Posted on January 27, 2012 by Pradip Brahmbhatt
જીભને લગામ
તાઃ૨૭/૧/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આગળ પાછળનો વિચાર કરતાં,ના આફત કોઇ અથડાય
સરળતાનીકેડી મળે જીવનમાં,જ્યાં જીભને લગામ રખાય
. ………..આગળ પાછળનો વિચાર કરતાં.
માનવમનને તકલીફ મોટી,ના જગતમાં કોઇથી છટકાય
રાજા,રંક,સંસારી કેસાધુ જીવને,ઘણા અવસર મળી જાય
ડગલેપગલે ના મળતી વ્યાધી,એકજ જીવન વેડફી જાય
જીભ સાચવી લેતાં માનવીને,નાવ્યાધી આવીને અથડાય
. …………આગળ પાછળનો વિચાર કરતાં.
દેખાવનો દરીયો છે મોટો જગતમાં,સમજીને તરી જવાય
વાણી,વર્તન એ પણ કડી છે એવી,જે સૌથી ના સમજાય
કૃપા મળે જ્યાં જલાસાંઇની,ત્યાં સદમાર્ગે જ જીવ દોરાય
આફતનો નાકોઇઅણસાર મળે,કે નાકોઇ ખોટુવર્તન થાય
. …………આગળ પાછળનો વિચાર કરતાં.
======================================
Filed under: પ્રાકૃતિક કાવ્ય | Leave a Comment »
Posted on January 26, 2012 by Pradip Brahmbhatt
ભાગજે
તાઃ૨૬/૧/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભાગજે ભાઈ ભાગજે,નહીં તો જ્યાં ત્યાં ઝંઝટ આવશે
સમજી વિચારી ચાલજે,નહીંતો ઘરમાંય આગ લાગશે
. …………..ભાગજે ભાઈ ભાગજે.
કળીયુગની કેડી દીસે છે ન્યારી,પણ સંભાળીને ચાલજે
પગલે પગલુ સાચવી લેતા,સરળતા જીવનમાં આવશે
માયાની જ્યાં નજર પડે,ત્યાં દેખાવથી દુર તું ભાગજે
જગતમાં મોહનીકાતર છેએવી,જે જીંદગી વેડફી નાખશે
. ………….ભાગજે ભાઈ ભાગજે.
પ્રીતની પપુડી વાગે છે બહુ,તેનાથી જીવને તું બચાવજે
શાંન્ત મનથી જે મળશે સરળતા,જે ભવોભવને સુધારશે
સમયની કેડી સરળબને,જ્યાં ભક્તિનો સંગ સદા રાખજે
નિર્મળ જીવન જીવી જતાં,બની જશે આજીવન ઉજ્વળ
. …………..ભાગજે ભાઈ ભાગજે.
===================================
Filed under: પ્રાકૃતિક કાવ્ય | Leave a Comment »
Posted on January 25, 2012 by Pradip Brahmbhatt
મળેલ સંગાથ
તાઃ૨૭/૧/૨૦૧૧ (આણંદ) પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તિનો પકડ્યો મેં હાથ,મને મળી ગયો જીવનમાં સાથ
જીવન જીવવાને કાજહવે,મેંતો માણીલીધો સાચો સંગાથ
. ……………..ભક્તિનો પકડ્યો જ્યાં હાથ.
નિત્ય સવારે નીજ મુખથી,શાંન્તિથી સ્મરણપ્રભુનુ થાય
શીતળતાની સાંકળ મળતાં,જીવ સાચી ભક્તિએ સંધાય
મોહ ને મનથી દુર કરતાં,જીવનમાં માયા અળગી થાય
જલાસાંઇના સ્મરણમાત્રથી,જીવનીપળપળ પાવન થાય
. …………….ભક્તિનો પકડ્યો જ્યાં હાથ.
આજકાલની ના ઝંઝટ કોઇ,એ તો તનથી દુર જ જાય
મનને શાંન્તિ મળી જતાં,દેહથી વ્યાધીઓ ભાગી જાય
ભક્તિના જ્યાં દ્વાર ખુલે,ત્યાં માનવતાને પણ મેળવાય
જીવનાબંધન દુર ભાગતાં,મળેલ જન્મ સફળ થઈ જાય
. ……………..ભક્તિનો પકડ્યો જ્યાં હાથ.
*****************************************
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on January 23, 2012 by Pradip Brahmbhatt
શીતળતા
તાઃ૨૩/૧/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
લીધી કેડી જીવનમાં,જ્યાં પ્રેમ સાચો મળીજાય
નિર્મળ રાહને મેળવી લેતાં,જીવન શીતળ થાય
. ……………લીધી કેડી જીવનમાં.
ઉજ્વળ જીવન સગે લેતાં,મોહમાયા ભાગી જાય
શીતળતાનો સાથ મળતાં,આધીવ્યાધી દુર જાય
એક કેડી જીવનમાં એ છે,જે ભળતરથી મેળવાય
શ્રધ્ધા રાખી મહેનત કરતાં,દેહને રાહ મળી જાય
. …………….લીધી કેડી જીવનમાં.
લાગણીમોહને દુર કરતાં,સાચા સંસ્કારને સચવાય
વડીલને વંદન મનથી કરતાં,આશીર્વાદ મળી જાય
ભક્તિનોસંગ મનથી મેળવતાં,ઘર પવિત્ર થઈ જાય
સાચી કૃપા પામવા કાજે,પ્રભુની માળા મનથી થાય
. ……………..લીધી કેડી જીવનમાં.
++++++++++++++++++++++++++++++++++++++
Filed under: ભક્તિ કાવ્યો | 1 Comment »
Posted on January 23, 2012 by Pradip Brahmbhatt
નાતજાત
તાઃ૨૩/૧/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નાતજાતની ના કોઇ વ્યાધી,જ્યાં સંત સાંઇને ભજાય
ઉજ્વળ માનવ જીવન જીવતાં,ભક્તિ સાચી થઈજાય
. …………….નાતજાતની ના કોઇ વ્યાધી.
કળીયુગી કલમ સૌને મળતી,સમજી સાચવી પકડાય
જન્મસફળ કરવાને કાજે,મનથી નાતજાત તરછોડાય
મળે પ્રેમ અલ્લા ઇશ્વરનો,જે સાંઇ કૃપાએ જ મેળવાય
સુખશાંન્તિની વરસેવર્ષા જીવે,એ સાચી ભક્તિકહેવાય
. ……………..નાતજાતની ના કોઇ વ્યાધી.
નિર્મળભાવના સંગે રાખી,જ્યાં સંત સાંઇબાબાને પુંજાય
પળેપળે ૐ સાંઇનાથાય નમઃથી,જીવનેશાંન્તિ મળીજાય
મુક્તિમાર્ગની કેડીમળતાં,જીવને સંતસાંઇના દર્શન થાય
ભક્તિસાચી ભાવથી કરતાં,ભવોભવના બંધન છુટી જાય
. ……………..નાતજાતની ના કોઇ વ્યાધી.
==================================================
Filed under: Uncategorized | Leave a Comment »
Posted on January 22, 2012 by Pradip Brahmbhatt

.
.
.
.
.
.
.
.
.
.
.
.
પ્રેમની પકડ
તાઃ૨૨/૧/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમ અમારો લાવ્યો ખેંચી,આપછો સરસ્વતી સંતાન
નટવરભાઇને મળતા મળ્યો,અમને કલાનો સંગાથ
. ……………………..પ્રેમ અમારો લાવ્યો ખેંચી.
હ્યુસ્ટન આવ્યા કલાને કાજે,દેવા સ્વતંત્રતાનો પૈગામ
પકડી ઉજ્વળ કેડી જીવનમાં,જે ગૌરવને પાત્ર ગણાય
સાહિત્યસરીતા વહે હ્યુસ્ટનમાં,પ્રેરાયગુજરાતી બોલનાર
આવ્યા આજે કલાનાપ્રેમી,જે ગૌરવ ગુજરાતનું કહેવાય
. …………………………પ્રેમ અમારો લાવ્યો ખેંચી.
માતૃભુમીની માયા સૌને,છોને વિદેશમાં એ વસતા હોય
મળે જ્યારે એદેહ એક બીજાને,ના ભેદભાવ કોઇજ હોય
નટવરભાઇની સિધ્ધી અનેક,તોય સ્ટેજના પાત્રે દેખાય
ના ઓળખાય એ નામથી,એ જ તેમની સિધ્ધી કહેવાય
. ……………………….પ્રેમ અમારો લાવ્યો ખેંચી.
અમેરીકાની આ ધરતી પર,ગૌરવ બની રહ્યા ગુજરાત
અભિમાનની ઉચી કેડી મળી,તોય ના સંસ્કારને છોડાય
ગુજરાતીનુ ગૌરવતમે,તેમ સાહિત્ય પ્રેમીઓથી બોલાય
મળ્યો અમને પ્રેમ તમારો,તેમ લઈ જજો અહીંથીઅપાર
. ………………………..પ્રેમ અમારો લાવ્યો ખેંચી.
==========================================
શ્રી નટવરભાઇ ગાંધી હ્યુસ્ટનમાં પ્રથમ સંસ્થાના લાભાર્થે નાટક લઇને આવ્યા છે.
તે કલા અને સાહિત્ય પ્રેમીનો અહીંના ગુજરાતી સાહિત્ય સરીતાના સભ્યોને લાભ મળ્યો.
તેની યાદ રૂપે આ લખાણ પ્રેમથી અર્પણ કરું છું
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ હ્યુસ્ટન. તા: ૨૨/૧/૨૦૧૨ રવિવાર
Filed under: પ્રાસંગિક કાવ્યો | Leave a Comment »
Posted on January 21, 2012 by Pradip Brahmbhatt
. અપેક્ષા કાલની
તાઃ૨૧/૧/૨૦૧૨ .પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવમનની એકજ વ્યાધી,ના આજને ઓળખાય
આવતી કાલની અપેક્ષાએ,વર્તમાનને વેડફી જાય
. ………………માનવમનની એકજ વ્યાધી.
પરમાત્માની અજબલીલા,જીવને જન્મતા મળી જાય
સમજની સીડી સરળ છે એવી,જગે સૌને એ સમજાય
મળેલ બુધ્ધિની શક્તિએવી,દેહનામાર્ગ સરળકરીજાય
મળે શાંન્તિ જીવનેજ સાચી,ના અપેક્ષા કાલની રખાય
. ………………માનવમનની એકજ વ્યાધી.
માનવી મનની વ્યાધી એવી,જે સમયને પારખી જાય
સમજણની સાચીકેડી દેહને,સાચા આશીર્વાદેમળી જાય
અપેક્ષા રાખી જીવન જીવતાં,અંત કોઇથી નાઓળખાય
મોહ માયાના બંધનમાં રહેતા,જીવ જન્મેજન્મ ભટકાય
. ……………..માનવમનની એકજ વ્યાધી.
+++++++++++++++++++++++++++++++++=
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on January 20, 2012 by Pradip Brahmbhatt
………………..સાંકળ સ્નેહની
તાઃ૨૦/૧/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીંદગીની સરળ છે સરગમ,જ્યાં પ્રેમભાવ વહેંચાય
નિર્મળપ્રેમ જગતમાં એવો,સ્નેહની સાંકળથી બંધાય
. ……………જીંદગીની સરળ છે સરગમ.
મારુતારુ ને માળીયેમુકતાં,જીવે નિર્મળતા મળીજાય
અંતરમાં ઉભરે પ્રેમસાચો,ત્યાં મોહમાયા ભાગી જાય
અનંત જીવો ખડબદ જીવે,ને આ તેનાથી બચી જાય
સાચી રાહ મળે ભક્તિથી,જે સાચાસ્નેહથી મળી જાય
. ……………જીંદગીની સરળ છે સરગમ.
પ્રેમસાચો પામવાજગતમાં,લાયકાતકૃપાએ મેળવાય
ભક્તિભાવને સાચવી જીવતાં,સંતથી રાહ મળી જાય
મળેપ્રેમ અનેક જીવોનો,જે સ્નેહની સાંકળ બની જાય
અંત આવતા દેહનો અવનીએ,મુક્તિ ધામ મળી જાય
. …………..જીંદગીની સરળ છે સરગમ.
=============================
Filed under: પ્રાકૃતિક કાવ્ય | Leave a Comment »
Posted on January 19, 2012 by Pradip Brahmbhatt
……………….बाबाका प्यार
ताः१९/१/२०१२ प्रदीप ब्रह्मभट्ट
बाबा मेरे बहोत निराले,सब भक्तोको प्यार करे
आये जो चरणोंमें उनके,सुखशांन्ति जीवनमें दे
………….बाबा मेरे है बहोत दयालु,बाबा मेरे बहोत दयालु.
निर्मळप्रेमसे भक्ति जो करते,श्रध्धा मनके साथ
आकर प्यार देते प्रभुका,होजाये जीवका कल्याण
मीलतीरहेम भक्तोकोदीलमें,और भेदभाव दुरजाय
पाकर प्रेम बाबाका दीलसे,खुशहाल जीवनहो जाय
………….बाबा मेरे है बहोत दयालु,बाबा मेरे बहोत दयालु.
विश्वास मनमें रखकेआये,खालीहाथ कदी नाजाये
कृपा बाबाकी मीलजाती,तो मुक्ति जीवकोमिलती
उज्वळ जीवन मिल जानेसे,भक्तिभाव मिल जाये
जन्म सफळ होजाय जीवका,मुक्ति द्वारपे आती
………….बाबा मेरे है बहोत दयालु,बाबा मेरे बहोत दयालु.
+++++++++++++++++++++++++++++++++
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on January 18, 2012 by Pradip Brahmbhatt
………………નજરની રીત
તાઃ૧૮/૧/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નજર નજરમાં ફેર છે,આ તો કળીયુગના છે ખેલ
મીઠીપડે નજર કોઇની,ઉજ્વળતાનો પડે ત્યાં મેળ
. ……………………..નજર નજરમાં ફેર છે.
સુખસાગરનો સાથ મળે તો,ઉજ્વળ થઈ જાય દેહ
ના અપેક્ષા કોઇ રહે,કે ના કોઇ રહે જીવનમાં મોહ
નજરકોઇની ત્યાંબગડે,જ્યાં બીજાને સુખી જોવાય
બગડે જીવનનીસરળકેડી,જ્યાંનજર ખોટીપડીજાય.
. …………………………નજર નજરમાં ફેર છે.
મોહમાયાની ના ઝપટ કોઇ,પ્રભુ કૃપા જ મળી જાય
દરેકપળે રક્ષણથાય જીવનું,એ સરળમાર્ગથી દેખાય
ખોટી નજર નડે કદીના,જ્યાં ભક્તિનો મળે છે સાથ
તરીજવાય ભવસાગરપ્રેમે,જે સાચાસંતોથી મેળવાય
. . ………………………નજર નજરમાં ફેર છે.
===================================
Filed under: પ્રેમગીત | Leave a Comment »
Posted on January 17, 2012 by Pradip Brahmbhatt
..હાજી નાજી.
તાઃ૧૭/૧/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હાજી નાજી ની રીત વિચીત્ર,સમજ ના આવે ભઈ
ક્યારે હાજી ને કોને નાજીથી,જીંદગી ઝપટાઇગઈ
. ………………..આતો કળીયુગી અસર થઇ.
કદમ મેળવી ચાલવા જગે,આંગળી પકડાઇ ગઈ
જોએ છુટે અધવચ્ચે ભુલથી,રાહ ભુલાય છે અહીં
છુટી જાય મળેલ રાહ જગે,ત્યાં નાઆરો રહે કોઇ
હાજી હાજી કરી ચાલતા રહેતાં,આ કેડી છુટે નહીં
. ……………………આતો કળીયુગી અસર થઇ.
કળીયુગની દરેક સીડી પર,સાચવી ચઢજો ભઈ
ભુલે ચુકે જો ફસાઇ ગયા તો,નાજી કહેવાશે નહીં
પડશેમાર જીવનમાં સૌનો,નાકુદરત છોડશે અહીં
હાજીનાજી કથાછે ખોટી,જીવથીમુક્તિ ભાગશે ભઈ
. ……………………આતો કળીયુગી અસર થઇ.
=====================================
Filed under: પ્રાકૃતિક કાવ્ય | Leave a Comment »
Posted on January 17, 2012 by Pradip Brahmbhatt
.
.
.
.
.
.
. .આવ્યો જન્મદીન
તાઃ૧૭/૧/૨૦૧૨ (મંગળવાર) પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મદીવસ તો મોટીબેનનો,છે મંગળવારની મંગળ પ્રભાત
પ્રાર્થુ જલાસાંઇને વંદીને,દેજો જીવનના સુખદુઃખમાં સંગાથ
. ………………………………જન્મદીવસ તો મોટીબેનનો.
આજકાલની તો છે કુદરતનીકેડી,ના જગે કોઇથીય છટકાય
વ્હાલા શકુબેનનો ૬૬મો જન્મદીવસ,આજે પ્રેમથી ઉજવાય
મળ્યો અમને પ્રેમ હ્રદયનો,ના કદી અમારાથી એને ભુલાય
સદાય એ મારી પડખેજ રહેતાં,ઉજ્વળ રાહ મારાથી લેવાય.
. ………………………………જન્મદીવસ તો મોટીબેનનો.
મનથી સદાય પ્રેમ મળે નિખાલસ,એ સુરેશલાલથી સમજાય
આંગળી ચિંધી માર્ગ દેતા જીવનમાં,મને રાહસાચી મળીજાય
આધી વ્યાધી પણ દુર રહે અમારી,જ્યાં આશીર્વાદ મેળવાય
તનમન ધનથી મળે શાંન્તિ જીવને,ને લાંબુ આયુષ્ય સંગાથ
. ……………………………….જન્મદીવસ તો મોટીબેનનો.
+++++++++++++++++++++++++++++++++++++++++
. …………….અમારા વ્હાલા મોટીબેન પુજ્ય શકુબેનનો આજે ૬૬મો જન્મદીવસ હોઇ
સંત પુજ્ય શ્રી જલારામ બાપા અને સંત પુજ્ય શ્રીસાંઇબાબાને વંદન સહિત પ્રાર્થના
કરીએ છીએ કે તેમને તન,મન અને ધનથી શાંન્તિ આપી જીવનમાં સદા ઉજ્વળરાહ
આપી માબાપના આશીર્વાદ અને ભાઇબહેનોના પ્રેમનો સહવાસ રહે.
લી.પ્રદીપ,રમા,ચી.રવિ,ચી.દીપલ,ચી.નિશીતકુમાર,ચી.હિમાના
આપના આશીર્વાદની અપેક્ષા સહિત વંદન.
=========================================
Filed under: પ્રાસંગિક કાવ્યો | Leave a Comment »
Posted on January 16, 2012 by Pradip Brahmbhatt

.
.
.
.
.
.
.
.
.
.
.
………………ભજન ભોલેનાથનું
તાઃ૧૬/૧/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હર હર ભોલેનાથનુ ભજન કરુ હું આજ
……..નિર્મળપ્રેમથી કૃપા મેળવવા સ્મરણ કરું દીનરાત
………………….ભોલે હરહર શ્રી મહાદેવ બોલો હરહર શ્રી મહાદેવ.
અગ્નીકુંડમાં સીતા બળાતા,દીધા માતાના અનેક સ્વરૂપ
જીવન ઉજ્વળ કરવા કાજે,ભોલે ભક્તિ દીધી છે અનુકુળ
મોહમાયાના બંધન ના સ્પર્શે,કે નાકળીયુગની કોઇ પ્રીત
ઉજ્વળ જીવનમાં રાહ મળે,જ્યાં સાચી ભક્તિની છે રીત
…………………..ભોલે હરહર શ્રી મહાદેવ બોલો હરહર શ્રી મહાદેવ.
ગજાનંદના પિતા છે પ્યારા,ને માતા પાર્વતીના ભરથાર
સૃષ્ટિની કરે અજબ રચના,જે જગે તાંડવથી અનુભવાય
શ્રધ્ધારાખી ભોલેને ભજતાં,જીવે નાઆફત કોઇ અથડાય
મુક્તિમાર્ગના દ્વાર ખોલેજ્યાં,ત્યાંજીવનો ઉધ્ધાર થઇજાય
…………………..ભોલે હરહર શ્રી મહાદેવ બોલો હરહર શ્રી મહાદેવ.
===========================================
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on January 15, 2012 by Pradip Brahmbhatt
ભક્તિ ભાવ
તાઃ૧૫/૧/૨૦૧૨. પ્રદીપ બ્રહ્મભટ્ટ
સ્નેહની શીતળતા સચવાતા,સાચો પ્રેમ જીવને મળી જાય
કુદરતની આછે કૃપા નિરાળી,સાચી ભક્તિભાવે મળી જાય
. ……………..સ્નેહની શીતળતા સચવાતા.
નિર્મળતાનો સંગ રાખતાં જીવનમાં,સાથ સૌનો મળીજાય
ઉમરાને ઓળંગતા પહેલા,જીવને સાચો માર્ગ મળી જાય
મહેંક મળે જીવનમાં માનવતાની,ને જન્મસફળ થઈજાય
ભક્તિભાવ એજ સાચીકેડી જીવની,મુક્તિમાર્ગ મળી જાય
. ……………..સ્નેહની શીતળતા સચવાતા.
કળીયુગની કાતરને પારખતા,મોહમાયા દુર ભાગી જાય
ભક્તિની એ શક્તિ અજબની,જીવને સદમાર્ગે લઈ જાય
આવી આંગણે કૃપા મળે પ્રભુની,દેહથી તેને અનુભવાય
ભક્તિભાવ દઈદે કેડી જીવને,મળેલ જન્મસફળ થઈજાય
. ………………સ્નેહની શીતળતા સચવાતા.
++++++++++++++++++++++++++++++++
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on January 14, 2012 by Pradip Brahmbhatt
. ભક્તિમાં શક્તિ
તાઃ૧૪/૧/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મનથી કરેલ ભક્તિમાં,ભઈ અજબ છે એવી શક્તિ
જીવની જ્યોત પ્રકટે અવનીએ,ના શકે કોઇ જકડી
. …………….મનથી કરેલ ભક્તિમાં.
રામનામના રટણ સતતથી,ના આવે કોઇ આપત્તિ
મનની ઇચ્છા પુરણ જોતાં,શાંન્તિ મનનેય મળતી
ઉજ્વળ જ્યોત જીવને મળતાં,પામર મોહના લાગે
મળે જીવને અખુટ શાંન્તિ,નાઅડચણ કોઇજ આવે
. …………….મનથી કરેલ ભક્તિમાં.
નિર્મળ જગતના સંબંધ મળે,સૌ કાર્ય સુધરી જાય
પ્રેમનીવર્ષા સદાવરસતા,ના આફત કોઇ અથડાય
શીતળ સ્નેહને પામી લેતાં,ધન્ય જીવન થઈ જાય
અંતે કૃપામળે જલાસાંઇની,આજન્મસફળ થઇજાય
. ……………..મનથી કરેલ ભક્તિમાં.
+++++++++++++++++++++++++++++++
Filed under: પ્રાકૃતિક કાવ્ય | Leave a Comment »
Posted on January 13, 2012 by Pradip Brahmbhatt
. આત્માને વંદન
તાઃ૧૩/૧/૨૦૧૨ . .પ્રદીપ બ્રહ્મભટ્ટ
આધાર જગતમાં પરમાત્મા,એ આત્મા પવિત્ર કહેવાય
મુક્તિ દેહથી મળેલ જીવને,કોટી કોટી વંદન થઇ જાય
. ……………..આધાર જગતમાં પરમાત્મા.
અવનીપરના આગમનથીજ,જીવથી સંબંધો મેળવાય
એક ને સાચવતા દેહથી,જીવને બીજા ચાર મળી જાય
જીવને પ્રગટે જ્યોત ભક્તિની,કર્મ બંધન છુટતા થાય
અંતે આવે પરમાત્માલેવા,ત્યાંજ જીવનો ઉધ્ધાર થાય
. ………………આધાર જગતમાં પરમાત્મા.
પવિત્ર જીવની પરખ છે ભક્તિ,જે વાણી વર્તને દેખાય
મોહમાયા જ્યાં દુરજાય દેહથી,ત્યાં પ્રભુ કૃપા મેળવાય
આત્માનુ કલ્યાણથતાં કૃપાએ,જીવને નાઅવની દેખાય
એ આત્માને વંદન કરતાં,જીવને સાચી રાહ મળી જાય
. ……………..આધાર જગતમાં પરમાત્મા.
===============================
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on January 12, 2012 by Pradip Brahmbhatt
………………મૃત્યુના બારણે
તાઃ૧૨/૧/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મ મળે જ્યાં જીવને,જગતમાં સૌને એ દેખાય
પ્રેમ સાચો મળે દેહને,ત્યાં જીવથીએ અનુભવાય
. ……………………….જન્મ મળે જ્યાં જીવને.
નિર્મળપ્રેમની વાચા છે એવી,જે વર્તનથી દેખાય
ના કોઇ આંગળી ચીધેં,કેના કોઇથી એ બતાવાય
આવે એતો અંતરથી જીવે,મૃત્યુના બારણે દેખાય
જીવનેમળે શાંન્તિ ત્યારે,જ્યાં પરમાત્મા લઈજાય
. ………………………. જન્મ મળે જ્યાં જીવને.
દેહનેસંબંધ મૃત્યુથી સીધો,જગતમાં સૌથી જોવાય
પરોપકારી જીવન જીવતાં,દેહેમાર્ગ સરળમળીજાય
પરમાત્માની કૃપા થતાં,જીવથી મુક્તિમાર્ગમેળવાય
સ્વર્ગલોકના દ્વાર ખુલતાં,જીવે જન્મમરણથી છુટાય
. ……………………….જન્મ મળે જ્યાં જીવને.
====================================
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on January 12, 2012 by Pradip Brahmbhatt
………………..સ્મરણ રામનું
તાઃ૧૨/૧/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભજન કરી લે પ્રભુરામનું,ના મોહ માયા કોઇ વળગશે
મુક્તિમાર્ગની આંગળી ચીંધશે,જ્યાં જલાસાંઈને ભજશે
. ………………….ભજન કરી લે પ્રભુરામનું.
મનમાં આશા એક રાખજે,આ જીવને ભક્તિરાહ તું દેજે
શ્રધ્ધા રાખી સ્મરણ કરતાં,સાચા સંતની કૃપાય મળશે
દેહને મળેલ આ માનવ જન્મ,સાર્થક જીવનથી તું કરજે
મળશે કૃપા જ્યાં પ્રભુરામની,જીવથી મોક્ષના દ્વાર ખુલશે
. ……………………ભજન કરી લે પ્રભુરામનું.
મનથી માળા કરજે પ્રભુની,સદમાર્ગ જીવને એ દઈ દેશે
આવતી વ્યાધી દુર રહેશે જીવનમાં,શાંન્તિ જીવને મળશે
પળપળ સ્મરણ કરતાં પ્રભુનુ,સૌ ઝંઝટ પણ દુર જ રહેશે
મોહમાયાની ચાદર ઉડતાં,કૃપા જલાસાંઇનીય તને મળશે
. ………………….ભજન કરી લે પ્રભુરામનું.
++++++++++++++++++++++++++++++++++
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on January 10, 2012 by Pradip Brahmbhatt
ચાલ ભઈ ચાલ
તાઃ૧૦/૧/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનની ઝંઝટને તોડવા,મળતી આફતોને છોડવા
માનવતાને મહેંકાવા,જીવનની કેડીએચાલતો રહેજે
ભઈ આફતોને ટાળવા,સદાજીવનમાં ચાલતો રહેજે
. …………………જીવનની ઝંઝટને તોડવા.
એકમેકેનો સાથ મળે કે નામળે,હૈયે હીંમત તું ધરજે
શ્રધ્ધા રાખી ભરેલ પગલે,સાથ જલાસાંઇનો મળશે
હિંમતમનથી સાચીકરતાં,સફળનુ તને શરણુ મળશે
ઉજ્વળ જીવન પ્રેમથી મળતાં,જન્મસફળ થઈ જશે
. …………………જીવનની ઝંઝટને તોડવા.
સરળતાનો સહવાસ જોતાં,દ્રષ્ટિ ખરાબમનની પડશે
નિર્મળ ભાવના સંગે રાખતાં,ઉજ્વળ કામ સૌ મળશે
આધી વ્યાધી દુર રહેતાં,તારા કામ સરળ પણ થશે
સાચી રાહે ચાલી રહેતા,જીવનમાં પ્રેમ સૌનો મળશે
. ………………..જીવનની ઝંઝટને તોડવા.
========================================
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on January 10, 2012 by Pradip Brahmbhatt
મહેર મેઘરાજાની
તાઃ૧૦/૧/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પધાર્યા પ્રેમથી અવનીપર,ત્યાંજ ટાઢક પ્રસરી ગઈ
મેઘરાજાની એક લહેરથી,કુદરતની કૃપા મળી ગઈ
. …………….પધાર્યા પ્રેમથી અવનીપર.
શીતળતાનો મળ્યો સહવાસ,ત્યાં સવાર સુધરી ગઈ
માનવતાનીમહેંક પ્રસરી,ત્યાં જીવનમાંરાહ મળી ગઈ
એક એકનો સાથ મેળવતાં,સહું વ્યાધીઓ ભાગી ગઈ
નિર્મળ જીવન આવી મળતાં,માનવતાય મહેંકી ગઇ
. ……………પધાર્યા પ્રેમથી અવનીપર.
મળે પ્રેમ કુદરતનો દેહને,ત્યાં કૃપા જલાસાંઇની થઈ
આંગળી પકડી ચાલતાં ભક્તિની,પાવનકર્મ કેડીથઈ
લાગણી,મોહ ને માયા મુકતાં,કળીયુગથી મુક્તિ થઈ
મેઘરાજાની એકજ કૃપાએ,આ ઘરતી પણલીલી થઈ
. ………………પધાર્યા પ્રેમથી અવનીપર.
===================================
Filed under: પ્રાકૃતિક કાવ્ય | Leave a Comment »
Posted on January 9, 2012 by Pradip Brahmbhatt

.
.
.
.
.
.
.
.
.
.
.
……………. જીવને શ્રધ્ધાંજલી.
તાઃ૯/૧/૨૦૧૧ ……………પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિર્મળ પ્રેમ મળ્યો છે અમને,ના મોહમાયા દેખાય
સદાય હસતે ચહેરે સૌને,આવકારએ આપતા જાય
. ………………….નિર્મળ પ્રેમ મળ્યો છે અમને.
અનંત આનંદ થાય સૌને,જે માનવીના મુખે દેખાય
આવકાર આપે હસતે મુખે,ને નિર્મળવાણી સંભળાય
બારણું ખોલતા પધારો બોલે,ત્યાં પ્રભુકૃપાય દેખાય
ફરીફરીને મન આવવાચાહે,એજપ્રેમ સાચો કહેવાય
. ……………………નિર્મળ પ્રેમ મળ્યો છે અમને.
સંબંધ સૌનો સાચવી રાખે,જે પવિત્ર પ્રેમ છે કહેવાય
યાદ તમારી હૈયે રહેશે,જે સાચી માનવતાએ મેળવાય
માન અભિમાનને દુરરાખી,સૌને દઈ દીધા છે સન્માન
મુક્તિ જીવને પરમાત્મા દઈદે,એજ પ્રાર્થના છે કરતાર
. ……………………નિર્મળ પ્રેમ મળ્યો છે અમને.
+++++++++++++++++++++++++++++++
મુ.શ્રી કાન્તિભાઇ શાહે તાઃ૮મી જાન્યુઆરી ૨૦૧૨ ના રોજ અવનીપરથી વિદાય લઈ પરમાત્માના ચરણમાં વાસ કરી લીધો છે.તેમની ક્ષતી અમને ન લાગે તેવી પરમાત્મા શક્તિ આપે.અને તે પવિત્ર જીવને જન્મમરણથી મુક્તિ આપે તેવી ગુ.સા.સ.ના સર્વ સભ્યો તરફથી સંત જલારામ બાપાને પ્રાર્થના. લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા સૌ સ્નેહીજનો. (હ્યુસ્ટન,ટેક્ષાસ)
Filed under: પ્રાસંગિક કાવ્યો | Leave a Comment »
Posted on January 8, 2012 by Pradip Brahmbhatt
…………………કદરને પાત્ર
તાઃ૮/૧/૨૦૧૨ ………… પ્રદીપ બ્રહ્મભટ્ટ
કદર મેળવવા જીવનમાં,ના જોઇએ પાટી કે પેન
શ્રધ્ધા એજ કેડી છે મનની,જે નીમિત બની જાય
. ………………….કદર મેળવવા જીવનમાં.
લગન જ્યાં મનથીલાગે,ત્યાં નિર્મળતા મળી જાય
નિર્મળતાનો સાથ મળે,ત્યાં સઘળુય સચવાઇ જાય
નાની મોટી આફત ભાગે,ને સૌકામ સરળપણ થાય
કદરથાય ત્યાં કરેલકામની,જેને રાહ સાચી કહેવાય
. ……………………કદર મેળવવા જીવનમાં.
સુખદુઃખ સાથે ચાલે જીવનમાં,ત્યાં મહેનત મલકાય
પકડી ચાલતા એક કેડીને,સરળતાનો સંગ થઈજાય
અવનીપરના આગમને,જીવથી મતી ગતી સચવાય
આજ નહીં તો કાલ સુધરશે,જે મુક્તિ માર્ગ દઈ જાય
. …………………..કદર મેળવવા જીવનમાં.
+++++++++++++++++++++++++++++++++
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on January 7, 2012 by Pradip Brahmbhatt
પતંગની દોર
તાઃ૭/૧/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ફીરકી તો મારાહાથમાં છે,ને પતંગ ગગનની મઇ
પ્રેમ જોઇ પતંગ દોરીનો,જીવે અનંત શાંન્તિ થઈ
. …………………………..ફીરકી તો મારા હાથમાં છે.
કળીયુગમાં કેડીનિરાળી,જે પતંગમાં જોવાઇ ગઈ
સતયુગની પણએજ કેડી,જે ફીરકીથી બંધાઇગઈ
કુદરતનીછે અજબલીલા,ના મનથીસમજાયઅહીં
પવિત્ર નિર્મળ સંબંધનીદોરી,સૌને બતાવાઇ ગઈ
. …………………………..ફીરકી તો મારા હાથમાં છે.
ભુમીનો સંબંધછે ભાવનાથી,જે પ્રીતને જકડે ભઈ
પતંગજેવા ઉડતામનને,એતો પકડમાંલઈલે જઈ
સમજણનો સંગાથમળે જ્યાં,રહે નાકોઇ વિખવાદ
મળે સ્નેહની સરળસુવાસ,ત્યાં પતંગ લહેરી જાય .
. ………………………….. ફીરકી તો મારા હાથમાં છે.
++++++++++++++++++++++++++++++++++++++++
Filed under: પ્રાસંગિક કાવ્યો | Leave a Comment »
Posted on January 6, 2012 by Pradip Brahmbhatt
……………..રાત્રીનો સહવાસ
તાઃ૬/૧/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
તનને શાંન્તિ ને મનનેય શાંન્તિ,ને જીભ પણ સચવાય
મળે જગતમાં શાંન્તિશાંન્તિ,એસહવાસ રાત્રીનો કહેવાય
. ………..તનને શાંન્તિ ને મનનેય શાંન્તિ.
જીવનેમળે જ્યાં દેહજગતમાં,દીવસરાત તેનાથી જોવાય
દીવસસંગે મહેનતરાખતાં,દેહને ઉજ્વળજીવન મળીજાય
રાત્રીનો અણસારમળે સંધ્યાએ,ત્યાં જીવ ભક્તિએ દોરાય
મનથી મળેલ ભક્તિએ જીવનો,આ જન્મ સફળ થઈજાય
. ………..તનને શાંન્તિ ને મનનેય શાંન્તિ.
અંધકારની ચાદર આવતાં દેહે,મનથી જલાસાંઇ ભજાય
દેહપર ચાદરઓઢતા પથારીએ,પરમાત્માનીકૃપા જથાય
ભક્તિ એક અજબશક્તિ છે,જેનાથી દેહનેસુખ મળી જાય
પ્રભાતની પોકાર સાંભળાતા કાને,વિદાય રાત્રીને દેવાય
. ………..તનને શાંન્તિ ને મનનેય શાંન્તિ.
============================================
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on January 5, 2012 by Pradip Brahmbhatt
શીતળ સંધ્યા
તાઃ૫/૧/૨૦૧૨. પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તિની ભઇ કેડી નિરાળી,જ્યાં મોહ માયા ભાગી જાય
શાંન્તિનો સહવાસમળતાં,જીવને શીતળ સંધ્યા દઈજાય
. ………………ભક્તિની ભઇ કેડી નિરાળી.
સદગુણનો સહવાસમળે,ને દેહથી કર્મ પણ પાવન થાય
મારું તારુંની માયા ભાગતાં,જીવનેસુખ શાંન્તિમળી જાય
આવે આનંદ સુખની સાથે,જે નિર્મળસ્નેહ મળતાં દેખાય
નાઉપાધી આવે કોઇ દેહને,કે ના અભિમાન પણ વર્તાય
. …………………..ભક્તિની ભઇ કેડી નિરાળી.
માનવી મન તો પામર છે,જે દેહના વર્તનથી જ દેખાય
કુદરતની આ અતુટ લીલા,માનવ જીવન ભીંજવી જાય
જગતની માયાને એજકડીરાખે,જ્યાં ભક્તિ મનથી થાય
સદારહે સહવાસશાંન્તિનો,નેમળેલ જન્મસફળ થઈ જાય
. ……………………..ભક્તિની ભઇ કેડી નિરાળી.
==============================================
Filed under: પ્રાકૃતિક કાવ્ય | Leave a Comment »