કૃપા એજ મોક્ષ

                        કૃપા એજ મોક્ષ

તાઃ૧૭/૧૧/૨૦૦૯                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

મોક્ષની માયા લાગતા,જીવને ભક્તિ પ્રેમે થાય
જલાસાંઇની ભક્તિ લેતા,પ્રભુરામની કૃપા થાય
                                   ………મોક્ષની માયા લાગતા.
પ્રભાત પહોરના સોનેરીકિરણે,પુંજન અર્ચનથાય
બારણુ ખોલતા ઘરમાં, પધરામણી પ્રભુની  થાય
તુલસી ક્યારા આંગણેશોભે,ને ગુલાબ મહેંકીજાય
કંકુ ચાંલ્લા કરતાં દ્વારે,ચોખાથી વધામણા થાય
                                         …….મોક્ષની માયા લાગતા.
પવિત્ર પાણી ગંગા નદીના,વધામણાથી અર્ચાય
ચારેદીશાને નમનકરતાં,પંચામૃત હાથથી દેવાય
કૃપા કરુણા સાગરની, જીવની ભક્તિ જોતા થાય
મળીજાય જ્યાં કૃપાપ્રભુની,જીવનેમોક્ષમળી જાય
                                        ………મોક્ષની માયા લાગતા.

(((((((((((((((((((((((((((((())))))))))))))))))))))))))

દાનેશ્વર ભગવાન

                           દાનેશ્વર ભગવાન

તાઃ૧૬/૧૧/૨૦૦૯                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

દીન દયાળુ ને ભક્તિદાતા,છો કરુણાના અવતાર
સોમવારની સવાર ઉજ્વળ,જ્યાં દીપઅર્ચન થાય
પિતા શંભુને મા પાર્વતીનો,ત્યાં પ્રેમ મળે તત્કાળ
                                           ………દીન દયાળુ ને ભક્તિ.
પ્રભાત પહોરની પહેલી કિરણે, ભાવથી ભક્તિ થાય
સુર્યોદયનાસહવાસમાં,શિવલીંગને દુધ અર્પણથાય
સુખડની ફોરમ મહેંકે ઘરમાં,ને દીવા જળહળ થાય
મંજીરાનાતાનમાં અને ડમરુનાતાલમાં ભક્તિ થાય
નમન દેહથી કરતાંસૌ,આનંદમાં ભજનપ્રેમથી ગાય
ૐનમઃશિવાયના જાપથી, હૈયેથી પ્રભુનેવંદન થાય
                                              ……….દીન દયાળુ ને ભક્તિ.
જન્મ દેહથી મુક્તિકાજે,સહજભાવમાં ભક્તિપ્રેમે થાય
ભોલેનાથના શરણે જાતાં, જીવની મુક્તિના ખુલે દ્વાર
માતા પાર્વતીની કૃપા પામતા, સ્નેહાળ શાંન્તિ થાય
અવની પરના અવતરણને,પ્રભુભક્તિએ સાર્થક થાય
મુક્તિના  દ્વાર ખોલવા કાજે,હર હર ભોલે સ્મરણ થાય
મન અને માળાનુ  મિલન થતાં, જીવને શાંન્તિ થાય
                                                 …….દીન દયાળુ ને ભક્તિ.

+++++++++++++++++++++++++++++++++++

શ્રધ્ધા એજ સફળતા

                           શ્રધ્ધા એજ સફળતા

તાઃ૧૫/૧૧/૨૦૦૯                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

જગતના જીવને કર્મનાબંધન,ના પારખી શક્યુ છે કોઇ
કુદરતના વ્યવહારને  જગતમાં,ના જાણી શક્યુ છે કોઇ
                                                  ……..જગતના જીવને કર્મના.
અવની પરના આગમનમાં,જીવને  છે જગતના બંધન
માનવમન જો પારખી જાણે,નારહે ફરી જગે અવતરણ
કુદરતની છે એકજ નીતી,કરેલ કર્મનાફળ મળે છે અહીં
શ્રધ્ધા સાચી મનમાં રહેતા,શાંન્તિ જ મળશે જીવનેઅહીં
                                                  ………જગતના જીવને કર્મના.
હાથ પગની જ્યાં ચાહત મહેનત,પ્રભુ કૃપા મળી જાય
દેહનીવ્યાધી દુરરહે ત્યાં,જ્યાંલગની મનથી લાગીજાય
એક એક તાંતણો જોડાતા,સાચી કેડી જીવને મળી જાય
સફળતાનો સહવાસ મળે ત્યાં,જ્યાં શ્રધ્ધા સાચી થાય
                                                ……….જગતના જીવને કર્મના.

=================================

સાચી માયા

                        સાચી માયા

તાઃ૧૨/૧૧/૨૦૦૯                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

માબાપને જોઇને સંતાનને થાય
સંતાનને જોઇને માબાપને થાય
જલારામબાપાને જોઇને અન્નદાનથી થાય
સાંઇબાબાને જોઇને માણસાઇથી થાય
સફળતા જોઇને મહેનતથી થાય
પતિને જોઇને પત્નીને થાય
પત્નીને જોઇને પતિને થાય
કાગળ પેન જોઇને લખનારને થાય
ભાઇને જોઇને બહેનને થાય
બહેનને જોઇને ભાઇને થાય
માલીકને જોઇને પ્રાણીને થાય
સભાને જોઇને નેતાને વાણીથી થાય
સંગીતને સાંભળી કાનને થાય
મીઠાઇને જોઇને જીભને થાય
સુંદરતા જોઇને આંખને થાય
લાગણી મેળવીને હ્રદયને થાય
કલાકારને જોઇને કલા માણનારને થાય
વાંચનારના પ્રતિભાવ વાંચીને કૃતિકારને થાય
દુઃખ મળતા પરમાત્માની થાય
જીવના કલ્યાણ માટે ભક્તિથી થાય
દમડી જોઇને ભિખારીને થાય

================================

મારે આંગણે

                               મારે આંગણે

તાઃ૧૨/૧૧/૨૦૦૯     ગુરુવાર           પ્રદીપ બ્રહ્મભટ્ટ

આજ મારે આંગણે રે,આવ્યા ઝોળી દંડા સાથ
વિરબાઇમાતાના નાથ,છે વિરપુરના ભરથાર
                                   …………આજ મારે આંગણે રે.
કરુણા સાગર ભક્તિ આધારી,પ્રેમના અવતારી
પ્રભુ કૃપાને પામી જગમાં,ઉજ્વળ જીવન સાથ
મહેંક પ્રેમની મેળવીને, લીધી માનવતાની કેડી
સંતાન સંગે પાવન જન્મ,કરવાની દીધી સીડી
                                     …………આજ મારે આંગણે રે.
સવારસાંજની ભક્તિ નિરાળી,અંતર જીવન ઉજ્વળ
આવી આંગણે મહેંકે ભક્તિ,જગમાં ભજન છે શક્તિ
મળી ગઇ જ્યાં કૃપા પ્રભુની ,ના વ્યાધી છે જગમાં
મળશે જગે માયાથીમુક્તિ,જ્યાં વળગે ભક્તિ જીવે
                                             ……….આજ મારે આંગણે રે

++++++++++++++++++++++++++++++++++++

ભક્તિ સાથે ભજન

                          ભક્તિ સાથે ભજન

તાઃ૧૦/૧૧/૨૦૦૯                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવદેહની વિટંમણામાં ભઇ,સાગર ના સમજાય
સુખ સાગર કે દુઃખ સાગર,એ પડીએ ત્યાં પરખાય
                                       ……..માનવદેહની વિટંમણામાં.
પ્રભાતના પહેલા કિરણના સ્પર્શે, સુર્યોદયને પુંજાય
નમણી આંખે પુંજી લેતા,પાવનદ્વાર ઘરના થઇજાય
સમયને પારખી   ભક્તિ કરતાં,પ્રભુ કૃપા પણ થાય
આવે આંગણે મહેંક તુલસીની,ત્યાં હૈયુ પણ હરખાય
                                         ……..માનવદેહની વિટંમણામાં.
ભજન કરતાં મતી અટકે,જે ના લટકે વ્યાધી મળતા
શબ્દ સુરના તાલમાં રહેતા,ભાવનાએ ભરાઇ જવાય
બંધ આંખે જગતને જોતાં,મળે પ્રભુની અનોખી પ્રીત
ભક્તિને સંગાથ મળે ભજનનો,સ્વર્ગ પામવાની રીત
                                         ………માનવદેહની વિટંમણામાં.

+++++++++++++++++++++++++++++++++

સનાતન સત્ય

                             સનાતન સત્ય

તાઃ૧૦/૧૧/૨૦૦૯                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવના કલ્યાણ માટેની દોરી એ ધર્મ છે.
ધર્મના દરવાજાની ચાવી ભક્તિ છે.
હિન્દુ ધર્મમાં ધર્મના અનેક સ્વરુપ છે.
દેહના અસ્તિત્વનું અવતરણ એ માબાપ છે.
માનવદેહના જીવનના માર્ગનો પાયો છે ભણતર.
પૃથ્વી પરના અવતરણ બાદ દેહનુ અસ્તિત્વએ ખોરાક છે.
જન્મ અને મૃત્યુનો સંબંધ એટલે કર્મ.
દેહના અવતરણના સ્વરુપ પ્રાણી,પશુ,પક્ષી અને મનુષ્ય છે.
સંસ્કાર એ માબાપના આશિર્વાદ અને પ્રભુ ભક્તિથી મળે.
શેરડીના સંત પુ.સાંઇબાબા સિવાય જગતના કોઇપણ દેહનુ અસ્તિત્વ
માબાપ વગર શક્ય નથી.
કુળ કરતાં તમારી સંસ્કારી સમજ એ જીવનને પવિત્ર બનાવે છે.
અલ્લાહનુ કોઇ સ્વરુપ ન હોવા છતાં તેમાં રહેલી શ્રધ્ધાએ જીવ
મુક્તિ મેળવે છે.
જીવના અસ્તિત્વ સ્વરુપ પ્રાણી,પશુ,પક્ષી અને મનુષ્ય છે.
જીવના ઉધ્ધાર માટેના અનેક સ્વરુપો છે.
જીવને મળેલ દેહમાં બીજા જીવોના સંબંધ જ્યાં ત્યાં અને
ત્યારે પુરા કરવા જ પડે છે.
જીવ અને કર્મના સંબંધમાંથી પરમાત્મા જ મુક્તિ આપી શકે છે.

અને છેલ્લે…….
                    જન્મ અને મૃત્યુના ફેરામાંથી સાચી ભક્તિ અને સંસ્કાર
જ મુક્તિ આપી શકે છે.

————————————————————————

મેળવી લીધી

                          મેળવી દીધી

તાઃ૯/૧૧/૨૦૦૯                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

સચ્ચાઇને સંગે રાખી,જ્યાં મનમાં વાળી ગાંઠ
રાહ ઉજ્વળ પણ દીઠી,જે મળવામાં ના બાધ
                                          …….સચ્ચાઇને સંગે રાખી.
ડગલુ માંડતા પહેલા જ,મળી જાય છે અણસાર
સાચવીને જગમાં ચાલતા,ના ઠોકર પણ ખવાય
પ્રભુકૃપાને પામવા જગે,જ્યાં ભક્તિ ઘરમાંથાય
મુક્તિ જીવ મેળવી લેશે,જ્યાં શ્રધ્ધા સાથે રખાય
                                           …….સચ્ચાઇને સંગે રાખી.
માબાપને ચરણે શીશ ધરે,ત્યાં હૈયુ ઉભરાઇ જાય
આશિર્વાદની વર્ષા વરસે, જ્યાં પ્રેમે વંદન થાય
સરળતાને સફળતા સંગે,જીવન પણ મહેંકી જાય
બારણુ ખોલતા પ્રભુ પધારે,ત્યાં જન્મ સફળ થાય 
                                           ……..સચ્ચાઇને સંગે રાખી.
શક્તિ એકને નામ અનેક,જે ધરતીએ છે ભજાય
મોહ,માયાને મમતાસાથે,ત્યાં નાપ્રભુપ્રેમવર્તાય
ભીખ પ્રભુથી મુક્તિની,જે જીવની સાથે સંધાય
દુનીયાના બંધનને છોડતા,જલાસાંઇ મેળવાય
                                           ……..સચ્ચાઇને સંગે રાખી

*********************************************

કળીયુગી પ્રેમ

                          કળીયુગી પ્રેમ

તાઃ૮/૧૧/૨૦૦૯                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

હાય બાયની બાંય પકડી,ચાલે છે જ્યાં પ્રેમ
અંત આવે વણમાગેલ,ના તેમાં છે કોઇ વ્હેમ
                           ………હાય બાયની બાંય પકડી.
ડુંગર જેવા પ્રેમમાં,નજીક પહોંચતા ખચકાય
દેખાવ એવો જગમાં,ના માનવમન હરખાય
કદીક ઉભરો આવતાં,વ્હાલે તોરણપણ બંધાય
દેખાવના આંસુ વહી જતાં,પ્રેમી મન મલકાય
                             ……..હાય બાયની બાંય પકડી.
દુનિયા આ દેખાવની,ના સત્યતાનો રહે સાથ
વ્યાધી નજીક આવતાં જ,ભાગે જ્યાં ત્યાં પ્રેમ
ના અવસરની છે  ચિંતા, કે ના રહે કોઇ ઉમંગ
કળીયુગી પ્રેમમાં પડી જતા,અંત રહે ના ક્ષેમ
                              ……..હાય બાયની બાંય પકડી.
હાય કહેતા વળગીચાલે,ના પ્રીત મનથી હોય
લાગણીને દઇ મુકી માળીયે,શોધતા જગે પ્રેમ
શબ્દોની માયાને લેતા,ના બચીશક્યુ કોઇ એમ
વિખરાયેલ લહેર વાળથી,બાય મનથી કહેવાય
                                ……. હાય બાયની બાંય પકડી.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

મન કહે

                               મન કહે

તાઃ૭/૧૧/૨૦૦૯                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

દીલમાં પ્રેમ રાખજે
                    ઉભરોના છલકાય

લગામ ઘોડાને બાંધજે
                      સાચી કેડીએ રહેવાય

મિત્રોને સંગ રાખજે
                      તકલીફોથી છુટાય

પ્રભુનુ શરણુ રાખજે
                       જીવતર સચવાઇ જાય

મહેનત મનથી કરજે
                       સફળતા સંગ ચાલશે

પ્રકૃતીને તુ પારખજે
                     ભીતિ તનથી ભાગશે.

ભણતરને પારખજે
                    જીવનના સોપાન મહેંકશે

કિર્તી ક્યાંકથી આવશે
                    જીવન ઉજ્વળ લાગશે

પારકાને પારખજે
                   શાંન્તિ દોડતી આવશે

========================

કામ,કર્મ અને વર્તન

                      કામ,કર્મ અને વર્તન

તાઃ૭/૧૧/૨૦૦૯                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીંદગીની માનવીમાં સમયે, ઝેર અમૃત મળી જાય
કામ,કર્મ ને વર્તનસાચવતા,આ જીવન પાવન થાય
                                  …….જીંદગીની માનવીમાં સમયે.
દેહ મળતા અવનીએ, જીંદગીમાં કામ આવી જાય
સમજી વિચારી કરી લેતા,સફળતાનો આનંદ થાય
અવનીપર ના બંધનમાં,સમજી વિચારી તરી જાય
શાંન્તિનો સહવાસ પણ મળે,ને જીવન ધન્ય થાય
                                ………જીંદગીની માનવીમાં સમયે.
કર્મ છે સંસારનો પાયો, સંસ્કાર સિંચનમાં સહવાય
ભક્તિનો સાથલેતાં જીવનમાં,માનવતા મળી જાય
ડગલુ માંડતા દેખાવ નાઆવે,ત્યાં પ્રેમ આવીજાય
કર્મના બંધન છે જીવ સગપણ,મૃત્યુ એ મળી જાય
                                  …….જીંદગીની માનવીમાં સમયે.
બાળપણ જુવાની સાચવતા,વડીલો  ખુબ હરખાય
આદરમાન ને વળગી રહેતા,પ્રભુ કૃપા મળી જાય
વર્તનનીસાંકળછે ઉત્તમ,જગતમાં પ્રેમને મેળવાય
પરમાત્માની દયા મળે,ત્યાં  જીવનો ઉધ્ધાર થાય
                                  ……..જીંદગીની માનવીમાં સમયે.

*********************************************

આંસુ આંખના

                            આંસુ આંખના

તાઃ૭/૧૧/૨૦૦૯                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીંદગી અને જીવન, એ તો કૃપા થકી મળી જાય
સફળ સાર્થક બનીરહે એ,જ્યાં પ્રેમથી ભક્તિ થાય
                                                   …….જીંદગી અને જીવન.
પ્રેમ  માતાનો પામવાને, બાળક  ઉંવાઉંવા કરી જાય
ગોદમાં લઇ સંતાનને, માતાનુ વ્હાલ ત્યાં મળી જાય
પાપા પગલી જોઇ,મા ની આંખમાં આંસુ આવી જાય
સરળ રહેલ સંસારમાં,સાચાપ્રેમના બંધન મળી જાય
                                                   ……..જીંદગી અને જીવન.
પ્રેમનીસાંકળ મળી જતાં,જગમાંપ્રેમ સાચો મળી જાય
હૈયામાં એ ઉભરાય એવો,જે કોઇથી ના સમજી લેવાય
શબ્દનો ના સહારોમળે,કે નારહે દુનિયામાં કોઇ  દેખાવ
મિત્રતાના સહવાસમાં,આંખમાં પ્રેમનાઆંસુ આવીજાય
                                                    ……..જીંદગી અને જીવન.
દેહ મળતા અવનીએ,લોહીના બંધન જીવનેમળી જાય
સગા સંબંધીઓના બંધનમાં,દેહને  અવસર મળી જાય
જન્મ અને મૄત્યુનો અણસાર, જીવના બંધનથી લેવાય
અવસરઆગમન વિદાયનોજોતા,આંખ આંસુથીઉભરાય
                                                    ………જીંદગી અને જીવન.

=+_+_+_+_+_+_+_+_+_++_+_+_+_+_+_+_+_+=

દુઃખની માગણી

                          દુઃખની માગણી

તાઃ૩/૧૧/૨૦૦૯                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવજીવન મળતાં જગમાં,મહેનત મનથી કરતો
આવે આંગણે પરમાત્મા, તો દુઃખની માગણી કરતો
                                           …….માનવ જીવન મળતાં.
દેહ મળે જ્યાં માનવીનો, સમજી વિચારી ચલાય
કામદામને વળગી રહેતા,જીવન સુખે જ જીવાય
દીલથી સતના સંબંધ એવા,સુખદુઃખ મળી જાય
લગની મનથી રાખી જલાની,મનને શાંન્તિ થાય
                                       ……….માનવ જીવન મળતાં.
કરુણાનાઅવતાર પ્રભુએ,લીધા અવનીએઅવતાર
આવી જગમાં રાહ બતાવ્યો,કરવા જીવનો ઉધ્ધાર
સુખનીસાંકળ મળતાં જીવ,ભુલી જાય પ્રભુનું નામ
જન્મ મળતાં માનવીનો,દુઃખમાં જલાસાંઇ ભજાય
                                             …….માનવ જીવન મળતાં.
માનવ દેહ અમુલ્ય બને, જ્યાં ભક્તિ પ્રેમથી થાય
દુઃખજ્યારે આવે જીવનમાં,ત્યાં શરણુ પ્રભુનુલેવાય
માગણીમનથી કરતાં દુઃખની,મળે જલાસાંઇનો પ્રેમ
ભક્તિના ડુંગર પકડી  લેતો, જીવને મુક્તિ મળે જેમ
                                              …….માનવ જીવન મળતાં.

====================================

પ્રભુની શોધ

                           પ્રભુની શોધ

તાઃ૨/૧૧/૨૦૦૯                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

દીવો લઇને દરીયો ઘુમ્યો,આકાશ પાતાળ મેં છંછેડ્યા
શોધવાનીકળ્યો સર્જનહારને,મળવાની થઇ અભિલાષા
                                        ……..દીવો લઇને દરીયો ઘુમ્યો.
કળીયુગમાં અણસાર મળ્યો,પ્રભુ પૃથ્વી એ મળનારા
ઉંચા તોતીંગ શીખરો જોઇ, પહોંચી ગયો હું પગપાળા
બારણુ ખોલતા ડબ્બાજોયા,જ્યાં દેખાય જગના લારા
રુપીયો પહેલા મુકતા હાલો,પછી ડૉલરનો આવે વારો
                                         ………દીવો લઇને દરીયો ઘુમ્યો.
મંત્રતંત્રની કલાને જોઇ,ભાગે ભુતપ્રેત જગે ભમનારા
મનની શાંન્તિને શોધવાસાથે,રાખે કંકુચોખાનાકુંડાળા
આવેલ બારણે નાછટકી શકે,જ્યાં જુએ જગે ચમકારા
ના મળે પરમાત્મા જગમાં,કે ના રહે કોઇ જગે સહારો
                                          ………દીવો લઇને દરીયો ઘુમ્યો.

***************************************

પાપનો ભાર

                         પાપનો ભાર

તાઃ૨/૧૧/૨૦૦૯                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

ડગલે પગલે મહેંક વરતાવે,ને સમજાવે જગમાંય
આ કરવાથી આ મળશે,ત્યાં જીવન જ ડોલી જાય
                                   …….ડગલે પગલે મહેંક વરતાવે.
પ્રભુ કૃપા તો દુર રહે, જ્યાં મુક્તિના બતાવે દ્વાર
માણસાઇની ના મહેંક રહે,જ્યાં દાન પેટી દેખાય
જીવની જગમાં એક માગણી,મુક્તિ ખોલે જ દ્વાર
દેખાવની ઝંઝટ છે એવી,ભાર પાપનો દઇ જાય
                                   ……..ડગલે પગલે મહેંક વરતાવે.
માનવમનના ભોળપણાને,દેખાવથી એ ખેંચી જાય
ભક્તિના સંબંધ બીજાથી,એતો પવિત્રમનથી થાય
કુદરતના એ પવિત્ર નિયમ,જે ભક્તિ એ જ દેખાય
જગતજીવને શાંન્તિ દેતા,ના પાપ તમને અથડાય
                                 ………ડગલે પગલે મહેંક વરતાવે.

!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

પુણ્યનો પ્રતાપ

                          પુણ્યનો પ્રતાપ

તાઃ૨/૧૧/૨૦૦૯                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

શીતળતાની વર્ષા જ્યાં વરસે,ને આશિર્વાદે પ્રેમ
જીવન ઉજ્વળ લાગે જગે,એછે પરમાત્માની દેન
                                      …….શીતળતાની વર્ષા જ્યાં.
જગજીવન તો વળગી ચાલે,ના એ  મુકે કોઇ દેહ
આગળપાછળ ચાલતાં રહેતા,માનવ જગમાંજેમ
સવાર સાંજની સૃષ્ટિ એવી,જીવને જગેમળીજાય
ભક્તિની લગની અનોખી,જે લાવે જગમાં રહેમ
                                        …….શીતળતાની વર્ષા જ્યાં.
માળા કરતાં મનની ભક્તિ,સદકર્મે જ લઇ જાય
સમય પકડી ચાલતા માનવ,પુણ્યકર્મ કરી જાય
જલાસાંઇની ભક્તિ લેતા,પાવન દ્વાર મળી જાય
પુણ્યપામી જીવજગતમાં,સાર્થક જીવનજીવીજાય
                                       ………શીતળતાની વર્ષા જ્યાં.
દાન દેખાવની પ્રણાલી, ના ભક્તિને વળગી જાય
ભક્તિદાન જગમાંનિરાળું,જીવનમાંએ દે અજવાળુ
આવી આંગણે જીવ જગતના,સ્નેહપ્રેમ મેળવીજાય
પ્રતાપ પુણ્યનો એવો,ના જગમાં એ શોધવા જેવો
                                          …….શીતળતાની વર્ષા જ્યાં.

===================================

वतन प्रेम

                         वतन प्रेम

ताः१/११/२००९                         प्रदीप ब्रह्मभट्ट

जन्ममीला जीस धरतीपे,मेरा उससे नाता है
पावन भुमी बनी रहे, ये सच्चा मेरा वादा है
                                     ……..जन्म मीला जीस धरती.
अवनीको अपनी बाहोंमे,परमात्माने ही रख्खी है
जन्ममीले जब धरतीपे,अलग अलग कहेलाते है
नातजातका येबचपन,इन्सानीयत को भरमाते है
समझ मीलेजब मानवको,प्यार प्रेम भर आते है
                                     …….. जन्म मीला जीस धरती.
वतन है मेरा भारत,जीसपे रामकृष्णभी आये थे
पवित्र पावन धरती है,जहां रुषीमुनी मीलजाते थे
भक्तिप्रेमका बंधन न्यारा,जीवन पावन करजाता है
वंदन मेरी जन्मभुमीको,मेराजन्म सार्थककरना है
                                        ……..जन्म मीला जीस धरती.
कळीयुगकी ना कोइ चिंता,सुखदुःख संग रहेते है
वाळी वर्तन प्रेम भक्तिसे,वो मनको शांन्ति देतीहै
जीवनजीवकानाता पुराना,ना इन्सान समझपायेगा
भेदभावको छोड चले तब,वतन प्रेम मील जायेगा
                                      ………. जन्म मीला जीस धरती.

+++++++++++++++++++++++++++++++++++++

ભક્તિની લગની

                        ભક્તિની લગની

તાઃ૧/૧૧/૨૦૦૯                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

અણસાર દીઠો ભક્તિનો,જ્યાં ઉજ્વળ જીવન થાય
પવિત્રપ્રેમ મળે માબાપનો,ને જીવને શાંન્તિ થાય
                                       ……..અણસાર દીઠો ભક્તિનો.
બાળપણની બારાખડીમાં,ભક્તિનો કક્કો મળી જાય
ભણતર સંગે ચણતર ચાલે,ત્યાં પાવન જીવનથાય
મળતી માયા દ્વારે દ્વારે, ના જીવથી અળગીએ થાય
પરમેશ્વરની કૃપા પામતા,દુર જીવથીએ ભાગી જાય
                                         ……..અણસાર દીઠો ભક્તિનો.
સંસારનો સંગાથ રહે જીવે,ને ભાઇભાંડું પણ હરખાય
સાર્થક જન્મ જીવનો કરવાને, પ્રભુ ભક્તિ પ્રેમે થાય
લગનીલાગે મનથી રામની,જે ભક્તિથીજ ઓળખાય
મૃત્યુમાં પણ મહેંક મળે,જ્યાં ભક્ત જલાસાંઇ ભજાય
                                             ……..અણસાર દીઠો ભક્તિનો.
અંતરથી જ્યાં પ્રકટે પ્રેમ,ના જગના મળે કોઇ વ્હેમ
મનનીશાંન્તિ ને માનવતાએ,આજીવન ખીલી જાય
સદા સાથ રહે ભક્તિનો,ત્યાં માનવતા મહેંકી જાય
ઉજ્વળ માનવ જન્મ થતાં,ના અવનીએ ફરી મળે
                                             ……..અણસાર દીઠો ભક્તિનો.

 $$$$$$$=======//////////////———-###########

ગોકુળીયુ ગામ વિરપુર

                     ગોકુળીયુ ગામ વિરપુર

તાઃ૨૭/૧૦/૨૦૦૯                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના આગગાડીના ધબકારા,કે ના મોટરગાડીના ધુમાડા
ક્યાંક સાયકલ ચલાવનારા,અહીંમાનવીચાલેપગપાળા
                                         ………ના આગગાડીના ધબકારા.
ભક્તિનો રણકાર ગુંજે,ને રોજ પ્રભાતે આરતી સંભળાય
ઢોલ નગારા સંગે મંજીરા,જ્યાં સંત જલારામને ભજાય
પોકારપ્રેમનો ચારે કોર સંભળાય,ને અન્નદાનનો  ભંડાર
જગતજીવ અહીં આવી જતાં,એ દેહ શાંન્તિએ સહવાય
                                            ……….ના આગગાડીના ધબકારા.
કુદરતની કરુણા જ્યાંવરસી,એ વિરપુર નામે ઓળખાય
પાવન સૌરાષ્ટની ધરતી,  જગતમાં પવિત્રતા મહેંકાય
ભક્તિનો સથવારો મળે,જ્યાં માનવી અન્ન મેળવી જાય
જલાબાપાને માતા વિરબાઇના,પવિત્ર બારણામળીજાય
                                             ………ના આગગાડીના ધબકારા.
કળીયુગમાં સીતારો બનતા,મહેનત  દેહને પડે અપાર
લાગણી,માયા,મોહ છોડતા,દેહઅનહદ તકલીફે ભેંટાય
પ્રભુપરીક્ષા દેહની દેતા,સહનશીલતા ભક્તિએ લેવાય
સફળજીવન બની જતાં,પ્રભુ પ્રેમે ઝંડો ઝોલી દઇ જાય
                                              ………ના આગગાડીના ધબકારા.

+++++++++++++++++++++++++++++++++++++

જીવનસંગીત

                                  જીવનસંગીત

તાઃ૨૬/૧૦/૨૦૦૯                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

અલખની અલબેલી લીલા,ના સમજી ના સમજાય
તાંતણે તાંતણા મળીને ચાલે,તોય દોર ના દેખાય
                                       …….અલખની અલબેલી લીલા.
માનવજીવન મહેંકી ઉઠે,ને જીવન સત્કર્મે સચવાય
કદમકદમ પર પ્રેમ મળે,જ્યાં પ્રભુ કૃપા મળી જાય
સુખદુઃખનો એ સથવાર રહે,જે ભક્તિએ તરી જવાય
મોહમાયાના છુટતાબંધન,જીવને શીતળતાદઇ જાય
                                       ……..અલખની અલબેલી લીલા.
સરગમનો સંબંધ સુરથી,સાંભળી શીતળતા  લેવાય
શાંન્તિ મનને દેતા સ્વરે,સ્પંદન પરમ પ્રેમના થાય
જીવનની જ્યોત ભક્તિએ,ને સંગીત સરગમે દેવાય
મળે જગમાં જ્યાં એ તાંતણે, જીવનસંગીત કહેવાય
                                      ……..અલખની અલબેલી લીલા.

====================================

પ્રદીપ એટલે?

ગુજરાતી ફીલ્મના સંગીતકાર અને મારામિત્ર શ્રી બ્રીજ જોષીના
ગ્રુપમાં હ્યુસ્ટન પધારેલા શ્રી રાણા કરણસિંહને થયેલ પ્રેરણાને
મને આપેલ ભાવનાપ્રેમને શબ્દ સ્વરુપે તેમની ઇચ્છાથી મુકુ છુ.

                                  પ્રદીપ એટલે ?

તાઃ૨૫/૧૦/૨૦૦૯          (હ્યુસ્ટન)            રાણા કરણસિંહ ગનુભા

પ્રદીપ એટલે ?         પ્રજ્વલીત દીપ
પ્રદીપ એટલે ?         દિવ્ય પ્રકાશ
પ્રદીપ એટલે ?         પ્રેમાળ જ્યોત
પ્રદીપ એટલે ?         પ્રેમનો દરીયો
પ્રદીપ એટલે ?         જ્ઞાનનો ભંડાર
પ્રદીપ એટલે ?         પ્રેમ કુંભ
પ્રદીપ એટલે ?         પ્રિય ભક્ત
પ્રદીપ એટલે ?         સેવા અને કૃપા
પ્રદીપ એટલે ?         કઠોર શ્રમ     
પ્રદીપ એટલે ?         સહકાર 
પ્રદીપ એટલે ?         ભક્ત ભુદરો
પ્રદીપ એટલે ?         દાસ
પ્રદીપ એટલે ?         દાસનો પણ દાસ
પ્રદીપ એટલે ?         વાહ
પ્રદીપ એટલે ?         સુગંધ અને સુવાસ
પ્રદીપ એટલે ?         ભાવનો ભંડાર
પ્રદીપ એટલે ?         કરુણાનો સાગર
પ્રદીપ એટલે ?         શ્રધ્ધા
પ્રદીપ એટલે ?         પ્રાર્થના
પ્રદીપ એટલે ?         પથીક
પ્રદીપ એટલે ?         ઉંચી ઉડાન
પ્રદીપ એટલે ?         તરવૈયો
પ્રદીપ એટલે ?         નભ વિહાર
પ્રદીપ એટલે ?         સાગરખેડુ
પ્રદીપ એટલે ?         મરજીવો
પ્રદીપ એટલે ?         મા ભોમનો ખેડુ
પ્રદીપ એટલે ?         ઉંડી સમજ
પ્રદીપ એટલે ?         પ્રવાસી
પ્રદીપ એટલે ?         સમીયલ વડલો
પ્રદીપ એટલે ?         વાલપનો દરીયો
પ્રદીપ એટલે ?         માનુ વાત્સલ્ય
પ્રદીપ એટલે ?         બાપુની છાયા
પ્રદીપ એટલે ?         ભારતમાતાનો સપુત
પ્રદીપ એટલે ?         વતનપ્રેમી
પ્રદીપ એટલે ?         ગરવો ગુજરાતી
પ્રદીપ એટલે ?         હિન્દુસ્તાની
પ્રદીપ એટલે ?         માણસાઇ
પ્રદીપ એટલે ?         માણસ પારખુ
પ્રદીપ એટલે ?         માનવ પ્રેમી
પ્રદીપ એટલે ?         મીઠાસ
પ્રદીપ એટલે ?         આવકાર
પ્રદીપ એટલે ?         પાણીની પરબ
પ્રદીપ એટલે ?         અન્નપુર્ણા પુત્ર
પ્રદીપ એટલે ?         ભંડાર
પ્રદીપ એટલે ?         મા શારદા પુત્ર
પ્રદીપ એટલે ?         મધુર સંગીત
પ્રદીપ એટલે ?         સરગમ
પ્રદીપ એટલે ?         સંગીત રસીક
પ્રદીપ એટલે ?         દર્દીલો ગાયક
પ્રદીપ એટલે ?        શિવ શક્તિ પુંજક
પ્રદીપ એટલે ?        સત્યનો રાહી
પ્રદીપ એટલે ?        ન્યાય
પ્રદીપ એટલે ?        વચન
પ્રદીપ એટલે ?        સાંઇ ચરણ
પ્રદીપ એટલે ?        સખો
પ્રદીપ એટલે ?        અમાસ રાત્રીનો પુંજ પ્રકાશ
પ્રદીપ એટલે ?        બીજનો ચંન્દ્ર
પ્રદીપ એટલે ?        પુનમનો ચાંદ
પ્રદીપ એટલે ?        શીતળ રાત્રી
પ્રદીપ એટલે ?        જલારામની ઝુંપડી
પ્રદીપ એટલે ?        ગુરુ આજ્ઞાકારી
પ્રદીપ એટલે ?        સદાય સ્વસ્થ યોગી
પ્રદીપ એટલે ?        પ્રસન્ન સ્મીત
પ્રદીપ એટલે ?        નાવીક (કપ્તાન)
પ્રદીપ એટલે ?        શ્રીફળ,કુંભ,સ્વસ્તીક
પ્રદીપ એટલે ?        પવિત્ર તિલક,જનોઇ
પ્રદીપ એટલે ?        ગાય-ગાયત્રી,ઉપાસક
પ્રદીપ એટલે ?        ભરેલુ તળાવ
પ્રદીપ એટલે ?        સમભાવના
પ્રદીપ એટલે ?        સહન શક્તિ
પ્રદીપ એટલે ?        હેમ શિખર
પ્રદીપ એટલે ?        ગરવો  ગિરનાર
પ્રદીપ એટલે ?        વિશ્ર્વાસ
પ્રદીપ એટલે ?        શુભ લાભ
પ્રદીપ એટલે ?        માન સરોવર
પ્રદીપ એટલે ?        ત્રિવેણી સંગમ
પ્રદીપ એટલે ?        પક્ષી કલરવ
પ્રદીપ એટલે ?        પવિત્ર ઝરણું
પ્રદીપ એટલે ?        રામાયણ ચોપાઇ
પ્રદીપ એટલે ?        ગીતા અધ્યાય
પ્રદીપ એટલે ?        ભાગવત સાર
પ્રદીપ એટલે ?        વેદ સમજ
પ્રદીપ એટલે ?        દ્વારીકાની છપ્પનસીડી
પ્રદીપ એટલે ?        ઔષધ પારખું
પ્રદીપ એટલે ?        ગામઠી નિશાળ
પ્રદીપ એટલે ?        સંબંધ -વીવેકી
પ્રદીપ એટલે ?        પથીકની કેડી
પ્રદીપ એટલે ?        સાચો પડોશી
પ્રદીપ એટલે ?        પોપટીયુ જ્ઞાન
પ્રદીપ એટલે ?         કથાકાર
પ્રદીપ એટલે ?        વાર્તાકાર
પ્રદીપ એટલે ?        આણંદનો આવકાર
પ્રદીપ એટલે ?        ઘંટાકર્ણ સેવક
પ્રદીપ એટલે ?        કવિતાનો રચનાર
પ્રદીપ એટલે ?        કવિતા (કવિરાજ)
પ્રદીપ એટલે ?        કવિતાનો પપીહો
પ્રદીપ એટલે ?        થનગનતો મોર
પ્રદીપ એટલે ?        કવિતાનો મહાસાગર
પ્રદીપ એટલે ?        ભોજનનો રસથાળ
પ્રદીપ એટલે ?        હ્યુસ્ટનની ડેલી
પ્રદીપ એટલે ?        આદર
પ્રદીપ એટલે ?        રક્ષક
પ્રદીપ એટલે ?        સ્વાસ્થતાનુ પ્રતીક
પ્રદીપ એટલે ?        ઉગતો સુર્ય
પ્રદીપ એટલે ?        વૃન્દાવન
પ્રદીપ એટલે ?        બ્રહ્મનો ભટ્ટ
પ્રદીપ એટલે ?      બ્રિજરાજ સખા
પ્રદીપ એટલે ?      ઉર્મીલ,ભાવીન,વિજય,મેહુલ,વિભુતી,કાજલ,બ્રિજકરણ નો ભેરુ.

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

કારતક સુદ સાતમ

                        કારતક સુદ સાતમ (૧૮૫૬/૨૦૬૬)
      
           પરમ પુજ્ય સંતશ્રી જલારામબાપાના પવિત્ર જન્મ દીવસે
તેમની સેવામાં આ કાવ્યો ભક્તિ પ્રેમ સહીત સમર્પણ.

                               સંકેત જન્મનો

તાઃ૨૫/૧૦/૨૦૦૯                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિ પ્રેમથી કરતા,ને વિરપુર ગામમાં રહેતા
           રાજબાઇ હતુ નામ,ને ઠક્કર પ્રધાનજી  ભરથાર
ધર્મ કર્મને સાચવી ચાલે,જીવનને કરવા ધામ
            આવે આંગણે કોઇ માનવી,જે અન્નદાને હરખાય
નીત સવારે પુંજા કરતાં,આંગણે દીવા પ્રગટાય
                                                   ……..ભક્તિ પ્રેમથી કરતા.
ભજન ભક્તિના અણસારમાં,પરિક્ષા કાયમ થાય
           આવે આંગણે કોઇસ્વરુપે,ના માનવીથી સમજાય
રધુવીરદાસજી આવ્યા દ્વારે,એક દેવાને અણસાર
           ભક્તિ તમારી પ્રભુ સ્વીકારે,ને ભવ સુધરશે આ
શ્રધ્ધા રાખી સ્નેહ કરીને,કરજો જીવને અન્નદાન
                                                      …….ભક્તિ પ્રેમથી કરતા.
જીવનેચાવીમળતા દ્વારની,ખુલતાંકૃપામળેઅપાર
            મોહમાયાના બંધન છુટે, જ્યાં સંતાને સેવા થાય
માન મળે સન્માન મળે,ને કુળપણ ઉજ્વળ થાય
            અવની પરના આગમને,આ જન્મ સફળથઇજાય
રામનામના સ્પંદન મળતા,પવિત્ર કામ જ થાય
                                                      ……..ભક્તિ પ્રેમથી કરતા.
પરમાત્માની સીધીદોરથી,સંત દઇ ગયાઅણસાર
            જન્મ ધરશે સંત બનવા,રાજબાઇનુ બીજુ સંતાન
મોટાબોઘાભાઇ,નાનાદેવજીભાઇ,નેવચેટ જલારામ
            રાખી શ્રધ્ધા રામનામમાં,લાવશે ભોજનનો ભંડાર
સંત સાધુને અતીથી સેવાએ,સફળ કરશે અવતાર
                                                         ……..ભક્તિ પ્રેમથી કરતા.

(((શ્રીરામ શ્રીરામ શ્રીરામ શ્રીરામ શ્રીરામ શ્રીરામ શ્રીરામ શ્રીરામ)))))

                      જલારામનો  જન્મદીવસ

                    ( ૧૪ નવેમ્બર ૧૭૯૯.)

વિરપુર ગામે મૃદંગ વાગે,જે પરમાત્માની કૃપા કાજે
ઠકકરકુળના પાવનકર્મે,ભક્ત જલારામનો જન્મઆજે
                                           …….વિરપુર ગામે મૃદંગ વાગે.
પ્રધાનજી પિતા થતાં આજે,સફળ માનવ જન્મ લાગે 
અવનીપરના આગમને,જ્યાં ભક્તિપ્રેમ ઉભરાતોઆવે
મા વીરબાઇની સેવા દીઠી,જે પરમાત્માએ ગ્રહણકીધી
જન્મ દઇ સંતાન સંતને,માનવ દેહ પાવન કરી લીધો
                                            ……વિરપુર ગામે મૃદંગ વાગે.
જન્મ કર્મના બંધન નિરાળા,અવનીપરએ સાથે ચાલે
વાણી વર્તન ને માનવધર્મ, કુદરતની કૃપા પણ લાવે
સીતારામના સ્મરણ ગગનથી,ઉજ્વળછત્ર પ્રભુનુલીધુ
જન્મ સફળનુ પગલુ લીધુ,પત્ની વિરબાઇના સહવાસે
                                         ………વિરપુર ગામે મૃદંગ વાગે.
પ્રાગજી સોમજીની સંસ્કારી દિકરી,સુખદુઃખની સંગાથી
માનઅપમાન દ્વારને તોડી,મહેંનત મનમાં જડી લીધી
આવતા આંગણે દેહમાનવી, પ્રથમ પીરસી અન્ન લીધુ
જીવને ટાઢક દેતા જગમાં,પ્રભુ પ્રેમને જ પામી લીધો
                                           ……..વિરપુર ગામે મૃદંગ વાગે.

જય શ્રીરામ જય જલારામ જય શ્રીરામ જય જલારામ જય શ્રીરામ 

                               સફળ  જન્મ

ભક્તિનો ભંડાર ભર્યો,ત્યાં પ્રભુ કૃપાનો થયો વરસાદ
ભોજલરામની સેવા લેતા,ઉજ્વળ જીવનનો અણસાર
                                                …….ભક્તિનો ભંડાર ભર્યો.
સંવત ૧૮૭૬માં સદાવ્રતથાય,જ્યાં અન્નદાન દેવાય
આંગણે આવતા ભક્તજનોને,પ્રેમથી ભોજન કરાવાય
નરનારીના આશીશ પામતા,પરમાત્મા પણ હરખાય
ભોજનના આંગણે આવી,પ્રભુ પણ ભીક્ષા માગી જાય
                                             ………ભક્તિનો ભંડાર ભર્યો.
દાનમાં ના આંટીઘુંટી કે,ના માનવસ્વાર્થ પણવર્તાય
સેવાને ભાવનાથી જોતાં,દાનમાં પત્ની જ્યાં દેવાય
શ્રધ્ધા વિરબાઇ માતાની,ને જલારામની પ્રિય ભક્તિ
ડંડો,ઝોળી દઇભાગ્યા રામ,વિરપુરગામબન્યુ ત્યાંધામ
                                              ……..ભક્તિનો ભંડાર ભર્યો.

(((( જય જલારામ જય જલારામ જય જલારામ ))))

મૃત્યુનો અણસાર

                       મૃત્યુનો અણસાર

તાઃ૨૪/૧૦/૨૦૦૯                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

મૃત્યુનો અણસાર મળે, તોય માયા દેહના છોડે
વળગી રહી દેહને એવી,ના જગના બંધન તોડે
                                        …….મૃત્યુનો અણસાર મળે.
મોહ મમતાને માયાનો,જગમાં સંબંધછે અનેરો
જન્મ ને જીવનો છે નાતો,તેમ દેતો જીવને હેલો
ક્યાંથી ક્યાં કે ક્યારે આવે,સુખદુઃખનો અણસાર
નામાનવી જગમાં પામીશકે,કૃપા પ્રભુની અપાર
                                     ………મૃત્યુનો અણસાર મળે.
સ્નેહ સંતાનને પારખી લેવા,માયા મહેંક જગાવે
જીવને જગમાં શાંન્તિ દેવા,જલાસાંઇ થઇ આવે
મુક્તિ દ્વાર ખોલવા કાજે,ભક્તિની ચાવી બતાવે
કુળ જન્મને સાર્થકકરવા,નીત દયાપ્રભુ વરસાવે
                                       ………મૃત્યુનો અણસાર મળે.
જન્મ મરણનો નાતો વણેલો,જીવથી એ જકડાયો
સાચીભક્તિ કરતાંજગમાં,નાજીવને ફરી મળનારો
દેહનાબંધન ને પ્રેમનાબંધન,જીવને વળગી ચાલે
મૃત્યુ જીવનુ સહર્ષ થાશે,ને ભાગશે જીવના બંધન
                                           …….મૃત્યુનો અણસાર મળે.

=====================================

ભભુતીનો ચમત્કાર

                        ભભુતીનો ચમત્કાર

તાઃ૨૪/૧૦/૨૦૦૯                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભલભલાને ભુમી ચટાડુ,એવો હું સમજદાર
અમેરીકાની લઇને ભભુતી,બતાવુ ચમત્કાર
                                       ……..ભલભલાને ભુમી ચટાડુ.
વિદેશોમાં હું વખણાતો,ને લઇને આવ્યો અહંકાર
બે આનાને હવે દઉ દબાવી, ડોલર બતાવી ચાર
રુપીયો ખણગતો અટકે,જ્યાં લીલી નૉટ બતાવુ
કેવીરીતે સમજાવુ તમને,હું કેવી જીંદગી વિતાવુ
                                       ………ભલભલાને ભુમી ચટાડુ.
ડગલેપગલે નમતાચાલો,તો ક્વાટર પેની દેખાય
નેવે ભણતર મુકીદેતાં,પગથી જીવનની મેળવાય
ના ભુવો કે ના ભભુતી,આતો દુરના ડુંગર કહેવાય
માનવજીવન મુકી દેતાં,અહીંયાં મશીનથી જીવાય
                                         ………ભલભલાને ભુમી ચટાડુ.
સ્નેહ દેખાવ છે ઉપરનો, ના અંતરમાં કાંઇ ઉભરાય
ભોળપણાનો એ લાભ લેતા,નિર્દોષ જ લપટાઇ જાય
ભક્તિ સાચી મેળવી જીવે,મુક્તિ માનવદેહથી લેવા
સતભુમીનો સહવાસ રાખી,જગે ચમત્કાર દુર કરવા
                                            …….ભલભલાને ભુમી ચટાડુ.

%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

પ્રેમની સીટી

                             પ્રેમની સીટી

તાઃ૨૩/૧૦/૨૦૦૯                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

કોણ ક્યારે કેવી રીતે, ક્યાંથી કેમ આવી જાય
પ્રેમની સીટી વાગતા ભઇ,મિત્રો જ મળી જાય
                                       ……..કોણ ક્યારે કેવી રીતે.
સ્નેહની સાંકળ મળી જતાં,હૈયે પ્રેમ ઉભરાઇ જાય
પાંદડેપાંદડેપ્રેમ સરી જાય,ત્યાં સુગંધપ્રસરી જાય
દુનીયાના અંધકારમાં,જીવનને જ્યોત મળી જાય
બ્રીજ મળી જતાં પ્રદીપને,હૈયે અનંત આનંદથાય
                                           ……..કોણ ક્યારે કેવી રીતે.
સ્વાર્થ ભરેલ સંસારમાં,દુઃખ સાગરમાં ડુબી જવાય
હલેસાના સહવાસમાં,ધીમેથી એ પ્રેમે તરી જવાય
શરણું જલાસાંઇનું  લેતાં,જીવનમાંમહેંક આવી જાય
આંગણે આવતા મિત્રોથી,આંખમાં આંસુ આવીજાય
                                              …..કોણ ક્યારે કેવી રીતે.
લાગણીની ના માગણી,તોય પરેશભાઇ દઇ જાય
સાથીઓના સહવાસ દેવા,અમારે ઘેર આવી જાય
કલાપ્રેમની જ્યાં જ્યોત જલે,ત્યાં ભક્તિ પ્રેમે થાય
ના દેખાવના મહેલ મળે,તો ય આંગણું મહેંકી જાય
                                              ……..કોણ ક્યારે કેવી રીતે.

*******************************************