Posted on July 5, 2009 by Pradip Brahmbhatt
માતૃભુમિની સવાર
તાઃ૫/૭/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કોમળ કિરણો સુરજના મળે,ને મધુર પવન લહેરાય
પંખી કલરવ સાંભળીલેતા,રોજ ઉજ્વળ પ્રભાત થાય
જય જય હિન્દુસ્તાન જે છે,જગમાં પવિત્ર એવુ નામ
સુર્ય કિરણનો સહવાસ મળે,ત્યાં ભક્તિ ઘેર ઘેર થાય
……..કોમળ કિરણો સુરજના.
માનવી મને ઉમંગ જાગે,જ્યાં સાંભળે ઘંટારવનો નાદ
ધરતી પર જ્યાં કિરણ સ્પર્શે,ત્યાં લીલોતરી ઉભી થાય
નેત્ર તણી શીતળતા મળતા,તેજ આંખોમાં આવી જાય
શરીર મેળવે જ્યાં સ્ફુર્તી દેહે,નમનકરે પ્રભુને નશ્વરદેહે
પ્રાણીપશુ પણચાલે સાથે,જ્યાં માનવીમનથી મલકાય
કુદરતનીઅશીમ કૃપાછે માતૃભુમિ પર ના બીજે દેખાય
એવી પવિત્ર મારી માતૃભુમિની સવાર ઉજ્વળ કહેવાય.
……..કોમળ કિરણો સુરજના.
સહવાસ દિવસનો માણી લેતા,માનવી હેમખેમ દેખાય
પરસેવાથી મુક્તિ દેવા શીતળ લહેર પણ આવી જાય
પ્રેમ સ્વીકારી માનવ મનનો પરમાત્મા પણ હરખાય
કૃપાપામતો માનવી હરપળ ઉજ્વળ જીવન જીવીજાય
પવિત્ર આધરતી જગમાંછે જ્યાં પભુ દેહધરી મલકાય
જીવ જગતમાં શાંન્તિ લેતા માતૃભુમિ પવિત્ર થઇજાય
ધેરઘેર આવે કૃપા પ્રભુની જે જીવને મુક્તિએ લઇજાય
……..કોમળ કિરણો સુરજના.
+++++++++++++++++++++++++++++++++++++++
Filed under: પ્રેમગીત | Leave a Comment »
Posted on July 5, 2009 by Pradip Brahmbhatt
પારકુ ધન
તાઃ૩૦/૬/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અશોકભાઇની લાડલીદીપલ ને સરોજબેનની વ્હાલી
જુન ૩૦ની મંગળ સાંજે દીકરી સંસારની રાહે ચાલી
………અશોકભાઇની લાડલી.
પ્રેમ મેળવી માબાપનો,લાડલી વૈભવની એ બહેન
સુખદુઃખ ની આ સાંકળમાં, પ્રભુ સદા રાખે હેમખેમ
મળતો સ્નેહ સગાવ્હાલાનો ત્યાં પ્રેમાળ જીવનથાય
ભણતરનીસીડી પકડીત્યા ઉજ્વળજીવનજીવતીજાય
……. અશોકભાઇની લાડલી.
રમેશલાલ કહે એ મારીદીકરી, દક્ષા પ્રેમે કહે અમારી
દીપલ છે એવી પ્રીતવાળી, લાડલી સૌની થઇ ગઇ
આશીર્વાદ રમા પણ આપે,રાખી દીપુનિશીતને સંગ
રવિનુ પણ હૈયુ હરખાય, જુએ કલ્પેનકુમાર નો પ્રેમ
……..અશોકભાઇની લાડલી.
૧૯૮૫માં માર્ચની ૨૨તારીખે,દીપલ જન્મી પેટલાદમાં
દીપલ નામ મેળવ્યુ જગત પર,ને દીપ બની પ્રકાશે
માબાપના પ્રેમની વર્ષાએ સદા જીવ આનંદે મલકાય
પ્રેમેઆશીશ પ્રદીપ દે જ્યાંદીપલ પારકુધન થવાજાય
…….અશોકભાઇની લાડલી.
ૐૐૐૐૐૐૐૐૐૐૐૐ(ં)ૐૐૐૐૐૐૐૐૐૐૐૐ
ચી.દીપલ આજે વિવાહના બંધનમાં ચી.કલ્પેનકુમાર સાથે
બંધાઇ તે નિમિત્તે પુ. જલારામબાપા અને પુ. સાંઇબાબાને પ્રાર્થના
સહિત વિનંતી કે ચી.દીપલ તેના લગ્નજીવનમાં સદા સુખી રહે અને
તેનુ તથા પરિવારનું સર્વ રીતે રક્ષણ થાય તેવા આશીર્વાદ સહિત.
પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા પરિવારના જય જલારામ
તાઃ૩૦/૬/૨૦૦૯.(હ્યુસ્ટન.)
================================
Filed under: પ્રાસંગિક કાવ્યો | Leave a Comment »
Posted on July 4, 2009 by Pradip Brahmbhatt

પ્રભાતમાં સ્મરણ
તાઃ૪/૭/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સરસ્વતીનુ સ્મરણ કરુ ને પુંજા લક્ષ્મીજીની
ગણપતીને કરીહું વંદન,જીવની મુક્તિ માગુ.
…….સરસ્વતીનુ સ્મરણ કરુ.
કૃપા મળે મા સરસ્વતીની,બુધ્ધિ સુધરી જાય
ભક્તિનો સહવાસ મળે,ને પાવન જીવનથાય
મળશે જીભનેવાચા પ્રેમની આગણેસૌ હરખાય
આશીશ,પ્રેમને સ્નેહમળે જ્યાં માની પુંજાથાય
……..સરસ્વતીનુ સ્મરણ કરુ.
વરસે વર્ષા લક્ષ્મીની જ્યાં પ્રેમથી વંદન થાય
પુંજનઅર્ચન થાયમાતાના ત્યાં હેતસદાઉભરાય
કૃપામાની મળીજતાં,સાચીભક્તિએ ધનખોબાય
આંગણે આવે ના ભિક્ષુક તોય દાન પ્રેમનાથાય
……..સરસ્વતીનુ સ્મરણ કરુ.
ગણપતિને વંદન કરતાં ભાગ્ય લખાવુ હું મારું
મહેનતકરુહુ પાવનદ્વારે આવે જીવસાથે સઘળુ
લેખ લખેલા મિથ્યાથાયને મુક્તિ જીવની આવે
વિધીના વિધાન સુધરે જ્યાં ગણેશજી મલકાવે
……સરસ્વતીનુ સ્મરણ કરુ.
ૐ સરસ્વત્યાય નમઃ સુર્યોદયના સહવાસે સ્મરાય
ૐ શ્રીમ નમઃ ૐ શ્રીમ નમઃ મા લક્ષ્મીને વંદાય
ૐ ગં ગણપતયે નમઃ કરતાં જીવને આનંદ થાય
સાચીમાયા પ્રભુપ્રીતથી,જે અંતે જીવને મળીજાય
……. સરસ્વતીનુ સ્મરણ કરુ.
઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼
Filed under: આધ્યાત્મિક કાવ્યો | Leave a Comment »
Posted on July 3, 2009 by Pradip Brahmbhatt
કૃપાથી માગણી
તાઃ૩/૭/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બજરંગબલીથી બળ હુ માગુ,જલારામથી ભક્તિ
શ્રધ્ધા માગુ સાંઇ બાબાથી,ને જીવ માગે મુક્તિ
…….બજરંગબલીથી બળ.
બળ રહે જ્યાં ભક્તિમાં, ત્યાં મર્કટ મન ના ડગે
રાખી પ્રેમ ને વિશ્વાસને,જગમાં જીવ કૃપા પામે
ડગમગભક્તિને ડગમગકાયા,મળશે જગમાંત્રાસ
આવશે આંગણે કાયરતા,ને ના રહે પ્રભુનો વાસ
……..બજરંગબલીથી બળ.
ભક્તિમાં એવી શક્તિ છે,જે જગતમાં જીવી જાય
પરમાત્માની મળે કૃપા જીવે,ભક્તિમાં થાય નામ
શ્રધ્ધારાખી રામની મનથી,ત્યાં ઉજ્વળ પંથ મળે
કુદરતને પણ નાઆરો રહે,જ્યાં ભક્તિએ જીવવળે
……..બજરંગબલીથી બળ.
કરુણાસાગર છે અવિનાશી,જીવ જગતનો છે વાસી
રાખી પ્રેમને શ્રધ્ધા મનમાં, મુક્તિ દેશે બલીહારી
દુઃખ સાગર ના બારણે આવે,ભક્તિથી એ ભાગે દુર
જીવને મળે પ્રેમ પ્રભુનો,નારહે જગતપર દેહનુ મુળ
……….બજરંગબલીથી બળ.
++++++++++++++++++++++++++++++++++
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on July 2, 2009 by Pradip Brahmbhatt
જલારામ ને સાંઇરામ
તાઃ૧/૭/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
રહી સંસારમાં ભક્તિ કીધી,મેળવી જગતમાં સિધ્ધિ
ભગવાની ના માયા રાખી,તોય પ્રીત પ્રભુની લીધી
…….રહી સંસારમાં ભક્તિ કીધી.
મેળવી જગમાં પ્રીતપ્રભુની, ના માયા જગમાં દીઠી
આવ્યા આંગણે પરમપિતા, જેણે ભીખ માગી લીધી
સંસારના સાગરમાં રહીને,પત્નીને પ્રેમે દાનમાંદીધી
ભાગ્યા અવિનાશી આંગણેથી,ના પાછળ દ્રષ્ટિ કીધી
…….રહી સંસારમાં ભક્તિ કીધી.
કળીયુગની માયામાં જગમાં,જ્યાં ભક્તિ દીઠી મોંઘી
પ્રીતમંદીરમાં દમડીથીજેને,ક્યાંથી પ્રભુપિતા પધારે
ભગવુ લેતો છાંયડો જગમાં,જ્યાં કર્મી કદીના ફસાય
કર્મનો મર્મ જગમાં લીધો, તેણે ભક્તિનો પથ લીધો
…….રહી સંસારમાં ભક્તિ કીધી.
હૈયે રામ રાખી કામ કરતાં,સફળતાનો મળે સહવાસ
આવે પ્રેમને ઉભરે હેત હૈયે, જન્મે જીવ પણ હરખાય
સાચો પ્રેમ ને કૃપામળે,ઉધ્ધાર કુટુંબ સહિત થઇજાય
જન્મ સફળ થઇ જાય, જેને કૃપા પ્રભુની મળી જાય
…….રહી સંસારમાં ભક્તિ કીધી.
=================================
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on June 28, 2009 by Pradip Brahmbhatt
જગતની શાન
ગુજરાતી
તાઃ૨૮/૬/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગરણી લઇને ગાળવા નીકળ્યા જગતના નરને નાર
પાદડેપાંડદા પારખી લીધા પણ ના ગુજ્જુને પરખાય
એવા છીએ અમે ગુજરાતી જેની શાન જગે છે અનેક
…….ગરણી લઇને ગાળવા.
સ્નેહનો ભંડાર ભરેલો ને હૈયે પણ અનંત રહે છે હેત
માનવતાની જ્યાં વાત આવે ત્યાં પગલાં ભરે અનેક
ગળથુથીમાં સંસ્કાર ભરેલા ને મળેલ માબાપનો પ્રેમ
અંતકાળની ના રાહ એ જોતો પળ પળ પ્રભુથી પ્રીત
હિંમત રાખી મનથી કરતા ત્યાં સફળતા આવે દોડી
એવા છીએ અમે ગુજરાતી જેની શાન જગે છે અનેક
…….ગરણી લઇને ગાળવા.
સાગરનો ના સથવારો લેતા કે ના નદીનાજોતા વહેંણ
માર્ગ પણ મનથી કરીલેતા જ્યાં અડચણ આવે અનેક
ના હિંમતને કદી રોકતા કે ના ડગમગતા પડીએ પાછા
શ્રધ્ધારાખી પ્રેમમાં ત્યાં જલાસાઇની કૃપા મળે હરદ્વાર
બની સહારો જગત જીવો નો ને ઉજ્વળજીવન કરીએ
એવા છીએ અમે ગુજરાતી જેની શાન જગે છે અનેક
…….ગરણી લઇને ગાળવા.
+++++++++++++++++++++++++++++++++++++++++
Filed under: દેશભક્તિ કાવ્ય | Leave a Comment »
Posted on June 27, 2009 by Pradip Brahmbhatt
જીવ અને જગત
તાઃ૨૭/૬/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કૃપા પ્રભુની એવી,ના જાણી શકે જીવ એવી
મળી જાય જગમાંહી,ના કહી શકાય એ કેવી
…….કૃપા પ્રભુની એવી.
માયા મળે એ જીવને જાણે મળે જીવે પહેલી
ભક્તિ ભાવ જ્યાં આવે ત્યાં લાવે જીવે હેલી
મંદમંદ લહેરમાં વરસેપ્રેમ ને આશીશ અનેરી
જગત અને જીવની એ અદભુત બનેછે સ્નેહી
…….કૃપા પ્રભુની એવી.
મુક્તિના જ્યાં દ્વાર ખુલે ત્યાં આવે જીવે શાંન્તિ
ભક્તિનો સથવારો મળેત્યાંનાકરવીકોઇ વિનંતી
સંસારની સઘળી માયા જે વળગી જીવને ચાલે
છુટીજાય એ પળમાંજગે જ્યાં સાચીભક્તિ આવે
…….કૃપા પ્રભુની એવી.
+++++++++++++++++++++++++++++=
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on June 25, 2009 by Pradip Brahmbhatt
દયાળુ અવતાર
તાઃ૨૫/૬/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રભુનો પ્રેમ સદા મળી જાય,
સાચા ભક્તોના દર્શન થાય
અનંત આનંદ બ્રહ્માંડ તણો,
જે જીવને અવનીએ મળી જાય.
……..પ્રભુનો પ્રેમ સદા મળી.
વાણી શ્રધ્ધાને વર્તન જગમાં
માણી રહે માનવી ભક્તિના સંગે
દયા કૃપા કે પ્રેમ મળે આ દેહે,
જે પર કરુણાસાગરની કૃપા વરસે
સાચા સંતે સ્નેહ રાખી જીવનમાં,
પકડી ચાલતા મળે જ્યોત જીવનમાં
……..પ્રભુનો પ્રેમ સદા મળી.
દયા દાનનો એક સથવારો,
જગત જીવને લાગે સદા એ ન્યારો
સાચી ભક્તિની એક બુંદ નિરાળી,
પડે જીવનમાં મળે સદા દિવાળી
વિશ્વપિતાની અજબ બલીહારી,
લાવે અમૃત ભક્તિ જગમાં તાણી
…….. પ્રભુનો પ્રેમ સદા મળી.
ભક્તિ સાચી ને વિશ્વાસ પણ,
રાખી શ્રધ્ધા માનવી ભજ્યા કરે
મુક્તિ માર્ગના બને જે સંગાથી,
મળે માનવીને જગમાં વૈરાગી
ના માયામાં કદી લબડે પળવાર
તેને જગમાં કહે દયાળુ અવતાર
……..પ્રભુનો પ્રેમ સદા મળી.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&૭
Filed under: આધ્યાત્મિક કાવ્યો | Leave a Comment »
Posted on June 24, 2009 by Pradip Brahmbhatt
માનવીનુ પાણી
તાઃ૨૪/૬/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કોણ કેટલા પાણીમાં એ તો સમય આવે જ સમજાય
નદી,સરોવર,સાગર કે નહેરના,ક્યારેય ના ઓળખાય
……. કોણ કેટલા પાણીમાં એ.
નિર્મળ પાણી નદીના વહે,જે માનવી પીવે જગમાંય
આનંદ અનંત હૈયામાં રહે,જ્યાં નિર્મળ સ્વભાવ થાય
કુદરતની કામણગારીલીલા,સખત અને સરળ કહેવાય
ના જુએ કિનારો કે ઓવારો,જ્યાં સાગર ઉભરાઇ જાય
……. કોણ કેટલા પાણીમાં એ.
આવે ક્યાંથી અવનીપર,જેનો જગમાં નાકોઇ અણસાર
ઝરણુ થઇને આવે ક્યાંક,તો ક્યાંક વર્ષાએ વરસી જાય
ગંગા,જમનાના પવિત્રપાણી,માનવી મેળવીને હરખાય
અંતકાળે આનંદ અનુભવે,ને જીવને પ્રભુશરણે લઇજાય
……. કોણ કેટલા પાણીમાં એ.
વહેતા પાણી સરળ લાગે, ને દેહને જગમાં દે વિસામો
ઉછળે જ્યાં અથડાઇ પત્થરને, કોઇ રોકી શકેના જગમાં
માનવ મનનુ પાણી માપવા,ના વહેણને કદી જોવાય
કુદરતની એક જ લહેરમાં,માનવીનુંપાણી મપાઇ જાય
……. કોણ કેટલા પાણીમાં એ.
++++++++++++++++++++++++++++++++++++
Filed under: ચિઁતન કાવ્યો | 1 Comment »
Posted on June 23, 2009 by Pradip Brahmbhatt
મંગળકારી
તાઃ૨૩/૬/૨૦૦૯ મંગળવાર પ્રદીપ બ્રહ્મભટ્ટ
ના ત્રિશુલ હાથમાં લેતા,
ના ગદા હાથમાં ધરતા
જગતજીવનુ પાવન જીવન,
કાગળ પેન લઇ કરતા
મા પાર્વતીના એ સંતાન,
પિતા જગતના તારણહાર
પ્રેમથી પાવન ભક્તિ જોતા,
મોક્ષ જીવને પ્રેમથી એ દેતા
…….ના ત્રિશુલ હાથમાં લેતા.
કરુણા ગણપતિની પાવન,
ભક્તની ભક્તિ છે સુખદાયક
સદા વરસાવે પ્રેમની હેલી,
વહે માનવ જીવનમાં રેલી
રિધ્ધિ સિધ્ધિના એ ભરથાર,
લઇ આવે ઉજ્વળ જીવન સંસાર
પ્રભાત પહોરે સ્મરણ થાય,
ત્યાં પાવન જીવન ઉજ્વળ થાય.
…….ના ત્રિશુલ હાથમાં લેતા.
મળે જીવને અણસાર સ્નેહનો,
પાવન પગલે જીવન ઉજળુ
શ્રી ગણેશાય નમઃ જ્યાં સ્મરાય,
મહેંક આવે જીવનમાં પળવાર
ના લીધી કોઇ માટી જગમાં,
કે ના માગી ભીખ આ ભવમાં
પકડી આંગળી જ્યાં રિધ્ધિની,
મળી જાય જીવનમાં સિધ્ધિ.
…….ના ત્રિશુલ હાથમાં લેતા.
=====================================
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on June 22, 2009 by Pradip Brahmbhatt
મંદીરનો અણસાર
તાઃ૨૨/૬/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પત્થરમાં પરમાત્મા બતાવે,કળીયુગની આ આંખે
પડદા બંધકરીને માનવી,ભઇ પોઢારે પ્રભુને આજે
……..પત્થરમાં પરમાત્મા.
કળીયુગની આ અકળ લીલાને, જાણે કદી ના મન
કેવી લીલા જગતપિતાની,ના સમજમાં આવે મારી
સુર્યોદયના સહવાસેજાગે,ને સુર્યાસ્ત પછી સુઇજાય
માનવી જગતમાં દીવસે જાગે, ને રાત્રે પોઢી જાય
પત્થરમાં પ્રાણમુકીને માનવ,પડદા બંધ કરાવેમન
પોઢારે બપોરે બાર વાગે, ને જગાડે સાંજે ચાર વાગે
કેવી વૃત્તી ભઇ માનવની, ના સમજ મને કંઇ આવે
……..પત્થરમાં પરમાત્મા.
સંબંધ જીવનો સાચો પ્રભુથી,જે કર્મના બંધને લઇ જાય
જન્મ મળે જ્યાં અવનીએ, ત્યાં લાગણી ને પ્રેમ ઉભરાય
દેહ દીધો છે આ પરમાત્માએ, ના માનવીની કોઇ હિંમત
પ્રાણલાવે ક્યાંથી માનવી,જેને અસ્તિત્વનો ના અણસાર
ઉભરોબતાવે પ્રભુપિતાનો,દેખાવને વળગીચાલે પળવાર
સમજ ના માનવીને સંસારે, અંધકારને જ વળગી જાય
નાઅંત સુધરે કે જીવન,વળગે જન્મોજન્મના લફરાં ચાર
……..પત્થરમાં પરમાત્મા.
++++++++++++++++++++++++++++++++++++
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on June 21, 2009 by Pradip Brahmbhatt
માયાની આંગળી
તાઃ૨૧/૬/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આંગળી પકડી પાછળચાલે,જ્યાં ભક્તિ રાખો સંગ
નહીં તો માયા આગળ ચાલે, ભુલી જાવ તમે પંથ
…….આંગળી પકડી પાછળ.
મનને મળેલ કાયરતામાં, અટકી ગયુ જ્યાં મન
આગળ પાછળનુ નારહે ભાન,વકરી જાય જીવન
જકડીરાખી જીંદગીને,તમે જો વળગો ભક્તિ સંગ
ના આવે વ્યાધી ઉપાધી, જીવનમાં આવે ઉમંગ
…….આંગળી પકડી પાછળ.
કરુણા સાગર વરસી રહે, ને જગના બંધન ભાગે
મારીતારીની ના મમતામળે,જીવ ભક્તિએ લાગે
મળેલ માનવ દેહ અમુલો,સુખ સમૃધ્ધિમાં મ્હાલે
બંધન વળગી ચાલે જગના,ના મુક્તિ સંગ આવે
…….આંગળી પકડી પાછળ.
જીવનેજગતમાં મળેસાંકળ,જે જગબંધન કહેવાય
માનવતાની મહેંક મળે,જ્યાં જલાસાંઇને ભજાય
ભક્તિપ્રીત પકડીનેચાલે,ત્યાં આંગળી છોડે માયા
પરમાત્માની અમી દ્રષ્ટિએ,મળે ના જગમા કાયા
…….આંગળી પકડી પાછળ.
(((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on June 21, 2009 by Pradip Brahmbhatt
પાવનદ્વાર
તાઃ૨૧/૬/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આવ્યા આજ આંગણે,વિરપુરના જોગી જલારામ
ભક્તિ પ્રેમ હૈયે રાખી, લઇ આવે વિરબાઇ માત
……આવ્યા આજ આંગણે.
જીવનપ્રેમે જગમાં જીવી,મનથી સૌને દીધા હેત
માયાનાબંધન બાંધી પ્રભુથી,મનથી કીધી પ્રીત
આંગણેઆવેલ જીવનેદેતા,સાચોપ્રેમભાવઅતીત
ના રાખતા માંગણી કે મોહ,જેની જગમાં છે રીત
…….આવ્યા આજ આંગણે.
ભક્તિ જેના હૈયે વસે છે,સદા જગે નમે છે શીશ
કર્તા હર્તા જગના નિયંતા,ના જગે મંગાવે ભીખ
સંસારના બંધન નિરાળા,ને માયાના પકડીચાલે
મળીજાય જ્યાં પ્રભુપ્રીત,સૌ અળગાત્યાંથી ભાગે
……આવ્યા આજ આંગણે.
####################################
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on June 20, 2009 by Pradip Brahmbhatt
અમેરીકન મર્દાનગી
તાઃ૧૯/૬/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મહારાષ્ટ્રમાં મને મરદ કહે, ને ગૌરવ લે ગુજરાતી
આસામમાં મારાનામથી ભડકે,એવો હુ ભારતવાસી
……. ભઇ એવો હુ હિન્દુસ્તાની..
નામનુ પોટલુ માથે લીધુ, ને કુદ્યો ભારતની વાડ
સંસારની સાંકળ પકડી લેતા,મળી ગયુ ગ્રીન કાર્ડ
મનમારીને ચાલવા નીકળ્યો,અહીંયાં પગલા ચાર
મને પુછીને નોકરીલેજો,ઘરમાંથી મળ્યો અણસાર
ફેરા ફરતાં પાછળ ચાલે, અને હવે ચલાવે પાછળ
મર્દાનગીને નેવે મુકાવી, ચાલે ધર્મ પત્નિ આગળ
શોપીંગની જ્યાં જરુર પડે, ત્યાં થેલા પકડી ચાલુ
પર્સ લટકાવી આગળ ચાલે,ના સહેજે જુએ પાછળ
……ભઇ એવો હુ હિન્દુસ્તાની..
માતાપિતાનો પ્રેમ ઉત્તમ,મને ભણાવ્યો દુઃખ વેઠી
કુટુંબનાઉજ્વળ ભાવી કાજે,અહીંની વાટ મેં લીધી
માબાપને મેં શાંન્તિ દેવા, વિનંતી આવવા કીધી
આવી ઉભા આંગણે જ્યારે, ના વહુને ઘરમાં દીઠી
જવાબ ના હતો કોઇ મારે,માબાપે એ જાણી લીધુ
પેંન્ટ શર્ટમાં જોતા ચમક્યા,સંસ્કાર શોધવા લાગ્યા
એકલતાનો લાભ મેળવી,શાણપણ તમને ચુપરાખે
સમજાવ્યા માબાપને,જોઇ મર્દાનગી ભાગતી મારી
……..ભઇ એવો હુ હિન્દુસ્તાની.
ના રોકે પવન કે વરસાદ,તો ય જગમાં પાડે સાદ
લીપસ્ટીક લાલી લબડાવે, ત્યાં છોડીદે ઘરની નાર
પટપટ પટાવી દે નરને,એટલે ભુલી જાય ઘરબાર
લબડી બારણે ઉભારહે,તોયકહે અમેછીએ બળવાન
બુધ્ધી બારણે મુકી દીધી,ત્યાં મળે અમેરીકન નાર
મુકે આધરતી પરપગ,નામળે મરદને આગવીપળ
માબાપની સેવા છુટી ચાલે,જ્યાં પકડી ચાલે છેડો
અમેરીકન મર્દાનગીમાં, હવે નારહ્યો ભઇ કોઇ આરો
…….. ભઇ એવો હુ હિન્દુસ્તાની.
+++++++++++++++++++++++++++++++++++++++=
Filed under: સામાજીક કાવ્યો | Leave a Comment »
Posted on June 18, 2009 by Pradip Brahmbhatt
વ્હાલા ભક્તો
તા.૧૮/૬/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જાગો જાગો ભક્તો વ્હાલા;
ભક્તિ સંગે ગુણલા ગાવા,
પેમ ભાવથી વંદન કરીએ;
ઉજ્વળ પાવન જીવન લઇએ.
…….જાગો જાગો ભક્તો.
પ્રભાત પહોરના મધુર રંગે;
રંગજો જીવન જલાના સંગે,
પાવન કરવા દેહ જીવનમાં;
રાખજો શ્રધ્ધા મન મંદીરમાં,
આવી આંગણે પ્રેમથી લેજો;
માનવતાની મહેંક જીવનમાં.
………જાગો જાગો ભક્તો.
રાખી માયા જલાસાંઇથી;
ભક્તિ કરજો મન અને ભાવથી,
સંસારની કાયા સૌને મળે છે;
માનવ જીવનમાં સંત અનેક છે,
સાચી પામી સેવા સંતની;
કરજો ઉત્તમ જીંદગી અવનીની.
…….જાગો જાગો ભક્તો.
==============================
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on June 17, 2009 by Pradip Brahmbhatt
ઉંઘ ના આવે
તાઃ૧૭/૬/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રભાતના ઉજાસને માણવા,ઉંઘ ત્યજે છે ઇન્સાન
મળતી માયાના બંધનને,ના છોડી શકે બળવાન
લીલા કુદરતની આજગતપર,મળી જાય પળવાર
ઉજ્વળ જીવન જ્યોત મળે,જે ઉંઘજીવને દઇજાય
………પ્રભાતના ઉજાસને.
કરતો દેહે અવની પર તે મળેલ જગતના કામ
ઉંમરના સથવારે ચાલે,કુદરતમાં એ રાખી મન
રોજ સવારને પારખી ચાલતા,મનમાં રહે ઉમંગ
આવીઆંગણે ઉભેલ શાંન્તિને પામી જાયઆમન
…….પ્રભાતના ઉજાસને.
વળગી ચાલે માયાને ને ના છોડે જગનાએ મોહ
પગલેપગલે માન એ શોધે જે અભિમાનની સંગ
દિવસના ઉજાસમાં નામળે જીવને કોઇ સાચોરંગ
ઉંઘ દેહને ના આવે જ્યાં બદલે જીવનમાંએ સંગ
…….પ્રભાતના ઉજાસને.
=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=
Filed under: ચિઁતન કાવ્યો | 1 Comment »
Posted on June 16, 2009 by Pradip Brahmbhatt
બ્રહ્માંડના અધીપતિ
તાઃ ૧૬/૬/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અખીલ બ્રહ્માંડના અધીપતિને વંદન વારંવાર
સરળ શ્રધ્ધાને વિશ્વાસથી,ભજુ હું સાંજ સવાર
….અખીલ બ્રહ્માંડના અધીપતિ.
માનવીજીવન કૃપાએ પામી,મળ્યો ભક્તિનો સંગ
કરુણાસાગરની લીલાને નિરખી,મળી ગયોએ રંગ
ભક્તિ પ્રભુની ને સ્નેહ સંતનો, આવી ગયો ઉમંગ
સવાર સાંજની આ લીલામાં,ભક્તિથી આવ્યો રંગ
….અખીલ બ્રહ્માંડના અધીપતિ.
ગાગરમાં સાગર જ્યાં નીરખ્યો મોહ છુટ્યો તુરંત
અજબ લીલા અવિનાશીની, પામી ગયુ આ મન
ભજનકીર્તનનો જ્યાં સંગથયો ત્યાં દીઠી મેં પ્રીત
મળીગઇ મને આજીવનમાં સાચી જીવનની રીત
….અખીલ બ્રહ્માંડના અધીપતિ.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on June 15, 2009 by Pradip Brahmbhatt
શીતળ સ્નેહ
તાઃ૯/૬/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મંદ મંદ લહેરાતા પવનની, હુંફ મને મળી જાય
ના શબ્દો મળે કે ના વાચા, જે હૈયે આવી જાય
કરુણા સાગર પરમ કૃપાળુ, છે અવનીના આધાર
મહેંકાવે જીવનને જ્યાં શીતળ સ્નેહ સદા મળી જાય.
……..મંદમંદ લહેરાતા પવનની.
પંખીનો પોકાર સાંભળી.માનવી મનડાથી મલકાય
કુદરત તણી અજબ લીલામાં,આનંદ હૈયે પણથાય
વાદળની છાયાને વીંધી,કિરણની કોમળતા વેરાય
ના માનવી કળી શકે જે અવનીએ પરમાત્મા દઇજાય
……..મંદમંદ લહેરાતા પવનની.
પ્રભાતની પહેલી કિરણ,શીતળતાના સહવાસે દેખાય
ઉજ્વળતાના સોપાન સાથે,માનવી છે જગે મલકાય
સ્નેહ પ્રેમને ખંતનીસંગે,જન્મે જીવ આનંદ માણીજાય
એક મેકની હુફ મેળવી જગતમાં સાર્થક જન્મ થઇ જાય
……..મંદમંદ લહેરાતા પવનની.
———————————————–
Filed under: પ્રાકૃતિક કાવ્ય | Leave a Comment »
Posted on June 15, 2009 by Pradip Brahmbhatt
कदमसे मीले कदम
ताः१५/६/२००९ प्रदीप ब्रह्मभट्ट
एक कदम तुम चल पाये तो, राह मीलेगी नरम
कदम दुसरा चल जानेसे, होगा मनमें बडा उमंग
कदम कदमकी संगत चलते,कदमसे मीले कदम
सागर जैसे बडे काममें भी , ना रहेगा कोइ भ्रम
……एक कदम तुम चल पाये.
सच्ची राहपे कदम पडे तो, मिलेगा तुमको कम
धीरज रखके सामने चलना,हो जायेगा वो सरल
राहमें कोइ कांटे आते, तो कोइ रखके भी जाते
नाकोइ रोक पायेगा तुमको, होगा हरअंत सफल
……एक कदम तुम चल पाये.
लगन लगी और महेनत,ना होगा काममें भंग
मीलती है जहां सफलता, कदमपे लगा हो मन
साथ साथ चलने वाले, जब दुर से देख रहे हो
समझेगा ये पावनमन,तुम कीसके साथ चलेथे
……एक कदम तुम चल पाये.
=====================================
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on June 13, 2009 by Pradip Brahmbhatt
ઉજ્વળ જીવન
તાઃ૧૩/૬/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જ્યોત જલે જ્યાં પ્રેમની,ત્યાં હેત અનંત ઉભરાય
મળતી માયા કરતારની, ને જીવન ઉજ્વળ થાય
…….જ્યોત જલે જ્યાં પ્રેમની.
સ્મરણ પ્રભુનુ થાય, ત્યાં જીવને શાંતિ મળી જાય
કરુણા સાગરની મહેર મળે, ને પ્રભાત દીસે પ્રેમાળ
ના આંધી આવે જીવનમાં,ને વ્યાધી પણ ભાગે દુર
ભક્તિની એશક્તિ નિરાળી, માનવની જોઇએ પ્રીત
…….જ્યોત જલે જ્યાં પ્રેમની.
સાચુ શરણુ ભગવાનનુ, ના સાધુતા કે દેખાવે દેખાય
પ્રેમપામવા શ્રીરામનો,જલારામનેસાંઇની જેમ ભજાય
આવે આંગણે સર્જનહાર,જે પારખી ભક્તિ ભાગી જાય
મળે જીવને મુક્તિ ત્યારે,જે મેળવવા જગે દેહ હરખાય
…….જ્યોત જલે જ્યાં પ્રેમની.
લાગણીની માગણી થાય,ને માયાથીમન સદા હરખાય
સાચી શક્તિ છે પ્રેમની, જે સંસારે શ્રધ્ધાએ મળી જાય
જીવને જ્યોત મળે ભક્તિની, ઉજ્વળ જીવન છે દેખાય
મળતીમાયા પ્રભુતાની,ને સંસારથી જીવનીમુક્તિ થાય
…….જ્યોત જલે જ્યાં પ્રેમની.
+++++++++++++++++++++++++++++++++++
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on June 11, 2009 by Pradip Brahmbhatt
મનડુ મારુ કેવુ
તાઃ૧૧/૬/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મન માનવતા ને મોહ,જેના જગમાં છે રુપ અનેક
કોણ ક્યારે અને કેવીરીતે,અનેક ઓળખવાની રીત
………મન માનવતા ને મોહ.
મળશે કાંઇક,મળશેકાંઇક,એવુ મનથી જ થયા કરે
એકવાર નહીં,બેવાર નહીં,ત્યાં થાય પ્રયત્ન અનેક
પ્રયત્ન ચાલુ જ રાખીને,ના ધીરજ છોડવી મનથી
વૃત્તી એવી મનમાં રાખવી, જે માંખીની ભઇ રીત
………મન માનવતા ને મોહ.
કોમળ ભાવના રાખી મનમાં, કે કાંઇક મળી જાય
આડીઅવળીરીત સમજાવી,માનવીને મલકાવાય
કરવો પ્રયત્ન શ્રધ્ધારાખી,એકવાર તો લાભી જાય
પુંછડી પટપટ પટાવતા ભઇ,કુતરાને આનંદ થાય
………મન માનવતા ને મોહ.
હિંમત રાખી મેળવી લેવુ,ના ડર મનમાં કંઇ થાય
મોં ખોલીને ત્રાટકી પડતાં,જે જોઇએ તે મળીજાય
આત્મામાં વિશ્વાસ રહે,ને નામ સાંભળી ડરી જાય
હિંમત એ સિંહની કહેવાય,જે મનડે જ વસી જાય
………મન માનવતા ને મોહ.
મનડુમાનવીનું હાલમ ડોલમ,જ્યાં ત્યાં જગે ફસાય
ત્રાડ પાડીને છાતી કાઢે, જ્યાં નમ્રતા કરતા ભાળે
સ્નેહની સાંકળમાં લપેટાય,ના આરો કોઇ જ લાગે
મનડુ અમારુ એવુ ભઇ,જે સમયને ઓળખી ચાલે
………મન માનવતા ને મોહ.
઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on June 7, 2009 by Pradip Brahmbhatt
ભિખારીલાલ
તાઃ૭/૬/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પારણું ઝુલાવુ હું પ્રેમથી,ને મનમાં પણ હરખાતો
સંસારની આ સાંકળમાં, હું પિતા થતાં મલકાતો
….. પારણું ઝુલાવુ પ્રેમથી.
બાળપણની બારીએથી, જ્યાં દિકરીએ પક્ડી કેડી
ઉજ્વળ આવતીકાલ થશે,જે આજથી જાણી લીધી
મક્કમમને મહેનતકરતી,સફળતાના ચઢે સોપાન
આનંદ અમને ખુબ થાતો,માબાપની વધશે શાન
….. પારણું ઝુલાવુ પ્રેમથી.
પરમાત્માની અજબલીલા,જે ભક્તિએ મળતી જાય
આજકાલ કરતાં સમય ચાલે,ત્યાં ઉંમર વધતીજાય
પારણુ છોડી બારણે આવી,ચઢવાને સંસારી સોપાન
બંધનજીવના શોધવાનીકળ્યો,જેને પતિદેવ કહેવાય
….. પારણું ઝુલાવુ પ્રેમથી.
અહંકાર ને અભિમાનમાં મેં રાચતા દીઠા દીકરા અનેક
લાયકાતની જ્યાં શોધ કરતો, ત્યાં બેકાર જોયા અનેક
આવીબારણે ઉભારહે ને વાતવાતમાંપટો કમરનો તાણે
કેવી સમજ પરણનારની આ ,ના ઉજ્વળ જીવન આપે
….. પારણું ઝુલાવુ પ્રેમથી.
ટાય પહેરી શર્ટ પર,ને ડીગ્રી હાથે માબાપ દીકરો લાવે
સંતાનને સુખી સંસાર મળે, જે વિચારવા જ્યાં હું લાગુ
પુછે પ્રશ્નો દિકરી તમારી ભણી કેટલુ, કેટલુ કમાશે કાલ
ઉલટી ગંગા વહેતી જોતાં,ના મારે જોઇએ ભિખારીલાલ
….. પારણું ઝુલાવુ પ્રેમથી.
==================================
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on June 6, 2009 by Pradip Brahmbhatt
ધરેલ હાથ
તાઃ૬/૬/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હાથ ધરીને માગવું તેને, જગમાં દાન ના કહેવાય
જ્યાં હાથદાનમાગવા લંબાય,તેને ભીખજ કહેવાય
……..હાથ ધરીને માગવું.
આત્માના કલ્યાણનુ બહાનુ, કાગળમાં બતાવાય
ભક્તિ સાચી કઇ છે તે, જગના જીવોને સમજાય
ના કલ્યાણ આત્માનું થશે,કે નહીં થાય કોઇપુણ્ય
ભગવુ પહેરી ભીખમાગવી,એ તો ભીખારીનીભુખ
………હાથ ધરીને માગવું.
દાનપેટી એ ધાર્મીક સ્થાને,હાથ પ્રસારવાની રીત
પૈસા મુકતા માનવી સમજે, પામી ગયો એ પુણ્ય
પત્થરમાં ના પ્રાણ હોય,તો કોણ કલ્યાણ કરીજાય
જીવનુ જતન પ્રભુ કરે, હરખમાં જીવે જે જોડાય
………હાથ ધરીને માગવું.
કરતાં કામ પ્રેમે જીવનમાં,જે જગત જીવને હરખાય
મળે જ્યાં માનવતા,એ સાચી પ્રભુ પ્રીતથી જ થાય
ડગલે પગલે જીવની સંગ રહે,જે પરમાત્મા કહેવાય
ના ભીખ માગવી પડે જગે, કે ના ધરવા પડે હાથ.
………હાથ ધરીને માગવું.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
Filed under: આધ્યાત્મિક કાવ્યો | Leave a Comment »
Posted on June 5, 2009 by Pradip Brahmbhatt
આજની તારીખ
તાઃ૫/૬/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મસ્ત મઝાનો દિવસ,ને કુદરત પણ હરખાય;
જન્મદીન ભઇ મારો, જે આજે છે ઉજવાય.
…….મસ્ત મઝાનો દિવસ.
૫/૬/૦૯ આજની તારીખ,જે આવે જગે એકવાર
૫/૬/૪૯ એ મારી તારીખ,જે જન્મદીન કહેવાય
અકળલીલા અવિનાશીની,ના પામી એમ શકાય
આવેજગમાં એકજ વાર,તોય યાદગાર બનીજાય
…….મસ્ત મઝાનો દિવસ.
સ્નેહ મળ્યો મને સ્નેહીઓનો, જે માપી ના શકાય
મિત્રતાના વાદળ પણ ઘેરા,જે મને ઘેરી જ જાય
શીતળ સ્નેહને ઉજળો પ્રેમ,જે હ્યુસ્ટનમાં લહેરાય
મને મળેલ માનવપ્રેમ,નાતેની કિંમતકોઇ અંકાય
…….મસ્ત મઝાનો દિવસ.
વંદન ચરણે જલાબાપાને,પ્રભુકૃપા મેળવવા આજ
સાંઇબાબા મને સ્નેહ દેજો,કરજો આજીવનુ કલ્યાણ
ભક્તિ પ્રેમથી રમા કરે,ને રવિ પણ દર્શને હરખાય
દીપલ,નીશીત લાગેપાયે,જે જીવનેકલ્યાણે લઇજાય
…….મસ્ત મઝાનો દિવસ.
+++++++++++++++++++++++++++++++++
Filed under: પ્રાસંગિક કાવ્યો | Leave a Comment »
Posted on June 3, 2009 by Pradip Brahmbhatt
મેં ની માયા
તાઃ૩/૬/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મેં મેં કરતા શીખ્યો જ્યારથી,લાકડી છુટી જાય
અભિમાનના ઘેરા વાદળમાં,અંધારુ આવી જાય
બેત્રણ ડગલાં ચાલ્યો જીવનમાં,ના માગુ સહારો
સમજી બેઠો હું અલબેલો, મેં મેં માં હું ખોવાણો
……..મેં મેં કરતા શીખ્યો.
અહંકાર મને ઘેરીને બેઠો,ના માગુ હું કોઇ સહારો
બે ડગલાં એકલો હું ચાલ્યો,ના કોઇની બલીહારી
મારીબની મતી નિરાળી,મળી સફળતાની ચાવી
મનમાં જ્યોતજલી એકએવી,મેં ની લાવી વાણી
……..મેં મેં કરતા શીખ્યો.
કરી ગયા જે કામો અનેક,દઇ ગયા જગમાં જે મહેંક
મળીગઇ મને એકસફળતા,માની લીધીમેં મહાનતા
અભિમાનનાછાયા વાદળ,મેંનીમાયા ચાલી આગળ
એક એક હુ ગણતો રહ્યો,પણ બે ના છેડાને ના જોયો
……..મેં મેં કરતા શીખ્યો.
()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »