્રધ્ધાભક્તિની પવિત્રરાહ પારખે,ના અભિમાન કે આફત અથડાય
.....એ પાવન કૃપા છે પરમાત્માની,મળેલ જન્મમરણને સ્પર્શી જાય.
માયાનો સંબંધ છે દેહને અવનીએ,જીવને દેહ મળતા અનુભવાય
કુદરતની અજબશક્તિ છે જગતપર,સતયુગ કળીયુગથી મળી જાય
માનવદેહે મળે કેડી જીવને,સમય પારખવા જલાસાંઈની કૃપા થાય
ઉજવળ જીવનની રાહ મળે,જ્યાં આંગણે પરમાત્માય આવી જાય
.....એ પાવન કૃપા છે પરમાત્માની,મળેલ જન્મમરણને સ્પર્શી જાય.
===================================================
Filed under: ભક્તિ કાવ્યો | Leave a comment »
Posted on જૂન 22, 2017 by Pradip Brahmbhatt
.....
.....
. .જય સંતોષી મા
તાઃ૨૨/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સંતોષી માતાની પરમ કૃપાએ,જીવનમાં સંતોષ મળી જાય
પાવનકેડી મળતા જીવનમાં,સુખશાંંતિના વાદળ વર્ષી જાય
......એવી કૃપા માતાની પ્રદીપ પર,જે નિર્મળ જીવન આપી જાય.
પવિત્રપ્રેમે માતાને વંદન કરતા,માનવ પર પરમકૃપા થઈ જાય
ઉજવળ જીવનની રાહ મળતા,જીવનમાં પાવન કર્મ થઈ જાય
આશિર્વાદ મળે માતાજીના શ્રધ્ધાએ,ના તકલીફ કોઇ મેળવાય
સફળ જીવનની રાહ મળે જીવનમા,એજ માતાનો પ્રેમ કહેવાય
......એવી કૃપા માતાની પ્રદીપ પર,જે નિર્મળ જીવન આપી જાય.
જયસંતોષીમા જયસંતોષીમા ના સ્મરણથી,મન પવિત્ર થઈ જાય
મળેલ જન્મ માનવનો જીવને,સદમાર્ગથી પવિત્ર રાહે ચાલી જાય
માતાની પવિત્રદ્રષ્ટિએ દેહને,અનંત શાંંન્તિએ જીવન મેંહકી જાય
નામોહ કે માયાનો સ્પર્શ થાય જીવનમાં,ના અપેક્ષા કોઇ રખાય
......એવી કૃપા માતાની પ્રદીપ પર,જે નિર્મળ જીવન આપી જાય.
===================================================
Filed under: પ્રેમગીત | Leave a comment »