हमारा कौन

                           हमारा कौन

ताः९/२/२०१०                              प्रदीप ब्रह्मभट्ट

दुनीया तो एकचाहत है,जहां जीवको आना पडता है
कर्मके ये चक्करमे है आते,वो धरतीपे आ जाते है
                                            …….दुनीया तो एक चाहत है.
मोह मायाका बंधन है ऐसा,जो जीव समझना पाये
लग जाता वो नाता जीवसे,जो जन्म साथ ले आये
जन्म जीवका ये नाता है,जीसको परमात्माही जाने
आना जाना हाथमें अपने,ना कोइ अपना या पराया
                                        ……….दुनीया तो एक चाहत है.
प्रेम भावनाकी ये मंझील है,जहां जीवको मीलना है
सामने जब  आती है राहे,संभल संभल कर चलना
मीलती है जब प्रेमकी ज्योत,जन्म सफल हो जाता
आकर जी लेना यहां दीलसे,फीर कल नहीं है आना
                                           ………दुनीया तो एक चाहत है.

=================================

મહેનતનુ ફળ

                           મહેનતનુ ફળ

તાઃ૧/૨/૨૦૧૦                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

તનથી કરુ મનથી કરુ,જીવન ઉજ્વળ કરવા મથુ
શ્રધ્ધાનો સહારો રાખી,મહેનત હું તન મનથી કરુ
                                       ……… તનથી કરુ મનથી કરુ.
વંદન હુ માબાપને કરુ,આશીર્વાદે પગલુ હુ ભરુ
સરળતાનો સહવાસ રહે,ને કામનિર્મળ બની રહે
પાવન પગલાં બનીરહે,જ્યાં વડીલોની કૃપામળે
સફળતાના બારણા ખુલે,મહેનત મનથી થઇ રહે
                                       ………..તનથી કરુ મનથી કરુ.
ભણતરના દ્વાર ખોલતા, સદગુરુનો જ્યાં પ્રેમ મળે
સહવાસ ને સંગાથ સાચે,જીવન ઉજ્વળ બનીરહે
હૈયેથી મળેલ હેત તનને, સાર્થક જીવન કરીજ દે
મહેનત ખંતથી કરતાં,સાચી રાહ જીવન માણી લે
                                            ………તનથી કરુ મનથી કરુ.
સંસારની સીડીએ ચાલતા,ડગલે ડગલુ સાચવી ભરે
નિરાશાની ના આશા કોઇ,સફળતા દ્વારે આવી મળે
જીવનની સરળતા સંગે,પ્રભુ ભક્તિમાં મન પણ રહે
મહેનત મનથીકરતાં,ના દમડીની માયા જીવે વળગે
                                             ……… તનથી કરુ મનથી કરુ.
જીવનની કેડીએ ચાલવા,તન મનથી એ જીવી લીધી
સાચો રસ્તોદીધો માબાપે,ને ગુરુજીના મળ્યાઆશીર્વાદ
સંતથી મળ્યા સંસ્કાર જીવે,ને ભક્તિએ દીધા સોપાન
મહેનતની સાચીરીતમાણતા,મળ્યો જીવનેપાલનહાર
                                                 ……..તનથી કરુ મનથી કરુ.

==================================

હૈયુ હરખાય

                              હૈયુ હરખાય

તાઃ૮/૨/૨૦૧૦                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

માતાનો પ્રેમ જ્યાં મળીજાય,ત્યાં પિતા ખુબ હરખાય
સંતાનનો સ્નેહ પામતાં,માબાપને જન્મ સફળ  દેખાય
                                             ……….માતાનો પ્રેમ જ્યાં મળી.
નિત્ય સવારે નિર્મળ પ્રેમે, બાળકને વ્હાલ હેતથી થાય
ધીમેપગલે ચાલતાદેહનેનિરખી,મા આંગળીપકડીજાય
પાપા પગલી છુટતાં નાની,જીવનને પગલે એ દેખાય
નિર્મળ જીવન સંતાનના જોતાં,માબાપનુ હૈયુ હરખાય
                                                ……..માતાનો પ્રેમ જ્યાં મળી.
જીવનના સોપાનજોતાં,બાળકને મનમાં મુઝવણ થાય
પિતાપ્રેમથી ટાઢક મળતાં,સોપાન સરળ સૌ થઇ જાય
મનથી મહેનત કરતાં સાચી,ને શ્રધ્ધાનો લઇ સથવાર
સફળતાના સોપાન જોતાં,માબાપ અંતરથી છે હરખાય
                                               ………માતાનો પ્રેમ જ્યાં મળી.
મળીજાય જીવનનીસાચીકેડી,જે સરળ માબાપને દેખાય
આનંદ અનંત આવતાહૈયે,આંખમાં હર્ષનાઆંસુ ઉભરાય
માનોપ્રેમ ને આશીશ પિતાની,મળી જાય સંતાનને હેતે
મળીજાય ત્યાં કૃપા પ્રભુની,સંતાન જીંદગી ઉજ્વળ દેખે
                                                ………માતાનો પ્રેમ જ્યાં મળી.

++++++++++++++++++++++++++++++++

ઉંમરની ઓળખ

                    ઉંમરની ઓળખ

તાઃ૮/૨/૨૦૧૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉંમરને ના પકડે કોઇ, ભઇ દુર દુર સૌ ભાગે
સમય આવતાં પકડીલે,આ ઉંમર સૌને પાડે
                                         ………ઉંમરને ના પકડે કોઇ.
જન્મ મળતાં અવનીએ,જીવ ઉજ્વળ થવા આવે
પાવનપગલાં પારખતાં,ના વ્યાધી કોઇકંઇ આવે
ડગલુ માંડતાં બચપણ આવે,જે વ્હાલુ સૌને લાગે
મળીજાય પ્રેમનીવર્ષા,જ્યાં સગપણ દીલમાંઆવે
                                        ……….ઉંમરને ના પકડે કોઇ.
કેડી જીવનની એવી જગમાં,જેવી દેહ એને પકડે
મન મહેનતને લગન જોતાં,ના મોહ માયા જકડે
પાવન કર્મને ભક્તિનો સંગ,સરળતા જ સહેવાય
મળી જાય સાથ સૌનો,એજ સાચુ જીવન કહેવાય
                                         ……….ઉંમરને ના પકડે કોઇ.
આવે આશીર્વાદની વેળા,મોહ માયાને છોડી દેવા
લાગણી પ્રેમ સંતાનનેદેતાં,સૌ પ્રેમી જીંદગી લેતા
પ્રભુકૃપાના દ્વાર ખુલે જ્યાં,ત્યાં સહકાર મળી જાય
આવે સ્નેહપ્રેમ લાગણી,જે બીજે ક્યાંય ના લેવાય
                                            ………ઉંમરને ના પકડે કોઇ.

=============================

હોળી આવી

                           હોળી આવી

તાઃ૭/૨/૨૦૧૦                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

હોળી આવી હોળી આવી,લઇને પ્રેમે પ્રભુની ઝોળી
મોહમાયાના બંધન તોડી,જીવનમાં લઇ લો પહેલી
                                       ……ભઇ હોળી આવી હોળી આવી.
માનવદેહના કર્મ બંધન,પાપ પુણ્યથી  હોય ભરેલા
ભક્તિની કેડીના સંગે રહેતા,જીવનમાં નડતર ભાગે
માયા જગમાં જ ફરતી ચાલે,શોધી જીવનએ વિખેરે
ના અણસાર મળે દેહને,એજીવને મુક્તિ માર્ગથીરોકે
                                   ……..ભઇ હોળી આવી હોળી આવી.
હોળીનો તહેવાર જીવને,જગતમાં પાપથી  દુર રાખે
જીવના પાપકર્મને બાળે,જ્યાં જીવને ભક્તિ મળે રે
નાશ થાય જ્યાં પાપનો,ત્યાં જન્મ સફળ થઇ જાય
ધુળેટીના રંગોમાં રહેતા,મળેલ જન્મ ઉજ્વળ દેખાય
                                     ……..ભઇ હોળી આવી હોળી આવી.
હિન્દુ ધર્મના દરેક તહેવારે, સંકેત જીવને મળે અનેક
કુટુંબની લાગણી મળતાં,અનંત પ્રેમ બંધનમાં દેખાય
જીવને મળતાં જગનાતહેવારે,સાર્થકજન્મ કરી જવાય
પળપળ સાચવીલેતાં જીવને,જન્મ સફળ થતો દેખાય
                                      ……..ભઇ હોળી આવી હોળી આવી.

++++++++++++++++++++++++++++++++++

દેહનુ આગમન

                          દેહનુ આગમન

તાઃ૫/૨/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મળેલા જીવને જગમાં,કર્મના બંધન હોય
વાણી વર્તન સાચવી જીવતાં,ના તકલીફ જોઇ
                             ……….જન્મ મળેલા જીવને જગમાં.
આગમનનો અણસારમળે,જ્યાં મોહમાયા દેખાય
કર્મ તો  દેહના છે સંસ્કાર,ના કોઇથી  જગે લેવાય
સાચી શ્રધ્ધા મનમાં  રહેતાં,કામ સરળ સૌ થાય
મળીજાય આશીર્વાદ દેહને,જન્મ સફળ થઇ જાય
                                 ……..જન્મ મળેલા જીવને જગમાં.
માનવ મનની રીત નિરાળી,જ્યાં સરળતા દેખાય
ચાલીનીકળે એ માર્ગપર,ના અણસાર કોઇ વર્તાય
સમયઆવતાં પારખમળે,ના હાથમાં ત્યારે લેવાય
તકલીફોનો ભંડાર મળેત્યાં,જ્યાં દેખાવને મેળવાય
                                ……….જન્મ મળેલા જીવને જગમાં.
દેહ મળે જગે જ્યાં જીવને,ત્યાં કર્મ નિરખાઇ જાય
માનવદેહને તકમળે જીવનમાં,જે મુક્તિએ જવાય
ભક્તિપ્રેમને પારખી લેતા,જગે પુંજન અર્ચન થાય
સાચા સંતની કૃપા  મળે,જ્યાં મુક્તિ જીવને દેખાય
                                 ……….જન્મ મળેલા જીવને જગમાં.

###############################

પુ.સાહેબ અને બાને

      પુજ્ય સાહેબ અને બાને પ્રેમથી અર્પણ.

તાઃ૫/૧/૨૦૧૦                                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

પિતાનો પ્રેમ અમને મળ્યો, મારા પુજ્ય સાહેબથી
અને માતાનોપ્રેમપણ,મળી ગયો પુજ્ય કાશીબાથી

ઉજ્વળ જીવન જીવવાને,આનંદ જીવનમાં આપ્યા
પ્રેમ મેળવવા ભાઇઓનો, હ્યુસ્ટનમાં અમને  લાવ્યા

ભણતરની સીડીએ મળ્યા,પુજ્ય અંબાલાલ સાહેબ
એકડો બગડો શીખવાડી,જગે ઉજ્વળ સોપાન દીધા

આશીર્વાદની વર્ષા એ,સફળતા મેં ભણતરે મેળવી
પ્રેમ પામી સાહેબનો પ્રદીપે,જીવતરની કેડી લીધી

બાનો પ્રેમ રમાને મળતાં,સંસ્કારસિંચન મળી ગયા
ઉજ્વળ જીવનની કેડીમળી,આશિર્વાદ બંન્નેનામળ્યા

વિનુભાઇનાઆશીર્વાદમળ્યા ને સ્મિતાભાભીનોપ્રેમ
મોટાભાઇની લાગણીદઇને,દીધા અમને હૈયાનાહેત

વસંતભાઇનો પ્રેમ,વિણાબેનની લાગણી અમનેમળી
શીતલ આકાશ ચાંદનીનો પ્રેમ,રવિ દીપલને મળ્યો

રાજુભાઇનો પણ પ્રેમ મળ્યો,જાણે ભાઇ ભાઇના પ્રેમ
અમીબેનના લાગણી સ્નેહ,અમે હૈયેથી મેળવી લીધા

રવિદીપલના ઉજ્વળજીવનમાં,આશીર્વાદ મળી ગયા
બાદાદાને અને કાકાકાકીને,વંદનકરતાં કૃપામળી ગઇ

ઉજ્વળજીવનનીકેડી જોતાં,જીવનમાં શાંન્તિઆવીગઇ
સાર્થકજીવનની રાહમળી,ને સાચુસગપણ મળ્યુ અહીં

*****************************************
          આણંદથી અમેરીકાની સફરમાં અમને તેમના સંતાન ગણી
મારા પુજ્ય શ્રી અંબાલાલ સાહેબ પુજ્ય કાશીબા તથા તેમના ત્રણેય
દીકરાઓએ મને ભાઇનો પ્રેમ આપી સંપુર્ણ સહકાર આપ્યો.આ દેશમાં
ઘરમાં સ્થાન આપી મને,રમાને,રવિને તથા દિપલને ભાવી ઉજ્વળ
કરવામાં તનમનથી સાથ આપી ઉભા કર્યા છે તે આભાર વ્યક્તકરવા
આ લખાણ તેઓને પ્રેમ સહિત યાદગીરી તરીકે અર્પણ.
લી.પ્રદીપ,રમા,રવિ તથા દીપલના જય શ્રી કૃષ્ણ.

સેવાના કામ

                            સેવાના કામ

તાઃ૪/૨/૨૦૧૦                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

નામ દામ ને છુટે લોભ મોહ,જ્યાં થાય સેવાના કામ
પરમાત્માની કૃપા મળે,ને જીવનો જન્મ સાર્થક થાય
                                      ………..નામ દામ ને છુટે લોભ.
નિત્ય સવારે પુંજન અર્ચન,દેહનો દીન ઉજ્વળ થાય
ભક્તિપ્રેમ જ્યાં સાથદે,ત્યાં સૌ કામ સરળ થઇ જાય
પાવન કર્મનો સથવારો મળે,ત્યાં મોહ માયા તો છુટે
અંત દેહનો સુધરી જાય,જ્યાં પરમાત્મા આવે પડખે
                                      ………નામ દામ ને છુટે લોભ.
જીવનના બંધન તો કર્મના,ને દેહનાબંધન છે જગના
કર્મનો મર્મ એ સમજ મનની,સેવાના કામે સુધારાય
અવનીપરના આગમનને,ઉજ્વળ સોપાન છે દેવાય
જ્યાં પરમાત્માને સમક્ષ રાખીને,સત્કર્મ જગમાં કરાય
                                      ……..નામ દામ ને છુટે લોભ.

====================================

વિસામો

                                વિસામો

તાઃ૪/૨/૨૦૧૦                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉત્તર દક્ષિણ પુર્વ ને પશ્ચિમ,જ્યાં દિશાઓ સમજાય
મહેનત મનથી કરતાં ઘડપણે, વિસામો મળી જાય
                                  ……….ઉત્તર દક્ષિણ પુર્વ ને પશ્ચિમ.
દેહના બંધન તુટે જગમાં,જ્યાં ભક્તિનો પ્રેમ મળે
જીવનની જ્યોત જલે, જે જગમાં પ્રેમ પકટાવી દે
પાવન કર્મ ને ઉજ્વળજીવન,પ્રભુનોપ્રેમ પામી લે
કર્મ અને ધર્મની સમજ, જીવને વિસામો આપી દે
                                    ………ઉત્તર દક્ષિણ પુર્વ ને પશ્ચિમ.
બાળપણ ને ઘડપણ એતો,જીવને નિર્દોષી જીવનદે
જુવાનીના અજવાળે રહેતા,પાવન જન્મ મળી રહે
ભક્તિનો સંગાથ લેતાં જગે,પ્રભુ કૃપા પણ સાથ દે
આધીવ્યાધી ના દેખાતા,જીવને વિસામો મળી રહે
                                   ……….ઉત્તર દક્ષિણ પુર્વ ને પશ્ચિમ.

_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_

અણસાર

              અણસાર

તાઃ૩/૨/૨૦૧૦            પ્રદીપ બ્રહ્મભટ્ટ

વેલણ હાથમાં આવ્યું,ત્યાં રોટલી વણાઇ ગઇ
ને પેન હાથમાં આવી,ત્યાં કવિતા લખાઇ ગઇ
સમજ મને ના પડી,ત્યાં  મુંઝવણ મળી ગઇ
અજબ પ્રભુની લીલા,મને આજે સમજાઇ ગઇ

પ્રભાતે પ્રભુને ભજતાં,માતાનીમાયા મળી ગઇ
મહેનત મનથી કરતાં,પિતાની પ્રીત મળી ગઇ
ભક્તિ પ્રેમથીકરતાં,જલાસાંઇનીકૃપા મળી ગઇ
ને શ્રધ્ધા પ્રભુમાં રાખતાં,ઉજ્વળતા મળી ગઇ
આંગળીપકડી ગુરુજીની,ત્યાંમને રાહ મળી ગઇ

હ્યુસ્ટનમાંઆવતાંમને,સાહિત્યસરીતા મળી ગઇ
કલમ લેતા મને વિજયભાઇની પ્રીત મળી ગઇ
ગુજરાતી ગુજરાતીકરતાં મને સાઇટ મળી ગઇ
પગલીપગલી ચાલતામને નીસરણી મળી ગઇ

==================================

ભક્તોના રખેવાળ

                    ભક્તોના રખેવાળ

તાઃ૩/૨/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિમાં જ્યાં લાગે રંગ,હૈયુ અનંત છે હરખાય
સાચા સંતના શરણે રહેતા,જીવન પાવન થાય
                                     ……… ભક્તિમાં જ્યાં લાગે રંગ.
શ્રધ્ધા રાખીને સંતમાં,પ્રભુ કૃપાને મેળવી લેવાય
જીવની ઉજ્વળતા પામવા,સાચુ શરણુ છે શોધાય
માયાનાબંધન તો દેહને,નેજીવને ભક્તિએ બંધાય
કામદામના મોહને મુકતાં,છે પ્રભુભક્તોના રખેવાળ
                                    …………ભક્તિમાં જ્યાં લાગે રંગ.
સંતની ભક્તિ સાચી,જ્યાં પવિત્રતા સંગ નિર્મળપ્રેમ
માળા તિલક ને ભગવું,એમાં ના મળે ભક્તિ ના વ્હેણ
સંસારની કેડી પર ચાલતા, ભક્તિનો લઇને સહવાસ
તનથીમહેનત સેવામનથી,છેપ્રભુ ભક્તોના રખેવાળ
                                        ………ભક્તિમાં જ્યાં લાગે રંગ.

*****************************************

અહંમ મારો

                            અહંમ મારો

તાઃ૨/૨/૨૦૧૦                                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

અહંમ મારો ઓગળી ગયો,જ્યાં પડી કુદરતની ઝાપટ
માનતો હું એકલો જ છુ હોશિયાર,બીજાબધા ના પાકટ
                                        ……….અહંમ મારો ઓગળી ગયો.
કૉલરને તો ઉંચારાખતો ચાલુ,ને ગળે પહેરતો હું ટાય
બુટ પહેરુ હું  ઉંચી એડીવાળા,ને પેન્ટ પહેરુ અમેરીકન
પટ્ટો કેડ પર ચામડાનો  બાંધુ,જાણે કોઇ મને ના પકડે 
માનું એમ કે હું જ લખું,ના બીજા કોઇમાં છે આવડત
                                      …………અહંમ મારો ઓગળી ગયો.
નામતો મારું પ્રદીપ છે,પણ ના દીપ બનીને હું પ્રકટુ
અહંમ મારે આંગણે હું આંણુ,પણ શરમ મને ના આવે
આંખ મારી આજે ખુલી,જ્યાં સાચી સમજ મને આવી
સ્નેહી,સંબંધી અને મિત્રોને જોતાં,નમન કરુ ભઇ આજે
                                          ……….અહંમ મારો ઓગળી ગયો.

++++++++++++++++++++++++++++++++++

ભક્તિભાવ

                            ભક્તિભાવ

તાઃ૨/૨/૨૦૧૦                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મળતાં જગમાં જીવને,મુક્તિમાર્ગ મળે અનેક
પરમાત્માની ત્યાં કૃપા મળે,જ્યાં ભક્તિભાવમાં ટેક
                                 ……….જન્મ મળતાં જગમાં જીવને.
અજાણતાએ જો દેહે મોહ મળે,જે સમયે ભાગી જાય
માનવતાની ના મહેંક કોઇ,પુર્વ જન્મની દે એ સાથ
મળતી સાચીરાહ એને,જે જીવને મુક્તિએ લઇ જાય
સમયની વ્યાધી ભાગીચાલે,જ્યાં ભક્તિપ્રેમથી થાય
                                   ……….જન્મ મળતાં જગમાં જીવને.
નિર્મળ પ્રેમ ને સાચો સ્નેહ,જીવન દેહને એ દઇ જાય
સરળતાનો સાથ રહે જીવનમાં,ને પવિત્રજીવન થાય
ડગલે પગલે પ્રભુનો સાથ,દેહની આંગળી પકડી જાય
બચી જાય આ માનવ દેહ,ને ઉપાધીઓ  ભાગી  જાય
                                  ………..જન્મ મળતાં જગમાં જીવને.
ક્યારે ક્યાંની ના ચિંતા,જ્યાં સધળુ પાસે આવી જાય
જગતઆધારી અતિ દયાળુ,જે ભક્તિભાવે મળી જાય
માળાનો નામોહ રાખતાં,હરપળ હ્રદયથી સ્મરણ થાય
ના જીવને માયા વળગે, કે ના ધરતીએ આવવું  થાય
                                   …………જન્મ મળતાં જગમાં જીવને.

================================

અભિષેક

                              અભિષેક

તાઃ૧/૨/૨૦૧૦                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભોલેનાથની ભક્તિ ન્યારી,છે જીવન ઉજ્વળ કરનારી
સોમવારનો સુરજ ઉગતાં,પ્રભાતે પુષ્પ દુધથી થનારી
                                           ………ભોલેનાથની ભક્તિ ન્યારી.
ભોલેનાથ તો જગતપિતા છે,જે મુક્તિ જીવને એ દેનારા
પ્રેમ ભાવથી પુંજન કરતાં,આ સફળ જન્મ પણ કરનારા
ધુપદીપ સંગે આરતીકરતાં,પળમાં જીવને શાંન્તિ દઇ દે
અભિષેક નાગેશ્વરનું કરતાં,મુક્તિના દરવાજાએ ખોલી દે
                                           ……….ભોલેનાથની ભક્તિ ન્યારી.
માતા પાર્વતીની કૃપા મળે,જ્યાં ભોલેનાથની  પુંજા ફળે
ત્રિશુળધારી છે અતિદયાળુ,દેહના શત્રુઓનો એ નાશકરે
દેહને જગમાં મુક્તિમળે,જ્યાં ગંગાનું પવિત્ર અમૃત મળે
અભિષેકમાં આસ્થારહેતા,જીવને જગનાફેરા ભક્તિએ ટળે
                                          ………….ભોલેનાથની ભક્તિ ન્યારી.

===================================

તુ અને તારુ

                              તુ અને તારુ

તાઃ૩૧/૧/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

કરી લે કામને તુ,મુકીને નામને તુ
                 ભુલીને માનને તુ,ભજીલે રામને તુ
                                                    ………કરી લે કામને તુ.
તુ તુની ભઇ આ શાણી રીત,ના રહી તેમાં કોઇ પ્રીત
મળે જ્યાં મોહના આબંધન,ના રહે તુ તારા સગપણ
પળ પળ નીરખતાં પહેલાં જ,બની જશેએ  ભુતકાળ
તારા મારા બંધન સમજતાં,દેખાય ના આવતી કાલ
                                                    ……….કરી લે કામને તુ.
સરળતાની સેહદમાં રહેતા,ના પાર કદી સામે જવાય
તુ કહેતા તારા ભાગે છે દુર,એ જ આ દુનીયાના મુળ
તારુ તારુ છોડતાં જ જગે મારુ મારુ કરતાં દોડે છે સૌ
લાગી જશે રામનામે મન,ત્યાં સ્વર્ગ સુલભ મળી જશે
                                                       ……..કરી લે કામને તુ.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

સમયની પકડ

                           સમયની પકડ

તાઃ૩૧/૧/૨૦૧૦                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના કોઇથી એ સચવાય,કે ના કોઇથીય એ પકડાય
હોય નેતા,માનવી કે બળવાન,એ સૌને દે અણસાર
                                   ………….ના કોઇથી એ સચવાય.
સમય સમઝીને ચાલતાં,આવતી વ્યાધીથી બચાય
મળી જાય અણસાર દેહને,પણ ના કોઇથી છટકાય
હોય મોટા દેખાનાર ઉંચા, કે રસ્તે માગતાં એ ભીખ
સૌનેમાટે  સીધી એકરીત,બચવા રાખજો પ્રભુ પ્રીત
                                        ……….ના કોઇથી એ સચવાય.
ઉંચી આંખે જ્યાં ચાલતા ને છાતી કાઢી બતાવે દેહ
પડે લપડાક જ્યાં કુદરતની,ત્યાં દેખાઇ જાય એ ફેક
ઉજ્વળ જીવન પામવાને,સત્યનીપકડી રાખવી દોરી
સમય સમયે સચવાઇજશે,નેમળશે પ્રભુકૃપાઅનોખી
                                        ………..ના કોઇથી એ સચવાય.

===================================

યાદગીરી

                               યાદગીરી

તાઃ૩૦/૧/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમય સમયનુ કામ કરે,ના તેમાં કોઇ ભેદભાવ
પકડી લેતાં માનવી બને,જે યાદ રહે જગમાંય
                                             ……..સમય સમયનુ કામ કરે.
જગતપિતાની કૃપા થતાં,જીવને મળે માનવ જન્મ
થતાં અવનીએ કર્મના બંધન,જે કરેછે જીવને મુક્ત
મારા તારાની માયા બતાવે,મોહનાબંધન સદામળે
મુક્તિ પામશે આ પામર જીવ,ભક્તિમાં રાખેજો સંગ
                                            ………સમય સમયનુ કામ કરે.
જીવનના સોપાન ચઢતાં,પ્રથમ ભણતરનો લેસંગાથ
મહેનત મનથી કરતાં ત્યાં સફળતાનો મળે સહવાસ
સિધ્ધિ પામતા આ સોપાને,મળીજાય દેહને સન્માન
યાદ રહે એનામ,કામ,જેને જગમાં યાદગીરી કહેવાય
                                             ………સમય સમયનુ કામ કરે.
જુવાનીના જોશને પકડી,જ્યાં વિશ્વાસે મહેનત થાય
મળે સોપાન સોપાને સરળતા,જે ઘણુ બધુ દઇ જાય
સધ્ધર પાયે જીવન મળતાં,સંસાર શાંન્તિએ મહેંકાય
આંગળી ચીંધાય જ્યાં કર્મને,ત્યાં યાદગીરી રહીં જાય
                                              ……….સમય સમયનુ કામ કરે.
જન્મ સાર્થક કરવાને જ્યાં,પ્રેમથી પ્રભુની ભક્તિ થાય
નિર્મળ હૈયે પુંજન કરતાં જીવને,ભક્તિ પથ મળી જાય
ઉંમરના ઓવારે આવતાં,મુક્તિદેવા પરમાત્મા હરખાય
અવનીપરની વિદાયથી,સગાંસ્નેહીઓને રાહમળી જાય
                                                 ………સમય સમયનુ કામ કરે.

==================================

પુણ્ય તીથી

                             પુણ્ય તીથી

તાઃ૩૦/૧/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

કોઇ દિવસ અને કોઇ સમય,જે જગમાં નોંધાઇ જાય
સાર્થક માનવ જન્મ થતાં,એ પુણ્યતીથી જ કહેવાય
                                 ……….કોઇ દિવસ અને કોઇ સમય.
જીવ જન્મના આ સંબંધ, તો જન્મો જન્મના છે ખેલ
કુદરતની ન્યારી આ લીલા,ના જગમાં રહે કોઇ મેળ
જન્મમળે ના જીવને જગમાં,છે મોટી ત્યાં રેલમછેલ
આજકાલના છે આ બંધન ન્યારા,ના તેમાં  કોઇ ભેદ
                                   ………કોઇ દિવસ અને કોઇ સમય.
ન્યારી દેહને તક મળે,જ્યાં માનવ દેહ જગમાં મળે
ઉજ્વળજીવન સાર્થકકરતાં,ફરી જગમાં જન્મનામળે
ના રોકાય સમય કે વાર,એતો અગણીત લીલાજગે
યાદ રહે એ વાર ને તીથી,જે જગમાં કદી કદી મળે
                                   ……….કોઇ દિવસ અને કોઇ સમય.
માનવતાની મહેંક છે ન્યારી,ના કુદરતનો  કોઇ ભેદ
આવી અવની પર કરતાં,સાર્થક બનતા કામ અનેક
મળીજાય ત્યાં માનવતા,જ્યાં સહકાર સાથબની રહે
પુણ્ય તીથીની આરીત,જ્યાં પ્રેમછે ત્યાંએ મળ્યા કરે
                                    ………કોઇ દિવસ અને કોઇ સમય.

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

મો.ક.ગાંધી

                                      મો.ક.ગાંધી

તા ૩૦/૧/૨૦૧૦                                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

            ભારતદેશની જનતા જે નામને આજે પણ ગૌરવ સહિત બોલે છે
તે નામ મહાત્મા ગાંધી.ગુજરાતના આ વીરે અહિંસાથી દેશનેઆઝાદીની
માળા પહેરાવી.ગુજરાતીઓ માટે આ અભિમાન અને ગૌરવ બન્યુ છે.
          આજના આ પવિત્ર દીવસને મહાત્મા ગાંધી નિર્વાણદીન કહેવાય છે.
અને તે નામની ઓળખાણ મારી સમજ પ્રમાણે નીચે પ્રમાણે થઇ શકે……..

શ્રી મોહનલાલ કરમચંદ ગાંધી શબ્દે શબ્દની સમજ ………..

શ્રીમાન

મોહમાયાને ત્યાગી પવિત્ર જીવન જીવી ગયા.
રેક પળને પારખીને જીવન સાર્થક કર્યું.
થી જોયા સ્વાર્થ કે લોભ,ફક્ત દેશની આઝાદી એ લક્ષ હતું
લાલચ અને લોભને દુર રાખી દેશ માટે જીવન અર્પણ કર્યુ.
ક્ષ મેળવવા ભારતની જનતા તેમનો સાથ બની

ર્મ અને ધર્મ જનતાને બતાવતા સૌનો સાથ મળ્યો.
હીમ અને રામને એક જોતાં કોમવાદ દુર રહ્યો.
હેનત કરી માનવતાનો માર્ગ લીધો.
ચંચળ મન પર કાબુ રાખી શ્રધ્ધાને સબળ કરી.
રેક જીવને માનવતાનો માર્ગ બતાવ્યો.

ગાંધી કુળને જગતમાં ભારતની શાન કરી.
ધીરજ રાખી સત્યનો માર્ગ મેળવી દેશને આઝાદ કર્યો.

  શ્રી મહાત્મા ગાંધીએ જીવન ઉજ્વળ કરી ગુજરાતીઓને જગતમાં
શાન અપાવી છે.

તે પવિત્ર જીવને કોટી કોટી વંદન.  પ્રદીપ બ્રહ્મભટ્ટ.તાઃ૩૦/૧/૨૦૧૦

++++++++++++++++++++++++++++++++++++++++

જાગતા રહેજો

                          જાગતા રહેજો

તાઃ૨૯/૧/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

કળીયુગની આ કામણલીલા,ના મહીમા અપરંપાર
આંગણે આવી ઉભી રહેએ,કરવા જીવનને બરબાદ 
                              ……….. કળીયુગની આ કામણલીલા.
માનવતાનીમહેંક રહેપાછળ,ને આગળદોડે અહંકાર
પામી લેતા જગતના આસુખને,છોડી દે એ ઘરબાર
કોણ ક્યારે મારું રહેશે અહીં,ના મળશે કોઇ અણસાર
છોડી ચાલશે પોતાનાસર્વને,દુશ્મન બનેએ પળવાર
                                  ……….કળીયુગની આ કામણલીલા.
લીપસ્ટીક લાલી જ્યાં મળશે,નારી દેહ જગે એ ભટકે
ટાય પૅન્ટની પકડ મળી જતાં,માનવતા ત્યાંજ અટકે
સ્નેહ સંતાનનો લેવા માબાપને,કળીયુગે નમતા દીઠા
ભગવાનો દેખાવપણ માણતાં,વૈભવનાભંડાર છે લીધા
                                   …………કળીયુગની આ કામણલીલા.

===================================

પ્રેમી પોકાર

                          પ્રેમી પોકાર

તાઃ૨૯/૧/૨૦૧૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના અણસાર સહવાસનો,કે ના સ્વાર્થનો રણકાર
જગમાં સમયે આવી મળે,હ્ર્દયનોજ પ્રેમીપોકાર
                                        …….. ના અણસાર સહવાસનો.
કુદરતની આ રીત ન્યારી,જે પ્રેમ શબ્દે મળી જાય
અંતરનો કે બહારનો છે,એતો સમયે સમજાઇ જાય
મોહ માયા ના દેખાય,જ્યાં માબાપનો આવી જાય
આશીર્વાદ જ્યાં દીલથી મળે,ત્યાં ના ઉભરો દેખાય
                                       ……… ના અણસાર સહવાસનો.
માનવદેહની માયા જીવને,મુક્તિના બતાવે એ દ્વાર
ભક્તિનો પોકાર દીલથીકરતાં,મળે સંતોનો સહવાસ
સાચી ભક્તિ મનથીજ કરતાં,ના ભુમી ભટકવું થાય
મળીજાય કૃપાપ્રભુની,ના દિવો લઇ શોધવા જવાય
                                   …………. ના અણસાર સહવાસનો.

*********************************************

કર્મની ઓળખાણ

                       કર્મની ઓળખાણ

તાઃ૨૮/૧/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીંદગી તો જીવી જવાની,ના છે તેમાં કોઇ રમખાણ
સંસ્કાર સિંચનની કેડી જોતાં,થાય કર્મની ઓળખાણ
                                            ………જીંદગી તો જીવી જવાની.
મીઠી મધુર એક લહેર પવનની,સુગંધ પ્રસરાવી જાય
મળેમનને ત્યાં શાંન્તિ અપાર,ને દેહપણ પાવન થાય
કુદરતની આકલા નિરાળી,મનની પવિત્રતાએ લેવાય
સત્કર્મોથી પ્રભુ રીઝવતાં,મનુષ્ય જન્મસાર્થક થઇ જાય
                                          ………..જીંદગી તો જીવી જવાની.
મોહ અપેક્ષા કે લાગણી દેખાવની,ના અસર કોઇ થાય
સમય ના હાથમાં કોઇના,કે ના કોઇથી એ કદી રોકાય
સંતનુ શરણુ મેળવી લેતાં,જીવને સદ માર્ગે દોરી જાય
અલખની દોરી મેળવીલેતાં,કર્મે જીવન પણમહેંકી જાય
                                            ……….જીંદગી તો જીવી જવાની.

===================================

અવસ્થા

                                  અવસ્થા

તાઃ૨૮/૧/૨૦૧૦                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મરણના બંધનમાં ભઇ, જીવને જન્મ મળી જાય
કૃપાપ્રભુની એવીનિરાળી,સમયે અવસ્થા દેખાઇ જાય
                                            ………જન્મ મરણના બંધનમાં.
માતાની કૃપા થકી જીવને,જગતમાં દેહ મળી જાય
બાળપણ દેહને મળતાં,સર્વનો પ્રેમ પણ  આવી જાય
હાલરડાની મીઠી સોડમમાં,માબાપનો પ્રેમછે લેવાય
આંખની પલક જોવાને માતા,સારી રાત જાગી જાય
                                           ………..જન્મ મરણના બંધનમાં.
માયા છુટતાં બાળપણની દેહે,જુવાનીના મળે સોપાન
બુધ્ધિ ચાતુર્ય વાપરી લેતાં,જીવનમાં  કેડી મળી જાય
સોપાન સધ્ધરતાનામળે,જ્યાં મહેનત મનથીજ થાય
જુવાનીની અવસ્થાને પારખતાં,જન્મ સફળ થઇ જાય
                                               ………જન્મ મરણના બંધનમાં.
કુદરતની કલા પારખતાં, સમયે ઉંમરની આવે દિવાલ
સાચવીનેટેકો લાકડીનોલેતાં,ના ડગીમગી ક્યાંયજવાય
સહવાસ અને સથવાર મળતાં જ,મનને હળવાસ થાય
બાળપણ,જુવાનીકે ઘડપણ,આ દરેક અવસ્થા સચવાય
                                                  ……..જન્મ મરણના બંધનમાં.

@@@@@@@@@@@@@@@@@@@@@@@

વંદનના સોપાન

                       વંદનના સોપાન

તાઃ૨૭/૧/૨૦૧૦                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રથમ વંદન માબાપને,જેણે દીધો છે માનવ દેહ
જન્મ દીધો માતાએ,ને પિતાએ દીધો ઉજ્વળ પ્રેમ
                                          ………પ્રથમ વંદન માબાપને.
કર્મના બંધન જીવની સાથે, જે ગતિએ લઇને જાય
વાણી વર્તન સાચવી લેતા,જીવન પણ સાર્થક થાય
વંદન માબાપને કરતાંમનથી,આશીર્વાદ છે લેવાય
જીવનમાં શાંન્તિ આવીજાય,ને પ્રભુ કૃપા પણ થાય
                                           ……….પ્રથમ વંદન માબાપને.
પ્રભાતપહોરમાં પ્રભુનેવંદન,જીવે માનવતા મહેંકાય
ધુપ,દીપને અર્ચન કરતાં,જીવપર પરમાત્મા હરખાય
મહેંકે જીવન માનવતાએ,ને સધળા કામસફળ થાય
મનનેમળે નેજીવનેમળે,જે શાંન્તિ પ્રભુકૃપાએ લેવાય
                                            ………પ્રથમ વંદન માબાપને.
ભણતરના સોપાન બતાવી,રાહ જીવનમાં જેણે દીધો
ગુરુજીનેવંદન થાયપ્રેમથી,જેથી ઉજ્વળ જીવન લીધુ
માર્ગ મહેનતનો મેળવી,જીવે સાર્થક જન્મ જગે દીઠો
મનુષ્યજીવન પ્રભુકૃપાએ,આશીર્વાદે પાવનકરી લીધુ
                                            ………પ્રથમ વંદન માબાપને.

=================================

અપેક્ષાનો સંગ

                            અપેક્ષાનો સંગ

તાઃ૨૭/૧/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મળતાં અવનીએ,જીવનેઅનંત આનંત થાય
માનવ દેહને પામતા જગમાં, ખુશી ખુશી થઇ જાય
                                           ……..જન્મ મળતાં અવનીએ.
કર્મનાબંધન છે જીવને,જે અવનીએ જ લાવીજાય
દેહ સાર્થક કરવા જગમાં,અણસાર માનવીએ થાય
પ્રભુ કૃપાને  પામવા કાજે, ભક્તિના લઇ લે છે દ્વાર
શ્રધ્ધા રાખીને પ્રાર્થના કરતાં,પાવનપ્રેમ મેળવાય
                                           ………જન્મ મળતાં અવનીએ.
જીવનેમાયા વળગે જગતની,જન્મે જન્મે મળીજાય
વ્યાધી સાથે અડચણ આવે,જ્યાં મોહમાયા જોડાય
ભક્તિ મનની સાચા સંતની,ખોલે પ્રભુ કૃપાના દ્વાર
જન્મમરણને ત્યજવા,જીવની અપેક્ષા મુક્તિનીથાય
                                            ………જન્મ મળતાં અવનીએ.
કરુણા સાગરની કરુણા ન્યારી,જે નિર્મળતાએ લેવાય
સ્વાર્થ મોહને દુર ફેંકતા,સાચા સંતનો સહવાસ થાય
મળીજાય જ્યાં પ્રભુ સ્મરણ,રામનામની પ્રેરણા થાય
ઉજ્વળ જન્મ થાય જીવનો,સ્વર્ગની ધરતીએ જવાય
                                           ………..જન્મ મળતાં અવનીએ.

=/=/=/=/=/=/=/=/=/=/=/=/=/=/=/=/=/=/=/=/=/=/=/=/=/=