દુઃખની માગણી

                          દુઃખની માગણી

તાઃ૩/૧૧/૨૦૦૯                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવજીવન મળતાં જગમાં,મહેનત મનથી કરતો
આવે આંગણે પરમાત્મા, તો દુઃખની માગણી કરતો
                                           …….માનવ જીવન મળતાં.
દેહ મળે જ્યાં માનવીનો, સમજી વિચારી ચલાય
કામદામને વળગી રહેતા,જીવન સુખે જ જીવાય
દીલથી સતના સંબંધ એવા,સુખદુઃખ મળી જાય
લગની મનથી રાખી જલાની,મનને શાંન્તિ થાય
                                       ……….માનવ જીવન મળતાં.
કરુણાનાઅવતાર પ્રભુએ,લીધા અવનીએઅવતાર
આવી જગમાં રાહ બતાવ્યો,કરવા જીવનો ઉધ્ધાર
સુખનીસાંકળ મળતાં જીવ,ભુલી જાય પ્રભુનું નામ
જન્મ મળતાં માનવીનો,દુઃખમાં જલાસાંઇ ભજાય
                                             …….માનવ જીવન મળતાં.
માનવ દેહ અમુલ્ય બને, જ્યાં ભક્તિ પ્રેમથી થાય
દુઃખજ્યારે આવે જીવનમાં,ત્યાં શરણુ પ્રભુનુલેવાય
માગણીમનથી કરતાં દુઃખની,મળે જલાસાંઇનો પ્રેમ
ભક્તિના ડુંગર પકડી  લેતો, જીવને મુક્તિ મળે જેમ
                                              …….માનવ જીવન મળતાં.

====================================

પ્રભુની શોધ

                           પ્રભુની શોધ

તાઃ૨/૧૧/૨૦૦૯                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

દીવો લઇને દરીયો ઘુમ્યો,આકાશ પાતાળ મેં છંછેડ્યા
શોધવાનીકળ્યો સર્જનહારને,મળવાની થઇ અભિલાષા
                                        ……..દીવો લઇને દરીયો ઘુમ્યો.
કળીયુગમાં અણસાર મળ્યો,પ્રભુ પૃથ્વી એ મળનારા
ઉંચા તોતીંગ શીખરો જોઇ, પહોંચી ગયો હું પગપાળા
બારણુ ખોલતા ડબ્બાજોયા,જ્યાં દેખાય જગના લારા
રુપીયો પહેલા મુકતા હાલો,પછી ડૉલરનો આવે વારો
                                         ………દીવો લઇને દરીયો ઘુમ્યો.
મંત્રતંત્રની કલાને જોઇ,ભાગે ભુતપ્રેત જગે ભમનારા
મનની શાંન્તિને શોધવાસાથે,રાખે કંકુચોખાનાકુંડાળા
આવેલ બારણે નાછટકી શકે,જ્યાં જુએ જગે ચમકારા
ના મળે પરમાત્મા જગમાં,કે ના રહે કોઇ જગે સહારો
                                          ………દીવો લઇને દરીયો ઘુમ્યો.

***************************************

પાપનો ભાર

                         પાપનો ભાર

તાઃ૨/૧૧/૨૦૦૯                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

ડગલે પગલે મહેંક વરતાવે,ને સમજાવે જગમાંય
આ કરવાથી આ મળશે,ત્યાં જીવન જ ડોલી જાય
                                   …….ડગલે પગલે મહેંક વરતાવે.
પ્રભુ કૃપા તો દુર રહે, જ્યાં મુક્તિના બતાવે દ્વાર
માણસાઇની ના મહેંક રહે,જ્યાં દાન પેટી દેખાય
જીવની જગમાં એક માગણી,મુક્તિ ખોલે જ દ્વાર
દેખાવની ઝંઝટ છે એવી,ભાર પાપનો દઇ જાય
                                   ……..ડગલે પગલે મહેંક વરતાવે.
માનવમનના ભોળપણાને,દેખાવથી એ ખેંચી જાય
ભક્તિના સંબંધ બીજાથી,એતો પવિત્રમનથી થાય
કુદરતના એ પવિત્ર નિયમ,જે ભક્તિ એ જ દેખાય
જગતજીવને શાંન્તિ દેતા,ના પાપ તમને અથડાય
                                 ………ડગલે પગલે મહેંક વરતાવે.

!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

પુણ્યનો પ્રતાપ

                          પુણ્યનો પ્રતાપ

તાઃ૨/૧૧/૨૦૦૯                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

શીતળતાની વર્ષા જ્યાં વરસે,ને આશિર્વાદે પ્રેમ
જીવન ઉજ્વળ લાગે જગે,એછે પરમાત્માની દેન
                                      …….શીતળતાની વર્ષા જ્યાં.
જગજીવન તો વળગી ચાલે,ના એ  મુકે કોઇ દેહ
આગળપાછળ ચાલતાં રહેતા,માનવ જગમાંજેમ
સવાર સાંજની સૃષ્ટિ એવી,જીવને જગેમળીજાય
ભક્તિની લગની અનોખી,જે લાવે જગમાં રહેમ
                                        …….શીતળતાની વર્ષા જ્યાં.
માળા કરતાં મનની ભક્તિ,સદકર્મે જ લઇ જાય
સમય પકડી ચાલતા માનવ,પુણ્યકર્મ કરી જાય
જલાસાંઇની ભક્તિ લેતા,પાવન દ્વાર મળી જાય
પુણ્યપામી જીવજગતમાં,સાર્થક જીવનજીવીજાય
                                       ………શીતળતાની વર્ષા જ્યાં.
દાન દેખાવની પ્રણાલી, ના ભક્તિને વળગી જાય
ભક્તિદાન જગમાંનિરાળું,જીવનમાંએ દે અજવાળુ
આવી આંગણે જીવ જગતના,સ્નેહપ્રેમ મેળવીજાય
પ્રતાપ પુણ્યનો એવો,ના જગમાં એ શોધવા જેવો
                                          …….શીતળતાની વર્ષા જ્યાં.

===================================

वतन प्रेम

                         वतन प्रेम

ताः१/११/२००९                         प्रदीप ब्रह्मभट्ट

जन्ममीला जीस धरतीपे,मेरा उससे नाता है
पावन भुमी बनी रहे, ये सच्चा मेरा वादा है
                                     ……..जन्म मीला जीस धरती.
अवनीको अपनी बाहोंमे,परमात्माने ही रख्खी है
जन्ममीले जब धरतीपे,अलग अलग कहेलाते है
नातजातका येबचपन,इन्सानीयत को भरमाते है
समझ मीलेजब मानवको,प्यार प्रेम भर आते है
                                     …….. जन्म मीला जीस धरती.
वतन है मेरा भारत,जीसपे रामकृष्णभी आये थे
पवित्र पावन धरती है,जहां रुषीमुनी मीलजाते थे
भक्तिप्रेमका बंधन न्यारा,जीवन पावन करजाता है
वंदन मेरी जन्मभुमीको,मेराजन्म सार्थककरना है
                                        ……..जन्म मीला जीस धरती.
कळीयुगकी ना कोइ चिंता,सुखदुःख संग रहेते है
वाळी वर्तन प्रेम भक्तिसे,वो मनको शांन्ति देतीहै
जीवनजीवकानाता पुराना,ना इन्सान समझपायेगा
भेदभावको छोड चले तब,वतन प्रेम मील जायेगा
                                      ………. जन्म मीला जीस धरती.

+++++++++++++++++++++++++++++++++++++

ભક્તિની લગની

                        ભક્તિની લગની

તાઃ૧/૧૧/૨૦૦૯                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

અણસાર દીઠો ભક્તિનો,જ્યાં ઉજ્વળ જીવન થાય
પવિત્રપ્રેમ મળે માબાપનો,ને જીવને શાંન્તિ થાય
                                       ……..અણસાર દીઠો ભક્તિનો.
બાળપણની બારાખડીમાં,ભક્તિનો કક્કો મળી જાય
ભણતર સંગે ચણતર ચાલે,ત્યાં પાવન જીવનથાય
મળતી માયા દ્વારે દ્વારે, ના જીવથી અળગીએ થાય
પરમેશ્વરની કૃપા પામતા,દુર જીવથીએ ભાગી જાય
                                         ……..અણસાર દીઠો ભક્તિનો.
સંસારનો સંગાથ રહે જીવે,ને ભાઇભાંડું પણ હરખાય
સાર્થક જન્મ જીવનો કરવાને, પ્રભુ ભક્તિ પ્રેમે થાય
લગનીલાગે મનથી રામની,જે ભક્તિથીજ ઓળખાય
મૃત્યુમાં પણ મહેંક મળે,જ્યાં ભક્ત જલાસાંઇ ભજાય
                                             ……..અણસાર દીઠો ભક્તિનો.
અંતરથી જ્યાં પ્રકટે પ્રેમ,ના જગના મળે કોઇ વ્હેમ
મનનીશાંન્તિ ને માનવતાએ,આજીવન ખીલી જાય
સદા સાથ રહે ભક્તિનો,ત્યાં માનવતા મહેંકી જાય
ઉજ્વળ માનવ જન્મ થતાં,ના અવનીએ ફરી મળે
                                             ……..અણસાર દીઠો ભક્તિનો.

 $$$$$$$=======//////////////———-###########

ગોકુળીયુ ગામ વિરપુર

                     ગોકુળીયુ ગામ વિરપુર

તાઃ૨૭/૧૦/૨૦૦૯                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના આગગાડીના ધબકારા,કે ના મોટરગાડીના ધુમાડા
ક્યાંક સાયકલ ચલાવનારા,અહીંમાનવીચાલેપગપાળા
                                         ………ના આગગાડીના ધબકારા.
ભક્તિનો રણકાર ગુંજે,ને રોજ પ્રભાતે આરતી સંભળાય
ઢોલ નગારા સંગે મંજીરા,જ્યાં સંત જલારામને ભજાય
પોકારપ્રેમનો ચારે કોર સંભળાય,ને અન્નદાનનો  ભંડાર
જગતજીવ અહીં આવી જતાં,એ દેહ શાંન્તિએ સહવાય
                                            ……….ના આગગાડીના ધબકારા.
કુદરતની કરુણા જ્યાંવરસી,એ વિરપુર નામે ઓળખાય
પાવન સૌરાષ્ટની ધરતી,  જગતમાં પવિત્રતા મહેંકાય
ભક્તિનો સથવારો મળે,જ્યાં માનવી અન્ન મેળવી જાય
જલાબાપાને માતા વિરબાઇના,પવિત્ર બારણામળીજાય
                                             ………ના આગગાડીના ધબકારા.
કળીયુગમાં સીતારો બનતા,મહેનત  દેહને પડે અપાર
લાગણી,માયા,મોહ છોડતા,દેહઅનહદ તકલીફે ભેંટાય
પ્રભુપરીક્ષા દેહની દેતા,સહનશીલતા ભક્તિએ લેવાય
સફળજીવન બની જતાં,પ્રભુ પ્રેમે ઝંડો ઝોલી દઇ જાય
                                              ………ના આગગાડીના ધબકારા.

+++++++++++++++++++++++++++++++++++++

જીવનસંગીત

                                  જીવનસંગીત

તાઃ૨૬/૧૦/૨૦૦૯                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

અલખની અલબેલી લીલા,ના સમજી ના સમજાય
તાંતણે તાંતણા મળીને ચાલે,તોય દોર ના દેખાય
                                       …….અલખની અલબેલી લીલા.
માનવજીવન મહેંકી ઉઠે,ને જીવન સત્કર્મે સચવાય
કદમકદમ પર પ્રેમ મળે,જ્યાં પ્રભુ કૃપા મળી જાય
સુખદુઃખનો એ સથવાર રહે,જે ભક્તિએ તરી જવાય
મોહમાયાના છુટતાબંધન,જીવને શીતળતાદઇ જાય
                                       ……..અલખની અલબેલી લીલા.
સરગમનો સંબંધ સુરથી,સાંભળી શીતળતા  લેવાય
શાંન્તિ મનને દેતા સ્વરે,સ્પંદન પરમ પ્રેમના થાય
જીવનની જ્યોત ભક્તિએ,ને સંગીત સરગમે દેવાય
મળે જગમાં જ્યાં એ તાંતણે, જીવનસંગીત કહેવાય
                                      ……..અલખની અલબેલી લીલા.

====================================

પ્રદીપ એટલે?

ગુજરાતી ફીલ્મના સંગીતકાર અને મારામિત્ર શ્રી બ્રીજ જોષીના
ગ્રુપમાં હ્યુસ્ટન પધારેલા શ્રી રાણા કરણસિંહને થયેલ પ્રેરણાને
મને આપેલ ભાવનાપ્રેમને શબ્દ સ્વરુપે તેમની ઇચ્છાથી મુકુ છુ.

                                  પ્રદીપ એટલે ?

તાઃ૨૫/૧૦/૨૦૦૯          (હ્યુસ્ટન)            રાણા કરણસિંહ ગનુભા

પ્રદીપ એટલે ?         પ્રજ્વલીત દીપ
પ્રદીપ એટલે ?         દિવ્ય પ્રકાશ
પ્રદીપ એટલે ?         પ્રેમાળ જ્યોત
પ્રદીપ એટલે ?         પ્રેમનો દરીયો
પ્રદીપ એટલે ?         જ્ઞાનનો ભંડાર
પ્રદીપ એટલે ?         પ્રેમ કુંભ
પ્રદીપ એટલે ?         પ્રિય ભક્ત
પ્રદીપ એટલે ?         સેવા અને કૃપા
પ્રદીપ એટલે ?         કઠોર શ્રમ     
પ્રદીપ એટલે ?         સહકાર 
પ્રદીપ એટલે ?         ભક્ત ભુદરો
પ્રદીપ એટલે ?         દાસ
પ્રદીપ એટલે ?         દાસનો પણ દાસ
પ્રદીપ એટલે ?         વાહ
પ્રદીપ એટલે ?         સુગંધ અને સુવાસ
પ્રદીપ એટલે ?         ભાવનો ભંડાર
પ્રદીપ એટલે ?         કરુણાનો સાગર
પ્રદીપ એટલે ?         શ્રધ્ધા
પ્રદીપ એટલે ?         પ્રાર્થના
પ્રદીપ એટલે ?         પથીક
પ્રદીપ એટલે ?         ઉંચી ઉડાન
પ્રદીપ એટલે ?         તરવૈયો
પ્રદીપ એટલે ?         નભ વિહાર
પ્રદીપ એટલે ?         સાગરખેડુ
પ્રદીપ એટલે ?         મરજીવો
પ્રદીપ એટલે ?         મા ભોમનો ખેડુ
પ્રદીપ એટલે ?         ઉંડી સમજ
પ્રદીપ એટલે ?         પ્રવાસી
પ્રદીપ એટલે ?         સમીયલ વડલો
પ્રદીપ એટલે ?         વાલપનો દરીયો
પ્રદીપ એટલે ?         માનુ વાત્સલ્ય
પ્રદીપ એટલે ?         બાપુની છાયા
પ્રદીપ એટલે ?         ભારતમાતાનો સપુત
પ્રદીપ એટલે ?         વતનપ્રેમી
પ્રદીપ એટલે ?         ગરવો ગુજરાતી
પ્રદીપ એટલે ?         હિન્દુસ્તાની
પ્રદીપ એટલે ?         માણસાઇ
પ્રદીપ એટલે ?         માણસ પારખુ
પ્રદીપ એટલે ?         માનવ પ્રેમી
પ્રદીપ એટલે ?         મીઠાસ
પ્રદીપ એટલે ?         આવકાર
પ્રદીપ એટલે ?         પાણીની પરબ
પ્રદીપ એટલે ?         અન્નપુર્ણા પુત્ર
પ્રદીપ એટલે ?         ભંડાર
પ્રદીપ એટલે ?         મા શારદા પુત્ર
પ્રદીપ એટલે ?         મધુર સંગીત
પ્રદીપ એટલે ?         સરગમ
પ્રદીપ એટલે ?         સંગીત રસીક
પ્રદીપ એટલે ?         દર્દીલો ગાયક
પ્રદીપ એટલે ?        શિવ શક્તિ પુંજક
પ્રદીપ એટલે ?        સત્યનો રાહી
પ્રદીપ એટલે ?        ન્યાય
પ્રદીપ એટલે ?        વચન
પ્રદીપ એટલે ?        સાંઇ ચરણ
પ્રદીપ એટલે ?        સખો
પ્રદીપ એટલે ?        અમાસ રાત્રીનો પુંજ પ્રકાશ
પ્રદીપ એટલે ?        બીજનો ચંન્દ્ર
પ્રદીપ એટલે ?        પુનમનો ચાંદ
પ્રદીપ એટલે ?        શીતળ રાત્રી
પ્રદીપ એટલે ?        જલારામની ઝુંપડી
પ્રદીપ એટલે ?        ગુરુ આજ્ઞાકારી
પ્રદીપ એટલે ?        સદાય સ્વસ્થ યોગી
પ્રદીપ એટલે ?        પ્રસન્ન સ્મીત
પ્રદીપ એટલે ?        નાવીક (કપ્તાન)
પ્રદીપ એટલે ?        શ્રીફળ,કુંભ,સ્વસ્તીક
પ્રદીપ એટલે ?        પવિત્ર તિલક,જનોઇ
પ્રદીપ એટલે ?        ગાય-ગાયત્રી,ઉપાસક
પ્રદીપ એટલે ?        ભરેલુ તળાવ
પ્રદીપ એટલે ?        સમભાવના
પ્રદીપ એટલે ?        સહન શક્તિ
પ્રદીપ એટલે ?        હેમ શિખર
પ્રદીપ એટલે ?        ગરવો  ગિરનાર
પ્રદીપ એટલે ?        વિશ્ર્વાસ
પ્રદીપ એટલે ?        શુભ લાભ
પ્રદીપ એટલે ?        માન સરોવર
પ્રદીપ એટલે ?        ત્રિવેણી સંગમ
પ્રદીપ એટલે ?        પક્ષી કલરવ
પ્રદીપ એટલે ?        પવિત્ર ઝરણું
પ્રદીપ એટલે ?        રામાયણ ચોપાઇ
પ્રદીપ એટલે ?        ગીતા અધ્યાય
પ્રદીપ એટલે ?        ભાગવત સાર
પ્રદીપ એટલે ?        વેદ સમજ
પ્રદીપ એટલે ?        દ્વારીકાની છપ્પનસીડી
પ્રદીપ એટલે ?        ઔષધ પારખું
પ્રદીપ એટલે ?        ગામઠી નિશાળ
પ્રદીપ એટલે ?        સંબંધ -વીવેકી
પ્રદીપ એટલે ?        પથીકની કેડી
પ્રદીપ એટલે ?        સાચો પડોશી
પ્રદીપ એટલે ?        પોપટીયુ જ્ઞાન
પ્રદીપ એટલે ?         કથાકાર
પ્રદીપ એટલે ?        વાર્તાકાર
પ્રદીપ એટલે ?        આણંદનો આવકાર
પ્રદીપ એટલે ?        ઘંટાકર્ણ સેવક
પ્રદીપ એટલે ?        કવિતાનો રચનાર
પ્રદીપ એટલે ?        કવિતા (કવિરાજ)
પ્રદીપ એટલે ?        કવિતાનો પપીહો
પ્રદીપ એટલે ?        થનગનતો મોર
પ્રદીપ એટલે ?        કવિતાનો મહાસાગર
પ્રદીપ એટલે ?        ભોજનનો રસથાળ
પ્રદીપ એટલે ?        હ્યુસ્ટનની ડેલી
પ્રદીપ એટલે ?        આદર
પ્રદીપ એટલે ?        રક્ષક
પ્રદીપ એટલે ?        સ્વાસ્થતાનુ પ્રતીક
પ્રદીપ એટલે ?        ઉગતો સુર્ય
પ્રદીપ એટલે ?        વૃન્દાવન
પ્રદીપ એટલે ?        બ્રહ્મનો ભટ્ટ
પ્રદીપ એટલે ?      બ્રિજરાજ સખા
પ્રદીપ એટલે ?      ઉર્મીલ,ભાવીન,વિજય,મેહુલ,વિભુતી,કાજલ,બ્રિજકરણ નો ભેરુ.

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

કારતક સુદ સાતમ

                        કારતક સુદ સાતમ (૧૮૫૬/૨૦૬૬)
      
           પરમ પુજ્ય સંતશ્રી જલારામબાપાના પવિત્ર જન્મ દીવસે
તેમની સેવામાં આ કાવ્યો ભક્તિ પ્રેમ સહીત સમર્પણ.

                               સંકેત જન્મનો

તાઃ૨૫/૧૦/૨૦૦૯                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિ પ્રેમથી કરતા,ને વિરપુર ગામમાં રહેતા
           રાજબાઇ હતુ નામ,ને ઠક્કર પ્રધાનજી  ભરથાર
ધર્મ કર્મને સાચવી ચાલે,જીવનને કરવા ધામ
            આવે આંગણે કોઇ માનવી,જે અન્નદાને હરખાય
નીત સવારે પુંજા કરતાં,આંગણે દીવા પ્રગટાય
                                                   ……..ભક્તિ પ્રેમથી કરતા.
ભજન ભક્તિના અણસારમાં,પરિક્ષા કાયમ થાય
           આવે આંગણે કોઇસ્વરુપે,ના માનવીથી સમજાય
રધુવીરદાસજી આવ્યા દ્વારે,એક દેવાને અણસાર
           ભક્તિ તમારી પ્રભુ સ્વીકારે,ને ભવ સુધરશે આ
શ્રધ્ધા રાખી સ્નેહ કરીને,કરજો જીવને અન્નદાન
                                                      …….ભક્તિ પ્રેમથી કરતા.
જીવનેચાવીમળતા દ્વારની,ખુલતાંકૃપામળેઅપાર
            મોહમાયાના બંધન છુટે, જ્યાં સંતાને સેવા થાય
માન મળે સન્માન મળે,ને કુળપણ ઉજ્વળ થાય
            અવની પરના આગમને,આ જન્મ સફળથઇજાય
રામનામના સ્પંદન મળતા,પવિત્ર કામ જ થાય
                                                      ……..ભક્તિ પ્રેમથી કરતા.
પરમાત્માની સીધીદોરથી,સંત દઇ ગયાઅણસાર
            જન્મ ધરશે સંત બનવા,રાજબાઇનુ બીજુ સંતાન
મોટાબોઘાભાઇ,નાનાદેવજીભાઇ,નેવચેટ જલારામ
            રાખી શ્રધ્ધા રામનામમાં,લાવશે ભોજનનો ભંડાર
સંત સાધુને અતીથી સેવાએ,સફળ કરશે અવતાર
                                                         ……..ભક્તિ પ્રેમથી કરતા.

(((શ્રીરામ શ્રીરામ શ્રીરામ શ્રીરામ શ્રીરામ શ્રીરામ શ્રીરામ શ્રીરામ)))))

                      જલારામનો  જન્મદીવસ

                    ( ૧૪ નવેમ્બર ૧૭૯૯.)

વિરપુર ગામે મૃદંગ વાગે,જે પરમાત્માની કૃપા કાજે
ઠકકરકુળના પાવનકર્મે,ભક્ત જલારામનો જન્મઆજે
                                           …….વિરપુર ગામે મૃદંગ વાગે.
પ્રધાનજી પિતા થતાં આજે,સફળ માનવ જન્મ લાગે 
અવનીપરના આગમને,જ્યાં ભક્તિપ્રેમ ઉભરાતોઆવે
મા વીરબાઇની સેવા દીઠી,જે પરમાત્માએ ગ્રહણકીધી
જન્મ દઇ સંતાન સંતને,માનવ દેહ પાવન કરી લીધો
                                            ……વિરપુર ગામે મૃદંગ વાગે.
જન્મ કર્મના બંધન નિરાળા,અવનીપરએ સાથે ચાલે
વાણી વર્તન ને માનવધર્મ, કુદરતની કૃપા પણ લાવે
સીતારામના સ્મરણ ગગનથી,ઉજ્વળછત્ર પ્રભુનુલીધુ
જન્મ સફળનુ પગલુ લીધુ,પત્ની વિરબાઇના સહવાસે
                                         ………વિરપુર ગામે મૃદંગ વાગે.
પ્રાગજી સોમજીની સંસ્કારી દિકરી,સુખદુઃખની સંગાથી
માનઅપમાન દ્વારને તોડી,મહેંનત મનમાં જડી લીધી
આવતા આંગણે દેહમાનવી, પ્રથમ પીરસી અન્ન લીધુ
જીવને ટાઢક દેતા જગમાં,પ્રભુ પ્રેમને જ પામી લીધો
                                           ……..વિરપુર ગામે મૃદંગ વાગે.

જય શ્રીરામ જય જલારામ જય શ્રીરામ જય જલારામ જય શ્રીરામ 

                               સફળ  જન્મ

ભક્તિનો ભંડાર ભર્યો,ત્યાં પ્રભુ કૃપાનો થયો વરસાદ
ભોજલરામની સેવા લેતા,ઉજ્વળ જીવનનો અણસાર
                                                …….ભક્તિનો ભંડાર ભર્યો.
સંવત ૧૮૭૬માં સદાવ્રતથાય,જ્યાં અન્નદાન દેવાય
આંગણે આવતા ભક્તજનોને,પ્રેમથી ભોજન કરાવાય
નરનારીના આશીશ પામતા,પરમાત્મા પણ હરખાય
ભોજનના આંગણે આવી,પ્રભુ પણ ભીક્ષા માગી જાય
                                             ………ભક્તિનો ભંડાર ભર્યો.
દાનમાં ના આંટીઘુંટી કે,ના માનવસ્વાર્થ પણવર્તાય
સેવાને ભાવનાથી જોતાં,દાનમાં પત્ની જ્યાં દેવાય
શ્રધ્ધા વિરબાઇ માતાની,ને જલારામની પ્રિય ભક્તિ
ડંડો,ઝોળી દઇભાગ્યા રામ,વિરપુરગામબન્યુ ત્યાંધામ
                                              ……..ભક્તિનો ભંડાર ભર્યો.

(((( જય જલારામ જય જલારામ જય જલારામ ))))

મૃત્યુનો અણસાર

                       મૃત્યુનો અણસાર

તાઃ૨૪/૧૦/૨૦૦૯                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

મૃત્યુનો અણસાર મળે, તોય માયા દેહના છોડે
વળગી રહી દેહને એવી,ના જગના બંધન તોડે
                                        …….મૃત્યુનો અણસાર મળે.
મોહ મમતાને માયાનો,જગમાં સંબંધછે અનેરો
જન્મ ને જીવનો છે નાતો,તેમ દેતો જીવને હેલો
ક્યાંથી ક્યાં કે ક્યારે આવે,સુખદુઃખનો અણસાર
નામાનવી જગમાં પામીશકે,કૃપા પ્રભુની અપાર
                                     ………મૃત્યુનો અણસાર મળે.
સ્નેહ સંતાનને પારખી લેવા,માયા મહેંક જગાવે
જીવને જગમાં શાંન્તિ દેવા,જલાસાંઇ થઇ આવે
મુક્તિ દ્વાર ખોલવા કાજે,ભક્તિની ચાવી બતાવે
કુળ જન્મને સાર્થકકરવા,નીત દયાપ્રભુ વરસાવે
                                       ………મૃત્યુનો અણસાર મળે.
જન્મ મરણનો નાતો વણેલો,જીવથી એ જકડાયો
સાચીભક્તિ કરતાંજગમાં,નાજીવને ફરી મળનારો
દેહનાબંધન ને પ્રેમનાબંધન,જીવને વળગી ચાલે
મૃત્યુ જીવનુ સહર્ષ થાશે,ને ભાગશે જીવના બંધન
                                           …….મૃત્યુનો અણસાર મળે.

=====================================

ભભુતીનો ચમત્કાર

                        ભભુતીનો ચમત્કાર

તાઃ૨૪/૧૦/૨૦૦૯                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભલભલાને ભુમી ચટાડુ,એવો હું સમજદાર
અમેરીકાની લઇને ભભુતી,બતાવુ ચમત્કાર
                                       ……..ભલભલાને ભુમી ચટાડુ.
વિદેશોમાં હું વખણાતો,ને લઇને આવ્યો અહંકાર
બે આનાને હવે દઉ દબાવી, ડોલર બતાવી ચાર
રુપીયો ખણગતો અટકે,જ્યાં લીલી નૉટ બતાવુ
કેવીરીતે સમજાવુ તમને,હું કેવી જીંદગી વિતાવુ
                                       ………ભલભલાને ભુમી ચટાડુ.
ડગલેપગલે નમતાચાલો,તો ક્વાટર પેની દેખાય
નેવે ભણતર મુકીદેતાં,પગથી જીવનની મેળવાય
ના ભુવો કે ના ભભુતી,આતો દુરના ડુંગર કહેવાય
માનવજીવન મુકી દેતાં,અહીંયાં મશીનથી જીવાય
                                         ………ભલભલાને ભુમી ચટાડુ.
સ્નેહ દેખાવ છે ઉપરનો, ના અંતરમાં કાંઇ ઉભરાય
ભોળપણાનો એ લાભ લેતા,નિર્દોષ જ લપટાઇ જાય
ભક્તિ સાચી મેળવી જીવે,મુક્તિ માનવદેહથી લેવા
સતભુમીનો સહવાસ રાખી,જગે ચમત્કાર દુર કરવા
                                            …….ભલભલાને ભુમી ચટાડુ.

%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

પ્રેમની સીટી

                             પ્રેમની સીટી

તાઃ૨૩/૧૦/૨૦૦૯                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

કોણ ક્યારે કેવી રીતે, ક્યાંથી કેમ આવી જાય
પ્રેમની સીટી વાગતા ભઇ,મિત્રો જ મળી જાય
                                       ……..કોણ ક્યારે કેવી રીતે.
સ્નેહની સાંકળ મળી જતાં,હૈયે પ્રેમ ઉભરાઇ જાય
પાંદડેપાંદડેપ્રેમ સરી જાય,ત્યાં સુગંધપ્રસરી જાય
દુનીયાના અંધકારમાં,જીવનને જ્યોત મળી જાય
બ્રીજ મળી જતાં પ્રદીપને,હૈયે અનંત આનંદથાય
                                           ……..કોણ ક્યારે કેવી રીતે.
સ્વાર્થ ભરેલ સંસારમાં,દુઃખ સાગરમાં ડુબી જવાય
હલેસાના સહવાસમાં,ધીમેથી એ પ્રેમે તરી જવાય
શરણું જલાસાંઇનું  લેતાં,જીવનમાંમહેંક આવી જાય
આંગણે આવતા મિત્રોથી,આંખમાં આંસુ આવીજાય
                                              …..કોણ ક્યારે કેવી રીતે.
લાગણીની ના માગણી,તોય પરેશભાઇ દઇ જાય
સાથીઓના સહવાસ દેવા,અમારે ઘેર આવી જાય
કલાપ્રેમની જ્યાં જ્યોત જલે,ત્યાં ભક્તિ પ્રેમે થાય
ના દેખાવના મહેલ મળે,તો ય આંગણું મહેંકી જાય
                                              ……..કોણ ક્યારે કેવી રીતે.

*******************************************

ઘેરા વાદળ

                               ઘેરા વાદળ

તાઃ૨૩/૧૦/૨૦૦૯                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિરખી ગગનમાં અંધકાર, નૈનો કાયમ ઢળી પડે
અણસાર મેઘરાજાનો થાય,વાદળ ધેરા ફરી વળે
                                       …..નિરખી ગગનમાં અંધકાર.
શનનન કરતી લહેર પવનની,મૃદુતા દેતી જાય
મહેંક મનને મળી જતા,જીવન લહેર પામી જાય
કુદરતનો સંકેત થતાં,માનવમન પ્રજ્વલીતથાય
અણસારની ચિનગારીએ જ,પ્રભુ કૃપા મળી જાય
                                     ……..નિરખી ગગનમાં અંધકાર.
વિજળીનો ચમકાર નિરખી,માનવતા જાગી જાય
માટીની સોડમ મળી જતાં,દેહે માનવતા મહેંકાય
મેઘરાજાના આગમનનો,જગે અણસાર મળી જાય
પૃથ્વી પરનો આનંદ અનેરો,ઘેરા વાદળ દઇ જાય
                                     ……. નિરખી ગગનમાં અંધકાર.

###################################

પ્રભાતમાં શરણું

                        પ્રભાતમાં શરણું

તાઃ૧૯/૧૦/૨૦૦૯                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

શિવજીનું મેં શરણું  લીધુ,પ્રભુ પાવન જીવન દેજો
પ્રેમે અમારી ભક્તિ સ્વીકારી,ઉજ્વળ જીવન કરજો
                                           ………શિવજીનું મેં શરણું લીધુ.
સવાર સાંજમાં જ શ્રધ્ધા રાખી,સ્મરણ તમારુ કરતો
મોહમાયાના બંધન છોડવા,ૐ નમઃ શિવાય જપતો
જગજીવનમાં નીતસવારે,ભક્તિદીપ હું ચરણે ધરતો
લેજો સ્વીકારી દેજો પ્રેમ,આત્માનો એ જ છે અભરખો
                                             ……..શિવજીનું મેં શરણું લીધુ.
મા પાર્વતીની સેવામાં સદા,હું ધ્યાન મનથી રટતો
કરુણા પામી મોહ છોડી, માનવ જીવન ચરણે ધરતો
સંતાનબનીને રહેવાશરણે,મા વિનંતી મનથી કરતો
પકડીહાથ અમસૌનો માડી,મુક્તિ સંગે અમારી રહેજો
                                               …….શિવજીનું મેં શરણું લીધુ.

+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+

પ્રેમની તાકાત

              પ્રેમની તાકાત
 
તાઃ૧૭/૧૦/૨૦૦૯     (હ્યુસ્ટન)      પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
પ્રેમની તાકાત ભઇ એવી,ના જગમાં એ દીસે ઓછી
           આણંદથી હ્યુસ્ટન લઇઆવી,મારા મિત્ર બ્રીજ જોષી
 
સંગીતના તાલ મેળવી,જ્યાં કદમ મીલાવી ચાલ્યા
          પ્રેમની જ્યોત જલાવી ત્યાં મિત્રો ભેગા થઇને હાલ્યા
આણંદની શેરીઓમાં સૌ,જેના પ્રેમથી ગુણલા ગાતા
          લાવ્યા સરગમ પ્રેમની અહીં,ના જેની જગમાં ગાથા
 
સંમ્રાટ બની સંગીતના,ભક્તિ મા સરસ્વતીની લીધી
         ના માન અપમાનની  કેડી,કે ના અભિમાનની સીડી
સાંકળ પ્રેમની છેએવી,ના જગમાં એ કોઇથી અજાણી
         તોય દીઠા ના મેં તમે,કેના તેની પ્રેમમાં કંઇ માગણી
 
મળે સ્નેહ ને માયા,જેમ સાંકળના જગમાં છે બંધન
         કડીકડીનો મેળ રહે,ત્યાં સદા હૈયામાં પ્રેમના સ્પંદન
મેળવી પ્રેમ જગતમાં,જ્યાં જીવનમાં ઉજ્વળતા લાવે
         પવિત્રભાવનાને માયા જે સદાઆનંદ હૈયે લઇ આવે
 
સંગીતની સરગમ લઇને,શ્રી બ્રીજ જોશી આગળચાલે
         તાલના બંધન રાખવાને,ઢોલી મસ્તીથી ઢોલ વગાડે
વાંસળીના વ્હેણ લઇને,મધુર સંગીતના સુર જમાવે
         મંજીરાના રણકાર મળે,મળતા જે હ્રદયે સુર જગાવે
 
અંતરાની આંટીધુટીમાં રહેતા,સરગમ પકડી સૌ ચાલે
        હૈયે હેત વરસે ને ઉભરે પ્રેમ,ને સાંભળતા સ્નેહ લાવે
મળે પ્રદીપને પ્રેમઅનેરો,જે પ્રેમની તાકાત લઇ આવે
       આવશે આંગણે પ્રેમ સઘળો,સૌ સંગીતના સહભાગીનો
 
===============================
       આણંદથી મારા મિત્ર અને મા સરસ્વતીના સંતાન શ્રી બ્રીજભાઇ જોશી
અહીં હ્યુસ્ટન આવ્યા અને મને મળવાની તક મળી તેની યાદ રુપે આ લખાણ પ્રેમ
સહિત અર્પણ કરુ છુ.લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા પરીવારના સપ્રેમ જય જલારામ.
    તાઃ૧૭/૧૦/૨૦૦૯   શનીવાર  આસો વદ-૧૪(કાળી ચૌદસ) સં.૨૦૬૫

मिलता है

                             मिलता है

ताः१६/१०/२००९                    प्रदीप ब्रह्मभट्ट

सच्चे दीलसे काम करो, तुम्हे साथ मिलता है
मनसे भक्ति करते चलो, प्रभुका प्यार मिलता है
                                      ……..सच्चे दीलसे काम करो.
अवनीके बंधनसे जीवको,मुक्तिका द्वार मिलता है 
सच्चीराहपे चलके  दिलसे,संतोको सन्मान देना है
जगके बंधन छोडकेजीवको,मुक्तिका मार्ग लेना है
मिलतीहै राह सच्ची,ओर प्रभुका प्यार मिलता है
                                       ……..सच्चे दीलसे काम करो.
जिंदगीकी हर मोड पे,जब दीलसे महेनत मिलती है
पाता वो इन्सान सबकुछ,जो पैसोसे नहीं मिलता है
इन्सानियत जब दीलमें बसीहो,मंझील पास आती है
उज्वलजीवन होजाता तब,जीवनमे शांन्ती मिलती है
                                          ……..सच्चे दीलसे काम करो
आनाजाना बंधन है कर्मोका, ना कोइ छुट पाया है
भक्तिभावका नाता है जगमें,ना उसमे कोइ बाधा है
प्रेम प्रभुसे दीलसेहोगा,जीवन जगमे पावन मिलता
आयेगी ना व्याधी कोइ,जहां प्यार जलासांइका होता
                                       ………सच्चे दीलसे काम करो.

————————————————–

કેટલા વાગ્યા

                         કેટલા વાગ્યા

તાઃ૧૫/૧૦/૨૦૦૯                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમયને પકડી ચાલતા,માનવ મહેંક મેળવી જાય
ઉજ્વળ જીવન મળી જતાં, જન્મ સફળ પણ થાય
                                      ……..સમયને પકડી ચાલતા.
દેહ મળે જ્યાં અવનીએ,જીવના બંધન મળી જાય
કરતા કામ માનવતાથી,ત્યાં સ્નેહની વર્ષા જ થાય
સરળતાના બંધન પણ ચાલે, ના સમય છુટી જાય
પગલે પગલુ સાચવે,ત્યાં સમયની ઓળખાણ થાય
                                          …..સમયને પકડી ચાલતા.
માટીની જ્યાં મમતાછુટે,ત્યાં જીવન ધન્ય થઇ જાય
પરમાત્માની કૃપા મળે જ્યાં,પાવન પવન લહેરાય
આગમનઅવનીએ મુક્તિમળે,નેશરણુ પ્રભુનુ લેવાય
સમય ના રાહ જુએ ક્યાંય,ને ક્યારે જીવન પુરુથાય
                                            ……..સમયને પકડી ચાલતા.

===========================================

ક્યારે મળે?

                                ક્યારે મળે?

તાઃ૧૪/૧૦/૨૦૦૯                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

આંખ ખુલી જ્યાં પારણે,ત્યાં ચહેરો માનો દેખાય
મા સાંભળતા કાનથી,આંખમાં પાણીઆવી જાય
                                         ……..આંખ ખુલી જ્યાં પારણે.
મમતા હૈયેથી નીકળે,ના જગમાં કોઇથીએ કહેવાય
માણીલે માના હેત પ્રેમ,જે માની કૃપાએ મળી જાય
ઉજ્વળ પ્રેમના  સોપાન મળે,ને જન્મ સફળ દેખાય
ક્યારે મળે પ્રેમમાબાપનો,જ્યારે હૈયેથી વંદન  થાય
                                             ……..આંખ ખુલી જ્યાં પારણે.
કરુણાના સાગરમાં નાવડી,માના પ્રેમથી ચાલી જાય
આશીર્વાદની વર્ષામાં સાથે,મહેનતના હલેશા લેવાય
મળી જાય સાથ  ભક્તિનો,હળવાસ જીવને મળી જાય
ક્યારે મળે કરુણા પ્રભુની, જ્યારે મનથી પુંજન   થાય
                                               …….આંખ ખુલી જ્યાં પારણે.
મળે સ્નેહ ને પ્રેમ બધે,જ્યાં સંસ્કાર સાથે ચાલી જાય
ડગલુ માંડતા સહવાસ મળે,જે સફળતાએ દોરી જાય
મન મનન અને માનવતા,સાચા પ્રેમની રાહે વણાય
ત્યારે મળે અનોખુ જીવન,જેની જગમાં દેખાય છે ખોટ
                                              ………આંખ ખુલી જ્યાં પારણે.

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

માન અને સન્માન

                        માન અને સન્માન

તાઃ૧૨/૧૦/૨૦૦૯                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

સૃષ્ટિના સહવાસમાં રહેતા,માનવીનેસથવાર મળી જાય
જન્મ મળતાં મનુષ્યનો, માન  અને સન્માન   મળી જાય
                                                  ……સૃષ્ટિના સહવાસમાં રહેતા.
કુદરતની આ લીલામાં સંસારની સીડીએ,પ્રેમ દેખાઇ જાય
નાનકડા દેહના આગમનેઘરમાં,માબાપને માન મળી જાય
હરખાતે હૈયે  નીરખતાં,બાળક પર વ્હાલપ્રેમ ઉભરાઇ જાય
આવીને સમાજની લહેરમાં,સંતાનનુ એ માન મેળવી જાય
                                                    …….સૃષ્ટિના સહવાસમાં રહેતા.
મહેનત મનથી કરતાંજગમાં,વ્યાધી સૌ ત્યાંથી ભાગી જાય
સફળતાની અનેક લહેર મળતા,જગમાં સન્માન મળી જાય
મહેંક મહેનતની ને ઉજ્વળ આ જીવન,ભવિષ્યમાં થઇ જાય
માનની દોરીજ જીવથી છુટતાં,જગતમાં સન્માન મળી જાય
                                                  ……..સૃષ્ટિના સહવાસમાં રહેતા.

+++++++++++++++++++++++++++++++++++++

કેવી રીતે આવુ?

                       કેવી રીતે આવુ?

તાઃ૧૨/૧૦/૨૦૦૯                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

સવાર થતાં હું રાહ જોઉ, ક્યારે થવાની સાંજ
આજની સાંજ થઇજતાં,વિચારુ કાલની સવાર
                               ……..સવાર થતાં હું રાહ જોઉ.
સોમવારની તો સવારપડી,પછી થઇ છે સાંજ
ક્યારે આવશે શનીવાર,પછીતો નક્કી રવિવાર
પંદરદિવસથી તારીખજોતો,ક્યારે આવશે બાર
મળવાની મને માયાતુજથી,લેવાનેતારો પ્યાર
                                   ……સવાર થતાં હું રાહ જોઉ.
ઘરના તો  સૌ આતુર બની, તારી જુવે છે રાહ
આવજે હૈયે પ્રેમ રાખી, લેજે મનથી સૌના હેત
ઉમળકાની હદ નથી,અને ના તેમાંપુર્ણ વિરામ
સ્વપ્નાને સાકાર કરવા,દેજે જીવનમાંમને સ્નેહ
                                    …….સવાર થતાં હું રાહ જોઉ.
પ્રેમના પુષ્પ પાથર્યા દ્વારે, વાટ તારી સૌ જુએ
બનીગયાસૌ આતુરહવે,ત્યાં રણકી ફોનની રીંગ
મને બોલાવ્યો તેનેઘેર,ઉતાવળમાં થઇ તકલીફ
લેંઘામાં ના નાડું હતુ,તમેકહોહુ કેવી રીતે આવુ?
                                     …….સવાર થતાં હું રાહ જોઉ.

(((((()))))))((((((()))))))((((((()))))))((((())))))(((()))

શિયાળાની શીતળતા

                        શિયાળાની શીતળતા
 
તાઃ૧૧/૧૦/૨૦૦૯                            પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
પવનની મીઠી લહેર મળે,ને ઉમંગ આનંદ વિભોર
હૈયે ઉભરે હેત કુદરતથી, એ છે  શિયાળાની પહોર
                                     ……પવનની મીઠી લહેર મળે.
પંખીડાનો મીઠો કલરવ, ને ફરર ફરર ઉડતા જાય
ચકલીની ચીંચીં સંભળાય,ત્યાં કોયલનો ટહુકોથાય
મધુરપવન મહેંક લાવે,જે જીવનને મહેંકાવી જાય
કરુણામાનવીપરપ્રભુની,મહેનતથી જીવન હરખાય
                                      ……પવનની મીઠી લહેર મળે.
પરમાત્માની  દ્રષ્ટિ નિરાળી,સુર્ય કીરણથી મેળવાય
કોમળતા કીરણોની અવનીએ,પ્રભાતે પામી લેવાય
ઠંડોપવન ને ઠંડી લહેર,જગતજીવને શાંન્તિ દેવાય
મળી જાય પ્રેમ કુદરતનો,ત્યાં જીવન પાવન થાય
                                       ……પવનની મીઠી લહેર મળે.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@

કળીયુગમાં રસ્તો

અત્યારના યુગમાં થયેલા અનુભવને કાવ્ય સ્વરુપ આપેલ છે.
સત્યતાની સાંકળ જોતા આ પ્રેરણા થઇ છે.

                        કળીયુગમાં રસ્તો

તાઃ૧૧/૧૦/૨૦૦૯                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગામમાં કોઇ પુછે નહીં,ને શહેરમાં ના કોઇ જાણે
દેશની વાતતો નામનાય,ને જગતે સ્વપ્નુ લાગે
                                               ……..ગામમાં કોઇ પુછે નહીં.
ભણતરમાં નામગજ દોડ્યુ,ને ના સમજ કોઇ આવી
પાટી પેન પકડી હાથમાં,પણ તોય મતી ના માની
કર્યો પ્રયત્ન માબાપે ખુબ,પણ ના બુધ્ધી કંઇ ચાલી
ગામમાં કોઇ ના રહેતા આરો, હું મુંઝવણમાં મુઝાયો
                                                   ……ગામમાં કોઇ પુછે નહીં.
સોપાન મળ્યા ભણતરના,પણ ના મેળ પડે નોકરીનો
નાખી અરજી ઘણીજગાએ,તોય નામળી કોઇ નિશાની
મહેનત મનથીય કરી ઘણી,ને આંખમાં આવ્યા પાણી
મુંઝવણ જીવનને વળગીગઇ, ઉંમર પણવધતી ચાલી
                                             ………..ગામમાં કોઇ પુછે નહીં.
ધાર્મીક સ્થાનની મુલાકાતે,એક મનમાં સમઝણ આવી
સફેદકપડાં પહેરી લેતાં,સમજી લીધો એક સરળ રસ્તો
ના ભણતર કે નોકરીનીચિંતા,દમડી સૌ આવીદઇજાય
ભગવુ મળતા સેવક મળે,ને લહેર જીવનમાં થઇ જાય
                                               ……….ગામમાં કોઇ પુછે નહીં.

=========================================.

ભુખ

                                 ભુખ

તાઃ૧૦/૧૦/૨૦૦૯                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

દેહ મળે અવનીએ જીવને, જન્મ મરણ મળી જાય
પૃથ્વી પર સોપાન ચઢવા,દેહને ભુખ વળગી જાય
                                     ……..દેહ મળે અવનીએ જીવને.
જન્મ મળતાં જીવને જગ પર,મા બાપ મળી જાય
બાળપણની સીડી પકડતાં,પ્રેમની ભુખ લાગી જાય
મળે માબાપનો પ્રેમ હૈયેથી,બાળક પ્રેમે મલકીજાય
ઉન્નત સ્નેહ ને આશીશ મળે,ત્યાં જીવન મહેંકી જાય
                                         ……..દેહ મળે અવનીએ જીવને.
બાળપણથી બારાખડી તરફ,જ્યાં જીવન ચાલતુ થાય
મળે જ્ઞાનની સીડી ગુરુથી,જેની ભુખે વિદ્યા મળી જાય
મહેનત મનથી કરતાંસાચી,ભવિષ્ય ઉજ્વળ થતું જાય
ના ચિંતા દેહને જગમાં,કેના કોઇ તરફ હાથ લંબાવાય
                                          ……..દેહ મળે અવનીએ જીવને.
પ્રેમ મળ્યો જ્યાં માબાપનો, ત્યાં બાળપણ મહેંકી  જાય
ભણતર એ ચણતર જીવનનું,આશીશ ગુરુજીની લેવાય
જન્મમરણના બંધન છોડવા,ભક્તિની ભુખ લાગી જાય
પરમાત્માની કૃપા મળે જીવને,જ્યાં સંતોની સેવા થાય
                                           ……..દેહ મળે અવનીએ જીવને.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

આસોપાલવના તોરણીયા

                       આસોપાલવના તોરણીયા

તાઃ૭/૧૦/૨૦૦૯                                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવના બંધન છોડવા,આસોપાલવના તોરણીયા બંધાય
જન્મમરણની મુક્તિમાગવા,માડીમારે આંગણે દીવાથાય
                                                  ……..જીવના બંધન છોડવા.
થઇકૃપા પરમાત્માની,ત્યાં અવનીએ માનવ જન્મમળ્યો
કરુણા જીવ પર કરી જ્યારથી, ભક્તિ પ્રેમથી કરી લીધી
આંગણેઆવી માડી રોજ સવારે,મને પ્રેમથી આશીશદેતા
માનવમન ના સમજી શકે, ભાવના ભક્તિની છે નિરાળી
                                                  ……..જીવના બંધન છોડવા.
અવસરના જ્યાં દ્વાર ખુલે, ત્યાં જીવ પ્રસંગોમાં ભરમાય
શોધતા માયામોહ જગતના,ના દુશ્મન કોઇ જગે દેખાય
મળે બંધનજગના જ્યાં જીવને,ત્યાં પૃથ્વીએ જ લપટાય
ના છુટે જીવ જન્મ મરણથી,જ્યાં દેહથી છટકવાને જાય
                                                 ………જીવના બંધન છોડવા.‌‌‌

####################################