Posted on June 4, 2012 by Pradip Brahmbhatt
. ભાગ માનવી
તાઃ૪/૬/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સત્કર્મોની કેડી લઈને,જીવનમાં ઉજ્વળતા મેળવાય
દુશ્કર્મોની નાની એક કેડી,દેહને જ્યાંત્યાં ભગાડીજાય
. ………………..સત્કર્મોની કેડી લઈને.
લાગણી પ્રેમને દ્રષ્ટિમાં રાખી,માનવ જીવન જીવીજાય
નાઆવે વ્યાધી જીવનમાં,મળેલ જન્મ સફળ થઈજાય
સરળતાની કેડી મળે દેહને, ના માગણીઓ કોઇ રખાય
આજકાલને ઉજ્વળ કરવા,પ્રભુ ભક્તિનો સંગ સહેવાય
. ………………..સત્કર્મોની કેડી લઈને.
કળીયુગી કટારી જોતાં,માનવી અહીં તહીં છટકી જાય
ના સાથ કે સહેવાસ કોઇનો,એજ તેની અસર કહેવાય
તકલીફની એક જ થાપટ,જીવનને નર્ક બનાવી જાય
સમજ ના પડૅ જીવને જ્યારે,ત્યાં ભાગંભાગ મેળવાય
. …………………સત્કર્મોની કેડી લઈને.
====================================
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on June 3, 2012 by Pradip Brahmbhatt
. અગમ નિગમ
તાઃ૩/૬/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અગમ નિગમના ભેદ અનોખા,ના જાણી શકે જગમાં કોઇ છેક
ભક્તિની શક્તિની છે એ ભેંટ,ના સમજાવી શકે જીવનમાં એક
. ………………..અગમ નિગમના ભેદ અનોખા.
સરળ જીવનની શીતળકેડી,જ્યાં જીવને મળે પ્રેમનીજ્યોત
સાચી સેવા જલાસાંઇની કરતાં,ઉગારે જીવને જન્મોથી છેક
મળતી માયા ભાગેછે દુર,એજ જગેછે અગમનિગમના ભેદ
મનથીજ કરેલ ભક્તિ જીવનમાં,નાઅટકે જીવજગતમાં નેક
. …………………અગમ નિગમના ભેદ અનોખા.
આંગળી ચિંધી અણસાર દઇ દે,જે ભક્તિની સમજે સમજાય
નિર્મળ ભાવના ને નિખાલસ પ્રેમ,એજ પરમાત્માની છે દેણ
મળશે માયા વણ માગી જગે,જે કળીયુગી કથા જ સમજાય
જ્યાંસુધી એ સંભળાશે કાને,નામળશે દેહને કોઇ સાચો સ્નેહ
. ………………..અગમ નિગમના ભેદ અનોખા.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on June 3, 2012 by Pradip Brahmbhatt
. રાવણયાત્રા
તાઃ૩/૬/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
લંકેશ્વરની અજબ ભક્તિએ,ભોલેનાથની અખંડ કૃપા થાય
સતયુગની એક અજબકેડીએ,નાકોઇ માનવીથી પહોંચાય
. ………………લંકેશ્વરની અજબ ભક્તિએ.
સાચીભક્તિ મનથી કરતાં,શીવજીની દયા દ્રષ્ટિ થઈ જાય
ભોલેનાથના આશિર્વાદ મળતાં,ના કોઇથીય તેને અંબાય
માગીલીધી અજબશક્તિ પ્રભુથી,જેને ના કોઇથી પહોંચાય
એવા લંકેશ્વરનોડંકો ભક્તિનો,આખીદુનીયામાં વાગતોજાય
. ……………….લંકેશ્વરની અજબ ભક્તિએ.
અહંકારને નાઆંબી શકેકોઇ,એ જીવની જીંદગી બગાડીજાય
સમયની કેડી સંકેલાતા,રાજા રાવણનીમતિ ભ્રષ્ટ થઈ જાય
સીતાજીનાઅપહરણની કેડીને લેતાં,પ્રભુરામને મળ્યોપડકાર
પરમાત્માના એસ્વરૂપે,રાવણની જીવનયાત્રા પુરી થઈજાય
. ………………..લંકેશ્વરની અજબ ભક્તિએ.
**********************************************************
Filed under: પ્રાસંગિક કાવ્યો | Leave a Comment »
Posted on June 2, 2012 by Pradip Brahmbhatt
. મુક્તિ
તાઃ૨/૬/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અંત દેહનો આવે ત્યારે,સંત જલાસાંઇના દર્શન થાય
મુક્તિ આવી મળે જીવને,મળેલ જન્મસફળ થઈ જાય
. …………….અંત દેહનો આવે ત્યારે.
કર્મની કેડી પકડી ચાલે,એને જીવના બંધન કહેવાય
સમયનેસમજી જીવનજીવે,જ્યાં જીવભક્તિએ સંધાય
માયામોહને પડે લાકડી,જ્યાંસાચી પ્રભુકૃપા થઈજાય
આવી મળે સન્માન દેહને,એથી જન્મ સફળથઈ જાય
. ………………અંત દેહનો આવે ત્યારે.
આજકાલની ના રામાયણ,જ્યાં સાચીશ્રધ્ધા મળી જાય
પળપળને પારખીલેતાં જીવને,ના આધીવ્યાધી લેવાય
આવી આંગણે સસ્કા મળે,ને દેહના વર્તનથી સુખ થાય
જલાસાંઇની ભક્તિકરતાં,અવનીએ જીવને આનંદથાય
. ……………….અંત દેહનો આવે ત્યારે.
+++++++++++++++++++++++++++++++++++++
Filed under: આધ્યાત્મિક કાવ્યો | Leave a Comment »
Posted on June 2, 2012 by Pradip Brahmbhatt
. લાયકાત મળે
તાઃ૨/૬/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીંદગીમાં મળતી ઝાકળ,માનવીને ક્યાંથી ક્યાં લઈ જાય
સમજવાની સરળતા જોતાં,ના મળતી આફતોથી છટકાય
. ……………….જીંદગીમાં મળતી ઝાકળ.
માનવમનની એક છે કેડી એવી,ના સરળતાથી સમજાય
એક બીંદુ ઝાકળનું જગતમાં,જેને સ્પર્શતા જ એ ફુટીજાય
ના અણસાર કોઇ મળે માનવીને,એ ક્યાંથી ક્યાં એ જાય
સમજી વિચારી પગલુ ભરતાં,ના આધી વ્યાધી મેળવાય
. ……………….જીંદગીમાં મળતી ઝાકળ.
મળે રાહ ભક્તિની સાચી,ના દેખાવની કોઇજ પીડા થાય
નામાયા નામમતા કે મોહ મળે,જ્યાં સાચા સંતને ભજાય
મનથી કરતાં મહેનત જીવનમાં,કુદરતની કૃપા થઈ જાય
લાયકાત આવી મળે જીવનમાં,જે અખુટ ભંડાર કહેવાય
. ………………..જીંદગીમાં મળતી ઝાકળ.
=====================================
Filed under: પ્રાકૃતિક કાવ્ય | Leave a Comment »
Posted on June 1, 2012 by Pradip Brahmbhatt
. સુંદરતા
તાઃ૧/૬/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દેખાવની આદુનીયા છે ન્યારી,ક્યાંક ક્યાંકએ ખટકી જાય
સમજણની આ નાનકડી કેડી,મળેલ દેહને કદીકજકડીજાય
. ………………..દેખાવની આ દુનીયા છે ન્યારી.
દ્રષ્ટિની આ અજબલીલા ભઈ.લીપસ્ટીક લાલીએ લબદાય
મોહની કેડી વળગીજતાં,ના માગેલી વ્યાધીઓજ અથડાય
. ………………..દેખાવની આ દુનીયા છે ન્યારી.
અનોખા સંબંધ છે લોહીના જગે,જીવને સમજણે્જ સમજાય
દેખાવની દુનીયા આ બંધનને,દુર રાખી સદાએ ભાગીજાય
. ………………..દેખાવની આ દુનીયા છે ન્યારી.
અંતરમાં ઉભરે આનંદ ને પ્રેમ,એ મળેલા જીવોની લાયકાત
ના ઉભરો નીકળે મનથી ક્યારેય,કે ના દેખાવમાંય લબદાય
. ………………..દેખાવની આ દુનીયા છે ન્યારી.
કળીયુગી દેખાવ જકડે છે જીવને,જે ના સમજણથી સમજાય
કૃપા શ્રીજલાસાંઇની થતાં,સાચી જીવનરાહ જીવને મળીજાય
. ………………..દેખાવની આ દુનીયા છે ન્યારી.
સુંદરતાનો સંબંધ સમજણથી,જે દ્રષ્ટિથી કદીયના પરખાય
બંધઆંખે અનંતઆનંદમળેજીવને,જે સાચીસુંદરતા કહેવાય
. ………………..દેખાવની આ દુનીયા છે ન્યારી.
######################################
Filed under: પ્રાકૃતિક કાવ્ય | Leave a Comment »
Posted on June 1, 2012 by Pradip Brahmbhatt
. સ્નેહી સાંકળ
તાઃ૧/૬/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ના કોઇથી જગે પકડાય,કે ના કોઇથીય તેને છોડાય
જીવનેમળે સ્પંદન દેહથી,એ સ્નેહની સાંકળ કહેવાય
. ……………….ના કોઇથી જગે પકડાય.
અવનીપરના આગમનને,કર્મના બંધનેજ મેળવાય
ક્યોમળે છે દેહ જીવને,તે જીવની લાયકાત કહેવાય
વાણી વર્તનને સંબંધ દેહથી,સંસ્કારથી જ મેળવાય
એજ અનંતલીલા પ્રભુની,અવનીએ આવતાં દેખાય
. ………………..ના કોઇથી જગે પકડાય.
આશીર્વાદની હેલીવરસે,જે આનંદ જીવને દઈ જાય
સ્નેહી સાંકળ જગમાંન્યારી,લાયકાતે દેહથીમેળવાય
મળેલપ્રેમ અંતરથી દેહને,અનંત શાંન્તિજ દઈ જાય
આજકાલની નારામાયણ,જેને સ્નેહીસાંકળ મળીજાય
. ………………..ના કોઇથી જગે પકડાય.
+++++++++++++++++++++++++++++++++=
Filed under: પ્રાકૃતિક કાવ્ય | Leave a Comment »
Posted on મે 29, 2012 by Pradip Brahmbhatt
ગૌરીપુત્ર
તાઃ૨૯/૫/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગજાનંદની અસીમ કૃપાએ,જીવનો જન્મ સફળ થઈ જાય
મળી જાય કૃપા ગૌરીપુત્રની,ના અપેક્ષા જીવનમાં રખાય
. …………………ગજાનંદની અસીમ કૃપાએ.
અવનીપરના આગમનને,ગજાનંદની કલમથી સહેવાય
મળે માનવદેહે જન્મ,કૃપાએ અંતીમ જન્મપણ થઈજાય
આવતી તકલીફોને દુરકરે,જ્યાં સાચી શ્રધ્ધાએજ ભજાય
ગણપતિની એકજ દ્રષ્ટિએ,જીવનો જન્મ સફળ થઈ જાય
. …………………ગજાનંદની અસીમ કૃપાએ.
રિધ્ધિ સિધ્ધિની અસીમ કૃપાએ,માનવીમન મહેંકી જાય
આવીઆંગણે પ્રેમમળેસૌનો,જીવની લાયકાત બની જાય
ગજાનંદની એકજ કલમે,જીવના જન્મમરણ અટકી જાય
મુક્તિમાર્ગ મળતાંજીવને,ના અવનીએ આંટીઘુંટી બંધાય
. ………………..ગજાનંદની અસીમ કૃપાએ.
===================================
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on મે 28, 2012 by Pradip Brahmbhatt
. .તારો ચહેરો
તાઃ૨૮/૫/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
તારો નિખાલસ ચહેરો જોતાં,મારી મુંઝવણ ભાગી ગઈ
તારા શીતળ સહવાસે જીવનમાં,સુખશાંન્તિ મળી ગઈ
. ………………..તારો નિખાલસ ચહેરો જોતાં.
અજોડ એવા પ્રેમનીજ્યોત,મારા જીવનમાં ઝબકી ગઈ
શાંન્તિઆવી ઉભી બારણે,ત્યાં તારા પ્રેમનીઓળખ થઈ
માયાની ના કેડી માગી જીવે,કળીયુગી પ્રીત ભાગીગઈ
સરળ જીવનમાં તારા સાથે,બધી વ્યાધીઓ ભાગી ગઈ
. ………………..તારો નિખાલસ ચહેરો જોતાં.
મારીઆંગળી પકડી લેતાં,જીવનમાં ઉજ્વળ સવાર થઈ
પ્રકાશનીકેડી જીવનમાંમળતાં,તારાસંગાથની જાણ થઈ
જોઇ લીધો જ્યાં તારોચહેરો,સાચીપ્રીતની કેડીમળી ગઈ
સુંદરતાનોસાથ મળતાંજીવનમાં,ઉજ્વળપ્રભાત થયુભઈ
. ………………..તારો નિખાલસ ચહેરો જોતાં.
======================================
Filed under: પ્રેમગીત | Leave a Comment »
Posted on મે 28, 2012 by Pradip Brahmbhatt
. પ્રેમને પરણ્યો
તાઃ૨૮/૫/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગત જીવોને આંટી ઘાંટી,ક્યાંથી ક્યાંય લઈ જાય
સમજણસાચી પ્રેમે લેતો,જગેસરળજીવન થઈ જાય
. ………………જગત જીવોને આંટી ઘાંટી.
જન્મ મળે છે જીવને,અવનીએ કર્મબંધને જ બંધાય
કરેલ કર્મને નાપારખી શકતાં,અવનીએ આવી જાય
માયાની તો સાંકળ જાડી,ના કોઇથીય જગે છટકાય
ભક્તિ એતો એક જ સીડી,જે બંધનથી બચાવી જાય
. ……………….જગત જીવોને આંટી ઘાંટી.
માનવજીવન મળીજતાં,હું પ્રેમને પરણ્યો અવનીપર
સમજણ જીવને મળી જગતમાં,ત્યાં આવ્યો પાટાપર
પ્રેમનીકેડી જગતમાં ન્યારી,મનને શાંન્તિ આપીજાય
સાચી શ્રધ્ધા રાખી પ્રેમમાં,ઉજ્વળ સંગીની મળીગઈ
. ……………….જગત જીવોને આંટી ઘાંટી.
૫%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%૫
Filed under: પ્રાકૃતિક કાવ્ય | Leave a Comment »
Posted on મે 27, 2012 by Pradip Brahmbhatt

.
.
.
.
.
.
.
.
.
.
.
. પ્રીતીની પ્રીત
તાઃ૨૭/૫/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રીતીની છે પ્રીત અનોખી,સરળ પ્રેમથી મળી જાય
પ્રેમની કોમળ કેડી લેતાં,પ્રીતીની પ્રીત મળી જાય
. …………….પ્રીતીની છે પ્રીત અનોખી.
શબ્દનો સહવાસ રાખીને,ભોજનમાં સૌને આવકારાય
વડીલબંધુને ઓળખી લેતાં,સૌના પ્રેમનીવર્ષા દેખાય
આશીર્વાદની કેડીને નીરખી,દુઃખનાવાદળ ભાગીજાય
આવીમળે પ્રેમસૌનો તેને,એજ તેનીલાયકાત કહેવાય
. ………………પ્રીતીની છે પ્રીત અનોખી.
સહવાસમળ્યો જ્યાં અલ્પેશનો,જીવનનૈયા ચાલીજાય
સાર્થ જીવન કરવા કાજે,શ્રીજલાસાંઇનીકૃપા થઈ જાય
પતિ પ્રેમને સંગે રાખતાં,વ્હાલા સંતાને જીવન બંધાય
આજકાલને સમજીલેતાં,પાવનજન્મ થતો સૌને દેખાય
. ……………….પ્રીતીની છે પ્રીત અનોખી.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
Filed under: પ્રેમગીત | Leave a Comment »
Posted on મે 27, 2012 by Pradip Brahmbhatt
. .મંદીરના બારણે
તાઃ૨૭/૫/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આવ્યો પ્રભુ હુ બારણે આજે,કરજો કળીયુગથી મને દુર
ના આવી મળે વ્યાધી ઉપાધી,ચરણે લાગી કરુ હુ ધુન
. ……………….આવ્યો પ્રભુ હુ બારણે આજે.
જીવનેશાંન્તિ મળીમાગતાં,આપનીકૃપા મળતી દેખાય
શ્રધ્ધા રાખીને ભક્તિ કરુંહું,જેનાથી પ્રેમતમારો લેવાય
માયાભાગે દુર જગતની,મળે જીવનમાં પ્રેમ ભગવાન
દેજો મુક્તિ મળેલ જીવથી,જીવનો જન્મસફળથઇ જાય
. ………………..આવ્યો પ્રભુ હુ બારણે આજે.
પ્રભુ રામનું સ્મરણ કરતાં,મંદીરનુ બારણુ ખુલ્યુ છે ભઈ
મનનેશાંન્તિ મળતીઆવી,જ્યાં જલાસાંઇની ભક્તિથઈ
નામાગું હું મોહ કે માયા,કે નાકદી અભિમાન મળે અહીં
મુક્તિ મેળવવા કાજે,માગુકૃપા મારા મંદીરના દ્વારે જઈ
. …………………આવ્યો પ્રભુ હુ બારણે આજે.
*****************************************************
Filed under: પ્રેમગીત | Leave a Comment »
Posted on મે 27, 2012 by Pradip Brahmbhatt
. જલાસાંઇથી પ્રાર્થના
તાઃ૨૭/૫/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને દેજો પ્રેમ ભક્તિથી,ના મોહમાયા અથડાય
પળપળને સંભાળી લેજો,એજ પ્રાર્થના મારી આજ
. ……………….જીવને દેજો પ્રેમ ભક્તિથી.
ભક્તિ ભાવને સંગે રાખી,નિર્મળ સ્મરણ કરુ હુ આજ
સેવાસ્વીકારી પ્રદીપરમા રવિની,દેજો મુક્તિમાંસાથ
આજકાલનો ના છેમોહ મને,કેનાદેખાવની દુનીયામાં
મળે જલાસાંઇની એકજ કૃપા,નામાગુ બીજુકંઇ આજ
. ………………..જીવને દેજો પ્રેમ ભક્તિથી.
પ્રેમની સીડી મળતી રહે,એજ અપેક્ષા મારી હરવાર
જન્મમરણથી મુક્તિમાગું,સેવાકરતાં હુંમનથી સવાર
આવજો મારે બારણે પ્રેમે,ઇચ્છા જીવનમાં એકજ આ
રહેજો સંગે પળેપળ અમારી,ના કળીયુગથી અથડાય
. ………………..જીવને દેજો પ્રેમ ભક્તિથી.
====================================
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on મે 24, 2012 by Pradip Brahmbhatt
. આડુ અવળુ
તાઃ૨૪/૫/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આડુ અવળુ બોલાઇ જતાં,જીવનમાં ઝંઝટ વધી ગઈ
ના માગતાનું મળી જતાં,કુદરતની ઝાપટ પડી ગઈ
. ………………..આડુ અવળુ બોલાઇ જતાં.
માનવીમનને માયાજબહુ,એજગતમાં જાણે છે સહુ
એકઅપેક્ષા ભુલથી મળતાં,બીજી લપટાઇ ગઈ બહુ
કુદરતની આ અકળ લીલા,ના માનવમને સમજાય
પડે એક ઝાપટ કળીયુગની,ના કોઇથી જગે છટકાય
. ………………..આડુ અવળુ બોલાઇ જતાં.
શાંન્તિ શોધવા ચાલતા યુગે,અનેક જીવો અથડાય
મળતાંએકકેડી ભક્તિની,સાચી સરળરાહ મળીજાય
ના મોહમાયા મળે જીવને,એતો છટકીને ભાગીજાય
પ્રભુકૃપાની વર્ષા થતાં,જીવનો જન્મસફળ થઈજાય
. ………………..આડુ અવળુ બોલાઇ જતાં.
++++++++++++++++++++++++++++++++++++=====
Filed under: પ્રાકૃતિક કાવ્ય | Leave a Comment »
Posted on મે 22, 2012 by Pradip Brahmbhatt
. ભુલની ભેંટ
તાઃ૨૨/૫/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતપિતાની આમાયા એવી,જીવને જન્મ મળે સમજાય
કરુણા સાગર છે અતિ દયાળુ,કૃપા દેહના વર્તને મેળવાય
. ……………….જગતપિતાની આ માયા એવી.
વાણીવર્તન છે દેહના બંધન,મનની સમજણથી મેળવાય
થઈગઈ ભુલ માનવીથીએક,પડીજાય કુદરતની સોટીએક
ઉતાવળે ના આંબા પાકે,એતો સમય આવતાજ ઉગી જાય
એક ભાવના પ્રેમની ન્યારી,માનવીને જીવન જીવાડી જાય
. …………………જગતપિતાની આ માયા એવી.
મોહ માયા તો ફરે અવનીએ,સમય પકડતા જ મળી જાય
કુદરતની આછે કૃપા અનોખી,જે એક ભુલની ભેંટ કહેવાય
જીંદગી આખી જકડાઇ જવાની,એતો સમય સમયે દેખાય
નામાગણી કદીકરીહોય જીવનમાં,તોયઆવીને મળી જાય
. …………………જગતપિતાની આ માયા એવી.
========================================
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on મે 21, 2012 by Pradip Brahmbhatt
. .ઘંટનાદ
તાઃ૨૧/૫/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સવારમાં જ્યાં નાદ પડ્યો,ત્યાં જાગી ગયા છે સૌ
મળેપ્રેરણા અંતરમાં ભક્તિની,એ જોઇનેજ હુ કહુ
. ……………..સવારમાં જ્યાં નાદ પડ્યો.
મળતાં પ્રેમ જલાસાંઇનો,જીવને જન્મે શાંન્તિ થઈ
અંતરમાં મળતી ઉર્મીઓને,આંખોથી જોવાઇ ગઈ
માનીમમતા મળેસંતાને,ને પ્રેમપિતાનો મળીજાય
સંસારમાં મળતા સ્નેહી જનોના,હૈયા ઉભરાઇ જાય
. ………………સવારમાં જ્યાં નાદ પડ્યો.
પ્રભાતપહોર ને ઘંટનાદ,એકર્ણથી રાહ આપી જાય
જન્મ સફળની કેડી લેવા,જલાસાંઇની ભક્તિ થાય
ભોલેનાથની કૃપાઅનોખી,જે સાચીભક્તિથીલેવાય
અંત દેહનો ઉજ્વળ થાશે,જ્યાંજીવ ભક્તિએ બંધાય
. ………………સવારમાં જ્યાં નાદ પડ્યો.
+++++++++++++++++++++++++++++++++++++=
Filed under: ભક્તિ કાવ્યો, Uncategorized | Leave a Comment »
Posted on મે 20, 2012 by Pradip Brahmbhatt
.
.
.
.
.
.
.
.
.
.
. ઉજ્વળ કેડી
તાઃ૧૮/૫/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અભિનંદનના વાદળ ઘેરાતા,સુગરલેન્ડે પ્રેમની વર્ષા થઇ
ગાંધી હિમેશભાઇને સફળતા દેવા,સૌના પ્રેમે વૉટીંગ થઈ
મળતાં પ્રેમ પિતા મુકુન્દભાઇનો,ભણતરની કેડી મળી ગઈ
સરળતાની કેડી મળી ગઈ,જ્યાં સાચા મનથી મહેનત થઇ
ઉજ્વળતા આવી છે બારણે આજે,જે લાયકાતે જ મળી ગઈ
અભિનંદન છે પ્રદીપ રમાના આજે,સંગે રવિ હિમાનો સ્નેહ
સરળ જીવનનીકેડી સાચવી,સૌના દીલને જીત્યા તમે અહીં
આદર,માન ને સન્માન મળ્યા,જ્યાંસૌની હિંમત ભેગી થઈ
પ્રીતપ્રેમની સાંકળ હિમેશભાઇની,સાચા સ્નેહથી ભરાઇ ગઈ
મળી ગઈ સફળતા તેમને,એજ તેમની સિધ્ધી કહેવાઇ ગઈ
******************************************
. .શ્રી હિમેશભાઇ સુગરલેન્ડ સીટી કાઉન્શીલર તરીકે ચુંટાતા ગુજરાતીઓ
માટે એ ગૌરવ છે કે સાહિત્ય પ્રેમી અને એક ઉત્તમ કલાકાર શ્રી મુકુન્દભાઇ
ગાંધીના દીકરા સૌ જનતાનો પ્રેમ મેળવી ચુંટણીમાં જીત મેળવી અમેરીકામાં
અભિનંદન ને પાત્ર થતાં સૌ સાહિત્ય પ્રેમીઓના પ્રેમ રૂપે આ કાવ્ય અર્પણ
કરુ છુ. સ્વીકારી મને રૂણ મુક્ત કરશોજી. લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ.
Filed under: પ્રાસંગિક કાવ્યો | Leave a Comment »
Posted on મે 20, 2012 by Pradip Brahmbhatt
ભગાડજો
તાઃ૨૦/૫/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવદેહ મળે અવનીએ,ભગાડજો મોહમાયા ભગવાન
દેજો પ્રેમની સાંકળ જલાસાંઇ,આવતી વ્યાધીભાગીજાય
. ……………….માનવદેહ મળે અવનીએ.
રોજ સવારે પુંજન કરતાં,માગું જીવનમાં ભક્તિ અપાર
કૃપાનીકેડી મને મળે જીવનમાં,જે જન્મ સફળકરી જાય
પ્રાર્થના,પુંજા પ્રેમેકરું જીવનમાં,દેજો સુખદુઃખમાં સંગાથ
આવી બારણે રાહ જોઉ છું,પધારજો પ્રેમ દેવાને અપાર
. ……………….માનવદેહ મળે અવનીએ.
થતાં કર્મમાં સાથે રહેજો,ના કોઇ અપેક્ષાઓ ભટકાય
ભક્તિદેજો જલાસાંઇ અમને,જ્યાંમોહમાયા ભાગીજાય
અંત દેહનો આવતા,મોક્ષ દઈ કરજો જીવનો ઊધ્ધાર
વંદનકરતાં માગીએ અમે,ભગાડજો અપેક્ષાઓ હજાર
. ……………….માનવદેહ મળે અવનીએ.
======================================
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on મે 20, 2012 by Pradip Brahmbhatt

.
.
.
.
.
.
.
.
.
.
.
. ચી.રાહુલની કેડી
તાઃ૧૯/૫/૨૦૧૨ હ્યુસ્ટન …..પ્રદીપ બ્રહ્મભટ્ટ
અભિનંદનની વર્ષા વરસતા,દીકરો રાહુલ હરખાઇ જાય
એન્જીનીયરીંગની ડીગ્રી મેળવતાં,પપ્પામમ્મી રાજી થાય
. ………..અભિનંદનની વર્ષા વરસતા.
પાળજ ગામને પાછળ મુકી,પ્રકાશભાઇ હ્યુસ્ટન આવી જાય
હીનાની હૈયા લાગણી લઈને,બંન્ને અહીંયા મહેનત કરી જાય
માબાપની મહેનતુ કેડી જોતાં,રાહુલને સાચી રાહ મળી જાય
ભણતરની સાચીલાગણી રાખતાં,જીવનમાંસફળતા મળીજાય
. ……….અભિનંદનની વર્ષા વરસતા.
નિર્મળ પ્રેમની ગંગા લઈને,મમ્મી હીના આજે ખુબ હરખાય
પતિપ્રકાશની સાચીરાહે,બંન્નેના જીવન ભક્તિએ ઉજ્વળથાય
આનંદનો આ પ્રસંગ અનેરો,કાકા કૌશિકભાઇ ખુશ થઇ જાય
ફોઇ પ્રેમીલાબેન પણ આવ્યા,જોઇ પ્રકાશ હીના ખુબ હરખાય
. ……….અભિનંદનની વર્ષા વરસતા.
પ્રદીપ રમાને પ્રીતપ્રકાશહીનાથી,સમયના સાથથી સમજાય
આજકાલને દુર મુકતાં હ્યુસ્ટન આવ્યાને,નવ વર્ષ પુરા થાય
ભક્તિની સાચી કેડીને સંગે,જીવનમાં રાત દિવસ ના દેખાય
શ્રધ્ધારાખી મહેનતકરતાં,આજે રાહુલને સાચીરાહ મળી જાય
. ……….અભિનંદનની વર્ષા વરસતા.
+++++++++++++++++++++++++++++++++++++++++++++
Filed under: પ્રાસંગિક કાવ્યો | Leave a Comment »
Posted on મે 18, 2012 by Pradip Brahmbhatt
ચરણોમાં વંદન
તાઃ૧૮/૫/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે જીવનમાં રાહ સાચી,જે ઉજ્વળજીવન આપીજાય
સંતનેચરણે વંદન કરતાં,ભવોભવના બંધન છુટી જાય
. ………………મળે જીવનમાં રાહ સાચી.
સાચાસંતની દ્રષ્ટિ પડતાં દેહે,મોહમાયા જ ભાગી જાય
ભક્તિની કેડી સરળ બને,ના દેખાવ કોઇ અથડાઇ જાય
કર્મનાબંધન તો સૌ જીવનેવળગે,ના સાધુથીય છટકાય
મુક્તિ મળે જીવને જગતથી,જ્યાં પરમ કૃપાળુ હરખાય
. ………………..મળે જીવનમાં રાહ સાચી.
મારૂતારૂ એ દેહના સ્પન્દન,જે સાચીભક્તિએ ભાગીજાય
જલાસાંઇના ચરણોમાં વંદનથી,ભવસાગર તરી જવાય
આંગણેઆવી ભીખમાગતા પ્રભુજી,વર્તનથી ભાગી જાય
એજ સાચી શ્રધ્ધા ભક્તિ જીવનમાં,જન્મસફળ કરીજાય
. …………………મળે જીવનમાં રાહ સાચી.
+++++++++++++++++++++++++++++++++++++
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on મે 18, 2012 by Pradip Brahmbhatt
મહેંર દીઠી
તાઃ૧૮/૫/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અનુભવથી અજ્ઞાન માનવી,અહીં તહીં ભટકી જાય
સાચી કેડી મળે સહવાસથી.જે જન્મ સફળકરીજાય
……………….અનુભવથી અજ્ઞાન માનવી.
આંધીનો અણસાર મળે જીવને,સરળ જીવન કરી જાય
કર્મ બંધન ના કોઇ યુગે છુટે,એતો જીવથીજ છે સંધાય
થતાં કામનો સાથ મળે,જે જીવને સરળતા આપી જાય
કુદરતની એમહેંર દીઠીમેં,જે સાચી શ્રધ્ધાએ મળી જાય
……………….અનુભવથી અજ્ઞાન માનવી.
સુખદુઃખની છે સાંકળ ન્યારી,જે અનુભવે જ મળી જાય
કરેલ કર્મની સીધી સાંકળ,જીવને સદમાર્ગેજ લઈ જાય
મોહ માયાની કાતર એવી,જીવના સદકર્મોથી છટકાય
મળી જાય જીવનમાં દેહે,ત્યાં જીવ જન્મોજન્મ ભટકાય
…………………અનુભવથી અજ્ઞાન માનવી.
====================================
Filed under: આધ્યાત્મિક કાવ્યો | Leave a Comment »
Posted on મે 17, 2012 by Pradip Brahmbhatt
. પેટની પીડા
તાઃ૧૭/૫/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આચર કુચર ખાઈ જતાં,આવી વ્યાધીઓ ભઇ
એક દવાની ટીકડી લેતાં,બીજી ચાર લીધીજઈ
. …………………આચર કુચર ખાઈ જતાં.
નાદીઠાનુ જ્યાં દીઠીલેતાં,પેટ ભીખ માગે છે અહીં
પાચનક્રીયા નાહાથમાંરહેતાં,તકલીફો આવતીગઈ
સમજને જ્યાં મુકતાં નેવે,અકળામણો મળતી થઈ
એક તકલીફને પરાણે મુકતાં,બીજી બે વળગીગઈ
. ……………………આચર કુચર ખાઈ જતાં.
પેટ કરાવે વેઠ જગતમાં,માનવ બુધ્ધિએ સમજાય
સમજીને જ્યાં મોંમા મુકતાં,ના પાચનક્રીયાતફડાય
શાંન્તિમળે જ્યાં આવી પેટને,ના દવાદારૂ અથડાય
સમજણથી કરતાં આહારથી,સૌ ઉપાધી ભાગી જાય
. ………………..આચર કુચર ખાઈ જતાં.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
Filed under: પ્રાકૃતિક કાવ્ય | Leave a Comment »
Posted on મે 17, 2012 by Pradip Brahmbhatt
. સંતોષી માનવ
તાઃ૧૭/૫/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શરણું સાચુ મળે જીવને,ના કોઇ અપેક્ષાઓ અથડાય
મનને શાંતિ મળતી ચાલે,એ સંતોષી માનવ કહેવાય
. ……………….શરણું સાચુ મળે જીવને.
મળે દેહ અવનીએ જીવને,માનવદેહે ઉજ્વળતા મેળવાય
કર્મનાબંધન જીવની સાથે,સંબંધને જગેકોઇથી નાછોડાય
સરળતાની સાંકળ પણ ન્યારી,સંતોષી માનવથી સહેવાય
નિર્મળતાનીકેડી ન્યારી,જે જીવે પ્રેમનીજ્યોત જલાવીજાય
. ………………..શરણું સાચુ મળે જીવને.
અપેક્ષા ખેંચે જીવને જગત પર,ત્યાં સમજણ ભાગી જાય
એક પડેલી ઝાપટને ભુલતાં,બીજી આવીનેજ મળી જાય
પ્રકૃતિની છે આકલા જગતમાં,જીવોને અનુભવે સમજાય
આવીમળે કૃપા જલાસાંઇની,સંતોષે જન્મસફળથઈ જાય
. ……………….શરણું સાચુ મળે જીવને.
==================++++++++++++++++++
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on મે 15, 2012 by Pradip Brahmbhatt
.વ્યાધીનુ આગમન
તાઃ૧૫/૫/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ક્યાંથી આવી વ્યાધી જીવનમાં,જીંદગી ઝપટાઇ ગઈ
સરળ જીવનની કેડી ન્યારી,આવતાંજ બદલાઇ ગઈ
. ………………..ક્યાંથી આવી વ્યાધી જીવનમાં.
માનવમનને શાંન્તિ જીવનમાં,સરળતા સહવાઇ ગઈ
આધી વ્યાધીને આંગણે મુકતાંજ,જીંદગી મહેંકી ગઈ
પ્રભુ કૃપાનો દોર મળતાં જીવનમાં,કેડી પકડાઇ ગઈ
જલાસાંઇની ભક્તિકરતાં,જીવનેપાવનરાહ મળીગઈ
. ……………….ક્યાંથી આવી વ્યાધી જીવનમાં.
મળેલ જીવનની મહેંક પ્રસરે,જ્યાં શાંન્તિ મળી જાય
નિર્મળ ભાવના સંગે રહેતા જ,મોહ માયા ભાગી જાય
મનમાંચિંતા ને દેહે અશાંન્તિ,જ્યાં કળીયુગીકાયાથઈ
આવી ઘરમાં એ પડીરહે,જેને વ્યાધીઓ કહેવાય ભઈ
. ………………..ક્યાંથી આવી વ્યાધી જીવનમાં.
+++++++++++++++++++++++++++++++++++++++
Filed under: પ્રાકૃતિક કાવ્ય | Leave a Comment »
Posted on મે 14, 2012 by Pradip Brahmbhatt
. મળતી મુંઝવણ
તાઃ૧૪/૫/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મનમાં મુંઝવણો આવી જાય,જ્યાં જીવનમાંરાહ ખોટી પકડાય
સંતોષની કેડી છુટે જીવનથી,એજ બલિહારી સમયની કહેવાય
. ……………….મનમાં મુંઝવણો આવી જાય.
કામણકાયા જગતમાં મળતાં,મતિ કળીયુગમાં ફરતી થાય
આધીવ્યાધી નાઆવી શકે,જ્યાં વાતાવરણ સમજાઇ જાય
નિર્મળ ભાવના સંગે રાખતાં,આવતી મુંઝવંણ અટકી જાય
શાંન્તિનો સહવાસ મળે જીવનમાં,જ્યાં રાહત મળતી જાય
. …………………મનમાં મુંઝવણો આવી જાય.
સરળ કામ એ કૃપા પ્રભુની,જે અનુભવથી ઓળખાઇ જાય
સમજણનો જ્યાં સંગરહે,ત્યાં કામમાં સફળતા મળતીજાય
મોહમાયાને તગેડી દેતાં જીવનમાં,ના મુંઝવણ આવી જાય
ભાગે એતો જીવનમાંથી તરત,જ્યાં જલાસાંઇની કૃપા થાય
. …………………મનમાં મુંઝવણો આવી જાય.
======================================
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »